આપણે સહુ સાથે મળી પ્રખર દેશભક્તિ અને લોકસેવાના તેમના પ્રેરણાદાયી માર્ગ ઉપર આગળ વધવાનો દ્રઢ સંકલ્પ કરીએ: રાજુભાઇ ધ્રુવ
ખાસ-ખબર સંવાદદાતા
ભારતીય જનતા પક્ષ(જનસંઘ)ના આદ્યસ્થાપક પંડિત દીનદયાળ ઉપાધ્યાયની પુણ્યતિથિએ પં. દીનદયાળ ઉપાધ્યાય સિવિલ હોસ્પિટલમાં આવેલી તેમની પ્રતિમાને ફુલહાર દ્વારા પુષ્પાંજલિ અર્પણ કર્યા બાદ રાજુભાઇ ધ્રુવે લોકોને સંબોધતા કહ્યુ કે,ચાલો આપણે સહુ સાથે મળી પ્રખર દેશભક્તિ અને લોકસેવાના તેમના પ્રેરણાદાયી માર્ગ ઉપર આગળ વધવાનો દ્રઢ સંકલ્પ કરીએ. પંડિત દીનદયાળજીને શ્રદ્ધા સુમન અર્પણ કરવાના આ પાવન પ્રસંગે સમાજિક સેવા ક્ષેત્રે સક્રિય વિચારમંચ સંસ્થાનાં સાથી કાર્યકર્તાઓએ પણ ઉપસ્થિત રહી પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ કાર્યક્રમમાં સંયોજક રાજુભાઇ ધ્રુવ ,ભાવિકભાઈ અગ્રાવત,મિતેશભાઈ શાહ, મુજિલભાઇ સુધાગુનિયા, અમિતભાઈ ધ્રુવ , અક્ષયભાઈ સોયાણી, જગદીશભાઈ સોલંકી, કરણભાઈ મકવાણા, પ્રતીકભાઈ ભેડા વગેરે કાર્યકરોએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી.