By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    અમેરિકામાં હિમવર્ષાનો કહેર: 11,000થી વધુ ફ્લાઇટ્સ રદ અને લાખો ઘરોમાં અંધારપટ
    42 minutes ago
    UK જવા ઈચ્છતા ભારતીયો માટે ખુશખબર, આજથી ઈ-વિઝા સિસ્ટમ શરૂ, પાસપોર્ટ જમા કરાવવાની જરૂર નહીં
    3 hours ago
    ‘ગમે તે રીતે ઈરાનથી નીકળી જાઓ…’, યુદ્ધની આશંકા વચ્ચે ભારતે પોતાના નાગરિકોને કરી અપીલ
    2 days ago
    અમેરિકા–ઈઝરાયલના મજબૂત સંબંધના કારણ, જાણો શું છે વૈશ્વિક વ્યૂહ રચના પાછળની હકીકત
    2 days ago
    પહેલા પોલીસમાં નોકરી, પછી બન્યો દુનિયાનો સૌથી ક્રૂર ડ્રગ લોર્ડ! જાણો કોણ હતો આ કુખ્યાત ‘એલ મેન્ચો’
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    સરકારે 5 ઘઝઝ પ્લેટફોર્મને બ્લૉક કર્યા: અશ્ર્લિલ ક્ધટેન્ટ બતાવવા પર કાર્યવાહી
    1 hour ago
    સંયુક્ત રાષ્ટ્રમાં રશિયા-યુક્રેન યુદ્ધવિરામનો પ્રસ્તાવ પસાર કરાયો: ભારત અને અમેરિકાના વલણથી દુનિયાભરમાં ચર્ચા
    1 hour ago
    ડોનાલ્ડ ટ્રમ્પે સોલર પેનલ્સની આયાત પર 126% ડ્યુટી ઝીંકી
    1 hour ago
    1000થી વધુ ક્ધસ્ટ્રક્શન સાઈટ પર તુરંત કામ બંધ કરવા આદેશ
    1 hour ago
    દેશનો યુવાવર્ગ દેવાની જાળમાં: ‘સેલેરી’થી વધુ ‘EMI’નો ભાર
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારતીય ટીમ માટે રાહતના સમાચાર! ઈજાગ્રસ્ત થતાં બચી ગયો શિવમ દુબે, વીડિયો આવ્યો સામે
    2 hours ago
    ‘રન રેટ 9.5 હતો 15 નહીં, તો આટલી ઉતાવળ કેમ?’, ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડી પર ભડક્યા ગાવસ્કર
    2 days ago
    સરકાર બદલાતા જ બાંગ્લાદેશની શાન ઠેકાણે આવી! BCCI અને ભારત સાથે સંબંધો અંગે મોટું નિવેદન
    6 days ago
    સતત જીત બાદ પણ ટીમથી કેમ સંતુષ્ટ નથી સૂર્યકુમાર યાદવ? કહ્યું- બેસીને વાત કરવી પડશે
    6 days ago
    ટી20 વર્લ્ડકપ: સુપર-8માં આ 3 ટીમો સામે રમશે ટીમ ઈન્ડિયા, પહેલી મેચમાં થશે કાંટાની ટક્કર
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    હોલિવૂડના ‘લાસ્ટ એક્શન હીરો’ ટૉમ નૂનનનું 74 વર્ષની વયે નિધન! સિનેમા જગતમાં માતમ
    6 days ago
    સલમાન ખાનના પિતા સલીમ ખાનની તબિયત લથડી, લીલાવતી હોસ્પિટલમાં દાખલ
    1 week ago
    ‘3 વાગ્યા પહેલા 1.5 કરોડ જમા કરો, પછી જ જામીન મળશે’, રાજપાલ યાદવ કેસમાં હાઈકોર્ટનો આદેશ
    1 week ago
    ‘એ ગાળો બોલતો હતો…’, અક્ષય કુમારે જ્યારે પાર્ટીમાં લાફો ઝીંકી દેતા યુવક બેભાન થઈ ગયો હતો
    2 weeks ago
    ‘રણવીર સિંહ તને ખુબ શોખ છેને સલાહ આપવાનો…’, બિશ્નોઈ ગેંગના હેરી બોક્સરે વોઇસ નોટ મોકલીને એક્ટરે આપી ધમકી
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    3 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    3 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    4 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    4 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    4 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    4 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    4 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    4 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    4 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    4 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: રવિશંકર રાવલ, બચુભાઈ રાવત અને કુમાર માસિક
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Bhavy Raval > રવિશંકર રાવલ, બચુભાઈ રાવત અને કુમાર માસિક
AuthorBhavy Raval

રવિશંકર રાવલ, બચુભાઈ રાવત અને કુમાર માસિક

Khaskhabar Editor
Last updated: 2022/04/02 at 1:38 PM
Khaskhabar Editor 4 years ago
Share
10 Min Read
SHARE

કલા, સાહિત્ય અને પત્રકારત્વના નવાં પ્રયાણમાં રવિશંકર રાવલ અને બચુભાઈ રાવતની અગ્રેસર ભૂમિકા 

રવિશંકર રાવલ : રવિશંકર રાવલ એટલે ગુજરાતના કલાગુરુ. તેઓ આજેપણ એક સિદ્ધહસ્ત ચિત્રકાર, કલામિમાંસક, કલાશિક્ષક તરીકે ખ્યાતનામ છે પરંતુ તેમની ખરી ઓળખ તો એક તંત્રી, સંપાદક, લેખક, પત્રકાર, નિબંધકાર તરીકે વધુ આપવી પડે. કારણ કે, જેવી રીતે ગુજરાતની નવી પેઢીના અનેક ચિત્રકારો, શિલ્પકારોના ઘડતરમાં રવિશંકર રાવલનો પ્રત્યક્ષ ફાળો રહેલો છે તેવી રીતે ગુજરાતની નવી પેઢીના લેખકો, કવિઓ, વાર્તાકારો, પત્રકારોના ઘડતરમાં પણ રવિશંકર રાવલનો સવિશેષ ફાળો રહેલો છે. રવિશંકર રાવલ સૌ પ્રથમ એક લેખક, પત્રકાર અને તંત્રી હતા પછી બીજું બધું હતા. અફસોસ..

Contents
કલા, સાહિત્ય અને પત્રકારત્વના નવાં પ્રયાણમાં રવિશંકર રાવલ અને બચુભાઈ રાવતની અગ્રેસર ભૂમિકા કુમાર : ગુજરાતી સાહિત્ય – પત્રકારત્વનું માતબર માસિક સંસ્કારલક્ષી વાંચનસામગ્રીથી કુમારનું પ્રકાશન અંક દર અંક ગણનાપાત્ર બનતું ગયું હતુંરવિશંકર રાવલ, બચુભાઈ રાવત અને કુમાર માસિક મહાશોધનિબંધનો વિષય 

ઘણાને ખબર નથી કે, રવિશંકર રાવલ માત્ર એક અવ્વલ દરજ્જાના ચિત્રકાર જ નહીં, એક અવ્વલ દરજ્જાના તંત્રી ઉપરાંત લેખક – પત્રકાર પણ હતા. અન્ય એક દુ:ખદ બાબત એ છે કે, ઈતિહાસના પાનાંથી લઈ ગૂગલના પેઈજ પર જ્યાં જૂઓ ત્યાં રવિશંકર રાવલની અટક ’રાવલ’ની જગ્યાએ ’રાવળ’ લખવામાં આવી છે. તેઓ ઔદિચ્ય બ્રાહ્મણ હતા અને તેમના અટકની સાચી જોડણી ’રાવલ’ છે, નહીં કે ’રાવળ’. આજ સુધી તેમના અટકની સાચી જોડણી લખવાનું કોઈ ભાષાવિદ્દને સૂજયું નથી!

- Advertisement -

ર.મ.રા. – રવિશંકર મહાશંકર રાવલે 1917માં કલા-વિષયક પત્રકારત્વ શરૂ કર્યું હતું. તેમનો સૌ પ્રથમ લેખ વડોદરાથી મટુભાઈ કાંટાવાળાના તંત્રીપણા હેઠળ પ્રસિદ્ધ થતા સાહિત્ય માસિકમાં સપ્ટેમ્બર, 1917ના અંકમાં કલાની કદર નામથી છપાયો હતો. વીસમી સદી માસિકના તંત્રી હાજી મહમ્મદ અલારખિયાના પરિચયમાં આવ્યા બાદ રવિશંકર રાવલને કુમાર શરૂ કરવાની પ્રેરણા મળી હતી અને તેમણે હાજી મહમ્મદ અલારખિયાના વીસમી સદી તેમજ રામાનંદ ચેટર્જીના ધ મોડર્ન રિવ્યૂ સામયિકને આદર્શ ગણી 1924માં અમદાવાદથી કુમાર માસિક બહાર પાડ્યું હતું. યુવાવયે રવિશંકર રાવલ કુમારના સ્થાપક અને પ્રથમ તંત્રી બની ચૂક્યા હતા. રવિશંકર રાવલે પોતાના તંત્રી સ્થાનેથી કુમારને ગુજરાતી ભાષાનું સર્વોત્તમ માસિક બનાવવામાં કોઈ કસર છોડી નહતી, તેમાં તેઓ સફળ પણ થયા હતા.

કુમારના આદ્યતંત્રી રવિશંકર રાવલે કુમાર ઉપરાંત અન્ય સામયિકોમાં કલા વિષયક અનેક લેખો લખ્યા છે. તેમણે કલા વિશેના સ્વતંત્ર પુસ્તકો લખ્યાં છે, પ્રવાસ વર્ણનો લખ્યા છે, આત્મકથા લખી છે અને ચિત્રકલા અંગેના પુસ્તકો અને આલ્બમો તૈયાર કર્યા છે. લેખક, પત્રકાર અને તેથી વિશેષ તંત્રી, સંપાદક રવિશંકર રાવલે પીંછી સાથે કલમ પણ બખૂબી ચલાવી જાણી છે. રવિશંકર રાવલના કલા, સાહિત્ય, પત્રકારત્વના ક્ષેત્રમાં નોંધનીય કાર્ય બદલ તેમને રણજીતરામ સુવર્ણચંદ્રક અને પદ્મશ્રી સહિત અનેક એવોર્ડથી સન્માનવામાં આવ્યા છે.

વીસમી સદીના મધ્યાંતે જ્યારે ગુજરાતમાં ચિત્રકારની ઓળખ માત્ર દુકાનોના પાટિયા લખતા-દોરતા ચિતારા તરીકે હતી ત્યારે કલાનું પુન:પ્રતિષ્ઠાન કરવાનું શ્રેય રવિશંકર રાવલને ફાળે જાય છે.

- Advertisement -

એ જ પ્રકારે નવાસવા લખવૈયાને ગુજરાતી સાહિત્ય અને પત્રકારત્વજગતમાં લેખક, કવિ, વાર્તાકાર, ચિત્રકાર કે પત્રકાર તરીકે પ્રસ્થાપિત કરવાનો યશ પણ રવિશંકર રાવલના કુમાર માસિકના ફાળે જાય છે. રવિશંકર રાવલનું માસિક કુમાર અનેક યુવા લેખકો, પત્રકારો, કવિઓ, ચિત્રકારોની ઊગતી પ્રતિભાને ખીલવવાનું માધ્યમ બની ચૂક્યું હતું જેમાં નિમિત્ત બન્યા હતા બચુભાઈ રાવત. રવિશંકર રાવલ બાદ તેમના મિત્ર બચુભાઈ રાવત કુમારના તંત્રી બન્યા હતા.

કુમાર : ગુજરાતી સાહિત્ય – પત્રકારત્વનું માતબર માસિક 

  • સંસ્કારલક્ષી વાંચનસામગ્રીથી કુમારનું પ્રકાશન અંક દર અંક ગણનાપાત્ર બનતું ગયું હતું
  • રવિશંકર રાવલ, બચુભાઈ રાવત અને કુમાર માસિક મહાશોધનિબંધનો વિષય 

બચુભાઈ રાવત : ગુજરાતના કલાસમૃદ્ધ મુદ્રણ અને પત્રકારત્વના પ્રવર્તક એટલે બચુભાઈ રાવત. બચુભાઈ રાવત અને રવિશંકર રાવલ યુવાનીના સમયથી મિત્રો હતા અને કુમાર માસિકની શરૂઆતથી સાથે જોડાયેલા હતા. રવિશંકર રાવલ ગુજરાતના કિશોરો-યુવાનો માટે એક સામયિક શરૂ કરવા માંગતા હતા, એ સમયમાં કિશોરો-યુવાનો માટેનું ખાસ કોઈ સામયિક નહતું. રવિશંકર રાવલના એક મિત્ર મસ્તરામ પંડ્યાના પરિચિત કિશોરો અનંત અને ઉપેન્દ્ર એ સમયમાં કુમાર નામનું એક હસ્તલિખિત ગૃહમાસિક ચલાવતા હતા. રવિશંકર રાવલને આ નામ ગમી ગયું અને જાન્યુઆરી, 1924માં કુમારનો જન્મ થયો. 1943માં રવિશંકર રાવલે કુમાર બંધ કરવાનો વિચાર કર્યો ત્યારે તેનું ‘કુમાર કાર્યાલય લિ.’માં રૂપાંતર થયું અને બચુભાઈ રાવત કુમારના નવા તંત્રી બન્યા. બચુભાઈ રાવતના સંચાલન હેઠળ સ્વચ્છ – સુઘડ મુદ્રણકલા, વૈવિધ્યસભર રજૂઆતના અવનવા પ્રયોગો તેમજ સંસ્કારલક્ષી વાંચનસામગ્રીથી કુમારનું પ્રકાશન અંક દર અંક ગણનાપાત્ર બનતું ગયું હતું.

બચુભાઈ રાવતનું મૂળ નામ ઉમેદસિંહ, ઘરમાં બધા ઉમેદસિંહને લાડથી બચુભાઈ કહેતા એટલે તેમનું જાહેર જીવનમાં નામ પડી ગયું – બચુભાઈ રાવત. જેમ રવિશંકર રાવલની અટક ક્યાય રાવળની જગ્યાએ રાવલ વાંચવા નહીં મળે તેમ બચુભાઈ રાવતનું નામ ક્યાય બચુભાઈની જગ્યાએ બચુ રાવત વાંચવા નહીં મળે! જોકે અપવાદ હોય શકે પરંતુ મોટેભાગે એક સદીથી બધું જૈસે થે જ ચાલ્યું આવ્યું છે. બચુભાઈ રાવતની વધુ વાત કરીએ તો, કુમાર માસિક સાથે જોડાયા અગાઉ બચુભાઈ રાવત હસ્તલિખિત માસિક જ્ઞાનાંજલિ, હસ્તલિખિત સાપ્તાહિક ધ્વનિ અને હસ્તલિખિત અનિયતકાલીન સામયિક નેપથ્યમાંથી ચલાવતા હતા. તેમણે 1920થી 1921 દરમિયાન સસ્તુ સાહિત્યવર્ધક કાર્યાલયમાં કામ કર્યું, 1922થી 23 દરમિયાન નવજીવન પ્રકાશન મંદિરના પ્રકાશન વિભાગમાં કામ કર્યું, 1930માં સાહિત્યની કાર્યશાળા બુધસભાની સ્થાપના કરી, 1924થી 1942 દરમિયાન કુમાર માસિકનું સંપાદન કાર્ય સંભાળ્યું, 1943થી 1980 સુધી કુમારનું તંત્રી પદ સંભાળ્યું. બચુભાઈ રાવત કુમાર માસિકના પ્રારંભથી 1980માં પોતાના મૃત્યુ સુધી, તેની સાથે જોડાયેલા રહ્યા હતા.

બચુભાઈ રાવત કુમારના તંત્રી, સંપાદક, ઉપરાંત લેખક – પત્રકાર હતા અને તેમને એક સારા વિવેચક પણ કહી શકાય. તેમણે ગુજરાતી ગ્રંથસ્થ ચિત્રકલા કલા અને કલા વિવેચનના નિબંધોનો સંગ્રહ લખ્યો છે. ગુજરાતી લિપી પર ગુજરાતી લિપિના નવા પરોઢના નિર્માણ પુસ્તક લખ્યું છે. હિંદીમાંથી અનુવાદિત ટૂંકી વાર્તાઓનો સંગ્રહ લખ્યો છે. તેઓ છંદોબદ્ધ કવિતા લખવાના ખાસ આગ્રહી હતા, અને છંદ વગર કવિતાનું સર્જન શક્ય નથી તેવો સ્પષ્ટ મત ધરાવતા હતા. રવિશંકર રાવલની જેમ બચુભાઈ રાવતને પણ રણજીતરામ સુવર્ણચંદ્રક અને પદ્મશ્રી સહિત અનેક એવોર્ડથી સન્માનવામાં આવ્યા છે. વીસમી સદીના ગુજરાતી ભાષાના નામી-અનામી સર્જકોએ કુમારના તંત્રી બચુભાઈ રાવત વિશે ઘણું સારું-નરસું લખ્યું છે.

કુમાર : ગુજરાતી પત્રકારત્વની શરૂઆતથી લઈ આજ સુધીની એટલે કે બે સદીની ઐતિહાસિક યાત્રામાં ગુજરાતી સાહિત્ય – પત્રકારત્વનું માતબર સામયિક એટલે કલા, સંસ્કૃતિ, સાહિત્ય, વિજ્ઞાન, ગણિત, રમતગમત અને અન્ય અનેક વિષયોને આવરી લેતું કુમાર. જાન્યુઆરી, 1924માં અમદાવાદથી શરૂ થયેલા કુમાર માસિકનું લવાજમ એક વર્ષનું છ રૂપિયા રાખવાનું અને દર માસની પૂનમે પ્રકાશિત કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. કુમારના તંત્રી તરીકે રવિશંકર રાવલનું નામ છપાતું હતું. આગળ જતા તેમના નામની સાથે જાન્યુઆરી, 1927થી બચુભાઈ રાવતનું નામ મુદ્રક-પ્રકાશક તરીકે છપાતું થયું હતું. બચુભાઈ રાવતનું નામ જાન્યુઆરી, 1934થી સંપાદક તરીકે છપાતું થયું હતું. જૂન, 1925માં કુમાર પ્રિન્ટરીની સ્થાપના થતા કુમારના અંકો તેની પોતાની જ પ્રિન્ટરીમાં છપાવવાના શરૂ થયા હતા. આ કુમાર પ્રિન્ટરીમાં કુમાર સિવાયનાં અન્ય પુસ્તકો અને માસિકો પણ છપાવવાના શરૂ થયા હતા જેનું મુખ્ય કારણ હતું, કુમાર પ્રિન્ટરીનું ક્ષતિરહિત મુદ્રણ-પ્રકાશન. કુમાર પોતાની સુસંસ્કૃત વાંચનસામગ્રી ઉપરાંત સુંદર મુદ્રણ-ચિત્રણ માટે જાણીતું બનેલું હતું. કુમાર માસિક સિવાય પુસ્તકોનું પ્રકાશન કરતું આવ્યું છે. કુમારમાં લખાયેલા શબ્દોની જોડણી ચોક્કસ ગણવામાં આવતી, કુમારમાં અનુસ્વારનો ઉપયોગ મહત્તમ કરવામાં આવતો, કુમાર તેના મરોડદાર ટાઈપબ્લોકથી બધાથી અલગ ઓળખાઈ આવતું. કોમ્પોઝ, બ્લોક મેકિંગ, પ્રિન્ટિંગ, બાઈન્ડિંગ વગેરે તમામ કામગીરી કુમાર કાર્યાલયમાં જ થતી હતી. 1924થી 1980 સુધીના તમામ અંકોમાં કુમારનું ટાઈટલ અલગ-અલગ અક્ષરો-ફોન્ટમાં લખાયેલું જોવા મળે છે, આ મુજબની ઘટના ગુજરાતી પત્રકારત્વમાં એકમાત્ર છે. ગુજરાતી પત્રકારત્વના ઈતિહાસમાં સૌપ્રથમ કુમારે પોતાના 1924થી 2004 સુધીના 1થી 924 અંકોને, અનુક્રમણિકા સાથે 17 સીડી રૂપે પ્રકટ કર્યા છે.

ગુજરાતમાં વીસમી સદીની શરૂઆતથી કલા, સાહિત્ય અને પત્રકારત્વના ક્ષેત્રમાં જે નવાં પ્રયાણ થયાં તેમાં રવિશંકર રાવલ અને બચુભાઈ રાવતના કુમાર માસિકની અગ્રેસર ભૂમિકા રહી છે. રવિશંકર રાવલ અને બચુભાઈ રાવતે માતબર સાહિત્યિક પત્રકારત્વ કોને કહેવાય એ કુમારના મુદ્રણ-પ્રકાશન દ્વારા દર્શાવ્યું છે. કુમાર માસિકના માધ્યમથી ગુજરાતની કેટલીયે પેઢીઓનું સંસ્કાર ઘડતર થતું આવ્યું છે. કુમારના પ્રથમ અંકમાં ’ગુજરાતની ઊગતી પ્રજાનું માસિક’ મુદ્રાલેખ સાથે જે ચિત્ર દર્શાવવામાં આવ્યું હતું તે ચિત્ર આગળ જતાં કુમારનું પ્રતીકચિહ્ન બની રહ્યું હતું. શરૂઆતથી જ આવતીકાલના નાગરિકો માટેનું આજનું માસિક અને પૂરા પરિવારનું સર્વલક્ષી સુરુચિપૂર્ણ સામયિક જેવા મુદ્રાલેખ કુમારની આગવી ઓળખ બન્યા હતા. નવ દાયકા અગાઉ કુમાર કાર્યાલયમાં દર બુધવારે બુધસભાનું આયોજન થવાનું શરૂ થયું, જેણે કુમારને કવિઓનું ચહિતું-માનીતું બનાવ્યું હતું. કુમારની બુધસભામાં કવિઓને કાવ્યપઠન કરવાનો અવસર મળતો હતો. લઘુકથા, ધ્યાનકથા જેવા ગદ્ય સાહિત્યસ્વરૂપોને વિકસાવવામાં કુમારનો અનન્ય ફાળો છે. કુમાર તેના દિવાળી અંક અને અન્ય વિશેષાંકો માટે ઘણું જાણીતું છે. કુમાર સામયિક દ્વારા અપાતા કુમાર ચંદ્રકથી કોણ અજાણ હશે? કુમારમાં કલમ ચલાવી સરળતાથી પ્રતિષ્ઠિત સર્જક બનેલાઓના નામ જણાવવા અન્ય એક લેખવો પડે અને રવિશંકર રાવલ, બચુભાઈ રાવત અને કુમાર માસિક તો મહાશોધનિબંધનો વિષય છે.

વધારો : નવાનવા ફોટોગ્રાફરોને પ્રોત્સાહન આપવા એપ્રિલ, 1925માં કુમાર કેમેરા ક્લબની સ્થાપના કરવામાં આવી હતી, બળવંત ભટ્ટ, જગન મહેતા, પ્રાણલાલ પટેલ જેવા નામી તસવીરકારો કુમાર કેમેરા ક્લબની કુમાર કેમેરા ક્લબની દેન છે.

You Might Also Like

AI પ્લેટફોર્મનો AI વિશે ઈન્ટરવ્યૂ, જાણો વધુ માહિતી

સાવધાન! તમારા સોશિયલ મીડિયા પર છે અમેરિકન સરકારની નજર

દહેશતના અલગ અલગ રૂપો

પતિ અજય હતપ્રભ: ‘સિલાઈ’ સંગ્રહની વાર્તામાં આજના બદલાતા પારિવારિક સંબંધોનો જીવંત ચિતાર

વેલેન્ટાઇન: તહેવાર કે વેપાર??

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article દિલ્હી સામે ગુજરાતની કસોટી
Next Article જો સંસાર મંત્રના સહારે ચાલવા માંડે તો જગતની સિકલ બદલાઇ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
મોરબી

સાંસદ વિનોદ ચાવડાની અધ્યક્ષતામાં ‘દિશા’ સમિતિની બેઠક યોજાઈ

Khaskhabar Editor Khaskhabar Editor 35 minutes ago
ભયાનક અકસ્માત: હરિદર્શન ચોકડીના જોખમી બમ્પને કારણે ડમ્પર ટ્રેલરમાં ઘૂસ્યું
ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ઘઉંની મબલખ આવક સિઝનની રેકોર્ડ બ્રેક 30 હજાર ગુણી ઠલવાઈ
અમેરિકામાં હિમવર્ષાનો કહેર: 11,000થી વધુ ફ્લાઇટ્સ રદ અને લાખો ઘરોમાં અંધારપટ
દર મંગળવારે રામનાથપરા સ્મશાનગૃહમાં મેલડી માતાજીના દર્શનાર્થે ભાવિકોની ભીડ
27મીએ રિલીઝ થશે ‘લાગણીનો મેળો’, પિતા-પુત્રના અતૂટ પ્રેમની જોવા મળશે ઝલક
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Bhavy Raval

AI પ્લેટફોર્મનો AI વિશે ઈન્ટરવ્યૂ, જાણો વધુ માહિતી

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
Author

સાવધાન! તમારા સોશિયલ મીડિયા પર છે અમેરિકન સરકારની નજર

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
Author

દહેશતના અલગ અલગ રૂપો

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?