By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ચીને ઘાતક હથિયાર તૈયાર કર્યું, ભારત માટે પણ ખતરો! S-400 અને AWACS પણ ફેલ થશે…
    3 hours ago
    કોણ કરી રહ્યું છે વિજ્ઞાનીઓનો શિકાર? અમેરિકા-ચીનના 20 એક્સપર્ટ ગાયબ કે મૃત, દુનિયામાં ફફડાટ
    2 days ago
    હોર્મુઝ સંકટ વચ્ચે નવો ટ્વીસ્ટ! ઓઇલના ભાવ ઘટાડવા હાથ મિલાવશે ટ્રમ્પ-પુતિન? G20 સમિટ પર દુનિયાની નજર
    2 days ago
    ઈસ્લામાબાદમાં વાટાઘાટોની શક્યતા વચ્ચે સમુદ્રમાં યુદ્ધ જેવી સ્થિતિ! અમેરિકાએ ફરી ઈરાનની દુખતી નસ દબાવી
    2 days ago
    ભારતને ‘નર્ક’ ગણાવનારા ટ્રમ્પને ઈરાનનો જડબાતોડ જવાબ, શેર કર્યો મહારાષ્ટ્રનો શાનદાર VIDEO
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ટોક્સિક વાતાવારણને કારણે…: રાતોરાત લાખો ફોલોઅર્સ ગુમાવ્યા બાદ રાઘવ ચઢ્ઢાનું ‘Gen Z’ ડેમેજ કંટ્રોલ
    3 hours ago
    ભારતમાં ગરમીના તમામ રેકોર્ડ તૂટશે! વિજ્ઞાનીઓએ આપી ‘ગોડઝિલા અલ-નીનો’ની ચેતવણી
    4 hours ago
    કોહલીના ‘ડ્રોપ કેચ’થી ગુજરાતની દશા બગડી: બેંગ્લોર પાંચ વિકેટે જીત સાથે પોઇન્ટ ટેબલમાં બીજા ક્રમે
    2 days ago
    અરવિંદ કેજરીવાલ દિલ્હીના ‘રહેમાન ડકૈત’: ભાજપનો આક્ષેપ
    2 days ago
    મણિપુર ફરી ભડકે બળ્યું: નાગા-કુકી જૂથો વચ્ચે ગોળીબાર, 3 લોકોનાં મોત: ઘરોમાં આગચંપી
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    કોલકાતાએ IPL 2026ની પહેલી સુપર ઓવર જીતી: નારાયણે લખનઉને એક રન જ બનાવવા દીધો
    60 minutes ago
    ‘મારું નામ રિંકુ જ રહેવા દો…’, KKRના ‘સંકટમોચક’ સ્ટાર બેટરનું દિલ જીતનારું નિવેદન વાઈરલ
    4 hours ago
    MI vs CSK ની મેચમાં ઝઘડો! બે સ્ટાર ખેલાડી વચ્ચે તુ..તુ..મેં..મેં.., સૂર્યકુમાર પણ ભડક્યો
    3 days ago
    લખનઉનો હારનો સિલસિલો યથાવત : લૉ- સ્કોરિંગ મેચમાં રાજસ્થાને 40 રને હરાવ્યું
    4 days ago
    ચાલુ IPLમાં સ્ટાર બોલર પર તૂટ્યો દુ:ખનો પહાડ, માતાના અંતિમ સંસ્કાર કરી ટીમમાં પરત ફર્યો
    4 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    બોક્સ ઓફિસ પર હોલિવૂડ ફિલ્મ ‘માઈકલ’નો ‘મૂનવોક’! ઓપનહાઈમરનો રેકોર્ડ તોડ્યો, જાણો કમાણીના આંકડા
    4 hours ago
    102 કરોડનું સોનું, 30 દુબઈ ટ્રિપ્સ અને IPS પિતા… સ્મગલિંગ કેસમાં એક વર્ષ બાદ જેલની બહાર આવશે અભિનેત્રી રાન્યા રાવ
    4 days ago
    સલમાનની માતૃભૂમિ ફિલ્મને હજુ સંરક્ષણ મંત્રાલયની મંજૂરી બાકી
    2 weeks ago
    ‘ધુરંધર’એ રચ્યો વધુ એક ઈતિહાસ, 3000 કરોડ કમાનારી ભારતની પ્રથમ ફિલ્મ ફ્રેન્ચાઈઝી બની!
    2 weeks ago
    ‘ધૂરંધર 2’નો બોક્સ ઓફિસ પર ધમાકો: એક જ ભાષામાં 1000 કરોડ પાર કરનાર પહેલી ફિલ્મ બની…
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    5 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    5 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    6 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    6 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    6 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    6 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    6 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    6 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    6 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    6 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: હાલના તબક્કે દાંપત્ય જીવનમાં સમજણ-સહનશક્તિનો અભાવ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > હાલના તબક્કે દાંપત્ય જીવનમાં સમજણ-સહનશક્તિનો અભાવ
રાષ્ટ્રીય

હાલના તબક્કે દાંપત્ય જીવનમાં સમજણ-સહનશક્તિનો અભાવ

Khaskhabar Editor
Last updated: 2025/05/21 at 4:33 PM
Khaskhabar Editor 11 months ago
Share
5 Min Read
SHARE

માત્ર 8થી 10% કેસમાં જ સમાધાન શક્ય બને છે : 2023ની તુલનામાં 2024માં કેસમાં આશ્ર્ચર્યજનક ત્રણ ગણો વધારો…

રાજકોટમાં 5 વર્ષમાં 2100થી વધુ છૂટાછેડાના કેસ નોંધાયા: ચાલું વર્ષે 15 મે સુધીમાં 1,000 કેસ પેન્ડિંગ

- Advertisement -

છૂટાછેડા માટે મોબાઈલ-સો.મીડિયા પણ જવાબદાર

ગ્રામ્ય વિસ્તારમાં છૂટાછેડાનું પ્રમાણ શહેરી વિસ્તાર કરતા ઓછું

માનવ જીવનમાં એક માત્ર લગ્ન જીવન જ એવો સંબંધ છે જેમાં છૂટાછેડાની જોગવાઇ કાયદાકીય રીતે થઇ રહી છે. આ સિવાય અન્ય કોઇપણ સંબંધમાં છૂટાછેડાનું વિચારી પણ ન શકાય તેવી પ્રાણાલી રહેલી છે. તાજેતરમાં જ અલાહાબાદ હાઇકોર્ટે એક પરિવારના છૂટાછેડા કેસમાં એવી ટિપ્પણી કરી હતી કે, લગ્ન સંબંધો હવે લાંબો સમય ટકતા નથી. આવી જ સ્થિતિ ગુજરાતમાં સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટમાં પણ જોવા મળી રહી છે. કારણ કે, અહીંયા પણ છેલ્લા 5 વર્ષથી છૂટાછેડાના કેસમાં ઉતરોતર સતત વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા 5 વર્ષમાં 2100થી વધુ છૂટાછેડાના કેસ નોંધાયા છે.
આ બધા પાછળ મુખ્યત્વે સમજણ અને સહનશક્તિનો અભાવ, મોબાઈલ તેમજ સોશિયલ મીડિયાનો વધુ પડતો વપરાશ મોટાભાગના કેસમાં કારણભૂત બને છે. જોકે, છૂટાછેડા કેસ દાખલ થયા પછી માત્ર 8થી 10% કેસમાં જ સમાધાન ફોર્મ્યુલા મદદરૂપ થાય છે. બાકીના તમામ કેસમાં કોઈપણ બાંધછોડ વગર માત્ર છૂટાછેડાની જીદ દામ્પત્ય જીવનને આગળ વધતું અટકાવી દે છે. જે એક મોટો ચિંતાનો વિષય માનવામાં આવે છે.

- Advertisement -

એક સમયે છૂટાછેડા શબ્દ સાંભળી લોકો અચરજ પામતા હતા, પરંતુ હવે આજના ઝડપી આધુનિક અને ટેક્નોલોજીના યુગમાં કદાચ આ શબ્દ સામાન્ય બની ગયો હોય તેવું લાગી રહ્યું છે. સંસ્કૃતિને વરેલા સૌરાષ્ટ્ર પ્રાંતના પાટનગર રાજકોટ શહેર અને જિલ્લામાં આજે છૂટાછેડાના કેસમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. છેલ્લા 5 વર્ષની વાત કરીએ તો કુલ 2102 છૂટાછેડા કેસ નોંધાયા છે અને તેમાં પણ વર્ષ 2023ની તુલનામાં વર્ષ 2024માં આશ્ચર્યજનક ત્રણ ગણો વધારો નોંધાયો છે. રાજકોટ જિલ્લામાં વર્ષ 2020માં 253 કેસ, વર્ષ 2021માં 290 કેસ, વર્ષ 2022માં 334 કેસ, વર્ષ 2023માં 314 કેસ અને વર્ષ 2024માં 907 કેસ નોંધાયા છે.

એક સમય એવો હતો કે શિક્ષણના અભાવે તેમજ અમુક ચોક્કસ જ્ઞાતિ સમાજમાં જ છૂટાછેડા કેસ નોંધાતા હતા, પરંતુ આજે તેનાથી તદ્દન વિપરીત પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને હાયર કોલિફિકેશન એટલે કે સરકારી ખાનગી નોકરીમાં ઉચ્ચ સ્તરે કામ કરતા તેમજ સુવર્ણ જ્ઞાતિના લોકોમાં છૂટાછેડાનું પ્રમાણ વધી રહ્યું છે. બીજી તરફ ગ્રામ્ય વિસ્તારમાં આજે પણ છૂટાછેડાનું પ્રમાણ શહેરી વિસ્તાર કરતા ઓછું જ જોવા મળી રહ્યું છે. એટલે કે ત્યાં હજુ પણ સમાજ અને સંસ્કૃતિ મુજબ છૂટાછેડા શબ્દ સાંભળી લોકો અચરજ પામે છે.

રાજકોટ શહેરમાં છેલ્લા 23 વર્ષથી પ્રેક્ટિસ કરતા સિનિયર એડવોકેટ અને રાજકોટ બાર એસોસિએશનના પૂર્વ સેક્રેટરી દિલીપ જોશીએ જણાવ્યું હતું કે, આજે સમાજમાં ચિંતાજનક રીતે છૂટાછેડાના કેસ વધી રહ્યા છે. સ્ત્રી તરફેના એક તરફી કાયદાનો દૂર ઉપયોગ થતો હોય તેમ પાછલા વર્ષે તો કુલ 907 કેસ છૂટાછેડાના નોંધાયા હતા જેની સામે ચાલુ વર્ષે 15 મે સુધીમાં 1000 જેટલા કેસ રાજકોટ ફેમિલી કોર્ટમાં પેન્ડિંગ છે. ભરણપોષણની સાથે સાથે છૂટાછેડાના કેસ પણ છેલ્લા 5 વર્ષથી વધી રહ્યા છે. મારા અનુભવ મુજબ પહેલા અમુક વર્ગ સમાજના લોકોમાં જોવા મળતા છૂટાછેડાના કેસ આજે સુવર્ણ જ્ઞાતિના લોકોમાં પણ જોવા મળે છે અને સારા સારા એજ્યુકેટેડ ફેમિલીમાં પણ છૂટાછેડા કેસ જોવા મળી રહ્યા છે. આ બધા પાછળ મુખ્યત્વે દામ્પત્ય જીવનમાં પતિ-પત્ની વચ્ચે સમજણનો અભાવ, સહનશક્તિનો અભાવ, મોબાઈલ અને સોશિયલ મીડિયાનો વધુ પડતો વપરાશ અને નાની નાની વાતમાં માતા-પિતાનું ઇન્ટરફિયર છૂટાછેડાનું કારણ બની રહ્યું છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, હાઇકોર્ટ તેમજ સુપ્રીમ કોર્ટ દ્વારા મિડિયેશન સેન્ટર અને કાઉન્સિલરોની પણ નિમણુંક કરવામાં આવી રહી છે, પરંતુ આમ છતાં પણ અહીંયા સમાધાન ખુબ ઓછા પ્રમાણમાં થઇ રહ્યું છે. જો આ જ રીતે આગળ ચાલતું રહેશે તો આગામી સમયમાં સામાજિક વ્યવસ્થા પણ ખોરવાઈ તેવી દહેશત પુરેપુરી ઉભી થઇ શકે છે. બંને પક્ષે નક્કી કરીને જ આવે છે કે છૂટાછેડા જ જોઈએ છે આ પછી સમાધાનનો કોઈ અંશ રહેતો નથી. પ્રયત્નો ઘણા કરવામાં આવે છે આમ છતાં માત્ર 8થી 10% કેસમાં જ સમાધાન શક્ય બને છે. જયારે કો પણ દંપતી છૂટાછેડા માટે અરજી કરે તો કોર્ટ કોઈ દિવસ પહેલા જ દિવસમાં છૂટાછેડા માટે મંજૂરી આપતી નથી કોર્ટ હમેશા બન્ને પક્ષકારો એક થાય અને સમાધાન થાય તે માટે પ્રયત્ન કરતી હોય છે પરંતુ હાલની સ્થિતિએ સમાધાન ટકાવારી ખુબ ઓછી જોવા મળી રહી છે.

 

You Might Also Like

ટોક્સિક વાતાવારણને કારણે…: રાતોરાત લાખો ફોલોઅર્સ ગુમાવ્યા બાદ રાઘવ ચઢ્ઢાનું ‘Gen Z’ ડેમેજ કંટ્રોલ

ભારતમાં ગરમીના તમામ રેકોર્ડ તૂટશે! વિજ્ઞાનીઓએ આપી ‘ગોડઝિલા અલ-નીનો’ની ચેતવણી

કોહલીના ‘ડ્રોપ કેચ’થી ગુજરાતની દશા બગડી: બેંગ્લોર પાંચ વિકેટે જીત સાથે પોઇન્ટ ટેબલમાં બીજા ક્રમે

અરવિંદ કેજરીવાલ દિલ્હીના ‘રહેમાન ડકૈત’: ભાજપનો આક્ષેપ

મણિપુર ફરી ભડકે બળ્યું: નાગા-કુકી જૂથો વચ્ચે ગોળીબાર, 3 લોકોનાં મોત: ઘરોમાં આગચંપી

TAGGED: married life
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article વેરાવળના મુખ્ય માર્ગો પર તિરંગા યાત્રા: અનેક સંસ્થા જોડાઈ
Next Article તાલાલામાં બે તસ્કરો ઝડપાયા, તાંબા પિત્તળ, કાંસાનાં વાસણો જપ્ત કરાયા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

વંથલીના કણજડી ગામે રેતી ભરેલા ડમ્પરે યુવાનને હડફેટે લેતા ડમ્પરને ટોળાંએ ફૂંકી માર્યું, યુવાન ઈજાગ્રસ્ત

Khaskhabar Editor Khaskhabar Editor 33 minutes ago
ભારતીય સંસ્કૃતિ અને લોકશાહીનું સંગમ: નવવધૂઓએ નિભાવી નાગરિક ફરજ
લોકશાહીનું પર્વ રંગેચંગે સંપન્ન: EVMમાં કેદ ઉમેદવારનું ભાવિ, નજર પરિણામ પર
હળવદના રાણેકપર, વેગડવાવના વરરાજા જાન પ્રસ્થાન પૂર્વે મતાધિકારનો ઉપયોગ કરી નાગરિક ધર્મ નિભાવ્યો
મોરબી મહાનગરપાલિકાની પ્રથમ ચૂંટણીમાં 65 ટકા, જિલ્લા પંચાયતમાં 71 ટકા મતદાન
શહેરીજનોનું ઉત્સાહપૂર્વક મતદાન મજબૂત લોકશાહી અને ભાજપ પ્રત્યે અતૂટ વિશ્ર્વાસનું પ્રતિબિંબ છે: ધારાસભ્ય ઉદય કાનગડ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

ટોક્સિક વાતાવારણને કારણે…: રાતોરાત લાખો ફોલોઅર્સ ગુમાવ્યા બાદ રાઘવ ચઢ્ઢાનું ‘Gen Z’ ડેમેજ કંટ્રોલ

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
રાષ્ટ્રીય

ભારતમાં ગરમીના તમામ રેકોર્ડ તૂટશે! વિજ્ઞાનીઓએ આપી ‘ગોડઝિલા અલ-નીનો’ની ચેતવણી

Khaskhabar Editor Khaskhabar Editor 4 hours ago
રાષ્ટ્રીય

કોહલીના ‘ડ્રોપ કેચ’થી ગુજરાતની દશા બગડી: બેંગ્લોર પાંચ વિકેટે જીત સાથે પોઇન્ટ ટેબલમાં બીજા ક્રમે

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?