સુપ્રિમ કોર્ટે પૈસા લઇને પ્રશ્ન પૂછવાના મામલે લોકસભામાં બરતરફ થવાની સામે તૃણમૂલ કોંગ્રેસના નેતા મહુઆ મોઇત્રાની અરજી પર આજે સુનાવણી કરવામાં આવશે. જસ્ટિસ સંજીવ ખન્નાની પીઠવાળી બેંચ આ કોસની સુનાવણી કરશે. મોઇત્રાએ બુધવારના પોતાની અરજી પર જલ્દીધી સુનાવણી કરવાની વિનંતી કરી હતી. ત્યાર પછી ભારતના CJI ડીવાઇ ચંદ્રચૂડે આશ્વાસન આપ્યું હતું કે સર્વોચ્ચ અદાલત તાત્કાલિક સુચિબદ્ધ કરવા માટે વિનંતી પર વિચારણા કરશે.
ગયા અઠવાડીયે મોઇત્રાને બરતરફ કરવાની વિચારણા રાખનાર લોકસભાની આચાર સમિતિ પર પર્યાપ્ત સબૂત વગર નિર્ણય લેવા અને માનહાનીનો આરોપ લગાવ્યો છે. મહુઆ મોઇત્રાએ પોતાની અરજી પર અયોગ્ય પડકાર આફવાની સાથે આચાર સમિતિના મુદા પર ચર્ચા દરમ્યાન લોકસભામાં જાતે જ બચાવ કરવાની અનુમતિ નહીં આપવાની વાત કહી છે.
- Advertisement -
ઉલ્લેખનીય છે કે, લોકસભા છીનવી લેવા સામે મહુઆ મોઇત્રાએ સોમવારના સુપ્રમિ કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. કેસના બદલે પ્રશ્ન પૂછવાના કેસમાં તેમને ઘેરવા તેમજ આચાર સમિતિની તરફથી લોકસભામાં રિપોર્ટ રાખ્યા પછી સંસદના અધ્યક્ષે તેમને બરતરફ કર્યા હતા. જેની સામે ટીએમસી સાંસદ સર્વોચ્ચ અદાલત પહોંચ્યા હતા.
શું છે સમગ્ર મામલો ?
તૃણમૂલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઇત્રા પર કારોબારી દર્શન હીરાનંદનીના કહેવા પર સંસદમાં પ્રશ્ન પૂછવાનો આરોપ છે. ભાજપ સાંસદ નિશિકાંત દુવેની સામે ફરીયાદ નોંધવામાં આવી અને તેમની સામે લોકસભા સ્પીકરથી ફરિયાદ તેમજ તપાસની માંગણી કરી હતી. તેમણે દાવો કર્યો હતો કે આ પુરાવા વકિલ જય અનંત દેહાદરાઇ દ્વારા આપવામાં આવ્યા હતા.
આરોપ એ પણ છે કે, ઉદ્યોગપતિ હીરાનંદાની અલગ-અલગ સ્થળોથી તેમજ વધારે દુબઇથી પ્રશ્ન પૂછવા માટે મોઇત્રાની લોગઇન આઇડીનો ઉપયોગ કર્યો હતો. આ આરોપો સામે આવ્યા બાદ લોકસભા અધ્યક્ષે સમગ્ર કેસ આચાર સમિતિની પાસે મોકલ્યા હતો.