નરેન્દ્ર મોદી સરકાર જ લાવી રહી છે બિલ!
કેન્દ્રનો સંસદના શિયાળા સત્ર દરમિયાન નારકોટિક્સ ડ્રગ્સ બિલ 2021 રજૂ કરવાનો નિર્ણય
ખાસ-ખબર સંવાદદાતા
આ બિલ અંતર્ગત જોગવાઈ કરવામાં આવશે કે ઓછા પ્રમાણમાં ગાંજો, ભાંગ સહિત નશીલા પદાર્થો મળવા ગુનો નહીં માનવામાં આવે. સરકારની સલાહ છે કે આ કાયદાથી નશાની લતમાં ગયેલા લોકોને સુધરવાનો મોકો મળી શકે છે. હાલમાં જ શાહરુખ ખાનના દીકરા આર્યન ખાન સહિત અનેક લોકોની ધરપકડ બાદ આ માંગ ઉઠી હતી કે મીડિયા રિપોર્ટ મુજબ આ મામલામાં ભલામણ 10 નવેમ્બરે પ્રધાનમંત્રી કાર્યાલયમાં એક ઉચ્ચ સ્તરીય બેઠકમાં નક્કી કરવામાં આવી હતી.
- ગાંજો, ભાંગ સહિત નશીલા પદાર્થો મળવા ગુનો નહીં માનવામાં આવે !!
- ગાંજો, ભાંગ સહિત નશીલા પદાર્થો મળવા ગુનો નહીં માનવામાં આવે.
- બેઠકમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો ઉપરાંત અનેક મંત્રાલયના અધિકારી સામેલ થશે.
- 1985ના કાયદાની કલમ 15,17,18, 20, 21 અને 22માં સંશોધન કરવામાં આવશે.
નાર્કો એક્ટમાં ફેરફારથી શું થશે?
સરકારી સૂત્રોના જણાવ્યાનુંસાર નાર્કો બિલમાં કોઈ પણ વ્યક્તિના ડ્રગ્સ રાખવા, ખાનગી રીતે ઉપભોગ કરવા અને વેચવામાં અંતર રાખવામાં આવશે. જેને વેચવુ ગુનો માનવામાં આવશે. પરંતુ બહુ ઓછી માત્રામાં રાખવા અને ખાનગી ઉપભોગને ગુનાના દાયરામાંથી બહાર રાખવામાં આવશે. સ્વાસ્થ્ય મંત્રાલયના વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે ડ્ર્ગ્સને ગુનો ન માનવામાં આવે. એક આવી જ તર્ક સંગત ડ્રગ્સ નીતિ તરફ વધવામાં મહત્વપૂર્ણ પગલુ છે. જે વિજ્ઞાન અને જન સ્વાસ્થ્યને દંડ અને કેદની પહેલા રાખે છે.