By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    50 વર્ષ જૂની દલીલમાં ફસાયું ડેનમાર્ક
    1 day ago
    ગુંડાગીરી નહીં, સન્માનથી વાત કરો; આંતરરાષ્ટ્રીય કાયદાનું પાલન કરો: ફ્રાંસની ટ્રમ્પને ચેતવણી
    2 days ago
    અમેરિકામાં બરફનું ભયંકર તોફાન, 100થી વધુ ગાડીઓ વચ્ચે અકસ્માત, જાણો વધુ
    3 days ago
    અમેરિકા ભૂતકાળમાં પણ બર્ફીલા ટાપુ ગ્રીનલૅન્ડને ખરીદવાનો પ્રયાસ કરી ચૂક્યું છે, 10 કરોડ ડૉલરની કરી હતી ઑફર
    4 days ago
    ચિલીના જંગલોમાં પ્રચંડ આગમાં 18 લોકોના મોત, ઈમરજન્સી જાહેર
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    લોહાણા સમાજની અગ્રણી વૈશ્ર્વિક સંસ્થા દ્વારા કઈંઇઋ એક્સ્પોનું ભવ્ય આયોજન
    1 day ago
    અભિષેક શર્માનું તોફાન: ન્યૂઝીલેન્ડ સામે ભારતે રેકોર્ડબ્રેક સ્કોર સાથે પ્રથમ ઝ20 જીતી
    1 day ago
    બંધારણીય સત્તાનો દુરુપયોગ સ્વીકાર્ય નથી: સુપ્રીમ કોર્ટનો ચૂંટણી પંચને ફટકાર
    1 day ago
    અવિમુક્તેશ્ર્વરાનંદને ચેતવણી માઘ મેળામાંથી ‘બૅન’ કરી દઈશું
    1 day ago
    EUનો ટ્રમ્પના ગાલ પર તમાચો
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    પાકિસ્તાનની જેમ BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી A+ કેટેગરી હટાવશે? રોહિત-કોહલીને થશે મોટું નુકસાન
    3 days ago
    જો બાંગ્લાદેશનો મુદ્દો ઉકેલાય નહીં તો પાકિસ્તાન 2026 માં T20 વર્લ્ડ કપમાં ભાગીદારીની સમીક્ષા કરશે
    4 days ago
    ‘ગૌતમ ગંભીરે રોહિત શર્માને ODI કેપ્ટન પદેથી હટાવ્યો…’, પૂર્વ ક્રિકેટરનો ચોંકાવનારો આરોપ
    1 week ago
    રાજકોટમાં રમાયેલી 2nd ODI માં શરમજનક પરાજય બાદ ભારતીય કેપ્ટન ગિલનું દર્દ છલકાયું
    1 week ago
    T20 વર્લ્ડકપ વિવાદ વચ્ચે ICC મક્કમ !
    2 weeks ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સિંગર હની સિંહે ફરી વિવાદિત નિવેદન આપતા લાકો ભડક્યા
    1 week ago
    કુમાર સાનુએ પૂર્વ પત્ની રીટા ભટ્ટાચાર્ય સામે 30 લાખ રૂપિયાનો માનહાનિનો કેસ દાખલ કર્યો
    1 month ago
    રહેમાન ડકૈત વાસ્તવમાં કોણ હતો ?
    1 month ago
    ધુરંધર ફિલ્મના કેરેક્ટર રિયલ લાઈફમાં કોણ છે?
    1 month ago
    બોબીના જમાલ કુડુ પછી, અક્ષયનો ધુરંધર ડાન્સ વાયરલ થયો, ચાહકો તેને ‘બેન્જર’ જાહેર કરે છે
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    2 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    2 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    3 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    3 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    3 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    2 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    3 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    3 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    3 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    3 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: શનિદેવને શક્તિ પ્રાપ્ત કરાવનાર પર્વત!
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Parakh Bhatt > શનિદેવને શક્તિ પ્રાપ્ત કરાવનાર પર્વત!
Parakh Bhatt

શનિદેવને શક્તિ પ્રાપ્ત કરાવનાર પર્વત!

Khaskhabar Editor
Last updated: 2022/02/19 at 5:49 PM
Khaskhabar Editor 4 years ago
Share
7 Min Read
SHARE

મોર્ડન ધર્મ
– પરખ ભટ્ટ

મધ્યપ્રદેશમાં ગ્વાલિયર નજીક આવેલા એંતી ગામમાં આવેલું શનિદેવનું આ મંદિર ત્રેતાયુગના સમયનું હોવાની માન્યતા છે. એવું કહેવાય છે કે, મંદિરમાં પ્રાણ-પ્રતિષ્ઠિત શનિદેવની પ્રતિમા અવકાશમાંથી આવી ચડેલા ઉલ્કાપિંડનો એક ભાગ છે!

- Advertisement -

સામાન્યત: શનિદેવને શાસ્ત્રોમાં ન્યાયના દેવતા ગણાવાયા છે. શનિની કુદ્રષ્ટિ દેવતાઓને પણ ભારે પડી છે. નિષ્પક્ષ રીતે ત્રિલોકના તમામ જીવોનો ન્યાય તોળતાં શનિદેવની ગાથા હંમેશાથી જ સાહસ-પ્રેરક રહી છે. પરંતુ એક વખત એવો પણ આવ્યો હતો, જ્યારે અન્યોને નિ:સહાય કરી દેનાર શનિદેવ, પોતે જ અત્યંત લાચાર અને દુર્બળ બની ગયા!
પ્રાચીન ગ્રંથોમાં સૌથી શક્તિશાળી દૈત્ય રાજા તરીકે રાવણને સર્વોચ્ચ-ઉપાધિ આપવામાં આવી છે.

મહાન શિવ ભક્ત અને ત્રિકાળ-જ્ઞાની દશાનન પાસે સિદ્ધિઓનો ભંડાર હતો. ત્રણેય લોકનાં દેવી-દેવતા જેનાથી થરથર કાંપી ઉઠતાં, એવા રાવણનો ત્રાસ દિવસે ને દિવસે વધતો જતો હતો. પોતાની મહાનતા અને સર્વોપરિતા સાબિત કરવા માટે રાવણે એક પછી એક તમામ દેવતાઓને કેદી બનાવવાનું ચાલુ કરી દીધું. કોઇ દેવતા રાવણની શક્તિ સામે ટકી ન શક્યો. હદ્દ તો ત્યારે થઈ, જ્યારે રાવણે શનિદેવને પણ કેદ કરી લીધા. સમગ્ર દેવતાલોકમાં હાહાકાર મચી ગયો. રાવણને પાઠ ભણાવવાની તાતી જરૂરિયાત ઉભી થઈ હતી, એવા સમયે પવનપુત્ર હનુમાને સૂક્ષ્મવેશે અશોકવાટિકામાં પ્રવેશ કરી રાવણને શિક્ષા આપવાનું નક્કી કર્યુ. રાવણ દ્વારા પોતાની પૂંછડી પર લગાવવામાં આવેલી આગ વડે હનુમાન જ્યારે લંકાદહન કરી રહ્યા હતાં, એ વખતે તેમની નજર શનિદેવ પર ગઈ. ઘણા સમયથી રાવણની કેદમાં રહેલા શનિદેવ પણ હનુમાનને જોઇ ગયા. ત્રિભુવનને પોતાનાં સુચારૂ ન્યાય અને નિષ્પક્ષતાનો પરિચય આપનાર શનિદેવ ખૂબ જ દુર્બળ અને નિ:સહાય લાગી રહ્યા હતાં. તેમણે હનુમાન સામે ઇશારો કરીને પોતાને રાવણની પકડમાંથી છુટકારો અપાવવા માટે યાચના કરી.

શનિદેવે હનુમાનને વચન પણ આપ્યું કે અગર પોતે અહીંથી મુક્ત થયા, તો રાવણનાં વધમાં ઘણી અગત્યની ભૂમિકા ભજવશે. બજરંગબલીએ શનિદેવને મુક્ત તો કર્યા, પરંતુ શનિદેવની દુર્બળતા જોઇને તેઓ ઘણા ચિંતિત થઈ ગયા. શનિદેવે શક્તિ પ્રાપ્ત કરવા માટે હનુમાનને વિનંતી કરી. તેમને સુરક્ષિત સ્થાન સુધી પહોંચાડવામાં આવે તો અને તો જ શક્તિની પુન:પ્રાપ્તિ શક્ય બની શકે એમ હતી. આથી હનુમાને એમને શ્રીલંકામાંથી પ્રક્ષેપિત કરી શનિક્ષેત્ર સુધી મોકલી આપ્યા. એવું માનવામાં આવે છે કે જ્યારે તેઓ હવામાં હતાં ત્યારે તેમની વક્ર-દ્રષ્ટિ શ્રીલંકા પર પડતાંની સાથે જ સોનાની લંકાનો સફાયો બોલી ગયો હતો! એટલું જ નહી, રાવણનાં સમગ્ર કુળનાં વિનાશ પાછળ પણ શનિદેવ જવાબદાર બન્યા.

- Advertisement -

શ્રીલંકામાંથી પ્રક્ષેપિત થયા બાદ શનિદેવ, જે શનિક્ષેત્રમાં આવી ચડ્યા તેને આજે શ્રદ્ધાળુઓ શનિ પર્વતને નામે ઓળખે છે. મધ્યપ્રદેશમાં ગ્વાલિયર નજીક આવેલા એંતી ગામમાં આવેલું શનિદેવનું આ મંદિર ત્રેતાયુગના સમયનું હોવાની માન્યતા છે. એવું કહેવાય છે કે, મંદિરમાં પ્રાણ-પ્રતિષ્ઠિત શનિદેવની પ્રતિમા અવકાશમાંથી આવી ચડેલા ઉલ્કાપિંડનો એક ભાગ છે! પ્રખર જ્યોતિષીઓ અને ખગોળવિજ્ઞાનીઓનું માનવું છે કે શનિ પર્વત પર નિર્જન વનમાં પ્રસ્થાપિત આ મૂર્તિનું મહત્વ સવિશેષ છે. આશ્ચર્યની વાત તો એ છે કે મહારાષ્ટ્રના શનિ શિંગળાપુરમાં પ્રતિષ્ઠિત ‘શનિ શિલા’ પણ અહીંથી જ લઈ જવામાં આવી છે.

શનિશ્ચર સ્થિત શ્રી શનિદેવ મંદિરનું નિર્માણ રાજા વિક્રમાદિત્યનાં હસ્તે કરવામાં આવ્યું હતું. બાદમાં, સિંધિયા શાસકો દ્વારા તેનો જીર્ણોદ્ધાર થયો. રિયાસતકાળનાં દસ્તાવેજ અનુસાર, વર્ષ 1808માં ગ્વાલિયરનાં તત્કાલીન મહારાજ દૌલતરાવ સિંધિયાએ મંદિરની વ્યવસ્થા માટે જાગીર લગાવી. ત્યારબાદ, જીવાજીરાવ સિંધિયાએ વર્ષ 1945માં જાગીર જપ્ત કરી, સમગ્ર દેવસ્થાન ‘ઔકાફ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ, ગ્વાલિયર’નાં હસ્તક સોંપી દીધું. ત્યારથી શનિદેવનું આ પવિત્ર ધર્મસ્થળ મધ્યપ્રદેશ સરકારની દેખરેખ હેઠળ છે.

શનિદેવનું પ્રત્યક્ષ દેવસ્થાન હોવાને કારણે દેશભરના શ્રદ્ધાળુઓ પૂરી આસ્થા અને વિશ્વાસ સાથે અહીં દર્શન કરવા માટે આવે છે. મહાબલી હનુમાને જ્યારે શનિદેવને આ ક્ષેત્રમાં પ્રક્ષેપિત કર્યા, ત્યારે આકાશમાંથી જાણે ઉલ્કાપાત થયો હોય એવો પ્રચંડ વિસ્ફોટ થયો. શિલાનાં રૂપમાં અહીં પ્રસ્થાપિત થવાને લીધે પર્વત પર ખૂબ મોટો ખાડો થઈ ગયો. આજે પણ આ વિશાળ ખાડો શનિદેવનાં સાક્ષાત્કારની નિશાની તરીકે પૂજાય છે. પોતાનાં કષ્ટો દૂર કરવા માટે ભક્તગણ દર શનિશ્ચરી અમાસના દિવસે અહીં શનિદેવના ચરણોમાં માથું ટેકવા માટે આવી પહોંચે છે. શનિક્ષેત્ર તરીકે જાણીતાં બનેલા આ વિસ્તારમાં લોહધાતુ ખૂબ મોટી માત્રામાં મળી આવે છે. ઇતિહાસમાં ઘણી જગ્યાએ ગ્વાલિયરની આજુબાજુનાં વિસ્તારોમાં લોહ ધાતુનાં ઉત્પાદનનો ઉલ્લેખ મળી આવે છે. એકવીસમી સદીમાં પણ શનિક્ષેત્રના ભૂગર્ભમાં લોહધાતુ મળી આવ્યાનાં દાખલા છે.

આપણા પૌરાણિક ગ્રંથોમાં હનુમાન અને શનિદેવ વચ્ચેનાં ઘણા રોચક પ્રસંગો આપવામાં આવ્યા છે. મધ્યપ્રદેશના ગ્વાલિયર સિવાયનાં અન્ય ધર્મસ્થાનોમાં હનુમાનની શક્તિનો પરચો મેળવી ચૂકેલા શનિદેવની મૂર્તિ પ્રસ્થાપિત થયેલી જોવા મળે છે. પ્રાચીન માન્યતા અનુસાર, એક સમય પર શનિદેવનો પ્રકોપ ખૂબ વધી ગયો હતો. સામાન્ય માણસ હવે ત્રાહિમામ પોકારી ગયો હતો. ભક્તજનોએ બજરંગબલીને પ્રાર્થના કરી કે ગમે તેમ કરીને તેઓ શનિદેવનાં કોપથી એમની રક્ષા કરે. પોતાના પ્રિય ભક્તોની પીડા સાંભળી હનુમાન અત્યંત રોષે ભરાઈ ગયા. તેમણે શનિદેવને બરાબરનો પાઠ ભણાવવાનું નક્કી કર્યુ.

શનિદેવને હનુમાનનાં ક્રોધ વિશેની જાણ થઈ આવી. તેમણે ભયગ્રસ્ત થઈને સ્ત્રી-વેશ ધારણ કરી લીધો. હનુમાન બાળ બ્રહ્મચારી હોવાને લીધે સ્ત્રીઓ પર ક્યારેય હાથ નહીં ઉઠાવે, એ વાતની એમને ખાતરી હતી.
બીજી બાજુ, હનુમાન જ્યારે શનિદેવને પાઠ ભણાવવા પહોંચ્યા ત્યારે તેમનું સ્ત્રી-રૂપ જોઇ તેમણે પીછેહઠ કરવી પડી. શનિદેવે પણ પવનપુત્રનાં ચરણોમાં પડી, પોતે કરેલી ભૂલોની ક્ષમાયાચના માંગી. ભવિષ્યમાં તેઓ ક્યારેય ભક્તોને હેરાન નહીં કરે, એ વાતનું વચન આપ્યું. આજે પણ એવું માનવામાં આવે છે કે હનુમાનનાં ભક્તો પર શનિદેવની વક્રદ્રષ્ટિનો કોઇ પ્રભાવ નથી પડતો. શનિદેવ સ્ત્રી-વેશે જ્યાં પૂજાય છે, એ મંદિર એટલે સૌરાષ્ટ્રના ભાવનગર જિલ્લામાં આવેલું સાળંગપુરનું મંદિર!

સાળંગપુર હનુમાનની મૂર્તિને ધ્યાનથી જોશો, તો તેમનાં ચરણોમાં સ્ત્રી-વેશે બેઠેલા શનિદેવ તમને ચોક્કસપણે દેખાશે. ભૂત-પ્રેતથી સદાય પોતાનાં ભક્તગણની રક્ષા કરનાર સાળંગપુર હનુમાન મંદિરમાં દર મંગળવાર અને શનિવારે પ્રેત-નાશક વિધિ કરવામાં આવે છે. આજે પણ દેશ-વિદેશથી હજારો ભક્તો અહીં પોતાની ગોચર-અગોચર સમસ્યાઓ પ્રભુનાં ચરણોમાં મૂકીને તેમનાથી છુટકારો મેળવે છે. માનવામાં આવે છે કે જેનાં શરીર પર પ્રેતાત્માએ કબજો મેળવી લીધો હોય, તેઓ મંદિરના અમુક કિલોમીટર સુધીનાં વિસ્તારમાં પગ મૂકતાં પણ ડરે છે. આવી દુષ્ટાત્માઓને મંદિરના પટાંગણમાં સાળંગપુર હનુમાનની જાજરમાન મૂર્તિ સામે લાવી માથું ટેકવવાની ફરજ પાડવામાં આવે છે. આમ કરવાથી તેમનાં શરીરમાં રહેલો પ્રેતાત્મા મોક્ષ પામે છે અને ભક્તગણ આવા અલૌકિક તત્વોની કેદમાંથી મુક્તિ થઈ જાય છે.

You Might Also Like

મસ્તકવિહોણી ખંડિત મૂર્તિઓ: પૂજાનિષેધમાં અપવાદરૂપ કિસ્સો!

શું પારિજાતનાં સ્પર્શમાં આજે પણ દૈવીય શક્તિ છે?

શિવરીનારાયણની શબરીને આજે પણ શ્રીરામ માટે મમતા છે !

ચાર સદીઓથી જીવિત છે… એક મૃત શરીર!

‘ચૈત્રી નવરાત્રિ’ વિશેષ: અજીબ-સા કરિશ્મા, પાયલ મેં ઉનકી છિપા!

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article અખબાર વિતરકો, એજન્ટો, ફેરિયાઓ અને છાપાવાળાઓ…
Next Article રાઈટરથી ફાઉન્ડર સુધીની સફળ સફર ખેડતાં મનીષા ગાલા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

2014માં મેળા પૂર્વે તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલને સંતો-મહંતોનું સ્વચ્છતા નિધિમાં રૂ. 24,61,555નું યોગદાન

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
2019ના મીની કુંભ મેળાના ઑડિટમાં બેફામ ખર્ચ અને ભ્રષ્ટાચાર: વિપક્ષ નેતા
મહાનગરપાલિકા અગ્નિશમન શાખા દ્વારા ફાયર સેફ્ટી અને ટ્રેનિંગ અભિયાન તેજ
માધાપરવાડી ક્ધયા શાળાની બાળાઓએ રસ્તા પરથી 64 કિલો દોરાં એકત્ર કરી અનોખું સેવાકાર્ય કર્યું
પોરબંદર : રાણાવાવ સિમેન્ટ ફેક્ટરી પાસે બાયો ડીઝલના પંપ પર SMCના દરોડા
50 વર્ષ જૂની દલીલમાં ફસાયું ડેનમાર્ક
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Parakh Bhatt

મસ્તકવિહોણી ખંડિત મૂર્તિઓ: પૂજાનિષેધમાં અપવાદરૂપ કિસ્સો!

Khaskhabar Editor Khaskhabar Editor 4 years ago
AuthorParakh Bhatt

શું પારિજાતનાં સ્પર્શમાં આજે પણ દૈવીય શક્તિ છે?

Khaskhabar Editor Khaskhabar Editor 4 years ago
AuthorParakh Bhatt

શિવરીનારાયણની શબરીને આજે પણ શ્રીરામ માટે મમતા છે !

Khaskhabar Editor Khaskhabar Editor 4 years ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?