કેશુભાઈના રાજકીય ગઢ વિસાવદરમાં બાપુની એન્ટ્રી
પ્રજા શક્તિ ડેમોક્રેટિક પાર્ટી ચૂંટણી લડશે, રાજકીય ધમાસાણ શરુ
- Advertisement -
ભાજપ પેટા ચૂંટણી હારે તો કંઈ ફરક પાડવાનો નથી: શંકરસિંહ વાઘેલા
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.22
વિસાવદર વિધાનસભા ચૂંટણી હજુ સત્તાવાર રીતે જાહેર થઇ નથી પણ હાલ આ પેટા ચૂંટણી ગુજરાતનું રાજકીય કેન્દ્ર બિંદુ બની છે. આ વિધાનસભા પેટ ચૂંટણીમાં આપ અને કોંગ્રેસ ગઠબંધન તૂટ્યું છે. ત્યારે ભાજપ, આપ અને કોંગ્રેસનો ત્રિપાંખીયો જંગ જોવા મળશે તેવું લોકો માનતા હતા પણ હવે પ્રજા શક્તિ ડેમોક્રેટિક પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ શંકરસિંહ વાઘેલાએ વિસાવદર કેશુભાઈના રાજકીય ગઢમાં એન્ટ્રી કરી છે. આજે વિસાવદરમાં કાર્યકર્તા અને આગેવાનો સાથે એક બેઠક યોજી હતી જેમાં તેને જાહેરાત કરી હતી આ પેટા ચૂંટણીમાં પ્રજા શક્તિ ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર ચૂંટણી લડશે આવી જાહેરાતથી વિસાવદર અને ગુજરાતના રાજકારણ ગરમાયુ છે. વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીને અનુલક્ષીને શંકરસિંહ વાઘેલા આજે ભેસાણના પરબધામની મુલાકાત લઈને આશીર્વાદ લીધા હતા ત્યારે બાદ તેઓ વિસાવદરમાં સરદાર વલ્લભભાઈ પટેલ અને પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલની પ્રતિમાને ફુલહાર કરીને આગેવાનો અને કાર્યકર્તા સાથે બેઠક યોજી હતી અને ગુજરાતમાં વિસાવદર અને કડીની બે વિધાનસભાની પેટા ચૂંટણી યોજાવાની છે તેમાં પ્રજા શક્તિ ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર ચૂંટણી લડશે તેમ શંકરસિંહ વાઘેલાએ જાહેર કર્યું હતું. મીડિયા સમક્ષ વાત કરતા બાપુએ જણાવ્યું હતું કે, આ પેટા ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને આપ હારે તો કઈ ફરક નહિ પડે ભાજપ પાસે 160 બેઠકો છે ત્યારે કોંગ્રેસ અને આપને જીતે તો પણ કઈ ફરક પાડવાનો નથી વધુ માં બાપુએ ત્રણેય પક્ષને આડે હાથ લીધા હતા અને ભાજપ પર નિશાન તાકતા કહ્યું હતું કે, કોંગ્રેસ અને આપના ધારાસભ્ય તોડીને ભાજપ લોકોને છેતરાવાનું કામ કર્યું છે.
જો ભાજપને વિશ્વાસ હોઈ તો પોતાના આધારે ચૂંટણી લડવી જોઈએ અન્ય ધારાસભ્યને તોડીને ભાજપની મૂલ્ય આધારિત પાર્ટી ન કહેવાય તેવા ચાબખા માર્યા હતા.જયારે વિસાવદરના લોકોએ કોંગ્રેસ અને આપના ધારાસભ્ય જોઈ લીધા હવે ભાજપને હરાવીને પ્રજા શક્તિ ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવારને જીતાડે તેવી અપીલ કરી હતી. બાપુએ વધુમાં ભાજપ સામે આકરા પ્રહાર કરતા કહ્યું હતું કે, હાલ જે રીતે ગુજરાતમાં ડ્રગ્સ કેટલું પકડાઈ છે. અને યુવાનોની જીદંગી બરબાદ થઇ રહી છે. તેના માટે સરકારે ખાસ આયોજન કરીને આગળ વધવું જોઈએ ત્યારે બાપુએ વધુ કહ્યું કે, આજે મોંઘવારી, ખેડૂતોના દેવા માફી, બેકારી અને રોજગારી સહીતના મુદ્દે ભાજપને ગુંડાઓની પાર્ટી ગણાવી હતી. અને લોકોને અપીલ કરી હતી કે ગુજરાત વિધાનસભામાં પ્રજા શક્તિ ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર જીતીને જશે તો ઘણું કામ કરાવી શકાય અને વિશ્વાસ વ્યક્ત કરતા કહ્યું હતું કે, આધરતી ઉપરથી અમારી પાર્ટીના સારા ઉમેદવાર જીતશે તો લોકોના કામ કરશે તેવી આશા વ્યક્ત કરી હતી.