By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    રશિયાનું પગલું, વ્હોટ્સઍપ્પ અને ટેલિગ્રામ કોલ પર બેન
    3 days ago
    ટ્રમ્પ આવેશમાં આવીને નિર્ણય લે છે! ‘અમેરિકા પર વિશ્વાસ ન કરી બ્રિક્સ સાથે જોડાવ’: જેફરી સૅક્સ
    4 days ago
    પનામા કેનાલ પર યુએનમાં ચીન અને અમેરિકા વચ્ચે ટક્કર: દુનિયાભરનો 6 ટકા સમુદ્રી વ્યાપાર આ નહેરથી થાય છે
    5 days ago
    તો ભારત સામે યુદ્ધ લડવા સિવાય બીજો કોઈ વિકલ્પ રહેશે નહીં: પાકિસ્તાનના ભૂતપૂર્વ વિદેશ પ્રધાન બિલાવલ ભુટ્ટોની ધમકી
    5 days ago
    અફઘાનિસ્તાન સરહદ પર પાકિસ્તાની સેનાએ 50 આતંકવાદીઓને ઠાર માર્યા
    5 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ‘અમે વિવાદ નહીં, ઉકેલ ઈચ્છીએ છીએ’ રખડતાં કૂતરાઓ અંગે સુપ્રીમ કોર્ટે ચુકાદો અનામત રાખ્યો
    3 days ago
    70 દેશોની જેલોમાં 10,574 ભારતીયો કેદ
    3 days ago
    જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં આભ ફાટતાં વિનાશક દૃશ્યો, 10થી વધુ લોકોના મોતની આશંકા
    3 days ago
    કાલથી શરૂ થશે 1 વર્ષ સુધી ચાલે તેવા FASTag Pass, ખરીદવાની જાણો આ સિમ્પલ પ્રોસેસ
    3 days ago
    ફરિયાદી ગોડસેના સગા: રાહુલ ગાંધીએ સાવરકરની ટિપ્પણી પર જીવનો ખતરો હોવાનો દાવો કર્યો
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    સચિન તેંડુલકરના પુત્ર અર્જુનની સગાઈ સાનિયા ચંડોક સાથે થઈ
    3 days ago
    8 વર્ષના રિલેશન બાદ રોનાલ્ડો અને જોર્જિના કરશે લગ્ન, સગાઈની તસ્વીર થઈ વાઈરલ
    5 days ago
    દેવયાનીબા ઝાલાએ વર્લ્ડ એથ્લેટિક્સ ટૂર્નામેન્ટમાં સિલ્વર મેડલ જીતી ગુજરાતનું ગૌરવ વધાર્યું
    6 days ago
    દુષ્કર્મના આરોપમાં પાકિસ્તાની બેટ્સમેનની ધરપકડ, PCBએ સસ્પેન્ડ કરીને કડક કાર્યવાહી કરી
    1 week ago
    ક્રિકેટરોનું વર્કલોડ મેનેજમેન્ટ હવે બોર્ડ નક્કી કરશે
    2 weeks ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ચાલો આજે જાણીએ બચ્ચન પરિવારની વહુ અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીની સૌથી સુંદર એક્ટ્રેસ ઐશ્વર્યા રાયની નેટવર્થ વિશે
    6 days ago
    કપિલ શર્માના કેનેડા કાફેમાં મહિનામાં બીજી વાર 25થી વધુ ગોળીબાર
    1 week ago
    હુમા કુરેશીના પિતરાઈ ભાઈ આસિફ કુરેશીની દિલ્હીમાં હત્યા કરાઈ
    1 week ago
    કાજોલે હિન્દી બોલવાની સ્પષ્ટ ના પાડતા, સોશિયલ મીડિયામાં થઈ ટ્રોલ
    2 weeks ago
    ફિલ્મી કરિયર ઝીરો પણ સંપત્તિની વાત કરવામાં આવે તો 500 કરોડનો માલિક છે અરબાઝ ખાન
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    જન્માષ્ટમીના દિવસે ભગવાન વિષ્ણુને પ્રિય એવા તુલસીના છોડ સાથે આવું ક્યારેય પણ ન કરશો
    3 days ago
    ભાઈ અને બહેનના પ્રેમનો પવિત્ર દિવસ એટલે રક્ષાબંધન
    1 week ago
    રક્ષાબંધન પર રાખડી બાંધવાનું શુભ મુહુર્ત સવારથી શરૂ
    1 week ago
    ભારત સિવાયમાં બીજા આ દેશોમાં પણ ઉજવાય રક્ષાબંધન
    2 weeks ago
    રાખડી આકર્ષિત તો દેખાય છે પણ શું રંગથી પણ કાઈ ફરક પડે છે ? ચાલો જાણીએ
    2 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    માનીતા શિક્ષકોને સાચવી લેવા નિયમ વિરૂદ્ધ બે પાળીમાં ચાલતી સ્કૂલો
    3 days ago
    શિક્ષણ સમિતિમાં ‘ઑફિસ કામગીરી’નાં બહાને જલ્સા કરે છે એક ડઝન શિક્ષકો
    3 days ago
    રીબડા પેટ્રોલ પંપ ઉપર ફાયરિંગ કરાવનાર મુખ્ય સૂત્રધાર હાર્દિકસિંહ કેરળથી ઝડપાયો
    5 days ago
    શિક્ષણ સમિતિનાં ચેરમેન વિક્રમ પુજારાએ જરૂરિયાત વગર એક ડઝન સ્કૂલ પાડીને નવી બનાવી
    6 days ago
    લોધિકાના હરિપર તરવડા ગામે ખાણ ખનીજ વિભાગના દરોડા, લાખો ટન ખનીજચોરીની આશંકા
    1 week ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ઈન્કમ ટેક્સ, અપરિગ્રહ અને સમાજવાદ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > ઈન્કમ ટેક્સ, અપરિગ્રહ અને સમાજવાદ
Author

ઈન્કમ ટેક્સ, અપરિગ્રહ અને સમાજવાદ

Khaskhabar Editor
Last updated: 2024/07/13 at 4:08 PM
Khaskhabar Editor 1 year ago
Share
7 Min Read
SHARE

કાર્તિકોલોજી: કાર્તિક મહેતા

તાજેતરમાં ફ્રાન્સમાં ડાબેરી ઝુકાવ ધરાવતી સરકાર ચૂંટાઈને આવી. કહેવાય છે કે આ નવી સરકાર ધનિકો ઉપર નેવું ટકા જેટલો ઇન્કમ ટેક્સ લાગુ પાડવાનું વિચારી રહી છે.
અગાઉ ફ્રાન્સમાં ફ્રાન્સીસ હોલાન્ડેની સરકારે ધનિકો ઉપર 70 ટકા ઇન્કમ ટેક્સ લગાડવાનો પ્રસ્તાવ રજુ કર્યો હતો પણ તેને ફ્રેન્ચ સંસદમાં પસાર કરાવી શક્યા નહોતા.
બરાક ઓબામા પણ અમેરિકામાં ધનિકો ઉપર સીતેર ટકા આસપાસ ટેક્સની ભલામણ કરી ચુક્યા છે. પણ એમને ય પ્રતિસાદ મળ્યો નહોતો.
ધનિકો ઉપર આકરો ઇન્કમ ટેક્સ નાખવો તે એક અર્થશાસ્ત્રીય પગલું છે. આવક વેરાનો ડેટા લઈને સરકારની આવક સાથે જ્યારે એને જોડવામાં આવે અને ગ્રાફ બનાવવામાં આવે તો ખ્યાલ આવે છે કે સીતેર ટકા જેટલો મહત્તમ ઈનકમટેક્સ (ધનિકો ઉપર ) લાગુ પાડવાથી સરકાર ને મહત્તમ આવક પ્રાપ્ત થાય. આ ગ્રાફને લેફર કર્વ કહેવાય છે. આ ગ્રાફ ઉપરથી ખ્યાલ આવે છેકે સીતેર ટકાથી વધારે ઈનકમ ટેક્સ લાગુ પાડવાથી સરકારની આવક ઘટી જાય છે કેમકે લોકોની કમાવાની શક્તિ નબળી પડે છે. (જુઓ લેફર કર્વ નું ચિત્ર) .
શુક્રાચાર્ય સ્મૃતિમાં ગુરુ શુક્રાચાર્ય કહે છે કે રાજાએ પ્રજાને પહેલા કર ભરવા પાત્ર થાય એટલા આવકના સ્ત્રોત આપવા જોઈએ અને પછી મધમાખી , જળો જેમ અનુક્રમે ફૂલનો રસ અને લોહી ચૂસે છે એમ પ્રજા પાસેથી થોડો થોડો ટેક્સ વસુલ કરવો જોઈએ .
ઇન્કમટેક્સ સહુથી પહેલા ઇસ્લામિક રાજ્યોમાં નોન મુસ્લિમ લોકો ઉપર લાગુ પાડવામાં આવેલો વેરો હતો. જેને જઝીયા કહેવાતો અને તે જે તે બિન -મુસ્લિમ વ્યક્તિની આવક ઉપર આધારિત હતો.ખ્રિસ્તીઓએ મુસ્લિમો સાથે ક્રૂઝેડ નામનાં ધર્મયુદ્ધ કરવા માટે પણ ઈનકમ ટેકસ લાગુ પાડ્યો હોવાના ઉલ્લેખ છે. મુસ્લિમ કાળમાં ભારતના લોકો ઉપર સહુથી વધુ પચાસ ટકા જેટલો અધધ વેરો લાગુ પડ્યો હતો. હિંદુ રાજ્ય વ્યવસ્થામાં લોકો વધુમાં વધુ પચીસ ટકા કરવેરો આપતા હતા.
અન્યથા હિંદુ સંસ્કૃતિમાં વેરો હમેશા ઉપજ કે વેચાણ ઉપર રહેતો. આવક ઉપર વેરો ક્યારેય નહોતો.
આવક વેરાની શરૂઆત લોકશાહી સાથે ઈંગ્લેન્ડમાં થઇ. આ ઇન્કમ ટેક્સ પ્રોગ્રેસિવ પ્રકારનો હતો. અર્થાત ધનિકો ઉપર તે વધુ હતો અને ગરીબો ઉપર એકદમ ઓછો. સામ્યવાદી / સમાજવાદી અને લોકશાહી વિચારધારા હમેશા ધનિકો ઉપર ભારે અને ગરીબો ઉપર નહિવત ઈનકમ ટેક્સ ની ભલામણ કરે છે. અંગ્રેજોએ ભારતમાં પણ ઈનકમ ટેકસ માળખું રચી કાઢ્યું જેમાં રાજવીઓ અને ધનવાનો ને જ ઈનકમ ટેકસ ભરવાનો હતો. પણ વાઘ લોહી ચાખી ગયો હતો એટલે પછી તો લોકોને લૂંટવા માટે દરેક વર્ગને ઈનકમ ટેક્સ ની જાળમાં ફસાવવામાં આવ્યા. આજે મધ્યમ વર્ગ પણ ઈનકમ ટેકસ ભરે છે અને કરચોરી પણ કરી શકતો નથી.
ઇન્કમ ટેક્સ એક લેવલર નું કામ કરે છે અને ગરીબ ધનિક વચ્ચેની જે ખીણ છે એને જરા ઓછી કરે છે. જ્યા સમાજવાદ /સોશિયલીઝ્મ (જે સામ્યવાદનું સોફ્ટ સ્વરૂપ છે) તેવા અતિ વિકસિત દેશોમાં કચરો વીણવા વાળા (રેગ પીકર) અને ડોકટર લગભગ સમાન કમાય છે એટલો ભારે ઈનકમ ટેક્સ છે. સામે સરકારી સવલતો પણ ખૂબ સારી ગુણવત્તા વાળી આપવામાં આવે છે.
ડાબેરીઓ હમેશા ધનિક વિરોધી હોવાથી એમને ધનિકો ઉપર ભારે ઇન્કમ ટેક્સ લગાડવાની નીતિ અપનાવે છે. ભારતમાં સમાજવાદી વિચાર ધરાવતી કોંગ્રેસે એક સમયે 2 લાખ કે તેથી વધુની આવક ઉપર 97% ઇન્કમ ટેક્સ લગાડયો હતો.
ઇન્કમટેક્સ ને કારણે ધનવાનોની ધન કમાવાની અને સંઘરવાની લાલસા ઘટે તે ઉદ્દેશ્ય હોય છે. વણજોઈતું સંઘરવું યોગ, જૈન, બૌદ્ધ અને બ્રાહ્મણ એમ તમામ ભારતીય દર્શનોમાં પાપ ગણવામાં આવ્યું છે. અપરિગ્રહ એટલે કે સંઘરાખોરીના ત્યાગને તમામ ભારતીય દર્શનોમાં અગત્યનો નિયમ ગણવામાં આવ્યો છે.નાણાંને સંસ્કૃતમાં દ્રવ્ય કહેવાય છે જે વહેતું રહેવું જોઈએ.
જાણીતા પ્રાકૃતિક ચિકિત્સક ડોક્ટર મહેરવાન ભમગરા કહેતા કે જે સમાજોમાં ધન સંઘરવાની વૃત્તિ વધારે છે તેઓ ટૂંકું અને રોગમય જીવન જીવે છે અને પેટની બીમારીઓથી પીડાય છે.
કાશ્મીરના ગિલગિટ હુંઝા પ્રાંતમાં વર્ષોથી કોઈ અતિ ધનિક બનતું નથી. બધા શાકાહાર કરે છે અને દીર્ઘાયુ નિરોગી જીવન જીવે છે. ગિલગિટમાં બસો વર્ષ પહેલા ગયેલ એક અંગ્રેજ સંશોધકે ત્યાંના સ્થાનિકને પૂછ્યું કે તમારે ત્યાં કોઈ અતિ ધનિક બને તો તમે શું કરો ??
સ્થાનિકે ઉત્તર આપ્યોકે ” તો અમે એનું ગળું કાપી નાખીએ.”ખ્રિસ્તીઓની એમીષ કમ્યુનિટી પણ આવું સામહીક જીવન જીવે છે અને આવકની વહેંચણી સમાન રીતે કરે છે જેથી એમનામાં કોઈ અતિ ધનિક બનતું નથી.
જ્યા જ્યા લોકો સુદીર્ઘ અને સ્વસ્થ જીવન જીવે છે ત્યાં ત્યાં આવકની વહેચણી સમાન છે અને કોઈ અતિશય ધનવાન બનતું નથી. જ્યા જ્યા આવકની વહેચણી અસમાન છે ત્યાં લોકો દુ:ખી અને રોગમય જીવન જીવે છે.
ગાંધી કહેતા કે જ્યા સુધી આવકની વહેંચણીમાં અતિ અસમાનતા છે ત્યાં સુધી ગુનાખોરી અટકશે નહિ. ઇન્કમ ટેક્સ થીયરિટિકલ રીતે આવકની આ અસમાન વહેંચણીને થોડી સમાન કરવાનો પ્રયાસ છે. પણ વાસ્તવમાં શું થાય છે ?? વાસ્તવમાં ઇન્કમ ટેક્સ બચાવવા માટે અપાર ભ્રષ્ટાચાર થાય છે. ઇન્કમ ટેક્સ ને લીધે “કાળા નાણાં” નામના શબ્દનો જન્મ થયો છે.સ્વિસ બેંકો ભારતીયોના કાળા નાણાંથી ઉભરાય છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહેલું કે આ કાળું નાણું એટલું બધું છે કે જો એની પૂર્ણ રિકવરી થાય તો દરેક ભારતીયને પંદર લાખ રૂપિયા જેટલી રકમ મળે. જોકે અમુક અણસમજુ અણઘડ લોકો એ વડાપ્રધાનશ્રીની આ વાતને કોઈ વાયદો માનીને અપપ્રચાર કર્યો હતો.
જે સ્વિત્ઝર્લેન્ડના ઘડિયાળ ઉદ્યોગથી કાર્લ માર્ક્સને નફાની સમાન વહેંચણીનો વિચાર આવેલો એ જ સ્વીત્ઝર્લેન્ડ આખા જગતનું કાળું નાણું સંઘરીને માલામાલ થયું છે તે કેવી વિસંગતિ છે!!!
કાર્લ માર્ક્સ એ જ્યારે ત્યાંનો ઘડિયાલ ઉદ્યોગ જોયો ત્યારે એણે નિરીક્ષણ કર્યું કે ઘડિયાળ ફેકટરીના માલિકો કોઈ માલેતુજાર ઉદ્યોગપતિઓ નથી પણ સામાન્ય કારીગરો પોતે છે . વળી એક ઘડિયાળ સેંકડો પૂર્જાઓથી બને છે અને દરેક પૂર્જાનાં સ્પેશિયાલિસ્ટ કારીગર હોય છે. ઘડિયાળ ના વેચાણનો નફો તમામ કારીગરો વચ્ચે વહેંચવામ આવે છે , કારીગરોનું શોષણ કરવામાં નથી આવતું. આ જોઈને કાર્લ માર્ક્સને સામ્યવાદ એટલે કે નફાની સમાન વહેંચણીનો વિચાર આવ્યો હતો. કાર્લ માર્ક્સ પોતે યહૂદી હતા અને યહૂદીઓ જગતની નાણાં વ્યવસ્થા ઉપર કબજો ધરાવે છે. માર્કસ પોતે એક ધનવાન વકીલના પુત્ર હતા. તે પણ એક વિસંગતિ છે. આમ, ઈનકમ ટેક્સ આધુનિક સમયનું અનિવાર્ય અનિષ્ટ છે. પણ જો પારદર્શક અને સુચારુ વ્યવસ્થા થકી એનું નિયમન કરવામાં આવે તો તે એક અમોઘ શસ્ત્ર છે જેના થકી પિરામિડની ટોચ ને બુઠ્ઠી કરી શકાય છે અર્થાત્ ધનવાનોનાં ધન સંગ્રહને ઓછો કરી શકાય છે..
ધનની સમાન વહેચણી એક આદર્શવાદ છે જે પૂર્ણ રીતે શક્ય નથી પણ એની નજીક પહોંચી શકાય છે. ધનિકો ઉપર માપસર ઈનકમ ટેકસ એક આદર્શવાદ છે જેને કારણે ભારતના 0.1 ટકા ધનિકો કુલ ઈનકમ ટેક્સ નો પચીસેક ટકા ભાગ ભરે છે પણ વાસ્તવમાં એની કાળી બાજુ કાળાં નાણાં છે જે અનેક અનિષ્ટોને જનમ આપે છે.

- Advertisement -

You Might Also Like

અમારી પાસે હણહણતું પત્રકારત્વ છે, ‘ખાસ-ખબર’ ભલભલાને દઝાડે છે અને લાયક વ્યક્તિને નિર્મળ શીતળતા આપે છે

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વ્યવસાયિક વિશ્ર્વની નવી તકો ઉભી કરતું ક્ષેત્ર

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ…

એઇમ્સ અને હિરાસર એરપોર્ટે રાજકોટને નવી ઓળખ આપી

AI : અલાદ્દીનનો જીન

TAGGED: Income tax, socialism
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ભગવાનને તો પોતાની ક્ષમતા અને સામર્થ્યમાં વિશ્ર્વાસ છે જ પણ ભક્તોને વિશ્ર્વાસ છે ખરો?
Next Article એક વર્ષ પહેલાં ગામમાં માતાજીના માંડવાના હિસાબ મામલે યુવાનની તીક્ષ્ણ હથીયારના ઘા ઝીંકી હત્યા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સુરેન્દ્રનગર

વઢવાણ: પુત્રની સારવાર માટે ગયેલા પરિવારના રહેણાંક મકાનમાં ચોરી

khaskhabarrajkot khaskhabarrajkot 3 days ago
માનીતા શિક્ષકોને સાચવી લેવા નિયમ વિરૂદ્ધ બે પાળીમાં ચાલતી સ્કૂલો
શિક્ષણ સમિતિમાં ‘ઑફિસ કામગીરી’નાં બહાને જલ્સા કરે છે એક ડઝન શિક્ષકો
ધોરાજીના સુપેડીમાં મુરલી મનોહર મંદિરમાં લલિત ત્રિભંગી મુદ્રામાં બિરાજતાં ભગવાન શ્રીકૃષ્ણ
સોમવારે રામનાથ મહાદેવ મંદિરેથી બપોરે 3.30 કલાકેથી 102મી વર્ણાંગી નીકળશે
રાજકોટ શહેર ભાજપ કાર્યાલયે 79મા સ્વાતંત્ર્ય પર્વે વજુભાઈ વાળાના હસ્તે તિરંગાને સલામી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Kinnar Acharyaખાસ-ખબર

અમારી પાસે હણહણતું પત્રકારત્વ છે, ‘ખાસ-ખબર’ ભલભલાને દઝાડે છે અને લાયક વ્યક્તિને નિર્મળ શીતળતા આપે છે

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
Hemadri Acharya Dave

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વ્યવસાયિક વિશ્ર્વની નવી તકો ઉભી કરતું ક્ષેત્ર

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
મનીષ આચાર્ય

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ…

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?