સોમનાથ નજીક ચોપાટી પર દરિયા પાસે જતા પહેલા યાત્રિકો વિચાર કરે
દરિયામાં ગટરનું પાણી ભળવાથી સ્વચ્છતાની વાતના નામે મીંડું: એક તરફ તીર્થ સ્થળોનો વિકાસ તો બીજી તરફ વિનાશક દ્રશ્યો
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
ગિર સોમનાથ ગુજરાત રાજ્ય દ્વારા રાજ્યના તીર્થ સ્થળો અને ટુરિસ્ટર્સ સ્થળો વિકસાવવા માટે અથાગ પ્રયાસો કરાઈ રહ્યા છે જેમાં પણ પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ તીર્થને વિકસાવવા માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર ભારે જહેમત ઉઠાવી રહેલ છે અને વિકાસ ભારે માત્રામાં થઈ રહ્યો પણ છે પરંતુ જેમાં મોટીચૂક હોય તેવું યાત્રિકો માની રહ્યા છે સોમનાથ મંદિર નજીક વિશાળ ચોપાટી આવેલી છે જેમાં તાજેતર માંજ વિશાળ વોકવે તૈયાર કરાયો છે રૂપિયા 20 કરોડથી વધુના ખર્ચે સાગરદર્શનથી છેક ત્રિવેણી સંગમ સુધી બનાવાયો છે પરંતુ ચોપાટીમાં પ્રભાસ પાટણ આખા શહેરનું ગટરનું ગંદૂપાણી ઠલવાય રહ્યું છે જાણે નાની સુની નદી સમૂ વહેણ ભારે ગંદકી અને દુર્ગંધ સાથે ચોપાટીમાં મળી રહ્યું છે. સોમનાથ તીર્થ પ્રવાસન ની સર્કિટ બન્યૂ છે જેમાં દ્વારકા, સોમનાથ, સાસણગીર, દીવ સહિતના સ્થળોનું મુખ્ય મથક સોમનાથ મનાય છે. અહીં બારેમાસ દેશ-વિદેશના ભારે ભાવિકો સોમનાથ જરૂર આવે છે તો સમુદ્રથી દૂર રહેનારા લોકો સોમનાથની ચોપાટી પર દરિયાનો ઘૂઘવાટ અને મોજા જોઈ અને ભાવવિભોર બને છે.
જોકે અહીં અનેક દુર્ઘટનામાં અનેક યાત્રિકોએ દરિયામાં ડૂબી જવાથી જીવ ગુમાવ્યા છે. ચોપાટી પર દરિયામાં ન જવા કલેકટરનું જાહેરનામું પણ બહાર પડેલું હોય આમ છતાં ભારે માત્રામાં યાત્રિકો પરિવાર સાથે દરિયાના મોજા માણવાનું ચૂકતા નથી. ત્યારે બિચારા અજાણ્યા યાત્રિકોને ક્યાં ખબર હોય છે કે જે પાણીમાં તે મોજ માણી રહ્યા છે તે તો પ્રભાસ પાટણ શહેરની ગટરના પાણી સાથે જોડાયેલું પાણી છે. જ્યારે અરબી સમુદ્રના ઉછળતા મોજા સાથે શહેરની ગટરનું પાણી ભળી રહ્યાનું યાત્રિકોને ધ્યાને આવે છે ત્યારે યાત્રિકોમાં ભારે કચવાટ ફેલાઈ રહ્યો છે યાત્રિકો વિનમ્રભાવે જણાવી રહ્યા છે કે જે સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ આપણા વડાપ્રધાન મોદીજી છે અને ટ્રસ્ટી અમિત શાહ છે ત્યારે આ ચૂક કેમ ? તાકીદે આ બાબતે કેન્દ્ર અને રાજ્ય સરકાર સાથે વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા દ્વારા આ બાબતે યોગ્ય કરાય તે જરૂરી છે અને યાત્રિકો આ સિસ્ટમથી નારાજ થઈ પાલીકાને વિનંતી કરી રહ્યા છે કે ગંદુ પાણી ચોપાટીમાં ન છોડવામા આવે.
- Advertisement -
પાલિકા ચીફ ઓફિસરનું શું કહેવું છે
આ બાબતે વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકાના ચીફ ઓફિસર ચેતન ડુંડિયા ને પૂછતા તેઓએ જવાબ આપ્યો હતો કે વેરાવળ પાટણ જોડીયા શહેર પૌરાણિક છે અને આ શહેરોનું પાણી અનાદિકાળથી દરિયામાં જ જાય છે પરંતુ હવે રાજ્ય સરકાર દ્વારા ભૂગર્ભ ગટર યોજના મળતા વેરાવળ પાટણ શહેરની ત્રણ તબક્કાની કામગીરી પૂર્ણ થઈ છે. અને હવે તમામ ઘર ધરાવતા લોકોના ગટર કનેક્શન ટૂંક સમયમાં ભૂગર્ભ ગટર સાથે જોડાશે. અને દરિયામાં આજ સુધી જતું ગટરનું પાણી અટકાવી શકાશે. પરંતુ આ સમય ક્યારે આવશે ? તે બાબતે યાત્રિકોમાં પણ આશંકા છે. કારણ કે આતો સરકારી કામ છે પૂર્ણ થાય ત્યારે ખરું