નિતાંતરીત: નીતા દવે
આધુનિક સમયમાં આવતા સંવેદનાત્મક પરિવર્તનોને જોતા કહી શકાય છે હવે સંબંધોની પરિભાષા પણ પરિવર્તિત થઈ રહી છે. લોકોને સંબંધો તો જોઈએ છે, પરંતુ બંધન વગરના..! માનવી એક સામાજિક પ્રાણી છે.આથી સમાજ અને સંબંધો વગર જીવવું શક્ય નથી.તેથી જ દરેક વ્યક્તિ પોતાની જરૂરિયાત પ્રમાણે સબંધોનો સધિયારો તો ઈચ્છે છે, પરંતુ સ્વતંત્રતા સાથેનો સધિયારો.
- Advertisement -
આજના સમયમાં લોકો સંબંધોને સાચવવા પાછળ સમય બગાડતા નથી. જ્યાં સુધી પોતાનું મન સચવાય, પોતાની સગવડતાઓ સચવાય, ત્યાં સુધી સંબંધ પણ સચવાય…પરંતુ સામે પક્ષે જેવું પોતાના મન વિરુદ્ધનું જરા પણ કાર્ય થાય એટલે એ લાગણીઓને ત્યાં જ અટકાવી અને આગળ વધી જાય છે. લોકોમાં સંબંધોને કેળવવા માટેની જે સહનશક્તિ જોઈએ તે દિન પ્રતિદિન ઘટતી જતી જોવા મળે છે.
જે સંબંધો માં પરસ્પર એકબીજાથી જોડાઈ રહેવા માટે જતુકરવાની ભાવના ન હોય, કોઈ ભજ્ઞળળશળિંયક્ષિં ન હોય એ સંબંધો તકવાદી અને તકલાદી સંબંધો હોય છે.સામાજિક રીતે કે લાગણીથી પરસ્પર જોડાયેલા બે વ્યક્તિ વચ્ચેના કોઈ પણ સંબંધમાં હક અને ફરજ જેવી બે બાજુ જોડાયેલી હોય છે. જે લાગણીની ખીલવણી અને જાળવણી માટે ખૂબ જ જરૂરી બાબત છે.પરંતુ જે લાગણીઓ માત્ર વ્યક્તિગત સ્વાર્થ થી જોડાયેલી હોય ત્યાં માત્ર જરૂરિયાતોની પૂર્તિ થતી હોય છે. સંવેદનાની સાચવણીઓ નહીં..! અને આવા જ થોડા સમય માટે બંધાયેલા અને આવેગોની સંતુષ્ટી માટે રચાયેલા સંબંધો નું ભાવિ બહુ ટૂંકા ગાળા નું હોય છે.
દરેક વ્યક્તિ પોતાના સંવેદનાત્મક મનોવિશ્વમાં સ્વતંત્રતા ઈચ્છે છે. આથી કૌટુંબિક સામાજિક સંબંધો માત્ર વ્યવહાર સાચવવા પૂરતા સીમિત થતા જાય છે.અને ટેકનોલોજીની આંગળી પકડીને ચાલતા મોબાઈલનાં ટચથી વિકસાવેલા સંબંધો મોખરાનું સ્થાન લેતા જાય છે. એવું કહી શકાય કે સોશિયલ મીડિયાની આભાસી દુનિયા વાસ્તવિક અને વ્યવહારિક સંબંધો ઉપર ભારે પડતી જાય છે..! લોકો પોતાની તકલીફ કે દુ:ખમાં અંગત સ્વજનો પાસેથી આશ્વાસન મેળવવાને બદલે સોશિયલ મીડિયાના મિત્રો પાસે પોતાના મનની વ્યથા કહેવા માટે સાનુકૂળતા અનુભવે છે. આવી ઘટનાઓ પ્રતિપાદિત કરે છે કે વાસ્તવિક જીવનના સ્વજનો અને મિત્રો પાસે વ્યક્ત કરેલી પોતાની તકલીફોની ગોપનીયતા માટે રાખેલો વિશ્ર્વાસ કદાચ જોખમાઈ શકેપરંતુ મીડિયા પર મળેલા પરસ્પરનાં માત્ર શાબ્દિક પરિચય થી કેળવેલા લોકો પાસે તેમનો ભરોસો અખંડ રહેશે તેની તેને ખાતરી હોય છે..! પરંતુ જ્યારે જીવનના કોઈ વળાંક પર આવા આભાસી દુનિયાના તકવાદી સંબંધો દગો આપે ત્યારે વ્યક્તિ હતાશાને ઊંડી ખાઈ માં ગરકાવ થઈ જતી હોય છે.
- Advertisement -
હવે અહીંયા પ્રશ્ર્ન એ થાય કે.. ક્યાં સંબંધો સાચા..? કેવા સ્વજનો ઉપર વિશ્ર્વાસ મૂકી શકાય..? આ કોઈ વિજ્ઞાનનું સમીકરણ નથી કે, જેને તમે વૈજ્ઞાનિક રીતે યથાર્થ પુરવાર કરી શકો. પરંતુ હા, સંબંધોને ટકાવવા અને સ્વજનોને સમજવા માટે સૌથી જરૂરી અને અગત્યનું કોઈ પાસું હોય તો છે, સમય..! સંબંધને સિંચવા માટે સમય ખૂબ અગત્યનું પરિબળ છે. ક્યારેક ટૂંકા ગાળામાં બંધાયેલા સંબંધો પણ વ્યક્તિ ખૂબ 7સારી રીતે નિભાવી જાય છે. જ્યારે કોઈક જગ્યાએ લોહીના સંબંધો કે કહેવાતા સંબંધીઓ પણ સમયનો તાલ જોઈ પોતાની ગતિ ફેરવી અને એક દુરી ઉભી કરી જતા હોય છે. જીવનના ચડાવ ઉતાર પછી પણ જે વ્યક્તિ તમારી પાસે અડીખમ ઊભો રહી શકે એ જ સાચો સ્વજન..! સંજોગો અનુસાર સંબંધોમાં આવેલી સ્થિરતા છતાં પણ જે વ્યક્તિ તમે મુકેલા વિશ્વાસના સંબંધને પૂરી નિષ્ઠાથી નિભાવી શકે છે એ જ તમારું અંગત.
સામાન્ય રીતે આપણે સંબંધોની વાત કરતા હોય ત્યારે સગા વહાલા શબ્દનો ઉપયોગ બહુ સહજ રીતે કરતા હોઇએ છીએપરંતુ આપણે બધાએ જીવનના કોઈને કોઈ પડાવ પર આ સત્યને અનુભવ્યું છે કે સગા હોય તેનાં માં વ્હાલપ નથી હોતી, અને જે વ્હાલા હોય છે એ સગા હોવાની સીમા બદ્ધતા માં બંધાઈને નથી રહેતા..!