By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઈટાલીમાં વાવાઝોડાના લીધે તબાહી, એરપોર્ટની છત ઊડી
    4 hours ago
    USમાં એરપોર્ટ પર ઇંધણ ખૂટી જતા હોબાળો, વિમાનો અટવાયા : NOTAM ઇમરજન્સી એલર્ટ
    5 hours ago
    અમેરિકાએ 50% ટેરિફ લગાવતાં કેનેડા ભડક્યું, વેપાર કરાર સ્થગિત કરી બદલાનું એલાન કર્યું
    2 days ago
    કોલેસ્ટ્રોલથી પીડાતા દર્દીઓ માટે આશાસ્પદ અને ક્રાંતિકારી શોધ : Verve-102 જીન થેરાપી
    3 days ago
    ડોલર અને યુરો કરતાં રૂપિયાની નોટોની સંખ્યા વધુ : ભારતમાં 176 અબજ બેંક નોટો ચલણમાં
    5 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    મહારાષ્ટ્રનાં અમરાવતીમાં હોસ્પિટલના ચાઈલ્ડ યુનિટમાં આગ: 3 નવજાત શિશુનાં મોત
    4 hours ago
    FSSAIની લાલ આંખ : ‘શ્રદ્ધા’, ‘શ્રી સરસ’ અને ‘ગોકુલ’ બ્રાન્ડના ઘીના વેચાણ પર તાત્કાલિક રોક
    5 hours ago
    પુણેમાં રાહુલ ગાંધીના કાર્યક્રમ પહેલાં NSUI-ABVP વચ્ચે ઘર્ષણ
    2 days ago
    પૂરમાં ગંભીર ઇજાગ્રસ્ત 53 વર્ષીય હાથિણ ‘જોયમોતી’ને એરલિફ્ટ કરી વનતારા લવાઈ
    2 days ago
    બ્રિટીશ એજન્સીનો રિપોર્ટ : અલ-નીનો 100 વર્ષનું સૌથી ભયંકર, 2027માં ગરમી ભૂક્કા બોલાવશે
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    5 days ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    1 week ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    3 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    3 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    3 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    4 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    1 month ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    1 month ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 month ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: દશેરાએ 25 હજારથી વધુ પ્રતિનિધિ કરશે દિવ્ય શસ્ત્રપૂજન
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > દશેરાએ 25 હજારથી વધુ પ્રતિનિધિ કરશે દિવ્ય શસ્ત્રપૂજન
ગુજરાત

દશેરાએ 25 હજારથી વધુ પ્રતિનિધિ કરશે દિવ્ય શસ્ત્રપૂજન

Khaskhabar Editor
Last updated: 2022/10/03 at 6:22 PM
Khaskhabar Editor 4 years ago
Share
6 Min Read
SHARE

સમસ્ત રાજપૂત સમાજના શ્રદ્ધાના કેન્દ્રસમાન ભવાનીધામમાં ઈતિહાસ રચાશે

પદ્મશ્રી જોરાવરસિંહ જાદવનું વિશિષ્ટ સન્માન: સુપ્રસિદ્ધ કલાકાર રાજભા ગઢવી ઉજાગર કરશે રાજપૂતોનો ગૌરવવંતો ઈતિહાસ

- Advertisement -

ખાસ-ખબર સંવાદદાતા
સમસ્ત રાજપૂત સમાજને એકતાંતણે બાંધવાના દિવ્ય અભિગમ સાથે સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના વસ્તડી મુકામે નિર્માણ પામનાર ભવ્ય શ્રી ભવાનીધામની પાવન જગ્યાના સાંનિધ્યમાં આગામી તા. 5 ને બુધવારે સાંજે 4-00 કલાકે ગુજરાત રાજ્યના ઈતિહાસમાં પ્રથમ વખત સમગ્ર રાજપૂત સમાજના 25 હજારથી વધુ પ્રતિનિધિઓ એક જ સમયે, એક સાથે અને એક સ્થળ ઉપર શસ્ત્રપૂજન થકી નવો જ ઈતિહાસ રચશે. આ ભવ્ય શસ્ત્રપૂજન સમારોહના અધ્યક્ષસ્થાને પૂર્વ રાજ્યપાલ કર્ણાટક વજુભાઈ વાળા રહેશે. આ અવસરે પદ્મશ્રી જોરાવરસિંહ જાદવનું વિશિષ્ટ સન્માન કરવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ જાજરમાન કાર્યક્રમમાં પધારવા પ્રમુખ કિશોરસિંહ ચૌહાણ દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

સમસ્ત દેશભરમાં શૌર્યનું પ્રતિક અને મા ભવાનીના આશીર્વાદ સાથે ઉજવણી થતો તહેવાર વિજયાદશમીના પાવન અવસરે આ દેશના રજવાડાની અને ગૌ બ્રાહ્મણ અને સંસ્કૃતિના રખેવાળ તરીકે રાજપૂતો દ્વારા પોતાના પ્રાણની આહુતી આપનાર તરીકેની ઓળખ ઉભી કરતો ઈતિહાસ ખૂબ પ્રચલિત અને સ્મરણીય છે. સમગ્ર દેશ જ્યારે મોગલો અંગ્રેજોની ગુલામીમાં હતો ત્યારે રાજપૂતોએ રાષ્ટ્રધર્મની રખેવાળી કરવા માટે કેસરીયા કર્યા હોય એવા અનેક ઉદાહરણો સમગ્ર ભારતવર્ષના ખૂણે-ખૂણે જોવા મળે છે. ગૌમાતાની રક્ષા કાજે અનેક લોકો શહિદ થયા. બહેનોની સુરક્ષા માટે રાજપૂતો જ આગળ આવ્યા હતા અને તેવા શૂરવીરોના પાળીયા પણ ગામેગામ પૂજાય છે.

વજૂભાઈ વાળાની સીધી જ દેખરેખ હેઠળ તડામાર તૈયારીઓ

- Advertisement -

30 એકરનું વિશાળ પાર્કિંગ
નેશનલ હાઈવે-8 ઉપર સાયલાથી લીંબડી વચ્ચે હોટલ દર્શન નજીક 30 એકર જગ્યા ઉપર વિશાળ પાર્કીંગ વ્યવસ્થા થઈ રહી છે. આ શસ્ત્રપૂજનના સમારોહના કાર્યક્રમને સફળ બનાવવા માટે ભવાનીધામ ખાતે આવનારા દરેક પ્રતિનિધિઓ પોતાના વાહનનું સુવ્યવસ્થિત પાર્કીંગ કરે તેવો અનુરોધ સ્વયંસેવકોની ટીમ દ્વારા કરાયેલ છે તેમ તેજસભાઈ ભટ્ટી ક્ધવીનર અને કોર્ડીનેટર શ્રી ભવાનીધામ પ્રતિષ્ઠાનની યાદીમાં જણાવાયું છે.

સમસ્ત રાજપૂત સમાજનું માઁ ભવાનીધામનું સ્વપ્ન સાકાર થવા તરફ

32 એકર જગ્યા ઉપર નિર્માણ પામનાર દિવ્ય-ભવ્ય માઁ ભવાનીના મંદિરની પાવન ભૂમિ ઉપર પ્રથમ કાર્યક્રમ

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી દ્વારા લખાયેલા ઈતિહાસના પુસ્તકોમાં પણ રાજપૂતોની આ શૌર્ય ગાથાઓ વિશ્ર્વભરમાં ફેલાયેલ છે. સમસ્ત રાજપૂત સમાજની શૌર્ય અને વીરતાને સંગઠીત શક્તિરૂપે એકતાંતણે બાંધવાના પ્રયત્નોને સાકાર કરવા માટે છેલ્લાં 20 વર્ષથી સમસ્ત રાજપૂત સમાજને એકતાંતણે જોડવાનો સંકલ્પ કરાવનારા સ્વ. નારશીભાઈ પઢીયાર અને માનનીય વજુભાઈ વાળાના પ્રયાસોને પૂર્ણ કરવા માટે સન્માનનીય વડીલો, શ્રેષ્ઠીઓ અને યુવાનો દ્વારા ભગીરથ પ્રયાસના ભાગરૂપે 25,000 જેટલા પ્રતિનિધિઓ શ્રી ભવાની ધામ ખાતે એકત્ર થઈ સમગ્ર ગુજરાતના ઈતિહાસમાં પ્રથમવાર ભવ્ય શસ્ત્રપૂજન સમારોહ કરવા કટિબદ્ધ બન્યા છે. તમામ રાજપૂતો પોતાની તલવાર અને સાફા સાથે પૂજન કરવા આવનારા છે તે આ પૂજનની વિશેષતા રહેશે.

ગુજરાતના ઈતિહાસમાં પ્રથમ વખત વિરાટ સ્વરૂપે શસ્ત્રપૂજન કરવા રાજપૂત સમાજ એકત્રિત થનાર છે જેમાં 24 જિલ્લાઓના 123 તાલુકાઓમાંથી 10655 ગામના પ્રતિનિધિઓ આ કાર્યક્રમમાં જોડાશે.
કચ્છથી લઈ વલસાડ સુધીના તથા વાવ (થરાદ)થી લઈ ઉના, પોરબંદર સુધીના વિસ્તારોમાં શ્રી ભવાનીધામના વડીલો, યુવાનોની વાયુવેગી ટીમ સર્વ રૈયાભાઈ રાઠોડ, માવજીભાઈ ડોડીયા, દિપસંગભાઈ ડોડીયા, વિક્રમસિંહ પરમાર, તેજસભાઈ ભટ્ટી દ્વારા ગુજરાતના દરેક જિલ્લામાં જઈ રાજપૂત સમાજને કાર્યક્રમમાં જોડવા માટે પ્રયત્નો કરી રહેલ છે. અંદાજે 32 એકર જગ્યા ઉપર બનનારા મા ભવાનીના મંદિર સ્થળ ઉપર આ સમૂહ શસ્ત્રપૂજનનો વિરાટ કાર્યક્રમ નેશનલ હાઈવે નં. 8, ગામ વસ્તડી, તા. વઢવાણ, જિ. સુરેન્દ્રનગર ખાતે આયોજિત કરેલ છે.

લગભગ છેલ્લાં 20 દિવસથી 2100 સ્વયંસેવકોની ટીમો આ વ્યવસ્થા સંભાળે છે અને આયોજન માટે વિવિધ કમિટિના સભ્યશ્રીઓ વિક્રમસિંહ પરમાર, રૈયાભાઈ રાઠોડ, એડવોકેટ મહિપતસિંહ ચૌહાણ, અનીરુદ્ધસિંહ પઢીયાર, અજયસિંહ મસાણી, મહેશભાઈ રાઠોડ, નવલસિંહ ગોહિલ, ઘનશ્યામસિંહ મસાણી, વનરાજસિંહ પરમાર, અરવિંદસિંહ જાદવ, લક્ષ્મણભાઈ ચાવડા, ગણેશભાઈ ગોહિલ, ભરતસિંહ રાઠોડ, જયેશભાઈ ચાવડા, વજુભાઈ મુખી, મનુભા ચૌહાણ, ઘનશ્યામસિંહ ધનરાજસિંહ વાઘેલા, જીતેન્દ્રસિંહ મોરી સહિતની ટીમો 24 કલાક કાર્યરત છે તેમ પ્રમુખ કિશોરસિંહ ચૌહાણની યાદીમાં જણાવેલ છે.

મંદિરની ડીઝાઈન ઇઅઙજ મંદિરના પ્રખ્યાત આર્કિટેક્ બનાવશે
સમસ્ત રાજપૂત સમાજની શાન અને શ્રદ્ધાના કેન્દ્ર સમાન મા ભવાનીમાતાના મંદિરની ડીઝાઈન દુબઈમાં વિખ્યાત બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના મંદિરની ડીઝાઈન બનાવનાર આર્કિટેક દ્વારા બનાવવામાં આવનાર છે. મા ભવાનીધામ માત્ર સૌરાષ્ટ્ર-ગુજરાત જ નહીં સમગ્ર ભારતના દર્શનાર્થીઓ માટે દર્શનીય સ્થળ બની રહેશે. મા ભવાનીધામના ભવ્ય ધામની સાથે કુદરતી તળાવનું પણ નિર્માણ થશે. કુદરતી પ્રકૃતિથી ભરપૂર આ ભવાનીધામને બેનમૂન અને જાજરમાન બનાવવા ટેકનોલોજી અને પરંપરાનો સુભગ સમન્વય સાધવામાં આવનાર છે.

ભવાનીધામના સ્વપ્નદ્રષ્ટા વજુબાપાની સીધી દેખરેખ
વસ્તડી ખાતે 32 એકર જમીનમાં નિર્માણ પામનાર મા-ભવાનીધામના પાયોનિયર એવા શ્રી વજુભાઈ વાળા આ ભવ્ય અને ઈતિહાસવંત શસ્ત્રપૂજનના કાર્યક્રમ ઉપર સતત સીધી જ દેખરેખ રાખી રહ્યા છે. સ્થળ ઉપર જઈને નાની-મોટી તમામ બાબતોમાં જાતે જ માર્ગદર્શન આપી રહ્યા છે અને તડામાર તૈયારીઓની સતત સમીક્ષા પણ કરી રહ્યા છે.

શિક્ષણધામનું પણ થશે નિર્માણ
શસ્ત્રપૂજન સાથે મા ભવાનીધામની પાવન જગ્યાનો સમસ્ત રાજપૂત સમાજને પરિચય કરાવ્યા બાદ ટૂંક સમયમાં આ પાવનકારી સ્થળના નિર્માણનું કાર્ય પણ શરૂ કરવામાં આવનાર છે. મા ભવાનીધામના દિવ્ય નિર્માણ બાદ આ જગ્યામાં આઈ.એ.એસ.-આઈ.પી.એસ. સહિત તમામ સ્પર્ધાત્મક પરીક્ષાનું માર્ગદર્શન અને શિક્ષણ આપતાં કોચીંગ સેન્ટરનું પણ નિર્માણ કરવામાં આવનાર છે જેમાં રાજપૂત સમાજ જ નહીં તમામ સમાજના તેજસ્વી બાળકોને પ્રવેશ આપવામાં આવશે. આ શિક્ષણધામમાં માર્ગદર્શનની સાથોસાથ રહેવા-જમવાની સુવિધા પણ આપવાનું ભવિષ્યનું આયોજન છે.

 

You Might Also Like

સુરતની ફિશ માર્કેટને ‘નરેન્દ્ર મોદી’નું નામ અપાતાં વિવાદ

ધારાસભ્ય રમેશ ટીલારા દ્વારા 29મીએ વિનામૂલ્યે મેગા સર્વ રોગ નિદાન કેમ્પ

લાખાજીરાજ રોડ-ધર્મેન્દ્ર રોડ પર ફરીવાર ફેરિયાઓનો ત્રાસ

રામનાથ મંદિરે ભાવિકોને અગવડ ન પડે તે માટે 1000 ફૂટની ગ્રીલ ફીટ કરાઇ

રાજકોટ જિલ્લા પંચાયતની કારોબારી સમિતિએ રૂ.39.63 કરોડના ખર્ચે 43 કામને મંજૂરી આપી

TAGGED: dussera, mabhavanitemple, rajputsamaj
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article બેટ દ્વારકામાં મેગા ડીમોલેશન: અધિકારીઓને 3 દિવસ સુધી સ્ટેન્ડ ટુ રહેવા માટે આદેશ
Next Article શિક્ષણ સમિતિમાં ભયંકર વર્ક-કરપ્શન: વિદ્યાર્થીઓનાં હિતને દાવ પર લગાડી અભ્યાસનો સમય કપાઈ રહ્યો છે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
આંતરરાષ્ટ્રીય

ઈટાલીમાં વાવાઝોડાના લીધે તબાહી, એરપોર્ટની છત ઊડી

Khaskhabar Editor Khaskhabar Editor 4 hours ago
સુરતની ફિશ માર્કેટને ‘નરેન્દ્ર મોદી’નું નામ અપાતાં વિવાદ
ધારાસભ્ય રમેશ ટીલારા દ્વારા 29મીએ વિનામૂલ્યે મેગા સર્વ રોગ નિદાન કેમ્પ
લાખાજીરાજ રોડ-ધર્મેન્દ્ર રોડ પર ફરીવાર ફેરિયાઓનો ત્રાસ
રામનાથ મંદિરે ભાવિકોને અગવડ ન પડે તે માટે 1000 ફૂટની ગ્રીલ ફીટ કરાઇ
મહારાષ્ટ્રનાં અમરાવતીમાં હોસ્પિટલના ચાઈલ્ડ યુનિટમાં આગ: 3 નવજાત શિશુનાં મોત
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

ગુજરાત

સુરતની ફિશ માર્કેટને ‘નરેન્દ્ર મોદી’નું નામ અપાતાં વિવાદ

Khaskhabar Editor Khaskhabar Editor 4 hours ago
રાજકોટ

ધારાસભ્ય રમેશ ટીલારા દ્વારા 29મીએ વિનામૂલ્યે મેગા સર્વ રોગ નિદાન કેમ્પ

Khaskhabar Editor Khaskhabar Editor 4 hours ago
રાજકોટ

લાખાજીરાજ રોડ-ધર્મેન્દ્ર રોડ પર ફરીવાર ફેરિયાઓનો ત્રાસ

Khaskhabar Editor Khaskhabar Editor 4 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?