હુમલો કુકી સંગઠનના ઉગ્રવાદીઓ દ્વારા કરાયો હોવાની શંકા, 10મી જુન સુધી ઇન્ટરનેટ સેવા સસ્પેન્ડ રહેશે
ખાસ-ખબર સંવાદદાતા
મણિપુરમાં ફરી હિંસા ભડકી ઉઠી છે, જ્યારે ઉગ્રવાદીઓ સાથે ગોળીબારમાં બીએસએફના એક સહિત આસામ રાઇફલના ત્રણ જવાનો શહીદ થયા છે. જાણકારી અનુસાર બીએસએફના શહીદ જવાનનું નામ રંજીત યાદવ છે. મણિપુરમાં અનેક જિલ્લામાં કરફ્યુ વચ્ચે સોમવારે રાત્રે ફરી હિંસા ભડકી ઉઠી હતી. અને ઉગ્રવાદીઓ દ્વારા ગોળીબાર પણ થયો હતો જેમાં ત્રણ જવાનો ઘાયલ થતા હોસ્પિટલમાં લઇ જવાયા હતા, જ્યાં તેમનું મોત નિપજ્યું હતું.
- Advertisement -
હિંસાને ધ્યાનમાં રાખીને સરકારે ઇન્ટરનેટ પર પ્રતિબંધને 10 જૂન સુધી લંબાવી દીધો છે. સુગનૂ-સેરૌ વિસ્તારમાં પાંચથી છ જૂનની રાત્રે આસામ રાઇફલ, બીએસએફ અને સ્થાનિક પોલીસ દ્વારા મળીને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ દરમિયાન સુરક્ષાદળોની જાણકારી મળી જતા ઉગ્રવાદીઓએ ગોળીબાર શરૂ કરી દીધો હતો.
જેમાં બીએસએફનો એક જવાન ગંભીર રીતે ઘાયલ થઇ ગયો હતો. અને આસામ રાઇફલના બે જવાનને પણ ગોળી વાગી હતી. ત્રણેય જવાનોને સારવાર માટે મંત્રીપુખરીના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. કુકી ઉગ્રવાદીઓ દ્વારા આ ગોળીબાર થયો હોવાના અહેવાલો છે.