By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    બોન્ડી બીચ ગોળીબારમાં પિતા-પુત્રની જોડીને શંકાસ્પદ તરીકે ઓળખવામાં આવી હતી
    1 hour ago
    બલ્ગેરિયામાં ચાલી રહેલા ઉગ્ર જનઆંદોલન અને વિરોધ પ્રદર્શનો બાદ PM નું રાજીનામુ
    3 days ago
    ટાઇમ મેગેઝીને ‘આર્કિટેક્ટ્સ ઓફ AI’ પર્સન ઓફ ધ યર 2025નું નામ આપ્યું છે
    3 days ago
    થાઈલેન્ડ અને કંબોડિયા સરહદે તણાવ વધતાં વધુ એક યુદ્ધ શરુ
    4 days ago
    US પ્રતિનિધિ ટ્રમ્પની ભારત નીતિઓમાં ખામીઓ દર્શાવે છે, પુતિન-મોદી ચિત્ર ટાંકે છે
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ‘મોદી તેરી કબર ખુદેગી’ નારાથી સંસદમાં હોબાળો
    6 minutes ago
    AIIMS ના અભ્યાસમાં કોવિડ રસીકરણ અને યુવાન વયસ્કોમાં અચાનક મૃત્યુ વચ્ચે કોઈ સંબંધ જોવા મળ્યો નથી
    2 hours ago
    પોલીસે ડંડાના જોરે ભીડને વિખેરી; ફૂટબોલરની એક ઝલક માટે લોકોએ 12 હજાર રૂપિયા ખર્ચ્યા
    2 days ago
    સારી નોકરી ધરાવતી પત્ની ગુજરાન ભથ્થાની હકદાર નહીં…’, અલ્લાહાબાદ હાઈકોર્ટનું ફરમાન
    2 days ago
    ગાઢ ધુમ્મસના કારણે નોઈડા એક્સપ્રેસ વે પર અનેક વાહનો અથડાયા, ઘણા ઘાયલ
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    વૈભવ સૂર્યવંશીએ U19 એશિયા કપમાં 171 રનનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો
    2 days ago
    લિયોનલ મેસી રમતો જોવા ન મળતાં ચાહકો ગુસ્સે ભરાયા, સ્ટેડિયમમાં તોડફોડ મચાવી
    2 days ago
    ઈન્ડિયાનો સાઉથ આફ્રિકા સામે 51 રને પરાજય: છેલ્લે પાંચ રનમાં પાંચ વિકેટ ગુમાવી
    3 days ago
    ભારત U19 VS UAE U19 લાઈવ ક્રિકેટ સ્કોર, એશિયા કપ 2025: UAE 26/2 vs IND, હેનીલ પટેલે દુબઈમાં યૈન રાયને પસંદ કર્યો
    3 days ago
    ‘હંમેશા અભિષેક પર ભરોસો કરી શકાતો નથી’ – સૂર્યકુમાર યાદવે SA સામેની હાર બાદ પોતાને દોષી ગણાવ્યો
    3 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    રહેમાન ડકૈત વાસ્તવમાં કોણ હતો ?
    2 days ago
    ધુરંધર ફિલ્મના કેરેક્ટર રિયલ લાઈફમાં કોણ છે?
    3 days ago
    બોબીના જમાલ કુડુ પછી, અક્ષયનો ધુરંધર ડાન્સ વાયરલ થયો, ચાહકો તેને ‘બેન્જર’ જાહેર કરે છે
    1 week ago
    શું રજનીકાન્તની ફિલ્મ “જેલર ટુ”માં સેતુપતિની એન્ટ્રી થશે ?
    2 weeks ago
    જાહ્વવી કપૂર અને જુનિયર એનટીઆરની દેવરા ફિલ્મ પર કામ શરુ થતા જ બંધ કરાયું ?
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    3 weeks ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    3 weeks ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    2 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    2 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    2 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    1 month ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    1 month ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    2 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    2 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: શ્રાવણ, શિવ, સુષુમ્ણા
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > શ્રાવણ, શિવ, સુષુમ્ણા
Authorધર્મ

શ્રાવણ, શિવ, સુષુમ્ણા

Khaskhabar Editor
Last updated: 2024/08/05 at 12:09 PM
Khaskhabar Editor 1 year ago
Share
6 Min Read
SHARE

કાર્તિકોલોજી: કાર્તિક મહેતા

પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. શ્રાવણ શિવને પ્રિય છે અને શિવ તો આદિદેવ.. સહુથી પ્રાચીન દેવ. અસુર હોય કે ભૂતપ્રેત બધા શિવ માટે સરખા. એટલે શ્રાવણ પણ જેમ શિવને પ્રિય એમ સર્વને પ્રિય છે.

- Advertisement -

સામાન્ય રીતે હિન્દૂ નીતિરીતિથી દૂર રહેતા અને એનો પરોક્ષ અને સૂક્ષ્મ વિરોધ કરતા રહેતા બોલીવુડે પણ શ્રાવણને બહુ લાડ લડાવ્યા છે. સાવનને લગતા ગીતો અને ફિલ્મોના નામની ભરમાર જોવા મળે છે. સાવનના ઝૂલા અને સાવનના મેલા ગીતોના પ્રિય વિષય રહયા છે.

રીમઝીમ વરસતો વરસાદ શ્રાવણની આગવી લાક્ષણિકતા… “શ્રાવણે સરવરીયા” એવી દેશી ઉક્તિ પણ જણાવે છે કે શ્રાવણે તડામાર વરસાદ નહિ વરસે , બસ રીમઝીમ ઝરમર વરસતો રહેશે, આકાશ ઘનશ્યામ રંગનું રહેશે, હવામાં ભેજ માપસર રહેશે. ના સૂર્ય દેખાશે, ના ચન્દ્ર કે ના તારાઓ. બાસુ ચેટર્જી નિર્મિત મંઝિલ ફિલ્મનું રીમઝીમ ગીરે સાવન એક આઇકોનિક ગીત ગણાય છે, જેમાં શ્રાવણના ઝરમર વરસાદમાં અમિતાભ અને મૌશમી ચેટર્જી કોઈ છત્રી કે રેઇનકોટ વિના બસ ભ્રમણ કરતા રહે છે અને પલળ્યા કરે છે, ગીતમાં કોઈ નૃત્ય નથી, નખરા નથી, કોઈ આડંબર નથી, બસ ફરતા ફરતા પલળવાનું છે પણ એમાંય પ્રેમી પ્રેમિકા વચ્ચેનો નિર્દોષ નિર્વિકાર સહજ પ્રેમ દેખાઈ જાય છે.

આ ગીતમાં બીજા વરસાદી ગીતોની જેવો કોઈ વિકાર નહિ દેખાય, કોઈ માદકતા પણ નહિ દેખાય.. દેખાશે કેવળ પ્રેમી અને પ્રેમિકાનો રોમાન્સ, નિર્વિકાર પ્રેમ. કેમકે ગીત શ્રાવણનું છે અને નિર્દેશક બાસુ ચેટર્જી અને સીનેમેટોગ્રાફર કે કે મહાજન જેવું શ્રાવણનું ફિલ્માંકન કદાચ કોઈ કદી કરી શકશે નહિ. કેમકે આવું અદભુત ફિલ્માંકન કરવા માટે બાસુદા જેવી દ્રષ્ટિ અને શ્રાવણની સમજણ જોઈએ.

- Advertisement -

શ્રાવણ શિવ જેવો સ્થિર છે. નથી એમાં ઠંડી, નથી ગરમી, નથી બફારો, નથી વરસાદનો આડંબર. શ્રાવણ પણ ધરતી સાથે રોમાન્સ કરતો હોય એમ એને પ્રેમથી સીંચે છે. એને લીલી ચૂંદડી ઓઢાડી દે છે. અમિતાભ મૌશુમીનો રોમાંસ ગીતમાં સહજ છે તે બાસુ દા અને મહાજન સાથે સાથે શ્રાવણની પોતાની પણ કમાલ છે.
શ્રાવણમાં નથી ચન્દ્ર દેખાતો નથી સૂર્ય. વાદળો વચ્ચે બેય છુપાયેલા રહે છે. તંત્ર શાસ્ત્ર કહે છે કે જ્યારે સૂર્ય કે ચન્દ્ર બેમાંથી એકેય સ્વર (શ્વાસ) ના ચાલતો હોય ત્યારે, અર્થાત ડાબું ને જમણું બેય નાકના ફોયણા એકસાથે ચાલતા હોય, બેમાંથી એકેય સ્પષ્ટ રીતે ના ચાલતું હોય ત્યારે સુષુમ્ણા નાડીમાં સ્વર વહે છે. સુષુમ્ણાનો સ્વર દેવાધિદેવ મહાદેવનો સ્વર કહેવાય છે. સુષુમ્ણા ને કર્મ વિનાશિની કહી છે. સુષુમ્ણા નાડીમાં શ્વાસ ચાલે ત્યારે આરામ, ઈશ્વર ઉપાસના, વ્રતો, મંત્ર જાપ, બંદગી કરવાની હોય છે. શ્રાવણમાં સૂર્ય અને ચન્દ્ર બેય દેખાતા નથી તેથી ત્યારે શારીરિક કે બૌદ્ધિક બેમાંથી એકેય કામ કરવાનો નિષેધ હોય છે. આ કારણે શ્રાવણ તહેવારો, મેળાઓ, વ્રતો, ઉપાસના અને ઉપવાસનો મહિનો ગણાય છે. ભારતમાં એકેય તહેવાર ભોગ વિલાસ માટેનો નથી. તહેવારોમાં ભોગ વિલાસ ઘુસાડવાનું કામ પાંચસો વર્ષ પહેલા શરૂ થયું છે અને હવે તો આપણા સૂર્ય અને ચન્દ્રની કલાઓ ઉપર આધારિત તહેવારો ભોગવિલાસના તહેવારો બની ગયા છે. પણ સદ્ભાગ્યે શ્રાવણના તહેવારો આધુનિકતાથી અભડાયા નથી. શ્રાવણના દરેક તહેવાર ઉપર ગ્રંથ તૈયાર થાય એટલું લખાય એમ છે. જન્માષ્ટમી, રક્ષાબંધન, નાગ પાંચમી આ બધા માત્ર તહેવારો નથી, આ બધા જીવંત ઇતિહાસ છે. આપણા પૂર્વજોએ બહુ જતનથી ડિઝાઇન કરેલી જીવનશૈલી છે. આપણા તહેવારો અમેરિકનો કે યુરોપિયનોની જેમ દારૂ પીવા માટેના કે છાકટા થવા માટેના ઉપાયો નથી.

શ્રાવણમાં શાંત થવાનું હોય એનું જ્ઞાન પ્રાણીઓને પશુપતિનાથ શિવે ઓલરેડી આપેલું છે. આથી શ્રાવણ આવતા સુધીમાં તેઓ મેટિંગ (પ્રજોત્પતિ) કાર્ય બંધ કરી છે. પુરુષોના શુક્રકોષોની ગુણવતા શ્રાવણમાં નબળી હોય છે તે એક વૈજ્ઞાનિક તથ્ય પણ છે. વૈશાખની ભારે ગરમી બાદ જેઠ અને અષાઢ એમ બેય મહિના અસહ્ય બફારો અને રોગચાળાના મહિના હોય છે. પણ શ્રાવણ આવતા સુધીમાં રોગચાળા અને બફારો જતા રહે છે. એક્ધદરે સમ વૃત્તિ વાળી શાંત, નીરવ, નિવૃત, પ્રવૃત્તિરહિત સૃષ્ટિના દર્શન આપણને થાય છે. જાણે આખી સૃષ્ટિ પોરો ખાય છે, પોઝ લે છે. ભાદરવે વળી તાપ અને વરસાદ ભેગા થઈને રોગચાળા જન્માવે છે.
ગરમીના વેકેશન તો અંગ્રેજોએ પાડયા. શ્રાવણ અસલ ભારતનું વેકેશન છે. શ્રાવણ મેળામાં મહાલવાનો, ઝૂલા ઝૂલવાનો, ફળો ખાવાનો, ઘર સાથે વિતાવવાનો સમય છે. સાવન કે ઝૂલો ને મુઝકો બુલાયા ગાઈને પરદેશ કમાવા ગયેલો માણસ વેકેશન ગાળવા તો પોતાના દેશ પાછો આવે છે.

તહેવારોમાં ખર્ચાતા નાણાં થકી બજાર અને સહુના ખિસ્સા ગરમ રહે તે તહેવારોનો ઉદ્દેશ્ય નથી. તે માત્ર એક ઝીણો એવો આડલાભ છે. તહેવારોનો ઉદ્દેશ્ય બ્રહ્માંડના લય સાથે આપણો લય સેટ થાય તે છે. શ્રાવણના તહેવારો આ બ્ર્હ્માંડી સ્વર સાથે આપણો સ્વર મેળવવા માટેના અવસર છે. એક આગમ શાસ્ત્રમાં શિવ પાર્વતીને કહે છે કે જે સ્વરનું જ્ઞાન મેળવે છે એને અન્ય જ્ઞાનની આવશ્યકતા નથી રહેતી અને જેને સ્વરનું જ્ઞાન નથી તેનું બાકીનું સઘળું જ્ઞાન વ્યર્થ છે.શ્રાવણ અને દર મહિને આવતી પ્રતિપદા ની આગલી રાત્રે આવતી શિવરાત્રી બેય સ્વર સાધવાના સમય છે. શ્રાવણ ભારતનું સાચું પ્રાચીન રાષ્ટ્રીય વેકેશન છે અને અમાસ ભારતની સાચી પ્રાચીન રાષ્ટ્રીય રજા છે.

 

You Might Also Like

નાની મદદનું મોટું પરિણામ

‘હું’ કારમાંથી જ મહાભારતનો ઉદ્ભવ

સમુદ્રની 6000 મીટર ઊંડાઈએ પ્રયોગશાળા

કંપની રાજ અને કોર્પોરેશન્સ

સ્મિતા પાટીલ : ભારતીય સ્ત્રી-ચેતના અને સમાંતર સિનેમાની ઝળહળતી અગ્નિકથા

TAGGED: Shiva, shravan
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રિલિઝ થયેલી ગુજરાતી ફિલ્મોમાં કારખાનું મેદાન મારી જશે ?
Next Article ઈશ્વરની અનુભુતિ કરાવતી ધરતી પરના ‘સ્વર્ગ’ની પવિત્ર યાત્રા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

‘મોદી તેરી કબર ખુદેગી’ નારાથી સંસદમાં હોબાળો

Khaskhabar Editor Khaskhabar Editor 6 minutes ago
બોન્ડી બીચ ગોળીબારમાં પિતા-પુત્રની જોડીને શંકાસ્પદ તરીકે ઓળખવામાં આવી હતી
AIIMS ના અભ્યાસમાં કોવિડ રસીકરણ અને યુવાન વયસ્કોમાં અચાનક મૃત્યુ વચ્ચે કોઈ સંબંધ જોવા મળ્યો નથી
વર્ષના અંતે શુક્રનું નક્ષત્ર પરિવર્તન થશે, જાણો કઈ રાશિને થશે અસર
છેલ્લા 5 વર્ષમાં હાર્ટ એટેકથી ગુજરાતમાં અનેક લોકોના મોત, વધુ જાણો
નાની મદદનું મોટું પરિણામ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Shailesh Sagpariya

નાની મદદનું મોટું પરિણામ

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
Dr. Sharad Thakar

‘હું’ કારમાંથી જ મહાભારતનો ઉદ્ભવ

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
મનીષ આચાર્ય

સમુદ્રની 6000 મીટર ઊંડાઈએ પ્રયોગશાળા

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?