By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    યુદ્ધવિરામ વચ્ચે ઈઝરાયલનો ગાઝા પર હુમલો 27નાં મોત, હમાસના ઠેકાણાઓ નિશાન પર
    9 hours ago
    દિલ્હી બ્લાસ્ટમાં પાકિસ્તાનનો હાથ, PoK વિધાનસભામાં પૂર્વ વડાપ્રધાન ચૌધરી અનવર-ઉલ-હકનું નિવેદન
    10 hours ago
    રશિયા સાથે વેપાર કરનારા સાવધાન! ટ્રમ્પ 500% ટેરિફનો કાયદો લાવવાની જાહેરાત કરી શકે
    1 day ago
    જયશંકર પુતિનને મળ્યા, SCO સમિટમાં આતંકવાદ પર ઝીરો ટોલરન્સની હાકલ કરી
    1 day ago
    પાકિસ્તાની છોકરીઓને ચીનમાં દુલ્હન તરીકેની હરાજી કરવામાં આવે છે
    1 day ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    જંક ફુડનું વેચાણ 40% વધ્યું બાળકોમાં મેદસ્વીતા ‘ડબલ’ થઈ
    9 hours ago
    ઈલોન મસ્ક 6 મહિનામાં જ ટ્રમ્પ કૅમ્પમાં પાછા ફર્યા
    9 hours ago
    SIRએ હિજરત શરૂ કરી, બાંગ્લાદેશી વસાહતીઓની બંગાળમાં બોર્ડર ચેકપોસ્ટ પર ભીડ
    10 hours ago
    EDની તપાસમાં નકલી માન્યતા દાવાઓ પર રચાયેલ રૂ. 415-કરોડ અલ-ફલાહ યુનિવર્સિટી કૌભાંડનો પર્દાફાશ થયો
    11 hours ago
    બિલ પર કાર્યવાહી કરવા રાષ્ટ્રપતિ અને રાજ્યપાલો પર સમયમર્યાદા લાદી નહીં શકાય: સુપ્રીમ કોર્ટ
    11 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    વિશ્ર્વ વિજેતા ભારતીય ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌર 22 નવેમ્બરે રાજકોટ આવશે
    2 days ago
    IPL 2026: રાજસ્થાન રોયલ્સે જાડેજા અને કુરાનની જગ્યાએ સંજુ સેમસનને ચેન્નાઈ સુપર કિંગ્સ સાથે સોદો કર્યો
    6 days ago
    ભારત સામે આફ્રિકાની ખરાબ હાલત
    6 days ago
    BCCIની કોહલી અને રોહિતને કડક સૂચના: ભારત માટે રમવું હોય તો ઘરેલું ક્રિકેટ ફરજિયાત
    1 week ago
    હોમકમિંગ? જાડેજાની પહેલી લવ સ્ટોરી: રાજસ્થાન રોયલ્સ!
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    252-કરોડ MD ડ્રગ્સ કેસમાં ઓરીને મુંબઈ પોલીસે સમન્સ પાઠવ્યું
    11 hours ago
    ગિરિજા ઓક, વાયરલ બ્લુ-સાડી વુમન જે ઈન્ટરનેટની નવી ક્રશ બની
    1 day ago
    સિંગર હ્યૂમન સાગરે 34 વર્ષની વયે દુનિયાને અલવિદા કહ્યું
    2 days ago
    દુબઈમાં રૂ.4000 કરોડનો શાહરુખ ખાનના નામ પર બનશે ટાવર
    5 days ago
    ડીપફેક શોષિત સેલેબ્સની લિસ્ટમાં શાહરૂખ ખાન ટોપ પર
    6 days ago
  • ધર્મ
    ધર્મShow More
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    3 weeks ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    1 month ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    1 month ago
    લક્ષ્મી પૂજનના દિવસે મહાલક્ષ્મી માતાજીનું અલૌકિક સ્વરૂપ: રાજાશાહી આભૂષણોમાં દર્શન
    1 month ago
    આજે ધનતેરસ સાંજે કરો આ ઉપાય, ક્યારેય ધનની કમી નહિ થાય
    1 month ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    1 week ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    3 weeks ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    3 weeks ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    3 weeks ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: દશેરાએ 25 હજારથી વધુ પ્રતિનિધિ કરશે દિવ્ય શસ્ત્રપૂજન
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > દશેરાએ 25 હજારથી વધુ પ્રતિનિધિ કરશે દિવ્ય શસ્ત્રપૂજન
ગુજરાત

દશેરાએ 25 હજારથી વધુ પ્રતિનિધિ કરશે દિવ્ય શસ્ત્રપૂજન

Khaskhabar Editor
Last updated: 2022/10/03 at 6:22 PM
Khaskhabar Editor 3 years ago
Share
6 Min Read
SHARE

સમસ્ત રાજપૂત સમાજના શ્રદ્ધાના કેન્દ્રસમાન ભવાનીધામમાં ઈતિહાસ રચાશે

પદ્મશ્રી જોરાવરસિંહ જાદવનું વિશિષ્ટ સન્માન: સુપ્રસિદ્ધ કલાકાર રાજભા ગઢવી ઉજાગર કરશે રાજપૂતોનો ગૌરવવંતો ઈતિહાસ

- Advertisement -

ખાસ-ખબર સંવાદદાતા
સમસ્ત રાજપૂત સમાજને એકતાંતણે બાંધવાના દિવ્ય અભિગમ સાથે સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના વસ્તડી મુકામે નિર્માણ પામનાર ભવ્ય શ્રી ભવાનીધામની પાવન જગ્યાના સાંનિધ્યમાં આગામી તા. 5 ને બુધવારે સાંજે 4-00 કલાકે ગુજરાત રાજ્યના ઈતિહાસમાં પ્રથમ વખત સમગ્ર રાજપૂત સમાજના 25 હજારથી વધુ પ્રતિનિધિઓ એક જ સમયે, એક સાથે અને એક સ્થળ ઉપર શસ્ત્રપૂજન થકી નવો જ ઈતિહાસ રચશે. આ ભવ્ય શસ્ત્રપૂજન સમારોહના અધ્યક્ષસ્થાને પૂર્વ રાજ્યપાલ કર્ણાટક વજુભાઈ વાળા રહેશે. આ અવસરે પદ્મશ્રી જોરાવરસિંહ જાદવનું વિશિષ્ટ સન્માન કરવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ જાજરમાન કાર્યક્રમમાં પધારવા પ્રમુખ કિશોરસિંહ ચૌહાણ દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

સમસ્ત દેશભરમાં શૌર્યનું પ્રતિક અને મા ભવાનીના આશીર્વાદ સાથે ઉજવણી થતો તહેવાર વિજયાદશમીના પાવન અવસરે આ દેશના રજવાડાની અને ગૌ બ્રાહ્મણ અને સંસ્કૃતિના રખેવાળ તરીકે રાજપૂતો દ્વારા પોતાના પ્રાણની આહુતી આપનાર તરીકેની ઓળખ ઉભી કરતો ઈતિહાસ ખૂબ પ્રચલિત અને સ્મરણીય છે. સમગ્ર દેશ જ્યારે મોગલો અંગ્રેજોની ગુલામીમાં હતો ત્યારે રાજપૂતોએ રાષ્ટ્રધર્મની રખેવાળી કરવા માટે કેસરીયા કર્યા હોય એવા અનેક ઉદાહરણો સમગ્ર ભારતવર્ષના ખૂણે-ખૂણે જોવા મળે છે. ગૌમાતાની રક્ષા કાજે અનેક લોકો શહિદ થયા. બહેનોની સુરક્ષા માટે રાજપૂતો જ આગળ આવ્યા હતા અને તેવા શૂરવીરોના પાળીયા પણ ગામેગામ પૂજાય છે.

વજૂભાઈ વાળાની સીધી જ દેખરેખ હેઠળ તડામાર તૈયારીઓ

- Advertisement -

30 એકરનું વિશાળ પાર્કિંગ
નેશનલ હાઈવે-8 ઉપર સાયલાથી લીંબડી વચ્ચે હોટલ દર્શન નજીક 30 એકર જગ્યા ઉપર વિશાળ પાર્કીંગ વ્યવસ્થા થઈ રહી છે. આ શસ્ત્રપૂજનના સમારોહના કાર્યક્રમને સફળ બનાવવા માટે ભવાનીધામ ખાતે આવનારા દરેક પ્રતિનિધિઓ પોતાના વાહનનું સુવ્યવસ્થિત પાર્કીંગ કરે તેવો અનુરોધ સ્વયંસેવકોની ટીમ દ્વારા કરાયેલ છે તેમ તેજસભાઈ ભટ્ટી ક્ધવીનર અને કોર્ડીનેટર શ્રી ભવાનીધામ પ્રતિષ્ઠાનની યાદીમાં જણાવાયું છે.

સમસ્ત રાજપૂત સમાજનું માઁ ભવાનીધામનું સ્વપ્ન સાકાર થવા તરફ

32 એકર જગ્યા ઉપર નિર્માણ પામનાર દિવ્ય-ભવ્ય માઁ ભવાનીના મંદિરની પાવન ભૂમિ ઉપર પ્રથમ કાર્યક્રમ

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી દ્વારા લખાયેલા ઈતિહાસના પુસ્તકોમાં પણ રાજપૂતોની આ શૌર્ય ગાથાઓ વિશ્ર્વભરમાં ફેલાયેલ છે. સમસ્ત રાજપૂત સમાજની શૌર્ય અને વીરતાને સંગઠીત શક્તિરૂપે એકતાંતણે બાંધવાના પ્રયત્નોને સાકાર કરવા માટે છેલ્લાં 20 વર્ષથી સમસ્ત રાજપૂત સમાજને એકતાંતણે જોડવાનો સંકલ્પ કરાવનારા સ્વ. નારશીભાઈ પઢીયાર અને માનનીય વજુભાઈ વાળાના પ્રયાસોને પૂર્ણ કરવા માટે સન્માનનીય વડીલો, શ્રેષ્ઠીઓ અને યુવાનો દ્વારા ભગીરથ પ્રયાસના ભાગરૂપે 25,000 જેટલા પ્રતિનિધિઓ શ્રી ભવાની ધામ ખાતે એકત્ર થઈ સમગ્ર ગુજરાતના ઈતિહાસમાં પ્રથમવાર ભવ્ય શસ્ત્રપૂજન સમારોહ કરવા કટિબદ્ધ બન્યા છે. તમામ રાજપૂતો પોતાની તલવાર અને સાફા સાથે પૂજન કરવા આવનારા છે તે આ પૂજનની વિશેષતા રહેશે.

ગુજરાતના ઈતિહાસમાં પ્રથમ વખત વિરાટ સ્વરૂપે શસ્ત્રપૂજન કરવા રાજપૂત સમાજ એકત્રિત થનાર છે જેમાં 24 જિલ્લાઓના 123 તાલુકાઓમાંથી 10655 ગામના પ્રતિનિધિઓ આ કાર્યક્રમમાં જોડાશે.
કચ્છથી લઈ વલસાડ સુધીના તથા વાવ (થરાદ)થી લઈ ઉના, પોરબંદર સુધીના વિસ્તારોમાં શ્રી ભવાનીધામના વડીલો, યુવાનોની વાયુવેગી ટીમ સર્વ રૈયાભાઈ રાઠોડ, માવજીભાઈ ડોડીયા, દિપસંગભાઈ ડોડીયા, વિક્રમસિંહ પરમાર, તેજસભાઈ ભટ્ટી દ્વારા ગુજરાતના દરેક જિલ્લામાં જઈ રાજપૂત સમાજને કાર્યક્રમમાં જોડવા માટે પ્રયત્નો કરી રહેલ છે. અંદાજે 32 એકર જગ્યા ઉપર બનનારા મા ભવાનીના મંદિર સ્થળ ઉપર આ સમૂહ શસ્ત્રપૂજનનો વિરાટ કાર્યક્રમ નેશનલ હાઈવે નં. 8, ગામ વસ્તડી, તા. વઢવાણ, જિ. સુરેન્દ્રનગર ખાતે આયોજિત કરેલ છે.

લગભગ છેલ્લાં 20 દિવસથી 2100 સ્વયંસેવકોની ટીમો આ વ્યવસ્થા સંભાળે છે અને આયોજન માટે વિવિધ કમિટિના સભ્યશ્રીઓ વિક્રમસિંહ પરમાર, રૈયાભાઈ રાઠોડ, એડવોકેટ મહિપતસિંહ ચૌહાણ, અનીરુદ્ધસિંહ પઢીયાર, અજયસિંહ મસાણી, મહેશભાઈ રાઠોડ, નવલસિંહ ગોહિલ, ઘનશ્યામસિંહ મસાણી, વનરાજસિંહ પરમાર, અરવિંદસિંહ જાદવ, લક્ષ્મણભાઈ ચાવડા, ગણેશભાઈ ગોહિલ, ભરતસિંહ રાઠોડ, જયેશભાઈ ચાવડા, વજુભાઈ મુખી, મનુભા ચૌહાણ, ઘનશ્યામસિંહ ધનરાજસિંહ વાઘેલા, જીતેન્દ્રસિંહ મોરી સહિતની ટીમો 24 કલાક કાર્યરત છે તેમ પ્રમુખ કિશોરસિંહ ચૌહાણની યાદીમાં જણાવેલ છે.

મંદિરની ડીઝાઈન ઇઅઙજ મંદિરના પ્રખ્યાત આર્કિટેક્ બનાવશે
સમસ્ત રાજપૂત સમાજની શાન અને શ્રદ્ધાના કેન્દ્ર સમાન મા ભવાનીમાતાના મંદિરની ડીઝાઈન દુબઈમાં વિખ્યાત બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના મંદિરની ડીઝાઈન બનાવનાર આર્કિટેક દ્વારા બનાવવામાં આવનાર છે. મા ભવાનીધામ માત્ર સૌરાષ્ટ્ર-ગુજરાત જ નહીં સમગ્ર ભારતના દર્શનાર્થીઓ માટે દર્શનીય સ્થળ બની રહેશે. મા ભવાનીધામના ભવ્ય ધામની સાથે કુદરતી તળાવનું પણ નિર્માણ થશે. કુદરતી પ્રકૃતિથી ભરપૂર આ ભવાનીધામને બેનમૂન અને જાજરમાન બનાવવા ટેકનોલોજી અને પરંપરાનો સુભગ સમન્વય સાધવામાં આવનાર છે.

ભવાનીધામના સ્વપ્નદ્રષ્ટા વજુબાપાની સીધી દેખરેખ
વસ્તડી ખાતે 32 એકર જમીનમાં નિર્માણ પામનાર મા-ભવાનીધામના પાયોનિયર એવા શ્રી વજુભાઈ વાળા આ ભવ્ય અને ઈતિહાસવંત શસ્ત્રપૂજનના કાર્યક્રમ ઉપર સતત સીધી જ દેખરેખ રાખી રહ્યા છે. સ્થળ ઉપર જઈને નાની-મોટી તમામ બાબતોમાં જાતે જ માર્ગદર્શન આપી રહ્યા છે અને તડામાર તૈયારીઓની સતત સમીક્ષા પણ કરી રહ્યા છે.

શિક્ષણધામનું પણ થશે નિર્માણ
શસ્ત્રપૂજન સાથે મા ભવાનીધામની પાવન જગ્યાનો સમસ્ત રાજપૂત સમાજને પરિચય કરાવ્યા બાદ ટૂંક સમયમાં આ પાવનકારી સ્થળના નિર્માણનું કાર્ય પણ શરૂ કરવામાં આવનાર છે. મા ભવાનીધામના દિવ્ય નિર્માણ બાદ આ જગ્યામાં આઈ.એ.એસ.-આઈ.પી.એસ. સહિત તમામ સ્પર્ધાત્મક પરીક્ષાનું માર્ગદર્શન અને શિક્ષણ આપતાં કોચીંગ સેન્ટરનું પણ નિર્માણ કરવામાં આવનાર છે જેમાં રાજપૂત સમાજ જ નહીં તમામ સમાજના તેજસ્વી બાળકોને પ્રવેશ આપવામાં આવશે. આ શિક્ષણધામમાં માર્ગદર્શનની સાથોસાથ રહેવા-જમવાની સુવિધા પણ આપવાનું ભવિષ્યનું આયોજન છે.

 

You Might Also Like

સૌરાષ્ટ્રની સૌથી મોટી સિવિલમાં કરોડોના ખર્ચે બનેલી કેથ લેબને ‘અલિગઢી તાળાં’

CBSE ધોરણ 10-12ની પ્રેક્ટિકલ પરીક્ષામાં માર્ક્સ ભરવામાં ભૂલ કરશો તો સુધારો નહીં થાય!

શાળામાં સ્વામી વિવેકાનંદ વિષય પર ક્વિઝ સ્પર્ધાનું આયોજન

વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ: સૌરાષ્ટ્ર અને કચ્છમાં રોકાણને વેગ મળશે

‘વાંચનથી વિમુખ ન થાઓ’: રાજકોટમાં 3 શ્રેષ્ઠ વાંચન પ્રેમીઓનું સન્માન

TAGGED: dussera, mabhavanitemple, rajputsamaj
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article બેટ દ્વારકામાં મેગા ડીમોલેશન: અધિકારીઓને 3 દિવસ સુધી સ્ટેન્ડ ટુ રહેવા માટે આદેશ
Next Article શિક્ષણ સમિતિમાં ભયંકર વર્ક-કરપ્શન: વિદ્યાર્થીઓનાં હિતને દાવ પર લગાડી અભ્યાસનો સમય કપાઈ રહ્યો છે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

સૌરાષ્ટ્રની સૌથી મોટી સિવિલમાં કરોડોના ખર્ચે બનેલી કેથ લેબને ‘અલિગઢી તાળાં’

Khaskhabar Editor Khaskhabar Editor 9 hours ago
CBSE ધોરણ 10-12ની પ્રેક્ટિકલ પરીક્ષામાં માર્ક્સ ભરવામાં ભૂલ કરશો તો સુધારો નહીં થાય!
શાળામાં સ્વામી વિવેકાનંદ વિષય પર ક્વિઝ સ્પર્ધાનું આયોજન
વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ: સૌરાષ્ટ્ર અને કચ્છમાં રોકાણને વેગ મળશે
‘વાંચનથી વિમુખ ન થાઓ’: રાજકોટમાં 3 શ્રેષ્ઠ વાંચન પ્રેમીઓનું સન્માન
રાજુલામાં બીડી કામદાર વિસ્તારમાં ધારાસભ્ય હીરાભાઈ સોલંકીના હસ્તે 8.5 લાખ લીટરના સંપનું ખાતમુહૂર્ત કરાયું
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

સૌરાષ્ટ્રની સૌથી મોટી સિવિલમાં કરોડોના ખર્ચે બનેલી કેથ લેબને ‘અલિગઢી તાળાં’

Khaskhabar Editor Khaskhabar Editor 9 hours ago
ગુજરાત

CBSE ધોરણ 10-12ની પ્રેક્ટિકલ પરીક્ષામાં માર્ક્સ ભરવામાં ભૂલ કરશો તો સુધારો નહીં થાય!

Khaskhabar Editor Khaskhabar Editor 9 hours ago
રાજકોટ

શાળામાં સ્વામી વિવેકાનંદ વિષય પર ક્વિઝ સ્પર્ધાનું આયોજન

Khaskhabar Editor Khaskhabar Editor 9 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?