એક વર્ષમાં 185 કરોડ ઉપાડી લીધા,1 દિવસના રિમાન્ડ પર
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ
સાયબર ફ્રોડ ગુનામાં પોરબંદરના હિરલબેન જાડેજા અને તેના 2 સાગરીતની ધરપકડ કરી એસઓજી પીઆઈ પી.સી સરવૈયાએ તપાસ હાથ ધરતા હિરલબા જાડેજા, તેના સાગરીતોએ 22 બેંક ખાતામાં રૂપિયા 186 કરોડનું ટ્રાન્જેક્શન કરી રૂપિયા 185 કરોડ ઉપાડી લીધા હોવાનો ઘટસ્ફોટ થયો હતો. ડીવાયએસપી હિતેશ ધાંધલ્યાએ જણાવ્યું હતું કે, કે, જૂનાગઢ સાયબર ક્રાઈમ પોલીસ પાલીસ સ્ટેશનમાં પોરબંદરના હિરલબા ભુરાભાઈ જાડેજા, તેના સાગરીતો નૈતિક માવાણી, હિતેશ ભીમાભાઈ ઓડેદરા તથા સચિન કનકરાય મહેતા સામે ફ્રોડનો ગુનો નોંધાયો હતો. આ શખ્સાએ અર્હમ કોમોડિટીના પ્રતાપભાઈ મહેન્દ્રભાઈ ભરાડ, વિઠ્ઠલેશ પલ્સ કોમોડિટીઝના પારસ જોશી તેમજ ભરત એન્ટરપ્રાઈઝના ભરત સુત્રેજને ગોડાઉન ખોલી નાના મોટા ધંધા કરવાનું પ્રલોભન આપી ત્રણેયના નામે ખોટા દસ્તાવેજ, ખોટા બીલો બનાવી તેના આધારે બોગસ પેઢીઓ ઊભી કરી તેની જાણ બહાર જીએસટી નંબર ઉપરાંત સર્ટિફિકેટ કઢાવી અલગ અલગ બેંકોમાં ખાતા ખોલાવી લીધા હતા બાદમાં 22 બેન્કો ખાતામાંથી નાણા ટ્રાન્સફર તથા વિડ્રોલ કરી રૂપિયા સગેવગે કર્યાનું તપાસમાં ખુલતા સાયબર ફ્રોડ ગુનો નોંધાયો હતો.
- Advertisement -
એસઓજી પીઆઈ સરવૈયાએ ટ્રાન્સફર વોરંટના આધારે હિરલબા, હિતેષ ઓડેદરા, સચિન મહેતાનો જેલમાંથી કબજો મેળવી ધરપકડ કરી હતી. ત્રણેયને 1 દિવસના રિમાન્ડ પર મેળવી પૂછપરછ હાથ ધરવામાં આવી છે. હિરલબા સહિતના આરોપીઓએ 22 બેંક ખાતામાં રૂપિયા 186 કરોડનું ટ્રાન્જેક્શન કરી 185 કરોડ બેંક ખાતાઓમાં ટ્રાન્સફર કરી ઉપાડ કરી બેંક ખાતા બંધ કરી દીધા હોવાનું સામે આવ્યું છે. હિરલબા સહિતનાએ અન્ય બેન્ક ખાતાઓમાં પણ સાઇબર ફ્રોડના નાણાં સગેવગે કર્યાની શક્યતા જણાતા વધુ તપાસ અને પુછપરછ હાથ ધરવામાં આવી દરમ્યાન છેલ્લા એક વર્ષમાં ભારત સરકારના પોર્ટલ પર સાયબર ફ્રોડની 83 ફરિયાદ છે.