ખાસ-ખબર ન્યૂઝ ગિર સોમનાથ
ઉના પોલીસ ઇન્સપેકટર એમ.એન.રાણા નાઓ દ્વારા ઉના શહેરના તમામ સમાજના આગેવાનોને ઉના પોલીસ સ્ટેશન ખાતે બોલાવી શાંતી સમીતીની મીટીંગનું આયોજન કરવામાં આવેલ હતું અને આ મીટીંગમાં ગણેશ ચતુર્થીના તહેવાર સબબ ગણેશજીની સ્થાપના/વિસર્જનના આયોજકો તથા ઇદે મીલાદે સબબ મુસ્લીમ સમાજના આગેવાનોને જરૂૂરી માર્ગદર્શન સુચનાઓ આપવામાં આવેલ તેમજ ઉના શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે અને હિંદુ-મુસ્લિમ સમાજના લોકોમાં ભાઇચારાની ભાવાના જળવાઇ રહે તેમજ કોઇ પણ ધર્મની ધાર્મિક લાગણી ન દુભાઇ તેવી કોઇ પોસ્ટ સોશિયલ મિડિયામાં વાઇરલ ન થાય તેમજ શાંતિ પૂર્વક તહેવારોની ઉજવણી કરવા આયોજકો/આગેવાનોને અનુરોધ કરવામાં આવેલ હતું.
ઊના પોલીસ સ્ટેશનમાં તહેવારોને લઈ શાંતિ સમિતિની મિટિંગ યોજાઇ
