By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    50 વર્ષ જૂની દલીલમાં ફસાયું ડેનમાર્ક
    2 days ago
    ગુંડાગીરી નહીં, સન્માનથી વાત કરો; આંતરરાષ્ટ્રીય કાયદાનું પાલન કરો: ફ્રાંસની ટ્રમ્પને ચેતવણી
    4 days ago
    અમેરિકામાં બરફનું ભયંકર તોફાન, 100થી વધુ ગાડીઓ વચ્ચે અકસ્માત, જાણો વધુ
    5 days ago
    અમેરિકા ભૂતકાળમાં પણ બર્ફીલા ટાપુ ગ્રીનલૅન્ડને ખરીદવાનો પ્રયાસ કરી ચૂક્યું છે, 10 કરોડ ડૉલરની કરી હતી ઑફર
    6 days ago
    ચિલીના જંગલોમાં પ્રચંડ આગમાં 18 લોકોના મોત, ઈમરજન્સી જાહેર
    6 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    લોહાણા સમાજની અગ્રણી વૈશ્ર્વિક સંસ્થા દ્વારા કઈંઇઋ એક્સ્પોનું ભવ્ય આયોજન
    2 days ago
    અભિષેક શર્માનું તોફાન: ન્યૂઝીલેન્ડ સામે ભારતે રેકોર્ડબ્રેક સ્કોર સાથે પ્રથમ ઝ20 જીતી
    3 days ago
    બંધારણીય સત્તાનો દુરુપયોગ સ્વીકાર્ય નથી: સુપ્રીમ કોર્ટનો ચૂંટણી પંચને ફટકાર
    3 days ago
    અવિમુક્તેશ્ર્વરાનંદને ચેતવણી માઘ મેળામાંથી ‘બૅન’ કરી દઈશું
    3 days ago
    EUનો ટ્રમ્પના ગાલ પર તમાચો
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    પાકિસ્તાનની જેમ BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી A+ કેટેગરી હટાવશે? રોહિત-કોહલીને થશે મોટું નુકસાન
    5 days ago
    જો બાંગ્લાદેશનો મુદ્દો ઉકેલાય નહીં તો પાકિસ્તાન 2026 માં T20 વર્લ્ડ કપમાં ભાગીદારીની સમીક્ષા કરશે
    6 days ago
    ‘ગૌતમ ગંભીરે રોહિત શર્માને ODI કેપ્ટન પદેથી હટાવ્યો…’, પૂર્વ ક્રિકેટરનો ચોંકાવનારો આરોપ
    1 week ago
    રાજકોટમાં રમાયેલી 2nd ODI માં શરમજનક પરાજય બાદ ભારતીય કેપ્ટન ગિલનું દર્દ છલકાયું
    1 week ago
    T20 વર્લ્ડકપ વિવાદ વચ્ચે ICC મક્કમ !
    2 weeks ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સિંગર હની સિંહે ફરી વિવાદિત નિવેદન આપતા લાકો ભડક્યા
    1 week ago
    કુમાર સાનુએ પૂર્વ પત્ની રીટા ભટ્ટાચાર્ય સામે 30 લાખ રૂપિયાનો માનહાનિનો કેસ દાખલ કર્યો
    1 month ago
    રહેમાન ડકૈત વાસ્તવમાં કોણ હતો ?
    1 month ago
    ધુરંધર ફિલ્મના કેરેક્ટર રિયલ લાઈફમાં કોણ છે?
    1 month ago
    બોબીના જમાલ કુડુ પછી, અક્ષયનો ધુરંધર ડાન્સ વાયરલ થયો, ચાહકો તેને ‘બેન્જર’ જાહેર કરે છે
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    2 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    2 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    3 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    3 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    3 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    3 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    3 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    3 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    3 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    3 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ગુજરાતી ભાષામાં પત્રકારત્વની તત્કાલીન સ્થિતિની સમીક્ષા કરતું ભાગ્યે જ લખતું હોય છે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Bhavy Raval > ગુજરાતી ભાષામાં પત્રકારત્વની તત્કાલીન સ્થિતિની સમીક્ષા કરતું ભાગ્યે જ લખતું હોય છે
AuthorBhavy Raval

ગુજરાતી ભાષામાં પત્રકારત્વની તત્કાલીન સ્થિતિની સમીક્ષા કરતું ભાગ્યે જ લખતું હોય છે

Khaskhabar Editor
Last updated: 2022/02/01 at 1:18 PM
Khaskhabar Editor 4 years ago
Share
11 Min Read
SHARE

પત્રકારત્વ વિશ્ર્વસનીયતાનો પડકાર ભાગ – 2

ગુજરાતી પત્રકારત્વની બે સદીની યાત્રામાં પત્રકારત્વ પર કેટલાંક જૂજ પુસ્તકો લખાયા છે. જે પુસ્તકો લખાયા છે તે અભ્યાસ અને સંશોધન આધારિત છે. તેમાં મહત્તમ ઈતિહાસ અને તવારીખ જ રજૂ કરવામાં આવ્યા છે. ગુજરાતી ભાષામાં પત્રકારત્વની તત્કાલીન સ્થિતિની સમીક્ષા કરતું ક્યારેક જ કોઈક જ ભાગ્યે જ લખતું હોય છે. પત્રકારત્વના વર્તમાન પડકારો પર એક આખું પુસ્તક તૈયાર કરવાનો વિચાર તો આજ સુધી કોઈને પણ આવ્યો નહતો. છેલ્લા કેટલાંક દસકોમાં પત્રકારત્વની દશા અને દિશા બદલાઈ છે ત્યારે એકવીસમી સદીમાં ગુજરાતી ભાષામાં પત્રકારત્વની વિશ્વસનીયતા પર ચર્ચા વિષયક પુસ્તક પ્રથમવાર બહાર પડ્યું છે. નામ છે – પત્રકારત્વ વિશ્વસનીયતાનો પડકાર. આ પુસ્તકનો હિન્દી ભાષામાં પણ અનુવાદ કરવામાં આવ્યો છે. પત્રકારત્વના વિવિધ પાસાંઓને ઉજાગર કરતું આ પુસ્તક પત્રકારત્વ સાથે સંકળાયેલા સૌ કોઈએ વાંચવા-વસાવવા જેવું છે ઉપરાંત આ પુસ્તકમાં રજૂ કરવામાં આવેલી વિવિધ બાબતો વિશે ચિંતન-મનન કરવા જેવું છે એટલું જ નહીં આ પુસ્તક ગુજરાતી પત્રકારત્વના વિદ્યાર્થીઓ માટે અભ્યાસક્રમમાં સમાવવાલાયક છે.

પત્રકારત્વ વિશ્વસનીયતાનો પડકાર પુસ્તકનું સંપાદન અને પ્રકાશન અલકેશ પટેલે કરેલું છે. ખ્યાતનામ પત્રકારોના ક્વોટ્સ-થોટ્સ સાથે 272 પૃષ્ઠ અને 225 રૂ.નું મૂલ્ય ધરાવતું આ પુસ્તક પત્રકારત્વના એ તમામ વિદ્યાર્થીઓને – જેઓ સાચા અર્થમાં સંતુલિત પત્રકારત્વ વિશે જાણવા અને અનુસરવા માગે છે તેમને અર્પણ કરવામાં આવ્યું છે. આ પુસ્તક મીડિયા સાથે સંકળાયેલા તમામ સારા-નરસા પાસાંઓને ઉજાગર કરનાર છે, લેટેસ્ટ છે – બેસ્ટ છે. પત્રકારત્વની ખાલીખોટી વાતો જ નહીં, નક્કર ઉદાહરણો સાથે વાસ્તવિકતા રજૂ કરવામાં આવી છે.

- Advertisement -

પુસ્તકના પ્રારંભે અલકેશ પટેલે લખ્યું છે કે, ’વિશ્વસનીયતા ખરીદી શકાતી નથી, મહેનત અને ધીરજથી હાંસલ કરવી પડે છે.’ તો પુસ્તકના અંતિમ પુષ્ઠ પર અલકેશ પટેલે લખ્યું છે કે, ’આ પુસ્તકમાં કોઈ એકતરફી વિચારધારાની તરફેણ કર્યા વિના પત્રકારત્વની વિશ્વસનીયતાને ક્યાં – ક્યારે – કેવી રીતે – કેટલો – કેવો ધક્કો પહોંચ્યો તેની દાખલા, દલીલો અને પુરાવા સાથે ચર્ચા કરવામાં આવી છે.’

પત્રકારત્વ વિશ્વસનીયતાનો પડકાર પુસ્તક અંગે વિશેષ પરિચય કે વ્યક્તિગત અભિપ્રાય આપવાની જગ્યાએ અહીં પુસ્તકના વિવિધ લેખક-પત્રકાર દ્વારા રજૂ કરવામાં કેટલાંક વિચારોને જ શબ્દશ: રજૂ કરવાનું પસંદ કર્યું છે. વર્ષોથી વિવિધ માધ્યમોમાં ફરજ બજાવતા ચૌદ જેટલા વરિષ્ઠ પત્રકાર-લેખકોએ ખૂબ જ ઊંડાણપૂર્વક અને અભ્યાસપૂર્વક પત્રકારત્વ વિશ્વસનીયતાનો પડકાર પુસ્તકના વિષયને ન્યાય આપ્યો છે. પુસ્તકના મૂળ વિષયનું હાર્દ પકડીને રસ-સભર, ધારદાર, સચોટ રજૂઆત કરનારા પ્રથમ સાત લેખક-પત્રકારોના ચૂંટેલા અવતરણ આગળના ભાગમાં પ્રસ્તુત કર્યા બાદ બાકીના સાત લેખક-પત્રકારોના ચૂંટેલા અવતરણ આ ભાગમાં.

ભૂલ કબૂલીને પાછા વળવાનો સમય
પત્રકારત્વની મૂળ મુશ્કેલી એ થઈ છે કે મીડિયામાં કાર્યરત 99 ટકા પત્રકારોને, લેખકોને, કોલમિસ્ટને ‘સેક્યુલારિઝમ’ના ખરા અર્થની કાંતો ખબર નથી અથવા ખબર હોય તો તેનો સ્વીકાર કરતી નથી! આ સ્થિતિ ઈસ્લામિક દેશો સિવાય દુનિયાભરના પત્રકારત્વની છે. ઈસ્લામિક દેશોમાં માંડ 0.01 ટકા ટકા પત્રકારો, લેખકો કે કોલમિસ્ટ સેક્યુલારિઝમની વાત કરતા હોય છે અથવા તેના વિશે વાત કરવાનો પ્રયાસ કરતા હોય છે. ઈસ્લામિક દેશોના મીડિયા માટે તો સરિયતનું પાલન કરવાનું અનિવાર્ય હોય છે અને એમ ન કરે તો તેમની શી દશા થાય એ તેઓ જાણતા હોય છે! ખેર, મુદ્દો ઈસ્લામિક દેશોનો નથી. મુદ્દો પત્રકારત્વનો છે. સાચા પત્રકારત્વનો છે. જમણેરી વિચારધારાને અપમાનિત કરીને, જમણેરી વિચારધારાને મજાકનો વિષય બનાવીને જેહાદ અને જેહાદી માનસિકતાનો બચાવ કરવો તેને પત્રકારત્વનું નામ કેવી રીતે મળ્યું એ અંગે કોઈએ વિચાર કર્યો છે કદી? – અલકેશ પટેલ

- Advertisement -

રાષ્ટ્રવાદી પત્રકારત્વ, માત્ર એક કલ્પના કે વાસ્તવિકતા
વર્તમાન સમયમાં પત્રકારત્વની વિશ્વસનીયતા જોખમમાં છે. પત્રકારો ન્યૂઝની સાથે પોતાના વ્યૂઝ પણ જોડી રહ્યા છે. સમાચાર વાંચતા કે જોતા લોકો એ વાતે ગુંચવાઈ જાય છે કે પત્રકાર જે સમાચાર આપી રહ્યો છે એ એના પોતાના અંગત વિચારો કે પછી ખરેખર સમાચાર જ છે, કારણ કે અલગ-અલગ માધ્યમોમાં દર્શાવવામાં આવતા તથ્યો જુદા-જુદા હોય છે. ઘણીવાર તો વિપરિત હોય છે! પત્રકારની ફરજ છે સત્ય દર્શાવવાનું, નહીં કે સત્યને પોતાની માન્યતા મુજબના સત્ય તરીકે દર્શાવવાનું. પત્રકારનું કામ ન્યાયાધીશ બનીને ચુકાદો આપવાનું નથી પણ આજનો પત્રકાર પત્રકારત્વ ઓછું અને ચુકાદો આપતો વધુ થઈ ગયો છે. – કુલદીપ લહેરુ

પત્રકારત્વનું ઓજ: વિશ્ર્વસનીયતા
પત્રકારત્વની સૌથી મોટી જવાબદારી પોતાની વિશ્વસનીયતાને અક્ષુન્ન રાખવાની છે. પત્રકારત્વ માટે ક્યારેક એવા પણ સંજોગો આવે છે કે પોતાનું અસ્તિત્વ ટકાવવું કે વિશ્વસનીયતા? ત્યારે વિશ્વસનીયતાનું ચયન કરનાર પત્રકારત્વ દીર્ઘજીવી બને છે. લાભ, લાલચ, ભય, દબાણ, શેહ, શરમ, મેળાપીપણું એમ વિવિધ સ્થિતિ અને પ્રલોભનો પત્રકારત્વની વિશ્વાસાહતાને હાણ કરનારાં છે. સત્ય એ પત્રકારત્વનો આત્મા કે પ્રાણ છે, વિશ્વસનીયતા એનું ક્લેવર. સંનિષ્ઠા અને સત્યનિષ્ઠા એ એનું વીર્ય-ઓજ છે. આ ગર્ભધાનથી પ્રાણપ્રતિષ્ઠાની પરમ પ્રેરિત પ્રક્રિયા જેવી જ દૈવી રીતિ છે. – જશવંત રાવલ

વિશ્ર્વસનીયતા ખરીદી શકાતી નથી, મહેનત અને ધીરજથી હાંસલ કરવી પડે છે

પુસ્તકના પ્રારંભે અલકેશ પટેલે લખ્યું છે કે, ‘વિશ્વસનીયતા ખરીદી શકાતી નથી, મહેનત અને ધીરજથી હાંસલ કરવી પડે છે.’ તો પુસ્તકના અંતિમ પુષ્ઠ પર અલકેશ પટેલે લખ્યું છે કે, ‘આ પુસ્તકમાં કોઈ એકતરફી વિચારધારાની તરફેણ કર્યા વિના પત્રકારત્વની વિશ્વસનીયતાને ક્યાં – ક્યારે – કેવી રીતે – કેટલો – કેવો ધક્કો પહોંચ્યો તેની દાખલા, દલીલો અને પુરાવા સાથે ચર્ચા કરવામાં આવી છે.’

પત્રકારત્વ વિશ્વસનીયતાનો પડકાર પુસ્તક અંગે વિશેષ પરિચય કે વ્યક્તિગત અભિપ્રાય આપવાની જગ્યાએ અહીં પુસ્તકના વિવિધ લેખક-પત્રકાર દ્વારા રજૂ કરવામાં કેટલાંક વિચારોને જ શબ્દશ: રજૂ કરવાનું પસંદ કર્યું છે. વર્ષોથી વિવિધ માધ્યમોમાં ફરજ બજાવતા ચૌદ જેટલા વરિષ્ઠ પત્રકાર-લેખકોએ ખૂબ જ ઊંડાણપૂર્વક અને અભ્યાસપૂર્વક પત્રકારત્વ વિશ્વસનીયતાનો પડકાર પુસ્તકના વિષયને ન્યાય આપ્યો છે. પુસ્તકના મૂળ વિષયનું હાર્દ પકડીને રસ-સભર, ધારદાર, સચોટ રજૂઆત કરનારા પ્રથમ સાત લેખક-પત્રકારોના ચૂંટેલા અવતરણ આગળના ભાગમાં પ્રસ્તુત કર્યા બાદ બાકીના સાત લેખક-પત્રકારોના ચૂંટેલા અવતરણ આ ભાગમાં.

વધારો : રાજકારણની આ વિષલાળ પત્રકારત્વનેય આભડી ગઈ અને એ એટલી હદે કે મોટાભાગનાં અખબારો કોઈ વ્યક્તિ, જૂથ કે પક્ષની પ્રશસ્તિનો બુંગિયો બની રહ્યાં. ભારતવર્ષની લગભગ નિરક્ષર પણ હૈયાઉલકતવાળી પ્રજા આ પાખંડને પારખી ગઈ, પરિણામે અખબારોની અને અખબારોની સાથે પત્રકારની વિશ્વસનીયતા નષ્ટ થઈ. – ચીમનભાઈ પટેલ

1980માં પ્રકાશિત પુસ્તક ’સાહિત્ય અને પત્રકારત્વ’
સંપાદક: ડો. કુમારપાળ દેસાઈ, પાના નં. 88

સમૂહ માધ્યમો : આશ નિરાશ કે દો રંગો સે
આમ તો માધ્યમોની વાત આવે એટલે આપણી સામે પરંપરાગત પ્રિન્ટ, ઈલેટ્રોનિક અને બ્રોડકાસ્ટ મીડિયા આવે પરંતુ ડિજીટલ ટેકનોલોજીએ બધા સમીકરણો બદલી નાખ્યા છે. હવે લોકો પરંપરાગત માધ્યમો કરતાં પણ વધુ વિવિધ ડિજીટલ મંચનો ઉપયોગ કરે છે. કારણ કે, તેમાં આવતી સામગ્રી લોકોને વ્યસ્ત રાખે છે. કોઈપણ સમાચાર માધ્યમો માટે તેની લોકપ્રિયતાથી વધુ તેની વિશ્વસનીયતા મહત્વની હોય છે. સમાચારોની વિશ્વસનીયતા હજુ સોશિયલ મીડિયા માટે મોટો પ્રશ્ન છે છતાં તે ધીરે-ધીરે મુખ્ય પ્રવાહના સમાચાર માધ્યમોની જગ્યા લેવા આગળ વધી રહ્યું છે. હ ડો. શિરીષ કાશીકર

તંત્રી, સંપાદક અને પ્રકાશક જ જવાબદાર!
કેટલાંક સામયિકો/અખબારોમાં એવી નોંધ (સૂચના) મૂકેલી હોય છે કે આ સામયિકમાં પ્રકાશિત લેખોમાં રજૂ થયેલા વિચારો જે-તે લેખકના વ્યક્તિગત વિચારો છે. એ વિચારો સાથે તંત્રી-સંપાદક-પ્રકાશક સહમત છે જ એમ માનવું નહી. આ વાત બિલકુલ વાજબી કે સ્વીકાર્ય નથી. કારણ કે લેખક પોતાના વિચારો લેખસ્વરૂપે તંત્રી-સંપાદકને મોકલે, પછી તંત્રી-સંપાદક એ વાંચીને એ લેખ પોતાના સામયિકની પોલિસીને અનુરૂપ એ છે કે નહીં એ તપાસે છે. એટલું જ નહીં, એ લખાણમાં કશું વિવાદાસ્પદ હોય, શૈલી નબળી હોય, કોઈ પૂર્વગ્રહ કે પક્ષપાતથી લખાયેલું હોય તો તંત્રી-સંપાદક એને રિજેક્ટ કરે છે અથવા કચરાટોપલીમાં નાખી દે છે. નબળા, વિવાદાસ્પદ કે કાનૂની રીતે અનુચિત લેખો પોતાના સામયિકમાં પ્રગટ કરતા નથી. કોઈ લેખમાં સામાન્ય વિગતદોષ હોય કે થોડીક ભાષાકીય અશુદ્ધિઓ હોય તો સંપાદક એમાં જરૂરી ફેરફાર પણ કરે છે. આ એમનાં ફરજ અને અધિકાર બંને છે.

ઈનશોર્ટ, લેખકના જે વિચારો સાથે તંત્રી-સંપાદક સંમત હોય એવા જ લેખ કે અન્ય સામગ્રી એ પ્રગટ કરતા હોય છે. શું છાપવું અને શું ન છાપવું એ બાબતે તંત્રી-સંપાદક-પ્રકાશક સંપૂર્ણ સૂઝ-બૂઝ અને જવાબદારીપૂર્ણ અધિકારથી નિર્ણય લેતા હોય છે. એટલે કોઈપણ સામયિક/અખબારમાં મુકાયેલી નોધ : ‘અહીં પ્રકાશિત લેખોમાં રજૂ થયેલા વિચારો જે-તે લેખકના વ્યક્તિગત વિચારો છે. એ વિચારો સાથે તંત્રી-સંપાદક કે પ્રકાશક સહમત છે જ એમ માનવું નહી. માત્ર હાસ્યાસ્પદ અથવા કાનૂની છટકબારીનો વ્યર્થ પ્રયોગ જ ગણાય. ખરી વાત તો એ છે કે, અખબા2/સામયિકમાં પ્રગટ થયેલી દરેક બાબત માટે તંત્રી-સંપાદક અને પ્રકાશક જ સૌથી વધુ જવાબદાર હોય છે. કારણ કે લેખકના સારા કે ખરાબ, સાચા કે ખોટા વિચારને હજારો-લાખો વાચકો સુધી એ જ પહોંચાડે છે. લેખક તો માત્ર એક જ નકલમાં લખે છે, એને હજારો-લાખો નકલોમાં પ્રગટ કરનારની જવાબદારી જ સૌથી વધુ હોય ને! હ રોહિત શાહ

પ્રિન્ટ મીડિયાને હડફેટે લેતું સોશિયલ મીડિયા
રાષ્ટ્રવાદની ઠેકડી ઉડાડતા વર્ગના બીજ રોપાઈ ચૂક્યા છે.. સોશિયલ મીડિયાએ જર્નાલિઝમના સમીકરણો બદલી નાખ્યાં છે. આગામી વર્ષોમાં એવો સમય આવશે કે સોશિયલ મીડિયાનો પ્રભાવ વધશે અને ડિપ્લોમેટીક જર્નાલિઝમને આંખે અંધારા લાવી દેશે. પત્રકારત્વ એક સમયનો ડેરિંગ સાથે સંકળાયેલો વ્યવસાય હતો. બિન્દાસ બોલ, તડફડ, જોયું એવું લખ્યું જેવી કોલમો પોતાના અખબારની પોલિસી પ્રમાણે લખાતી હતી. પત્રકાર જે પીસ લખે તેને અખબારના શેઠ કમ મંત્રી એવી રીતે એડિટ કરે તે લખેલા પીસનું મૂળ હાર્દ ગુમ થઈ ગયું હોય અને કોલમનું નામ ભલે બિન્દાસ હોય પણ તે છપાય ત્યારે સ્પાઈન લેસ બની ગઈ હોય છે.હ સુદર્શન ઉપાધ્યાય

પત્રકારત્વની સ્વતંત્રતાના નામે ખોટા સમાચારોની ’ફેરી’
બનાવટી સમાચારોના ફેલાવાને અટકાવવા માટે જ્યારે ભારત સરકાર દ્વારા ફેક્ટ ચેક યુનિટની હકારાત્મક પહેલ હાથ ધરવામાં આવી તો કેટલાંક જૂથો દ્વારા આ પહેલને ખોટી રીતે રજૂ કરીને તેને ‘પત્રકારત્વની સ્વતંત્રતા ગૂંગળાવવાના’ પ્રયાસ તરીકે તેની ટીકા કરવામાં આવી. પરંતુ મારો સીધો સાદો પ્રશ્ન એ છે કે પત્રકારત્વની સ્વતંત્રતાના અંચળા હેઠળ બનાવટી ખોટા સમાચારોની ઘેર ઘેર થતી ફેરી એ શું યોગ્ય છે? અને ખૂબ સરળ જવાબ એ છે કે, ’ના તે ક્યારેય ના હોઈ શકે.’ હ પ્રકાશ જાવડેકર

You Might Also Like

ઉન્નત હિમશિખરો નીચે ઘૂઘવતા ગરમ પાણીના ગુપ્ત મહાસાગરો ગ્લોબલ વોર્મિગનું સાચું કારણ

મહારાષ્ટ્ર મ્યુનિસિપલ ચૂંટણી 2026: મહાયુતિની પ્રચંડ જીત પાછળના મુખ્ય કારણો અને રાજકીય પરિણામો

વાત હનુમાનજી અને જટાયુજીની

નીંદ ચૂરાઈ તેરી કીસને ઓ સનમ..

એક ઔષધ એક સુગંધ, તાંત્રિક દ્રવ્ય ઔદ્યોગિક પ્રોડક્ટ!

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article PI ગઢવીનું સિંઘમ સ્વરૂપ
Next Article વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી હિંદુ ધર્મના સૌથી રહસ્યમય અંકનું મૂલ્યાંકન!

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

2014માં મેળા પૂર્વે તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલને સંતો-મહંતોનું સ્વચ્છતા નિધિમાં રૂ. 24,61,555નું યોગદાન

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
2019ના મીની કુંભ મેળાના ઑડિટમાં બેફામ ખર્ચ અને ભ્રષ્ટાચાર: વિપક્ષ નેતા
મહાનગરપાલિકા અગ્નિશમન શાખા દ્વારા ફાયર સેફ્ટી અને ટ્રેનિંગ અભિયાન તેજ
માધાપરવાડી ક્ધયા શાળાની બાળાઓએ રસ્તા પરથી 64 કિલો દોરાં એકત્ર કરી અનોખું સેવાકાર્ય કર્યું
પોરબંદર : રાણાવાવ સિમેન્ટ ફેક્ટરી પાસે બાયો ડીઝલના પંપ પર SMCના દરોડા
50 વર્ષ જૂની દલીલમાં ફસાયું ડેનમાર્ક
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

મનીષ આચાર્ય

ઉન્નત હિમશિખરો નીચે ઘૂઘવતા ગરમ પાણીના ગુપ્ત મહાસાગરો ગ્લોબલ વોર્મિગનું સાચું કારણ

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
Hemadri Acharya Dave

મહારાષ્ટ્ર મ્યુનિસિપલ ચૂંટણી 2026: મહાયુતિની પ્રચંડ જીત પાછળના મુખ્ય કારણો અને રાજકીય પરિણામો

Khaskhabar Editor Khaskhabar Editor 6 days ago
Author

વાત હનુમાનજી અને જટાયુજીની

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?