ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર, તા.2
પોરબંદરના ચોપાટી પાસે જીલ્લા કલેકટરના રહેણાંક સ્થળ નજીક એક રહેણાંક મકાનમાં કિંમતી સાંકળની ચોરીની ફરિયાદ કમલાબાગ પોલીસમાં નોંધાય હતી. આ ચોરીની ફરિયાદના બે આરોપીને કમલાબાગ પોલીસે મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા તો હજુ એક આરોપી ફરાર છે. પોરબંદરના ચોપાટી નજીકના કનકાઈ મંદિર સામે જિલ્લા કલેકટરના રહેણાંક મકાન વિસ્તારમાં એક મકાનમાં કિંમતી ધાતુની સાંકળની ચોરી થઈ હોવાની ફરિયાદ કમલાબાગ પોલીસમાં નોંધાય હતી. આ ફરિયાદ આરોપી મંગલસિંહ બીરસિંહ વડીયારા અને ભંગારના ડેલા સંચાલક અને બોખીરા વિસ્તારમાં રહેતા રાજુભાઈ ગોરધનભાઈ પરમાર નામના બન્ને આરોપીને કમલાબાગ પોલીસે મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. તો હજુ આ ગુન્હામાં સંડોવાયેલ નવઘણ ગોરધન ચુંડરિયા નામનો શખ્સ ફરાર છે.
- Advertisement -
ભંગારના ડેલામાં સાંકળનું વેચાણ કરવા ગયોને ઝડપાઇ ગયો
કમલાબાગ પોલીસે આપેલ માહિતી મુજબ આ ચોરીનો મુખ્ય આરોપી નવઘણ ગોરધન ચુંડરિયા નામનો શખ્સ ચોરીનો મુદ્દામાલ મંગલસિંહ બીરસિંહ વડીયારાને આપ્યો હતો જેથી આ આરોપી આ મુદ્દામાલનું વેંચાણ કરવા માટે ભંગારના ડેલા સંચાલક અને બોખીરા વિસ્તારમાં રહેતા રાજુભાઈ ગોરધનભાઈ પરમારને ત્યાં ગયો હતો અને ઝડપાય ગયો.