By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    વિદેશી વિદ્યાર્થીઓ અમેરિકાની આવક માટે સારા, નહીંતર યુનિવર્સિટીઓ બંધ: ટ્રમ્પના સૂર બદલાયા!
    5 hours ago
    જ્યોર્જિયામાં ટેકઓફ પછી તુર્કીનું C-130 લશ્કરી વિમાન ક્રેશ થતાં 20નાં મોતની આશંકા
    7 hours ago
    પાકિસ્તાન તાલિબાન દ્વારા ઈસ્લામાબાદ હુમલાનો દાવો કર્યા બાદ કાબુલ માટે ખ્વાજા આસિફની “યુદ્ધ”ની ધમકી
    7 hours ago
    હાફિઝ સઈદ બાંગ્લાદેશ મારફતે ભારત પર હુમલાની યોજના બનાવી રહ્યો છે: રિપોર્ટ
    1 day ago
    મુનીરને મળ્યા વધુ અધિકાર: પરમાણુ હથિયાર અને ત્રણેય સેનાઓ પર કંટ્રોલ
    1 day ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઓપરેશન સિંદૂર 2.0?: PM મોદીની બેઠક, પાકિસ્તાનમાં હડકંપ
    5 hours ago
    દિલ્હી લાલ કિલ્લાના વિસ્ફોટ પર અલ ફલાહ યુનિવર્સિટીની પ્રથમ પ્રતિક્રિયા
    7 hours ago
    તુર્કી ટ્રિપ, ટેલિગ્રામ ચેટ્સ, જૈશ હેન્ડલર: કેવી રીતે ડૉક્ટર્સ મોડ્યુલને કટ્ટરપંથી બનાવવામાં આવ્યું
    7 hours ago
    દિલ્હી સરકારે લાલ કિલ્લા બ્લાસ્ટના પીડિતો માટે વળતરની જાહેરાત કરી
    7 hours ago
    UPSC મેન્સ 2025નું પરિણામ જાહેર – 2736 ઉમેદવારો પર્સનાલિટી ટેસ્ટ (ઇન્ટરવ્યૂ) માટે શોર્ટલિસ્ટ થયા
    8 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    BCCIની કોહલી અને રોહિતને કડક સૂચના: ભારત માટે રમવું હોય તો ઘરેલું ક્રિકેટ ફરજિયાત
    5 hours ago
    હોમકમિંગ? જાડેજાની પહેલી લવ સ્ટોરી: રાજસ્થાન રોયલ્સ!
    2 days ago
    પ્રાધાનમંત્રી બાદ ભારતીય મહિલા ટીમ મળી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને
    5 days ago
    RCB વેચાવાની તૈયારીમાં: 2026 IPL પહેલા વેચાણ પ્રક્રિયા પૂર્ણ થશે
    6 days ago
    લીગ ક્રિકેટમાં દરેક દેશના ખેલાડીઓને રમવાની તક મળવી જોઈએ..’ વસીમ અકરમ
    6 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ગોવિંદાને હોસ્પિટલમાંથી મળી રજા, ગઈ કાલે બેહોશ થયા હતા
    6 hours ago
    મારા પિતા ધર્મેન્દ્ર હજુ જીવિત છે અને તબિયતમાં સુધારો પણ આવી રહ્યો છે
    1 day ago
    2027માં બાપ-બેટા સાથે મળીને ફિલ્મ બનાવશે
    4 days ago
    ભૂતપૂર્વ અભિનેત્રી ઝરીન ખાનનું કાર્ડિયાક અરેસ્ટથી અવસાન
    5 days ago
    વિક્કી- કેટરીનાના ઘરે નાના રાજકુમારની કિલકારી ગુંજી
    5 days ago
  • ધર્મ
    ધર્મShow More
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    2 weeks ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    3 weeks ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    3 weeks ago
    લક્ષ્મી પૂજનના દિવસે મહાલક્ષ્મી માતાજીનું અલૌકિક સ્વરૂપ: રાજાશાહી આભૂષણોમાં દર્શન
    4 weeks ago
    આજે ધનતેરસ સાંજે કરો આ ઉપાય, ક્યારેય ધનની કમી નહિ થાય
    4 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    2 days ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    2 weeks ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    2 weeks ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    2 weeks ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    4 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: આતંકવાદનો મોટિવ શું છે?
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > આતંકવાદનો મોટિવ શું છે?
Author

આતંકવાદનો મોટિવ શું છે?

Khaskhabar Editor
Last updated: 2025/11/12 at 4:24 PM
Khaskhabar Editor 5 hours ago
Share
7 Min Read
SHARE

નવસારી મહેશ પુરોહિત

ટીકા માત્રથી કોઈ સમાજને નુકસાન થતું હોત તો સૌથી વધારે ટીકા હિંદુ સમાજે સાંભળી છે, ઘણા મામલે તો ખોટી ટીકાઓ પણ સહન કરી છે

- Advertisement -

પોલીસ વિભાગને એક થિયરી સમજાવવામાં આવે છે કે જ્યારે તમે કોઈ પણ ગુનાહની તપાસ કરતા હોવ તો સૌથી પહેલા એ જોવાનું કે આ ગુનો કરવા પાછળની પ્રેરણા અથવા ચાલકબળ શું? પોલીસ વિભાગ આ મોટિવ શોધતા શોધતા મૂળ ગુનેગાર સુધી પહોંચી જાય છે.

એવી જ રીતે આ આતંકવાદીઓનું મૂળ ચાલકબળ શું છે? એ બાબત પર કોઈને બોલતા કે તો ડર લાગે છે અથવા અમુક લોકો જાણી જોઈને બૌદ્ધિક રક્ષણ પૂરું પાડે છે. ચાલકબળ સમજવા માટે તમારે આંતકવાદીઓને શેના નામ પર આ પ્રવૃત્તિ કરવા માટે કનવીઝ કરવામાં આવે છે? એમાં મુખ્ય ત્રણ તત્વો જોવા મળે છે. 1. કાફીરથી બદલો 2. આખા વિશ્ર્વને ઇસ્લામિક બનાવવું 3. આપણો મજહબ ખતરામાં છે.

આ ત્રણ સિવાય કોઈ એક આંતકવાદી મને બતાવો જેણે એટલા માટે બોમ્બ ફોડ્યો હોય કે અમને ગરીબ કેમ રાખ્યા? અમને અશિક્ષિત કેમ રાખ્યા? અમને રોજગાર કેમ ન આપ્યો? એવું કહીને બોમ્બ ફોડ્યો હોય? એક પણ કિસ્સો એવો નથી. તમને અન્ય પ્રકારનાં આતંકવાદ જોવા મળશે, જેમ કે નક્ષલવાદ, કઝઝઊ કે અન્ય કોઈ ભૌગોલિક બાબતને લઈને. આ તમામ આંતકવાદ સમય આવ્યે ખતમ થઇ જશે. કારણ કે એ લોકોનાં કારણો ભૌતિક હતા. માટે એ લોકોને ખતમ પણ કરી શકાયા અને બાકી છે તે થઇ જશે.

- Advertisement -

પણ, જ્યારે તમારું મોટીવેશન તમારો જ મજહબ હોય, તમને કનવીન્સ કરવાવાળા તમારા જ ધાર્મિકગુરુઓ હોય, તમે આંતકી પ્રવૃત્તિ કરો તો તેને વ્હાઇટવોશ કરવા માટે તમારા જ સમાજમાં બૌદ્ધિક લોકો હોય તો એ આંતકવાદ ખતમ ન થાય. કારણ કે આ આખી પ્રવૃત્તિમાં જાણતા અજાણતા એક સમાજ ફસાયો છે. આ એટલું ખતરનાક વિશ ચક્ર છે કે જો સમાજનો કોઈ વ્યક્તિ વિરોધ કરે તો પણ મરે અને વિરોધ ન કરે તો તો મરી જ રહ્યો છે. અહીંયા તમારે તો આ પ્રકારની પ્રવૃત્તિનો ખુલ્લીને વિરોધ નથી કરવો પરંતુ અન્ય વિરોધ કરે ત્યારે ઇસ્લામ ફોબીયા અને સેકુલરીઝમ જેવા શબ્દો પાછળ સંતાઈ જવું છે. અને કોઈ વિરોધ કરે તો તેના પર ‘નફરતી’ જેવું બિરુદ લગાવી દેવું છે. પણ તમારા સમાજમાં કોઈ બદી છે તો તમારે ટીકા તો સાંભળવી જ પડશે. જેટલું મોડું કરશો એટલું તમને જ નુકસાન છે.

ટીકા માત્રથી કોઈ સમાજને નુકસાન થતું હોત તો સૌથી વધારે ટીકા હિંદુ સમાજે સાંભળી છે. ઘણા મામલે તો ખોટી ટીકાઓ પણ સહન કરી છે. ટીકાથી સમાજ ખતમ થતો હોત તો બ્રાહ્મણ સમાજ તો લુપ્ત થઇ જવો જોઈતો હતો. કારણ કે કથિત બ્રાહ્મણવાદનાં નામે બ્રાહ્મણ સમાજને મનફાવે તેમ આજે પણ બોલવામાં આવે છે. છતાં આ સમાજ પ્રગતિ કરીને કોઈ પણ વળતો જવાબ આપ્યા વગર સમાજની વચ્ચે સૌહાર્દથી રહે જ છે.

કનૈયા લાલનું ગળું કાપીને હત્યા કરવામાં આવેલી, ત્યારે મને એક મુસ્લિમ યુવાને ચિંતાનાં સ્વરમાં પૂછેલું કે મહેશભાઈ અમારું ભવિષ્ય શું છે? ત્યારે મેં કીધેલું કે હિંદુ સમાજ તમારા વિરુદ્ધમાં કોઈ દિવસ હથિયાર તો નહીં ઉપાડે, પણ ધીરે ધીરે તમારાથી દૂર થઇ જશે, અને તમે લોકો આવનાર એક બે દસકમાં આઇસોલેટ (સામાજિક રીતે બહિષકૃત) થઇ જશો. અને બહિષકૃત થવું દુનિયાની સૌથી મોટી સજા છે. યુવાને મને કહેલું કે અમારા મૌલાના કરતા પણ તમે મને સ્પષ્ટતાથી જવાબ આપ્યો છે.
વાત ખાલી ભારત પૂરતી નથી, વિશ્ર્વનાં તમામ ખૂણાઓમાં જુઓ કે આજથી 20 વર્ષ પહેલા જે દેશોમાં લીબરલ સરકારો હતી, ત્યાં હાલમાં જમણેરી વિચારધારાની સરકારો બની રહી છે. લીબરલ ફ્રાન્સમાં ‘લી પેન’ જેવા કટ્ટર નેતાનું ઉભરવું, એના કેન્દ્રમાં પણ ઇસ્લામિક આંતકવાદ જ છે. આવું જ તમને અન્ય યુરોપિયન દેશોમાં જોવા મળશે. ભારત તો હજુ આ લોકો કરતા લાખ ઘણું સારુ છે કે સત્તામાં બેઠેલા લોકો સનાતન સંસ્કૃતિમાંથી આવ્યા છે એટલે સત્તામાં આવ્યા બાદ પણ યોજનાઓ ધર્મનાં આધારે નથી બનાવતા. બાકી ચીનમાં જઈને ઉઇગર મુસ્લિમની હાલત પૂછી આવો.

શંકા પ્રબલ ત્યારે બની જાય છે કે ગાઝામાં માનવતા ઉભરાએ છે તે નાઇઝીરીયામાં ઇસ્લામનાં નામ પર 1,00,000 ઇસાઈઓને ચાલુ વર્ષે મારી નાખવામાં આવ્યા ત્યારે શાંત થઇ જાય છે. અરે સુડાનમાં ત્રણ વર્ષમાં 50,000 મુસ્લિમની હત્યા કરવામાં આવી છે તો પણ ચૂપ કેમ છે ખબર છે? કારણ કે ત્યાં મુસ્લિમની ઉચ્ચ અને નીચ જાતિ એકબીજાને મારી રહી છે. આવા દોગલાપણાનાં તો 100 ઉદાહરણ છે.

કોઈ સમાજ અચાનક જ અવિશ્ર્વાસ નથી કરતો, ડોટ ડોટ કનેક્ટ થતા હોય અને અને સમાજની મેમરીમાં આ બધું સેવ થતું હોય છે અને આ સમાજ જાતે જ આ ડેટાને પ્રોસેસ કરીને લાંબાગાળાનો નિર્ણય લેતો હોય અને અને એ નિર્ણય એટલે આઇસોલેશન અર્થાત સાયલન્ટ બોયકોટ. આ હથિયાર રક્ષનાત્મક રીતે ઉપયોગમાં લેવાઈ રહ્યું છે. જે હું નજરે જોઈ રહ્યો છું.

આ લેખ વાંચીને તમે મને ઇસ્લામ વિરોધી કહી શકો, તમે મને નફરત ફેલાવનાર કહી શકો, જે તમારા મનમાં આવે તે લેબલ મારી શકો પણ એનાથી ઉંમર નામનો મુસ્લિમ વ્યક્તિ ડોક્ટર બન્યા બાદ પણ ફિદાઇન બનીને ફૂટાવાનું બંધ નહીં કરે, ( જે કાલે દિલ્લીમાં થયું ) એટલું યાદ રાખજો અને એ બંધ કરવું હોય તો હમણાંથી જ સામાજિક જાગૃતિ લાવો. જે સાઉદી અરેબીયા કરી જ રહ્યું છે. ત્યાં તો એ હદે સુધારા આવી રહ્યા છે કે જરૂર પડે ત્યાં ધાર્મિક પુસ્તકોમાં પણ બદલાવ લાવી રહ્યા છે અને મુખ્યધારામાં આવી રહ્યા છે.

મને હાલમાં જ યુનાઈટેડ આરબ અમીરાતનાં વાઇસ પ્રેસિડેન્ટ અને દુબઇનાં રાજા શેખ મોહમ્મદ બિન રાશિદ અલ મકતૂમએ આપેલું નિવેદન ખુબ ગમેલું જે અહીંયા ક્વોટ કરું છું. આતંકવાદ ઇસ્લામના નામે આવ્યો. તે આપણા નામે આવ્યો. બીજા પર આરોપ મૂકવાની કોઈ જરૂર નથી. જો તે આપણા વતી બોલે છે, તો આપણે જ સૌથી પહેલા તેનો સામનો કરવો જોઈએ.

નોટ: નિર્મળ બની રહેવા માટે નદીની જેમ વહેતુ રહેવું પડે, ખાબોચિયા બન્યે મેળ ન પડે.

You Might Also Like

અભણ આતંકી, શિક્ષિત આતંકી: જગતનું ઊચ્ચત્તમ શિક્ષણ પણ જેહાદનાં કીડાને મારી શકતું નથી

બસની સીટ – એક કટાક્ષકથા

ટેક્નોલોજીએ આપણી માનસિક ક્ષમતાઓને પણ નિર્ભર બનાવી દીધી છે, હજુ દોઢ દાયકા પહેલાં આપણે મોટા મોટા સરવાળા-બાદબાકી, ગાણિતિક ગણતરીઓ મોઢે કરી નાખતા હતા અને હજારો ફોન નંબર યાદ રાખતા હતા પરંતુ હવે, બે-ચાર સંખ્યાઓનો સરળ સરવાળો પણ આપણાથી થતો નથી….

આધુનિક સુવિધાઓની અદૃશ્ય ગુલામી…

વધુ પડતી ખાંડ ખાવાથી મગજની નવું શીખવાની અને નવી સ્મૃતિઓને યોગ્ય અને તાર્કિક રીતે સંગ્રહિત કરવાની ક્ષમતા પર સીધી અસર પડી શકે છે

TAGGED: Delhi blast
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article જૂનાગઢમાં ‘SIR’ અભિયાનનો પ્રારંભ, નવી મતદાર યાદી માટે સઘન ઝુંબેશ
Next Article વેરાવળ પાટણ સમસ્ત સિંધી સમાજ દ્વારા રોષભેર રેલી કાઢી પ્રાંત અધિકારીને આવેદન અપાયું

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાત

સાઇખા GIDCમાં વિસ્ફોટ બાદ આગ, 3નાં મોત, 24 ઘાયલ

Khaskhabar Editor Khaskhabar Editor 4 hours ago
પરસાણાનગરમાં રેલ્વે ટ્રેક નીચે ગટરના ગંદા પાણીથી ફેલાય છે રોગચાળો : ગાયત્રીબા વાઘેલા
મવડીનો શખ્સ થાર અને અર્ટિગા સેલ્ફમાં ભાડે લઇ ગયા બાદ ગાયબ
રાજકોટ-ભાવનગર હાઈ-વે પર ડામર રોડ રીપેરિંગ કામગીરી પ્રગતિમાં
નિ:શુલ્ક સર્જરીથી જીવનદાન : ડૉ. પારસ મોટવાણીએ સર્જરીથી દર્દીને કર્યો પગભર
સરધારમાં પ્રેમીએ પ્રેમિકાને છરીના ઘા ઝીંકી પોતાને પણ ઘા ઝીકી દેતા ગંભીર
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Kinnar Acharya

અભણ આતંકી, શિક્ષિત આતંકી: જગતનું ઊચ્ચત્તમ શિક્ષણ પણ જેહાદનાં કીડાને મારી શકતું નથી

Khaskhabar Editor Khaskhabar Editor 6 hours ago
Author

બસની સીટ – એક કટાક્ષકથા

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
Hemadri Acharya Dave

ટેક્નોલોજીએ આપણી માનસિક ક્ષમતાઓને પણ નિર્ભર બનાવી દીધી છે, હજુ દોઢ દાયકા પહેલાં આપણે મોટા મોટા સરવાળા-બાદબાકી, ગાણિતિક ગણતરીઓ મોઢે કરી નાખતા હતા અને હજારો ફોન નંબર યાદ રાખતા હતા પરંતુ હવે, બે-ચાર સંખ્યાઓનો સરળ સરવાળો પણ આપણાથી થતો નથી….

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?