વડાપ્રધાન મોદીના હસ્તે નવા સંસદ ભવનના ઉદ્ઘાટનને લઈ મામલો ગરમાયો, વિપક્ષી પક્ષો વડાપ્રધાન મોદીની કરી રહ્યા છે ટીકા, 19 વિરોધ પક્ષોએ ઉદ્ઘાટન સમારોહ કરશે બહિષ્કાર
દિલ્હીમાં દેશના નવી સંસદ ભવનનું ઉદ્ઘાટન 28 મેના રોજ થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ ઈમારતનું ઉદ્ઘાટન કરશે. આ તરફ હવે આ ઈમારતને લઈને દેશમાં રાજકારણ શરૂ થઈ ગયું છે. વિપક્ષી પક્ષો PM મોદીની ટીકા કરી રહ્યા છે. 19 વિરોધ પક્ષોએ ઉદ્ઘાટન સમારોહનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી છે. આજે અમે તમને જણાવીશું કયા પક્ષે આ કાર્યક્રમને લઈ શું કહ્યું અને કેમ આ કાર્યક્રમનો વિરોધ થઈ રહ્યો છે.
- Advertisement -
શું છે સમગ્ર વિવાદ ?
નવી સંસદ ભવન સાથે જોડાયેલો વિવાદ એ ટ્વીટ બાદ શરૂ થયો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે, ઈમારતનું ઉદ્ઘાટન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કરવું જોઈએ, પીએમએ નહીં. આ ટ્વીટ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ 21 મેના રોજ કરી હતી. આ રીતે વિપક્ષે રાષ્ટ્રપતિને ન બોલાવવા પર ઘેર્યા હતા. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પોતાના ટ્વિટમાં લખ્યું, રાષ્ટ્રપતિએ નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કરવું જોઈએ, વડાપ્રધાને નહીં!
19 opposition parties issue a joint statement to boycott the inauguration of the new Parliament building on 28th May, saying "When the soul of democracy has been sucked out from the Parliament, we find no value in a new building." pic.twitter.com/7p7lk9CNqq
— ANI (@ANI) May 24, 2023
- Advertisement -
કોંગ્રેસના પૂર્વ ઉપનેતા આનંદ શર્માનું મોટું નિવેદન
વરિષ્ઠ સાંસદ અને રાજ્યસભામાં કોંગ્રેસના પૂર્વ ઉપનેતા આનંદ શર્માએ કહ્યું કે, વડાપ્રધાન મોદી સંસદના નવા ભવનનું ઉદ્ઘાટન કરે તે બંધારણીય રીતે યોગ્ય નથી. તેની જરૂર છે કે કેમ તે પ્રશ્ન ઊભો થાય છે. કોઈ મોટી લોકશાહીએ આવું કર્યું નથી. હકીકતમાં 18 મેના રોજ લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ પીએમને નવા બિલ્ડિંગના ઉદ્ઘાટન માટે આમંત્રણ આપ્યું હતું. તેમણે કહ્યું, જ્યારે નવી સંસદનો શિલાન્યાસ થયો ત્યારે રાષ્ટ્રપતિને દૂર રાખવામાં આવ્યા હતા અને હવે રાષ્ટ્રપતિને નવી સંસદ ભવનનાં ઉદ્ઘાટનથી પણ દૂર રાખવામાં આવી રહ્યાં છે. આ વ્યાજબી નથી. વડાપ્રધાને રાષ્ટ્રપતિને ઉદ્ઘાટન માટે આમંત્રણ આપવા વિનંતી કરવી જોઈએ.
It looks like the Modi Govt has ensured election of President of India from the Dalit and the Tribal communities only for electoral reasons.
While Former President, Shri Kovind was not invited for the New Parliament foundation laying ceremony…
1/4
— Mallikarjun Kharge (@kharge) May 22, 2023
કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ શું કહ્યું ?
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ટ્વિટ કર્યું, નવા સંસદ ભવનનાં શિલાન્યાસ પ્રસંગે પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને આમંત્રણ આપવામાં આવ્યું ન હતું, ન તો ઉદ્ઘાટન પ્રસંગે રાષ્ટ્રપતિ મુર્મુને આમંત્રણ આપવામાં આવ્યું હતું. સરકાર, વિપક્ષ અને નાગરિકોનું પ્રતિનિધિત્વ માત્ર રાષ્ટ્રપતિ જ કરે છે. તે ભારતના પ્રથમ નાગરિક છે. રાષ્ટ્રપતિ દ્વારા નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન સરકારના લોકશાહી મૂલ્ય અને બંધારણીય ગૌરવને પ્રતિબિંબિત કરશે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશિ થરૂરે ટ્વિટ કર્યું હતું- બંધારણની કલમ 60 અને 111 સ્પષ્ટ કરે છે કે રાષ્ટ્રપતિ સંસદના વડા છે અને તેથી તેમણે નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કરવું જોઈએ.
આમ આદમી પાર્ટીએ પણ નોંધાવ્યો વિરોધ
આ તરફ આમ આદમી પાર્ટીનો આરોપ છે કે, સંસદ ભવનનાં ઉદ્ઘાટન સમારોહમાં રાષ્ટ્રપતિને આમંત્રણ ન આપીને ભાજપે આદિવાસીઓ અને પછાત સમુદાયોનું અપમાન કર્યું છે. AAP સાંસદ સંજય સિંહે કહ્યું કે, ભાજપ દલિત, પછાત અને આદિવાસીઓનો જન્મજાત વિરોધી છે. તેમણે ટ્વીટ કર્યું કે, ભાજપ દલિતો, પછાત આદિવાસીઓનો જન્મજાત વિરોધી છે. મહામહિમના અપમાનની બીજી ઘટના. પ્રથમ અપમાન એ હતું કે, ભગવાન શ્રી રામના મંદિરના શિલાન્યાસ સમારોહ માટે રામનાથ કોવિંદને આમંત્રણ આપવામાં આવ્યું ન હતું. બીજું અપમાન એ હતું કે, મહામહિમ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને સંસદ ભવનના ઉદ્ઘાટન સમારોહમાં આમંત્રણ ન આપવું.
BJP दलितों पिछड़ों आदिवासियो की जन्मजात विरोधी है।
महामहिम के अपमान की दूसरी घटना।
पहला अपमान प्रभु श्री राम के मंदिर शिलान्यास में श्री रामनाथ कोविंद जी को नहीं बुलाया।
दूसरा अपमान संसद भवन के उदघाटन समारोह में महामहिम राष्ट्रपति श्रीमती द्रौपदी मूर्मू जी को न बुलाना।
— Sanjay Singh AAP (@SanjayAzadSln) May 22, 2023
AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસીએ શું કહ્યું ?
AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદનું ઉદ્ઘાટન શા માટે કરવું જોઈએ? તેઓ કારોબારીના વડા છે, ધારાસભાના નહીં. આપણી પાસે સત્તાનું વિભાજન છે. લોકસભાના માનનીય સ્પીકર અને રાજ્યસભાના અધ્યક્ષ ઉદ્ઘાટન કરી શકે છે. તે જનતાના પૈસાથી બને છે, પીએમ કેમ એવું વર્તન કરી રહ્યા છે કે, જાણે તેમના ‘મિત્રો’એ તેમના અંગત ભંડોળથી તેને સ્પોન્સર કર્યું હોય?
Only when the President of India summons the Parliament can it meet.
The President begins, annually, Parliamentary functioning by addressing the joint session.
The first business Parliament transacts each year is the “Motion of Thanks” to President’s Address. pic.twitter.com/LFI6pEzRQe
— Sitaram Yechury (@SitaramYechury) May 23, 2023
વિપક્ષી પાર્ટીઓએ ઉઠાવ્યો વિરોધ
ટીએમસી સાંસદ સૌગતા રોયે કહ્યું કે, અમે પીએમના નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કરવાના વિરોધમાં છીએ. રાષ્ટ્રપતિએ તેનું ઉદ્ઘાટન કરવું જોઈએ. રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના સાંસદ મનોજ ઝાએ કહ્યું, ‘શું એવું ન થયું હોય કે રાષ્ટ્રપતિએ સંસદના નવા બિલ્ડિંગનું ઉદ્ઘાટન કરવું જોઈએ… જય હિંદ.’ CPI(M)ના જનરલ સેક્રેટરી સીતારામ યેચુરીએ ટ્વિટ કર્યું કે, નવી સંસદ ભવનનો શિલાન્યાસ થઈ રહ્યો હતો ત્યારે PM મોદીએ રાષ્ટ્રપતિને બાયપાસ કર્યા હતા. પરંતુ ઉદ્ઘાટન સમારોહમાં પણ મહામહિમ રાષ્ટ્રપતિની અવગણના કરવી અસ્વીકાર્ય છે.