જર્મનીની રાજધાની બર્લિન પહોંચ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદી
ખાસ-ખબર સંવાદદાતા
- Advertisement -
વડાપ્રધાન નરેન્દ્ર મોદી જર્મનીની રાજધાની બર્લિન પહોંચી ગયા છે. થોડા સમય પછી, તેઓ 6ઠ્ઠી ભારત-જર્મની ઈન્ટર ગવર્નમેન્ટલ કંસલ્ટેશન (IGC) માટે જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝ સાથે જોડાશે. ત્યારબાદ સાંજે તેઓ બર્લિનમાં ભારતીય સમુદાયને સંબોધિત કરશે. આ પછી, તેઓ 3 મેના રોજ ઈન્ડો-નોર્ડિક કોન્ફરન્સમાં ભાગ લેશે, ત્યારબાદ ડેનમાર્કની રાજધાની કોપનહેગનમાં ભારતીયોને પણ સંબોધિત કરશે.છેલ્લે ઙખ મોદી પેરિસમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનને મળશે.
આ વર્ષે PMની આ પ્રથમ વિદેશ યાત્રા છે. ઙખઘ તરફથી જાહેર કરવામાં આવેલી પ્રેસ રિલીઝમાં ઙખની આ મુલાકાત વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે ભારત-જર્મની રાજદ્વારી સંબંધોને 2021માં 70 વર્ષ પૂર્ણ થયા છે અને આપણે વર્ષ 2000થી સ્ટ્રેટેજિક પાર્ટનર પણ છીએ. હું ચાન્સેલર સ્કોલ્ઝ સાથે વ્યૂહાત્મક, પ્રાદેશિક અને વૈશ્વિક વિકાસની ચર્ચા કરીશ. જર્મન ચાન્સેલર અને હું અમારા ઉદ્યોગ સહયોગ માટે બિઝનેસ રાઉન્ડ ટેબલ મીટિંગને પણ સંબોધિત કરીશું.
યુરોપ ખંડ ભારતીય મૂળના 10 લાખથી વધુ લોકોનું ઘર છે. તેમાંથી મોટી સંખ્યામાં જર્મનીમાં રહે છે. પીએમ મોદી અહીં ભારતીય મૂળના લોકોને સંબોધિત કરશે. પીએમ મોદી 3 મેના રોજ ડેનમાર્કની રાજધાની કોપનહેગન પહોંચશે. અહીં તેઓ 3 અને 4 મેના રોજ વડા પ્રધાન મેટ ફ્રેડરિકસન સાથે દ્વિપક્ષીય કાર્યક્રમ અને બીજી ભારત-નોર્ડિક સમિટમાં હાજરી આપશે. આ સાથે આર્થિક સુધારા, ક્લાઈમેટ ચેન્જ અને રિન્યુએબલ એનર્જી જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે.
- Advertisement -
સમિટ દરમિયાન પીએમ મોદી ચાર વધુ નોર્ડિક દેશોના નેતાઓને મળશે. નોર્ડિક પ્રદેશમાં ડેનમાર્ક, ફિનલેન્ડ, આઈસલેન્ડ, નોર્વે અને સ્વીડનનો સમાવેશ થાય છે. નોર્ડિક દેશો ભારત માટે સસ્ટેનેબલ અને રિન્યૂએબલ એનર્જી, ડિજિટાઈઝેશન અને ઈનોવેશનમાં મહત્વપૂર્ણ ભાગીદારો છે. આ મુલાકાત નોર્ડિક દેશો સાથે બહુપક્ષીય સહયોગ વધારવામાં મદદ કરશે. 3 અને 4 મેએ પીએમ મોદી ડેનમાર્ક પ્રવાસ પર રહેશે. અહીં બીજા ભારત-નોર્ડિક શિખર સમ્મેલનમાં ભાગ લેશે.