By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    BRICS સંસદીય મંચે પહેલગામ આતંકવાદી હુમલાની નિંદા કરી, આતંકવાદ સામે સામૂહિક કાર્યવાહીની પ્રતિજ્ઞા લીધી
    24 hours ago
    અમેરિકા પર પ્રહાર કરતા, રશિયાએ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેના ઝઘડા વચ્ચે એલોન મસ્કને આશ્રય આપવાની ઓફર કરી
    1 day ago
    ટ્રમ્પ સાથેના ઝઘડા વચ્ચે એલોન મસ્ક નવો રાજકીય પક્ષ શરૂ કરશે? ટેસ્લાના બોસે મોટો સંકેત આપ્યો
    1 day ago
    આ વર્ષે હજ માટે 1.5 મિલિયનથી વધુ હજયાત્રીઓ સાઉદી અરેબિયા પહોંચ્યા
    1 day ago
    કેનેડાના માર્ક કાર્નીએ G7 શિખર સંમેલન માટેનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આમંત્રણ આપ્યું
    1 day ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ‘ઈન્ડિયા ઈઝ શાઈનિંગ’…: ભારતમાં 10 વર્ષમાં ગરીબોની સંખ્યામાં ધરખમ ઘટાડો થયો!
    21 hours ago
    બેંગલુરુ ચિન્નાસ્વામી નાસભાગ: KSCA ના ઉચ્ચ અધિકારીઓએ રાજીનામું આપ્યું, 11 લોકોના મોતની નૈતિક જવાબદારી લીધી
    23 hours ago
    BRICS સંસદીય મંચે પહેલગામ આતંકવાદી હુમલાની નિંદા કરી, આતંકવાદ સામે સામૂહિક કાર્યવાહીની પ્રતિજ્ઞા લીધી
    24 hours ago
    ભારતમાં કોરોનાના કેસ 5000 ને પાર, 24 કલાકમાં થયા 4 મૃત્યુ, જાણો દેશમાં કોરોનાની વર્તમાન સ્થિતિ
    1 day ago
    પહેલગામ હુમલા પછી અમરનાથ યાત્રાના દિવસ ઘટ્યા: પહેલીવાર 38 દિવસની યાત્રા થશે
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    બેંગલુરુમાં થયેલ નાસભાગ મામલે વિરાટ કોહલી વિરૂદ્ધમાં FIR નોંધાઈ
    24 hours ago
    જો આપણે ભીડને સંભાળવા માટે તૈયાર ન હોઈએ તો રોડ શોની જરૂર નથી: કોચ ગૌતમ ગંભીર
    2 days ago
    નિખિલ સોસાલે કોણ છે? જેની બેંગલુરુમાં થયેલી ભાગદોડ કેસમાં ધરપકડ કરવામાં આવી
    2 days ago
    ક્રિકેટર કુલદીપ યાદવે નાનપણની મિત્ર વંશિકા સાથે સગાઈ કરી
    3 days ago
    ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં નાસભાગ: એક સફવાએ 11 લોકોના જીવ લીધા અને 33ને ઘાયલ કર્યા
    3 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ટીવી અભિનેત્રી દીપિકા કક્કરે કરાવ્યું લીવર કેન્સરનું ઓપરેશન
    23 hours ago
    જાહ્નવી તથા સિદ્ધાર્થની ફિલ્મ પરમસુંદરી જુલાઈને બદલે ઓગસ્ટમાં રીલિઝ થઈ શકે
    23 hours ago
    હાઉસફૂલ 2ની અભિનેત્રીએ સિક્રેટ રીતે લગ્નના સાત ફેરા લીધા
    2 days ago
    કેન્ડર હુરુન ઈન્ડિયા 2025 યાદીમાં ભારતના ટોચના સેલિબ્રિટીમાં રશ્મિકા મંદાન્ના અને દીપિકા પાદુકોણ શામેલ
    3 days ago
    “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” શૉમાં નહીં દેખાય બબીતા, બિગ બોસના ઘરમાં એન્ટ્રી લેશે
    4 days ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે છે માતા ગાયત્રીની જયંતિ, તો ચાલો જાણીએ માંના અવતાર અને તેમના મહિમાની કથા વિશે
    2 days ago
    27મીએ ભગવાન જગન્નાથની રથયાત્રા, શા માટે ઉજવવામાં આવે છે? ચાલો જાણીએ તેની પાછળનું ધાર્મિક મહત્વ
    6 days ago
    આટલું ધ્યાન રાખાશો તો નિર્જળા એકાદશીનું વ્રત નહિ તૂટે
    1 week ago
    આજે શનિજયંતી અને સોમવતી અમાસ
    2 weeks ago
    આ વખતે 2 દિવસ નિર્જળા એકાદશી છે, જાણો પારણાનો સમય કયો છે
    3 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    કચ્છમાંથી ATSએ ઝડપેલા દેશદ્રોહી મામલે કોમવિગ્રહ ઉભો થાય તેવી પોસ્ટ મૂકતા પોલીસ કર્મી દિવ્યરાજ જાડેજા
    2 weeks ago
    ડુમિયાણી ટોલ પ્લાઝા કે લૂંટ પ્લાઝા?
    2 weeks ago
    રાજકોટના ઉદ્યોગપતિઓનું સનાતની જમીન કૌભાંડ!
    4 weeks ago
    મોરબીનાં PI પંડ્યા અને PSI અન્સારી વિરૂદ્ધ હાઈકોર્ટમાં પિટિશન
    1 month ago
    સત્સંગી જીવનના બીજા પ્રકરણના ચોત્રીસમા અધ્યાયમાં સનાતન ધર્મના અનુયાયીઓ જેવા કે મહાકાળી, કાલભૈરવ અને શિવના ઉપાસકો કે જે સહજાનંદ અને તેમની ટોળીનો વિરોધ કરી રહ્યા છે તેમને અસુર કહેવાયા છે
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ઈન્કમ ટેક્સ, અપરિગ્રહ અને સમાજવાદ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > ઈન્કમ ટેક્સ, અપરિગ્રહ અને સમાજવાદ
Author

ઈન્કમ ટેક્સ, અપરિગ્રહ અને સમાજવાદ

Khaskhabar Editor
Last updated: 2024/07/13 at 4:08 PM
Khaskhabar Editor 11 months ago
Share
7 Min Read
SHARE

કાર્તિકોલોજી: કાર્તિક મહેતા

તાજેતરમાં ફ્રાન્સમાં ડાબેરી ઝુકાવ ધરાવતી સરકાર ચૂંટાઈને આવી. કહેવાય છે કે આ નવી સરકાર ધનિકો ઉપર નેવું ટકા જેટલો ઇન્કમ ટેક્સ લાગુ પાડવાનું વિચારી રહી છે.
અગાઉ ફ્રાન્સમાં ફ્રાન્સીસ હોલાન્ડેની સરકારે ધનિકો ઉપર 70 ટકા ઇન્કમ ટેક્સ લગાડવાનો પ્રસ્તાવ રજુ કર્યો હતો પણ તેને ફ્રેન્ચ સંસદમાં પસાર કરાવી શક્યા નહોતા.
બરાક ઓબામા પણ અમેરિકામાં ધનિકો ઉપર સીતેર ટકા આસપાસ ટેક્સની ભલામણ કરી ચુક્યા છે. પણ એમને ય પ્રતિસાદ મળ્યો નહોતો.
ધનિકો ઉપર આકરો ઇન્કમ ટેક્સ નાખવો તે એક અર્થશાસ્ત્રીય પગલું છે. આવક વેરાનો ડેટા લઈને સરકારની આવક સાથે જ્યારે એને જોડવામાં આવે અને ગ્રાફ બનાવવામાં આવે તો ખ્યાલ આવે છે કે સીતેર ટકા જેટલો મહત્તમ ઈનકમટેક્સ (ધનિકો ઉપર ) લાગુ પાડવાથી સરકાર ને મહત્તમ આવક પ્રાપ્ત થાય. આ ગ્રાફને લેફર કર્વ કહેવાય છે. આ ગ્રાફ ઉપરથી ખ્યાલ આવે છેકે સીતેર ટકાથી વધારે ઈનકમ ટેક્સ લાગુ પાડવાથી સરકારની આવક ઘટી જાય છે કેમકે લોકોની કમાવાની શક્તિ નબળી પડે છે. (જુઓ લેફર કર્વ નું ચિત્ર) .
શુક્રાચાર્ય સ્મૃતિમાં ગુરુ શુક્રાચાર્ય કહે છે કે રાજાએ પ્રજાને પહેલા કર ભરવા પાત્ર થાય એટલા આવકના સ્ત્રોત આપવા જોઈએ અને પછી મધમાખી , જળો જેમ અનુક્રમે ફૂલનો રસ અને લોહી ચૂસે છે એમ પ્રજા પાસેથી થોડો થોડો ટેક્સ વસુલ કરવો જોઈએ .
ઇન્કમટેક્સ સહુથી પહેલા ઇસ્લામિક રાજ્યોમાં નોન મુસ્લિમ લોકો ઉપર લાગુ પાડવામાં આવેલો વેરો હતો. જેને જઝીયા કહેવાતો અને તે જે તે બિન -મુસ્લિમ વ્યક્તિની આવક ઉપર આધારિત હતો.ખ્રિસ્તીઓએ મુસ્લિમો સાથે ક્રૂઝેડ નામનાં ધર્મયુદ્ધ કરવા માટે પણ ઈનકમ ટેકસ લાગુ પાડ્યો હોવાના ઉલ્લેખ છે. મુસ્લિમ કાળમાં ભારતના લોકો ઉપર સહુથી વધુ પચાસ ટકા જેટલો અધધ વેરો લાગુ પડ્યો હતો. હિંદુ રાજ્ય વ્યવસ્થામાં લોકો વધુમાં વધુ પચીસ ટકા કરવેરો આપતા હતા.
અન્યથા હિંદુ સંસ્કૃતિમાં વેરો હમેશા ઉપજ કે વેચાણ ઉપર રહેતો. આવક ઉપર વેરો ક્યારેય નહોતો.
આવક વેરાની શરૂઆત લોકશાહી સાથે ઈંગ્લેન્ડમાં થઇ. આ ઇન્કમ ટેક્સ પ્રોગ્રેસિવ પ્રકારનો હતો. અર્થાત ધનિકો ઉપર તે વધુ હતો અને ગરીબો ઉપર એકદમ ઓછો. સામ્યવાદી / સમાજવાદી અને લોકશાહી વિચારધારા હમેશા ધનિકો ઉપર ભારે અને ગરીબો ઉપર નહિવત ઈનકમ ટેક્સ ની ભલામણ કરે છે. અંગ્રેજોએ ભારતમાં પણ ઈનકમ ટેકસ માળખું રચી કાઢ્યું જેમાં રાજવીઓ અને ધનવાનો ને જ ઈનકમ ટેકસ ભરવાનો હતો. પણ વાઘ લોહી ચાખી ગયો હતો એટલે પછી તો લોકોને લૂંટવા માટે દરેક વર્ગને ઈનકમ ટેક્સ ની જાળમાં ફસાવવામાં આવ્યા. આજે મધ્યમ વર્ગ પણ ઈનકમ ટેકસ ભરે છે અને કરચોરી પણ કરી શકતો નથી.
ઇન્કમ ટેક્સ એક લેવલર નું કામ કરે છે અને ગરીબ ધનિક વચ્ચેની જે ખીણ છે એને જરા ઓછી કરે છે. જ્યા સમાજવાદ /સોશિયલીઝ્મ (જે સામ્યવાદનું સોફ્ટ સ્વરૂપ છે) તેવા અતિ વિકસિત દેશોમાં કચરો વીણવા વાળા (રેગ પીકર) અને ડોકટર લગભગ સમાન કમાય છે એટલો ભારે ઈનકમ ટેક્સ છે. સામે સરકારી સવલતો પણ ખૂબ સારી ગુણવત્તા વાળી આપવામાં આવે છે.
ડાબેરીઓ હમેશા ધનિક વિરોધી હોવાથી એમને ધનિકો ઉપર ભારે ઇન્કમ ટેક્સ લગાડવાની નીતિ અપનાવે છે. ભારતમાં સમાજવાદી વિચાર ધરાવતી કોંગ્રેસે એક સમયે 2 લાખ કે તેથી વધુની આવક ઉપર 97% ઇન્કમ ટેક્સ લગાડયો હતો.
ઇન્કમટેક્સ ને કારણે ધનવાનોની ધન કમાવાની અને સંઘરવાની લાલસા ઘટે તે ઉદ્દેશ્ય હોય છે. વણજોઈતું સંઘરવું યોગ, જૈન, બૌદ્ધ અને બ્રાહ્મણ એમ તમામ ભારતીય દર્શનોમાં પાપ ગણવામાં આવ્યું છે. અપરિગ્રહ એટલે કે સંઘરાખોરીના ત્યાગને તમામ ભારતીય દર્શનોમાં અગત્યનો નિયમ ગણવામાં આવ્યો છે.નાણાંને સંસ્કૃતમાં દ્રવ્ય કહેવાય છે જે વહેતું રહેવું જોઈએ.
જાણીતા પ્રાકૃતિક ચિકિત્સક ડોક્ટર મહેરવાન ભમગરા કહેતા કે જે સમાજોમાં ધન સંઘરવાની વૃત્તિ વધારે છે તેઓ ટૂંકું અને રોગમય જીવન જીવે છે અને પેટની બીમારીઓથી પીડાય છે.
કાશ્મીરના ગિલગિટ હુંઝા પ્રાંતમાં વર્ષોથી કોઈ અતિ ધનિક બનતું નથી. બધા શાકાહાર કરે છે અને દીર્ઘાયુ નિરોગી જીવન જીવે છે. ગિલગિટમાં બસો વર્ષ પહેલા ગયેલ એક અંગ્રેજ સંશોધકે ત્યાંના સ્થાનિકને પૂછ્યું કે તમારે ત્યાં કોઈ અતિ ધનિક બને તો તમે શું કરો ??
સ્થાનિકે ઉત્તર આપ્યોકે ” તો અમે એનું ગળું કાપી નાખીએ.”ખ્રિસ્તીઓની એમીષ કમ્યુનિટી પણ આવું સામહીક જીવન જીવે છે અને આવકની વહેંચણી સમાન રીતે કરે છે જેથી એમનામાં કોઈ અતિ ધનિક બનતું નથી.
જ્યા જ્યા લોકો સુદીર્ઘ અને સ્વસ્થ જીવન જીવે છે ત્યાં ત્યાં આવકની વહેચણી સમાન છે અને કોઈ અતિશય ધનવાન બનતું નથી. જ્યા જ્યા આવકની વહેચણી અસમાન છે ત્યાં લોકો દુ:ખી અને રોગમય જીવન જીવે છે.
ગાંધી કહેતા કે જ્યા સુધી આવકની વહેંચણીમાં અતિ અસમાનતા છે ત્યાં સુધી ગુનાખોરી અટકશે નહિ. ઇન્કમ ટેક્સ થીયરિટિકલ રીતે આવકની આ અસમાન વહેંચણીને થોડી સમાન કરવાનો પ્રયાસ છે. પણ વાસ્તવમાં શું થાય છે ?? વાસ્તવમાં ઇન્કમ ટેક્સ બચાવવા માટે અપાર ભ્રષ્ટાચાર થાય છે. ઇન્કમ ટેક્સ ને લીધે “કાળા નાણાં” નામના શબ્દનો જન્મ થયો છે.સ્વિસ બેંકો ભારતીયોના કાળા નાણાંથી ઉભરાય છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહેલું કે આ કાળું નાણું એટલું બધું છે કે જો એની પૂર્ણ રિકવરી થાય તો દરેક ભારતીયને પંદર લાખ રૂપિયા જેટલી રકમ મળે. જોકે અમુક અણસમજુ અણઘડ લોકો એ વડાપ્રધાનશ્રીની આ વાતને કોઈ વાયદો માનીને અપપ્રચાર કર્યો હતો.
જે સ્વિત્ઝર્લેન્ડના ઘડિયાળ ઉદ્યોગથી કાર્લ માર્ક્સને નફાની સમાન વહેંચણીનો વિચાર આવેલો એ જ સ્વીત્ઝર્લેન્ડ આખા જગતનું કાળું નાણું સંઘરીને માલામાલ થયું છે તે કેવી વિસંગતિ છે!!!
કાર્લ માર્ક્સ એ જ્યારે ત્યાંનો ઘડિયાલ ઉદ્યોગ જોયો ત્યારે એણે નિરીક્ષણ કર્યું કે ઘડિયાળ ફેકટરીના માલિકો કોઈ માલેતુજાર ઉદ્યોગપતિઓ નથી પણ સામાન્ય કારીગરો પોતે છે . વળી એક ઘડિયાળ સેંકડો પૂર્જાઓથી બને છે અને દરેક પૂર્જાનાં સ્પેશિયાલિસ્ટ કારીગર હોય છે. ઘડિયાળ ના વેચાણનો નફો તમામ કારીગરો વચ્ચે વહેંચવામ આવે છે , કારીગરોનું શોષણ કરવામાં નથી આવતું. આ જોઈને કાર્લ માર્ક્સને સામ્યવાદ એટલે કે નફાની સમાન વહેંચણીનો વિચાર આવ્યો હતો. કાર્લ માર્ક્સ પોતે યહૂદી હતા અને યહૂદીઓ જગતની નાણાં વ્યવસ્થા ઉપર કબજો ધરાવે છે. માર્કસ પોતે એક ધનવાન વકીલના પુત્ર હતા. તે પણ એક વિસંગતિ છે. આમ, ઈનકમ ટેક્સ આધુનિક સમયનું અનિવાર્ય અનિષ્ટ છે. પણ જો પારદર્શક અને સુચારુ વ્યવસ્થા થકી એનું નિયમન કરવામાં આવે તો તે એક અમોઘ શસ્ત્ર છે જેના થકી પિરામિડની ટોચ ને બુઠ્ઠી કરી શકાય છે અર્થાત્ ધનવાનોનાં ધન સંગ્રહને ઓછો કરી શકાય છે..
ધનની સમાન વહેચણી એક આદર્શવાદ છે જે પૂર્ણ રીતે શક્ય નથી પણ એની નજીક પહોંચી શકાય છે. ધનિકો ઉપર માપસર ઈનકમ ટેકસ એક આદર્શવાદ છે જેને કારણે ભારતના 0.1 ટકા ધનિકો કુલ ઈનકમ ટેક્સ નો પચીસેક ટકા ભાગ ભરે છે પણ વાસ્તવમાં એની કાળી બાજુ કાળાં નાણાં છે જે અનેક અનિષ્ટોને જનમ આપે છે.

- Advertisement -

You Might Also Like

આજે એક નવો તર્પણ શર્મા અવતર્યો હતો…

ભાષાને શું વળગે ભૂર, વિજ્ઞાન જે લખે તે શૂર..

ત્રણ જુદા જુદા પ્રકારના વિદ્યાર્થીઓ

ભારતની એક સટીક સૈન્ય કાર્યવાહી: ‘ઑપરેશન સિંદૂર’થી ભારતને શું મળ્યું? પરિણામના લેખાં-જોખાં

વાત એક તરંગી બુદ્ધિશાળીની..

TAGGED: Income tax, socialism
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ભગવાનને તો પોતાની ક્ષમતા અને સામર્થ્યમાં વિશ્ર્વાસ છે જ પણ ભક્તોને વિશ્ર્વાસ છે ખરો?
Next Article એક વર્ષ પહેલાં ગામમાં માતાજીના માંડવાના હિસાબ મામલે યુવાનની તીક્ષ્ણ હથીયારના ઘા ઝીંકી હત્યા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

વીરપુર બસ સ્ટેન્ડને હરિયાળું બનાવવા ટી.સી.કુલદિપસિંહ જાડેજાનો સંકલ્પ

Khaskhabar Editor Khaskhabar Editor 20 hours ago
અમદાવાદમાં સિલાઇકામ કરવા નીકળેલી પુત્રી પરત ન આવતા પરિવારની શોધખોળ
મોરબી નીલકંઠ રેસિડેન્સીના મકાનમાંથી દારૂની 120 બોટલનો જથ્થો જપ્ત
માળિયામાં પાણી ન છોડાતાં ખેડૂતોનો ચક્કાજામ
ક્રિપ્ટો કરન્સીમાં રોકાણના નામે 1.51 કરોડની છેતરપિંડી : 3 આરોપી રિમાન્ડ પર
ટંકારાના જુગારકાંડમાં ઝડપાયેલા PI સોમવાર સુધી રિમાન્ડ પર
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Kinnar Acharya

આજે એક નવો તર્પણ શર્મા અવતર્યો હતો…

Khaskhabar Editor Khaskhabar Editor 21 hours ago
Author

ભાષાને શું વળગે ભૂર, વિજ્ઞાન જે લખે તે શૂર..

Khaskhabar Editor Khaskhabar Editor 21 hours ago
Author

ત્રણ જુદા જુદા પ્રકારના વિદ્યાર્થીઓ

Khaskhabar Editor Khaskhabar Editor 22 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?