વેરાવળમાં આવેલ જલારામ મંદિરે પૂ.જલારામ બાપાને 351 કીલો કેસર કેરીનો આંબા મનોરથ કરવામાં આવ્યો હતો. આ મનોરથના દર્શન કરી જલારામ ભક્તો ભાવવિભોર બની ગયા હતા. ગુરૂવાર હોવાથી રાત્રીના મોટી સંખ્યામાં ભાવિકોની ઉપસ્થિતિમાં ધૂન-ભજનની રમઝટ બોલાવી મહાઆરતી કરવામાં આવી હતી. દર વર્ષે ભીમ અગિયારસ પર્વે કેસર કેરીઓ મંદિર-હવેલી સહિતના ધાર્મિક સ્થાનોએ ધરવા તથા એકબીજા સંબંધીઓને આપવાનું માહાત્મ્ય લોકોમાં વર્ષોથી છે. ત્યારે દર વર્ષે ભીમ અગિયારસની નજીકના દિવસોમાં વેરાવળમાં મોટી શાકમાર્કેટ પાસે આવેલ જલારામ મંદિરએ પણ અલોકિક આંબા મનોરથનું આયોજન કરાય છે. જે મુજબ આજે સવારે મંદિરે પૂ.જલારામ બાપાના ચરણોમાં વિશ્વમાં પ્રખ્યાત એવી ગીરની 351 કીલો કેસર કેરી ધરી આંબા મનોરથ કરવામાં આવેલ હતો. ત્યારબાદ મનોરથમાં ધરાયેલ 351 કીલો જેટલી કેરીઓ બાપાના ચરણો અને પરીસરમાં સુવ્યવસ્થિત રીતે સજાવટ સાથે ગોઠવીને પાંચેક કલાકની મહેનત બાદ અલોકિક શણગાર કરવામાં આવેલ હતો. બાદમાં સાંજે ચાર થી રાત્રીના દસ વાગ્યા સુધી આંબા મનોરથ શણગારના દર્શન ભક્તો માટે ખુલ્લા મુકવામાં આવેલ હતા. આ અલોકિક શણગારના દર્શન કરી જલાબાપાના ભકતો ઘન્યતા પ્રાપ્ત કરી ભાવવિભોર બન્યા હતા.
બાદ રાત્રીના મંદિર ખાતે ધુન- ભજનની રમઝટ બોલાવ્યા બાદ મોટી સંખ્યામાં ઉપસ્થિત જલાભક્તોની હાજરીમાં મહાઆરતી કરવામાં આવી હતી. આજે મનોરથમાં ધરાયેલ 351 કિલો કેરી આવતીકાલે પ્રસાદીરૂપે જલા ભક્તોને આપવામાં આવશે તેવું મંદિરના સેવકો પાસેથી જાણવા મળેલ છે. આ અંબા મનોરથમાં સવારથી સ્વયંસેવકોએ મંદિરની સજાવટ કરવાથી લઈને કેરીઓને સુંદર રીતે ગોઠવવામાં સેવા આપી હતી.વેરાવળમાં આવેલ જલારામ મંદિરે પૂ.જલારામ બાપાને 351 કીલો કેસર કેરીનો આંબા મનોરથ કરવામાં આવ્યો હતો. આ મનોરથના દર્શન કરી જલારામ ભક્તો ભાવવિભોર બની ગયા હતા. ગુરૂવાર હોવાથી રાત્રીના મોટી સંખ્યામાં ભાવિકોની ઉપસ્થિતિમાં ધૂન-ભજનની રમઝટ બોલાવી મહાઆરતી કરવામાં આવી હતી. દર વર્ષે ભીમ અગિયારસ પર્વે કેસર કેરીઓ મંદિર-હવેલી સહિતના ધાર્મિક સ્થાનોએ ધરવા તથા એકબીજા સંબંધીઓને આપવાનું માહાત્મ્ય લોકોમાં વર્ષોથી છે. ત્યારે દર વર્ષે ભીમ અગિયારસની નજીકના દિવસોમાં વેરાવળમાં મોટી શાકમાર્કેટ પાસે આવેલ જલારામ મંદિરએ પણ અલોકિક આંબા મનોરથનું આયોજન કરાય છે. જે મુજબ આજે સવારે મંદિરે પૂ.જલારામ બાપાના ચરણોમાં વિશ્વમાં પ્રખ્યાત એવી ગીરની 351 કીલો કેસર કેરી ધરી આંબા મનોરથ કરવામાં આવેલ હતો. ત્યારબાદ મનોરથમાં ધરાયેલ 351 કીલો જેટલી કેરીઓ બાપાના ચરણો અને પરીસરમાં સુવ્યવસ્થિત રીતે સજાવટ સાથે ગોઠવીને પાંચેક કલાકની મહેનત બાદ અલોકિક શણગાર કરવામાં આવેલ હતો. બાદમાં સાંજે ચાર થી રાત્રીના દસ વાગ્યા સુધી આંબા મનોરથ શણગારના દર્શન ભક્તો માટે ખુલ્લા મુકવામાં આવેલ હતા. આ અલોકિક શણગારના દર્શન કરી જલાબાપાના ભકતો ઘન્યતા પ્રાપ્ત કરી ભાવવિભોર બન્યા હતા.
- Advertisement -
બાદ રાત્રીના મંદિર ખાતે ધુન- ભજનની રમઝટ બોલાવ્યા બાદ મોટી સંખ્યામાં ઉપસ્થિત જલાભક્તોની હાજરીમાં મહાઆરતી કરવામાં આવી હતી. આજે મનોરથમાં ધરાયેલ 351 કિલો કેરી આવતીકાલે પ્રસાદીરૂપે જલા ભક્તોને આપવામાં આવશે તેવું મંદિરના સેવકો પાસેથી જાણવા મળેલ છે. આ અંબા મનોરથમાં સવારથી સ્વયંસેવકોએ મંદિરની સજાવટ કરવાથી લઈને કેરીઓને સુંદર રીતે ગોઠવવામાં સેવા આપી હતી.