રાજકોટના ગોંડલ ચોકડી પરના બ્રિજમાં ભ્રષ્ટાચારના ગાબડાં સામે આવ્યા
રાજકોટના ગોંડલ ચોકડી પરના બ્રિજમાં ભ્રષ્ટાચારના ગાબડાં સામે આવ્યા છે. આ બ્રિજનો મુખ્ય ઉદ્દેશ ત્યાંની ટ્રાફિક સમસ્યા નિવારણનો છે. પરંતુ તકલાદી બાંધકામ કેટલું યોગ્ય ? કારણકે અહીં રોજના હજારો વાહનો પસાર થાય છે. કારણકે, રાજકોટ બાયપાસ થઈને અમદાવાદ જવા અને જૂનાગઢ સોમનાથ તરફ જવા માટે આ બ્રિજનો જ ઉપયોગ થાય છે. આ બ્રીજનું હોંશેહોંશે ઉદ્ઘાટન પણ થોડા સમય પહેલા કરવામાં આવ્યા બાદ બ્રિજને લોકઉપયોગે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. ત્યારે આ બ્રિજની આ પ્રકારની બિસ્માર હાલત અનેક શાખાઓ ઉપજાવી રહી છે. જે તંત્રની ભ્રષ્ટાચારની પોલ ખોલી રહી છે. તેમજ અહીં ‘સમારકામ થતું હોવાથી ટ્રાફિકજામની સમસ્યા રોજબરોજ બની રહી છે.