ભારત-અમેરિકાના સંબંધો આજે બાકીના વિશ્વને અસર કરે છે. ઘણા દેશો અમારી પાસેથી ઉકેલની અપેક્ષા રાખે છે: વિદેશમંત્રી એસ.જયશંકર
ભારતના વિદેશમંત્રી એસ. જયશંકરે અમેરિકાના વોશિંગ્ટન ડીસીમાં ઈન્ડિયા હાઉસ ખાતે થિંક-ટેન્ક અને વ્યૂહાત્મક સમુદાય સાથે વિવિધ મુદ્દાઓ પર વાતચીત કરી. આ દરમ્યાન તેમણે ભારત-અમેરિકા સંબંધોને લઈને એક નિવેદન પણ બહાર પાડ્યું હતું. ચીન સાથેના પરસ્પર સંબંધો અંગે પણ વાત કરી હતી. જયશંકરે પ્રેસ કોન્ફરન્સ દરમ્યાન કહ્યું કે, ભારત-અમેરિકાના સંબંધો આજે બાકીના વિશ્વને અસર કરે છે. તેમણે કહ્યું, “ઘણા દેશો એવા છે કે, જેઓ વ્યક્તિગત રીતે અને દ્વિપક્ષીય રીતે અમારી તરફ કેટલાક સારા માટે જુએ છે. ઘણા દેશો અમારી પાસેથી ઉકેલની અપેક્ષા રાખે છે.
- Advertisement -
વિદેશમંત્રી એસ. જયશંકરે જણાવ્યું હતું કે, રશિયા-યુક્રેન યુદ્ધનો મુદ્દે ભારત યોગદાન આપી શકે છે. આજે અમારી પાસે સ્થિર ભૂમિકા છે, અમારી પાસે સેતુની ભૂમિકા છે. અમારી રાજદ્વારી ભૂમિકા છે, આપણે આર્થિક દૃષ્ટિકોણથી જોવું પડશે, વૈશ્વિક અર્થવ્યવસ્થા પરના જોખમોને ઘટાડવામાં આપણે કેવી રીતે યોગદાન આપી શકીએ ?
Delighted to participate in a business luncheon with @USISPForum Board members. Thank Dr. Mukesh Aghi for organizing.
Noted the high interest in transformational changes happening in India in energy, health, climate, infrastructure & logistics and defence domains. pic.twitter.com/PjdJ0Ifmp4
- Advertisement -
— Dr. S. Jaishankar (@DrSJaishankar) September 28, 2022
ચીન સાથેના ભારતના સંબંધો અંગે જયશંકરે કહ્યું કે, ભારત ચીન સાથેના સંબંધો માટે પ્રયત્નશીલ છે, જે પરસ્પર સંવેદનશીલતા, પરસ્પર સન્માન અને પરસ્પર હિત પર આધારિત છે. આ સાથે તેમણે ભારત અને યુએસ વચ્ચેના દ્વિપક્ષીય પરામર્શને નક્કર, સકારાત્મક અને ફળદાયી ગણાવતા કહ્યું હતું કે, તેમની મુલાકાત ખૂબ જ આરામદાયક હતી અને યુ.એસ.માં મંત્રીઓ સાથે તેમની કેટલીક ખૂબ સારી વાતચીત થઈ હતી.
જયશંકરે વધુમાં કહ્યું કે, આ દ્વિપક્ષીય સંવાદ મોટા વૈશ્વિક પડકારોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યો હતો. આ સાથે ભારત અને અમેરિકાની પ્રાથમિકતાઓ ક્યારેક અલગ રહી છે. વોશિંગ્ટનની મુલાકાતને અનુકૂળ ગણાવતા વિદેશ મંત્રીએ રેખાંકિત કર્યું કે, બંને દેશો સમજે છે કે, કેવી રીતે એકબીજા માટે જગ્યા બનાવવી અને દરેક મુદ્દાના દરેક પાસાઓ પર સંપૂર્ણ રીતે સંમત ન હોવા છતાં કામ કરવું.