કાર્તિક મહેતા
ઘેર ઘેર એસીની જરૂર પડે એવો આકરો ઉનાળો જામવા લાગ્યો છે. ઉનાળો દર વર્ષે વધુને વધુ આકરો બનતો જાય છે. આ વાત માત્ર ભારત જ નહિ પણ યુરોપ અને અમેરિકા જેવા ઠંડા પ્રદેશો માટે પણ એટલી સાચી છે. માણસ જેમ પોતાની સુખાકારી માટે નવી નવી શોધો કરતો ગયો તેમ તેમ પ્રકૃતિને તે મોટાને મોટા ફટકા મારતો આવ્યો છે. આધુનિકીકરણ અને ઔદ્યોગિકરણ ને લીધે ભલે લોકોના જીવનધોરણ ઊંચા આવ્યા હોય, જીવનની ગુણવત્તા સરવાળે બગડી છે તે સત્ય છે. આજે વાત માંડવી છે માણસે પોતાના એક પ્રોબ્લેમને સોલ્વ કરવા માટે મૂળ પ્રોબ્લેમ કરતા અનેક ગણો મોટો ભસ્માસુર પ્રોબ્લેમ ઊભો કરી દીધો એની. વાર્તા શરૂ થાય છે 1929ના શિકાગો(અમેરિકા)માં, જ્યાં લોકો તેમના ઘરોમાં રહસ્યમય રીતે મૃત્યુ પામતા હતા. આ મૃત્યુનું કારણ હતું તેમના રેફ્રિજરેટર્સમાં વપરાતું મિથાઈલ ક્લોરાઈડ, એક ઝેરી અને ગંધ વગરનો ગેસ, જે લીક થવા પર લોકોને ચૂપચાપ મારી નાખતો હતો. અન્ય રેફ્રિજરેટર્સમાં જ્વલનશીલ ગેસનો ઉપયોગ થતો, જેના લીકેજથી આગ લાગવાનું જોખમ હતું. 27 વર્ષીય રસાયણશાસ્ત્રી રોય જે. પ્લંકેટ આ કુલન્ટ ગેસનો વિકલ્પ શોધવા પ્રયાસ કરતો હતો.. એ દરમિયાન ટેટ્રાફ્લોરોઈથિલિન (ઝઋઊ) ગેસ સાથે પ્રયોગ કરતી વખતે એનાથી એક અણધારી “શોધ” થઈ ગઈ.. એક સવારે, જ્યારે તેના સહાયકે ઝઋઊનો સિલિન્ડર ખોલ્યો, તો ગેસ બહાર ન આવ્યો. સિલિન્ડરનું વજન સામાન્ય હતું, પરંતુ જ્યારે તેને કાપવામાં આવ્યું, તો તેમાં સફેદ, બારીક પાઉડર મળી આવ્યો. આ પાવડર પોલિટેટ્રાફ્લોરોઈથિલિન (ઙઝઋઊ) હતો. આ પદાર્થ એટલો સ્થિર હતો કે તે પાણી, એસિડ, અથવા મજબૂત બેઝ સાથે પણ પ્રતિક્રિયા નહોતો આપતો. આ ગુણધર્મોને કારણે તેને અવિનાશી ગણવામાં આવ્યો. આ પદાર્થને 1944માં ટેફલોન નામ આપીને ટ્રેડમાર્ક કરવામાં આવ્યો. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન, ટેફલોનનો ઉપયોગ મેનહટન પ્રોજેક્ટમાં થયો, જ્યાં તેનો ઉપયોગ યુરેનિયમ હેક્સાફ્લોરાઈડ જેવા કાટ લગાડનારા રસાયણો સામે ગાસ્કેટ અને પાઈપોમાં થયો. યુદ્ધ પછી, ટેફલોનનો વ્યાપારી ઉપયોગ શરૂ થયો. ટેફલોનનો ઉપયોગ કાર્પેટ, વોટરપ્રૂફ જેકેટ્સ, ગોર-ટેક્સ, મેડિકલ ઈમ્પ્લાન્ટ્સ, અને બુલેટ કોટિંગમાં પણ થયો. 1990ના દાયકા સુધીમાં, ટેફલોનનો વ્યવસાય વાર્ષિક એક બિલિયન ડોલરની આવક લાવતો હતો. પણ, ટેફલોનનું ઉત્પાદન સરળ નહોતું.એની માટે સી -8 તરીકે ઓળખવામાં આવતું એક રસાયણ વપરાતું હતું. આ રસાયણ ટેફલોન જેવું જ હતું, પરંતુ તેના એક છેડે એસિડ ગ્રૂપ હતું, જે તેને પાણીમાં દૃવ્ય બનાવતું હતું. સી -8 નો ઉપયોગ ટેફલોનને સ્પ્રે કોટિંગ તરીકે ઉપયોગમાં લેવા માટે કરવામાં આવ્યો હતો. આ રસાયણ થી અનેક ચીજો ઉપર એકદમ મજબૂત કોટીંગ કરવામાં આવતું. પણ આ રસાયણ ઝેરી હતું. 1961માં, વૈજ્ઞાનિકોએ ઉંદરો પર ઈ8 ના પરીક્ષણો કર્યા, જેમાં ઓછી માત્રામાં પણ યકૃતને નુકસાન અને ઊંચી માત્રામાં મૃત્યુ થયું. 1965માં, કૂતરાઓમાં પણ આવી જ અસરો જોવા મળી. 1980ના દાયકામાં, ઈ8 ના સંસર્ગમાં આવતા પાર્કર્સબર્ગ, વેસ્ટ વર્જિનિયાના પાણીના સ્ત્રોતો દૂષિત થયા. ખેડૂત અર્લ ટેનન્ટે નોંધ્યું કે તેના ઢોર ઝેરી પાણીથી મરી રહ્યા હતા, એક સંશોધકે સ્વ-ખર્ચે તપાસ કરીને જાણ્યું કે ઈ8 ઝેરી, સ્થિર અને બાયોએક્યુમ્યુલેટિવ છે, જે શરીરમાં દાયકાઓ સુધી રહે છે. 2005માં, 70,000 લોકોના સમુદાયના લોહીના નમૂનાઓના અભ્યાસમાં ઈ8 ને થાઈરોઈડ રોગ, ટેસ્ટિક્યુલર કેન્સર અને કિડની કેન્સર સાથે જોડવામાં આવ્યું. 2013માં, એક સ્વતંત્ર વૈજ્ઞાનિક પેનલે આ તારણોની પુષ્ટિ કરી.
શું છે આ ઈ-8 ??
- Advertisement -
યાદ રહે કે ટેફલોન પોતે હાનિકારક નથી પણ એને બનાવવા ઉપયોગમાં લેવાતું સી -8 હાનિકારક છે. ઈ8 એ ઙઋઅજ (પોલિફ્લોરોઆલ્કીલ પદાર્થો) નામના 14,000થી વધુ રસાયણોના પરિવારનો ભાગ છે, જેને ફોરેવર કેમિકલ્સ તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે તે પર્યાવરણમાં દાયકાઓ સુધી રહે છે. આ રસાયણો ફાસ્ટ ફૂડ રેપર્સ, માઈક્રોવેવ પોપકોર્ન બેગ, વોટરપ્રૂફ કપડાં અને ફાયરફાઈટિંગ ફોમમાં વપરાય છે. આશ્ચર્યજનક રીતે, 98% અમેરિકનોના લોહીમાં ઙઋઅજ હાજર છે, અને તે એન્ટાર્કટિકા સહિત વિશ્વના દરેક ખૂણે મળી આવે છે. આ રસાયણો ઉચ્ચ કોલેસ્ટ્રોલ, નબળી રોગપ્રતિકારક શક્તિ, અને શિશુઓમાં વિકાસ સમસ્યાઓ માટે જવાબદાર સાબિત થયા છે. આપણે ત્યાં ઔદ્યોગિક વિકાસ અને આધુનિક જીવનશૈલી ઝડપથી વધી રહી છે, ઙઋઅજ જેવા રસાયણોનો ઉપયોગ નોન-સ્ટિક વાસણો, વોટરપ્રૂફ ઉત્પાદનો અને પેકેજિંગમાં સામાન્ય બની ગયો છે. આ રસાયણોની પર્યાવરણીય અને આરોગ્ય અસરો વિશે જાગૃતિનો અભાવ ચિંતાજનક છે. ભારતમાં જ્યારે આ બાબતે સંશોધન થયા ત્યારે ચેન્નાઇ જેવા અમુક વિસ્તારોમાં તો આ રસાયણ માતાઓના દૂધમાં પણ હાજરી ધરાવતું જણાયું. વિકસિત દેશોમાં આ બાબતે જાગૃતિ આવવા લાગી છે જેને કારણે લોકો ઙઋઅ રહિત ચીજો વાપરવાનો આગ્રહ રાખે છે, ઙઋઅ ફિલ્ટર કરી શકે એવા પાણી પ્યુરિફાયર પણ વિકસાવાઈ રહ્યા છે. પરંતુ વાસ્તવિકતા એ પણ છે કે આજે આ કેમિકલ દરેક , રીપિટ દરેક માણસના શરીરમાં ઘૂસી ગયું છે. એક સારી જીવનશૈલી અને પ્રકૃતિ લક્ષી વિકાસ એ જ આ ભસ્માસુર થી બચવાનો ઉપાય છે