By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    યુદ્ધવિરામ વચ્ચે ઈઝરાયલનો ગાઝા પર હુમલો 27નાં મોત, હમાસના ઠેકાણાઓ નિશાન પર
    9 hours ago
    દિલ્હી બ્લાસ્ટમાં પાકિસ્તાનનો હાથ, PoK વિધાનસભામાં પૂર્વ વડાપ્રધાન ચૌધરી અનવર-ઉલ-હકનું નિવેદન
    10 hours ago
    રશિયા સાથે વેપાર કરનારા સાવધાન! ટ્રમ્પ 500% ટેરિફનો કાયદો લાવવાની જાહેરાત કરી શકે
    1 day ago
    જયશંકર પુતિનને મળ્યા, SCO સમિટમાં આતંકવાદ પર ઝીરો ટોલરન્સની હાકલ કરી
    1 day ago
    પાકિસ્તાની છોકરીઓને ચીનમાં દુલ્હન તરીકેની હરાજી કરવામાં આવે છે
    1 day ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    જંક ફુડનું વેચાણ 40% વધ્યું બાળકોમાં મેદસ્વીતા ‘ડબલ’ થઈ
    9 hours ago
    ઈલોન મસ્ક 6 મહિનામાં જ ટ્રમ્પ કૅમ્પમાં પાછા ફર્યા
    9 hours ago
    SIRએ હિજરત શરૂ કરી, બાંગ્લાદેશી વસાહતીઓની બંગાળમાં બોર્ડર ચેકપોસ્ટ પર ભીડ
    10 hours ago
    EDની તપાસમાં નકલી માન્યતા દાવાઓ પર રચાયેલ રૂ. 415-કરોડ અલ-ફલાહ યુનિવર્સિટી કૌભાંડનો પર્દાફાશ થયો
    10 hours ago
    બિલ પર કાર્યવાહી કરવા રાષ્ટ્રપતિ અને રાજ્યપાલો પર સમયમર્યાદા લાદી નહીં શકાય: સુપ્રીમ કોર્ટ
    10 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    વિશ્ર્વ વિજેતા ભારતીય ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌર 22 નવેમ્બરે રાજકોટ આવશે
    2 days ago
    IPL 2026: રાજસ્થાન રોયલ્સે જાડેજા અને કુરાનની જગ્યાએ સંજુ સેમસનને ચેન્નાઈ સુપર કિંગ્સ સાથે સોદો કર્યો
    6 days ago
    ભારત સામે આફ્રિકાની ખરાબ હાલત
    6 days ago
    BCCIની કોહલી અને રોહિતને કડક સૂચના: ભારત માટે રમવું હોય તો ઘરેલું ક્રિકેટ ફરજિયાત
    1 week ago
    હોમકમિંગ? જાડેજાની પહેલી લવ સ્ટોરી: રાજસ્થાન રોયલ્સ!
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    252-કરોડ MD ડ્રગ્સ કેસમાં ઓરીને મુંબઈ પોલીસે સમન્સ પાઠવ્યું
    11 hours ago
    ગિરિજા ઓક, વાયરલ બ્લુ-સાડી વુમન જે ઈન્ટરનેટની નવી ક્રશ બની
    1 day ago
    સિંગર હ્યૂમન સાગરે 34 વર્ષની વયે દુનિયાને અલવિદા કહ્યું
    2 days ago
    દુબઈમાં રૂ.4000 કરોડનો શાહરુખ ખાનના નામ પર બનશે ટાવર
    5 days ago
    ડીપફેક શોષિત સેલેબ્સની લિસ્ટમાં શાહરૂખ ખાન ટોપ પર
    6 days ago
  • ધર્મ
    ધર્મShow More
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    3 weeks ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    1 month ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    1 month ago
    લક્ષ્મી પૂજનના દિવસે મહાલક્ષ્મી માતાજીનું અલૌકિક સ્વરૂપ: રાજાશાહી આભૂષણોમાં દર્શન
    1 month ago
    આજે ધનતેરસ સાંજે કરો આ ઉપાય, ક્યારેય ધનની કમી નહિ થાય
    1 month ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    1 week ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    3 weeks ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    3 weeks ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    3 weeks ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: હેર ટ્રાન્સપ્લાન્ટ: ફરી “માર્કેટ” લાવતી થેરપી!
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Hemadri Acharya Dave > હેર ટ્રાન્સપ્લાન્ટ: ફરી “માર્કેટ” લાવતી થેરપી!
AuthorHemadri Acharya Dave

હેર ટ્રાન્સપ્લાન્ટ: ફરી “માર્કેટ” લાવતી થેરપી!

Khaskhabar Editor
Last updated: 2023/08/05 at 5:40 PM
Khaskhabar Editor 2 years ago
Share
11 Min Read
SHARE

ચેપગ્રસ્ત અથવા સોજાવાળી ત્વચા પર પ્રક્રિયા કરવાથી જટિલતાનું જોખમ વધી શકે છે

જંગી બજારો અને જાહેરખબરોના આ યુગમાં સૌંદર્યને ખૂબ મહત્વ આપવામાં આવે છે. સૌ કોઈને સુંદર દેખાવું છે અને એ માટે બધા જ ઉપાયો અપનાવવા તૈયાર છે. સમાંતરે, લોકોની સૌંદર્યઘેલછાને ધ્યાનમાં રાખી અનેક વ્યવસાયો, ફુ્લ્યાફાલ્યા છે. જેવા કે પ્લાસ્ટિક સર્જરી, હેર ટ્રીટમેન્ટ, હેર ટ્રાન્સપ્લાન્ટ વગેરે.

- Advertisement -

હેર ટ્રાન્સપ્લાન્ટ એક સર્જીકલ ટેક્નિક છે. આ કોસ્મેટિક સર્જરી અધિકારીક રુએ ડર્મટોલોજીસ્ટ અથવા પ્લાસ્ટિક/કોસ્મેટિક સર્જન કરે છે. હેર ટ્રાન્સપ્લાન્ટની મુખ્ય બે પદ્ધતિઓ છે. બંને પદ્ધતિઓમાં, લોકલ એનેસ્થેસિયાનો ઉપયોગ કરીને માથાની ત્વચાને ખોટી પાડી દેવામાં આવે છે અને પાછળના ભાગમાંથી તંદુરસ્ત વાળના ફોલિકલ્સ(વાળના મૂળ)કાઢી તેને વાળ વગરના વિસ્તારમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવે છે.
બન્ને પદ્ધતિને જરા વિસ્તારથી સમજીએ તો…

ફોલિક્યુલર યુનિટ ટ્રાન્સપ્લાન્ટેશન (ઋઞઝ): હેર ટ્રાન્સપ્લાન્ટની આ ટેકનિકમાં, માથાના પાછળનાં ભાગેથી વાળના મૂળ સહિતની ત્વચાની પરત લેવામાં આવે છે અને વાળ વિનાના ભાગમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવે છે. આ પ્રક્રિયામાં, જ્યાંથી ત્વચા લીધી હોય ત્યાં ડાઘ રહી જાય છે. જો કે તે ડાઘ વાળ ઉગે પછી ઢંકાઈ જાય છે.
ફોલિક્યુલર યુનિટ એકસ્ટ્રેકશન(ઋઞઊ): આ ટેક્નિકમાં, વાળના ફોલિકલ્સને(મૂળને) એક પછી એક, મેન્યુઅલી કાઢીને ટાલ વાળા હિસ્સામાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવે છે. આ ટેકનિકનો વધુ ઉપયોગ થાય છે, કારણ કે તેનાથી દુખાવો ઓછો થાય છે, રૂઝ ઝડપથી આવે છે અને ડાઘ પણ આછા રહે છે. ઉપરોક્ત બેમાંથી, વ્યક્તિ માટે ક્યાં પ્રકારની સારવાર યોગ્ય છે તે સંખ્યાબંધ પરિબળોને ધ્યાનમાં રાખીને એક્સપર્ટ નક્કી કરે છે. અલબત્ત, અમુક સ્પેશ્યલ મેડીકલ કન્ડિશનમાં હેર ટ્રાન્સપ્લાન્ટ ટ્રીટમેન્ટ હિતાવહ નથી.

કોણે હેરટ્રાન્સપ્લાન્ટ ન કરાવવું જોઈએ?: અનકંટ્રોલ્ડ અથવા પાર્શિયલ કંટ્રોલ્ડ ડાયાબિટીસ, હાઈ બીપી, હાયપરટેન્શન અથવા ઓટોઇમ્યુન ડિસઓર્ડરથી પીડિત વ્યક્તિઓમાં હિલિંગ પ્રોસેસ પર અસર થાય છે અથવા તો બીજા જોખમ ઉભા થઇ શકે. હેર ટ્રાન્સપ્લાન્ટની વિચારણા કરતા પહેલા આ સ્થિતિઓને સારી રીતે સમજી લેવી ખૂબ જ જરૂરી છે.

- Advertisement -

રક્ત ગંઠાઈ જવાની વિકૃતિઓ: રક્તસ્રાવની વિકૃતિઓ ધરાવતી વ્યક્તિઓ અથવા જેઓ લોહીને પાતળું કરતી દવાઓની પરિસ્થિતીમાં, સર્જરી દરમ્યાન અને તે પછી પણ રક્તસ્રાવનું જોખમ અને રૂઝ આવવામાં પણ સમસ્યા ઉભી થઇ શકે છે. માથાની ત્વચામાં ચેપ અથવા ચર્મરોગની સ્થિતિ, જેમ કે ફોલિક્યુલાટીસ અથવા ફંગલ ઇન્ફેક્શન અથવા ત્વચાની અન્ય કોઈપણ બીમારીમાં, વાળ ટ્રાન્સપ્લાન્ટ કરાવતા પહેલા ઉપરોક્ત સમસ્યાની સારવાર અને ઉકેલ ન આવે ત્યાં સુધી રાહ જોવાની સલાહ આપવામાં આવે છે. ચેપગ્રસ્ત અથવા સોજાવાળી ત્વચા પર પ્રક્રિયા કરવાથી જટિલતાઓનું જોખમ વધી શકે છે

અમુક સંજોગોમાં, થાઇરોઇડ, મેટાબોલિક સિન્ડ્રોમ, એચઆઇવી, ટીબી, સિફિલિસ, કુપોષણ અથવા વાઈટામિન્સ/ આયર્નની ઉણપ, ગર્ભવતી તેમજ પ્રસૂતા, કીમોથેરાપી અથવા રેડિયેશન ટ્રીટમેન્ટ ચાલુ હોય એવી વ્યક્તિ માટે હિતાવહ નથી. અલબત્ત, ઉપરોક્ત માહિતી સર્વસામાન્ય છે અને આ સંજોગોમાં પણ, સૌ પ્રથમ તો સંબંધિત સર્જનની સલાહ લેવી એ જ યોગ્ય છે.

ધ્યાન રાખવા જેવી બાબતો: હેર ટ્રાન્સપ્લાન્ટ સરેરાશ પંચાણું ટકા સફળ સારવાર છે, જો તે તેમના નિષ્ણાત પાસે કરાવવામાં આવે તો અને તો જ! સામાન્ય રીતે ટ્રીટમેન્ટ દરમ્યાન ઇન્ફેક્શન થવાનું જોખમ, ત્વચા કાળી પડી જવી, સ્કાલ્પમાં સોજો, ખંજવાળ, લોહી નીકળવું, વાળના મૂળ સરખા ઇમ્પ્લાન્ટ ન થવા અથવા તેમાં ઇન્ફેક્શન થવું, રક્તસ્ત્રાવ, ટ્રાન્સપ્લાન્ટ વાળા ભાગ પર ત્વચાની પરત ઉખડતી રહેવી વગેરે થતું રહે છે. પણ ચોક્કસ કેસમાં, ઉપરના લક્ષણો સામાન્ય છે કે ચિંતાજનક એ નિષ્ણાત જ નક્કી કરી શકે. એકને ફાવે એ બીજાને અનુકૂળ ન હોય તે બહુ સ્વીકાર્ય વાત છે. દરેક વ્યક્તિની ચોક્કસ શારીરિક પરિસ્થિતિ હોય છે. તેથી, હેર ટ્રાન્સપ્લાન્ટ કે અન્ય કોઈપણ કોસ્મેટિક ટ્રીટમેન્ટમાં, વ્યક્તિનો મેડિકલ હિસ્ટ્રી, કોઈ ચોક્કસ દવાનું રિએક્શન આવતું હોય, એલર્જી હોય, તો એ માહિતી, વર્તમાન સ્વાસ્થ્ય પરિસ્થિતિ અને રોજેરોજ કોઈ દવા લેતાં હોવ તો તેની માહિતીની ચર્ચા ટ્રાન્સપ્લાન્ટ સર્જન સાથે કરવી ખૂબ જ જરૂરી છે. અલબત્ત, જરુરી મેડિકલ રિપોર્ટ્સ કર્યા બાદ જ સર્જરી હાથ ધરાતી હોય છે તેમ છતાં, ડોક્ટરથી એકપણ બાબત છુપાવવી જોઈએ નહીં. કારણ, તમને સામાન્ય લાગતી બાબતો જ ખતરારૂપ સાબિત થવાની સંભાવના નકારી ન શકાય. હેર ટ્રાન્સપ્લાન્ટ માટે ડર્મેટોલોજીસ્ટને પસંદ કરો કે પ્લાસ્ટિક સર્જનને, મહત્વનું એ છે કે તેમની સારી પ્રતિષ્ઠા સારી હોય, આ ફિલ્ડમાં બહોળો અનુભવ હોય, યોગ્ય સર્ટિફિકેટ્સ અને સફળ કેસોનો પોર્ટફોલિયો ધરાવતા હોવા જોઈએ.* તમારી ચોક્કસ જરૂરિયાતો વિશે ચર્ચા કરીને તેના માટે લાઇન ઓફ ટ્રીટમેન્ટ/વે ઓફ ટ્રીટમેન્ટ નક્કી થાય એ જરુરી છે.

જ્યાં ટ્રીટમેન્ટ લો ત્યાં અદ્યતન ટેકનોલોજી અને ઉપકરણ ઉપલબ્ધ છે ને, એ ખાતરી કરવી રહી. વળી હેર ટ્રાન્સપ્લાન્ટ થોડી લાંબી પ્રક્રિયા હોવાથી, એ પણ ખાતરી કરવી કે પુરી પ્રક્રિયા જે-તે સર્જન જ કરશે.ઘણીવાર મોટા ડોકટરના નામે ચાલતી ક્લિનિકમાં આવી ટ્રીટમેન્ટ આસિસ્ટન્ટ સ્ટાફ કરતાં હોય છે. યાદ રહે કે સર્જરી દરમ્યાન ડોક્ટરની હાજરીનો આગ્રહ રાખવો હિતાવહ છે. બીજું, વાળને અહીંથી લઈને તહીં રોપી દેવા એટલું જ નહીં, પરંતુ હેર ટ્રાન્સપ્લાન્ટ કુશળતા માંગી લેતી આર્ટિસ્ટિક સર્જરી છે કે જે થયાં બાદ કરાવનારનો ચહેરો એબનોર્મલ કે વિકૃત ન લાગવો જોઈએ. પેશન્ટની મુખમુદ્રા અને ઉંમર સાથે સુસંગત, કૃત્રિમ ન લાગતા સહજ લાગે એવું ગ્રાફટિંગ થાયએ ખાસ મહત્વનું છે. આ માટે સર્જરી પહેલાં એકથી વધુ વાર એક્સપર્ટ સાથે આ મુદ્દે ચર્ચા કરી લેવી. કોમ્પ્યુટરાઈઝડ પ્રિવ્યુ માટે આગ્રહ રાખવો. તમે પસંદ કરેલા એકસપર્ટનાં હેર ગ્રાફટિંગના રિવ્યુઝ ઈન્ટરનેટ પર ઉપલબ્ધ હોય તો એ જોઈ લેવાં જરુરી છે.

ખર્ચ: આ સારવારનાં ખર્ચ વિશે વાત કરીએ તો તે, બે લાખથી લઈને આઠ લાખ સુધી પહોંચી શકે છે. માથાના 1/3 ભાગના હિસ્સાને કવર કરવામાં લગભગ ત્રણેક હજાર વાળ ઇમપ્લાન્ટ કરવા પડે અને એક વાળદીઠ ચાલીસથી સાંઈઠ રૂપિયા ચાર્જ કરવામાં આવે છે. એ હિસાબે કેટલા હિસ્સામાં પ્રત્યારોપણ કરવાનું છે અને કંઈ જગ્યાએ સારવાર કરાવો છો એ મુજબ ચાર્જ નક્કી થાય અને તે મુજબ, બે કે ત્રણ સેશનમાં ટ્રીટમેન્ટ થાય છે.

વ્યક્તિએ પોતાના સ્તરે લેવાની કાળજી

સર્જરી પહેલા
-સર્જરીનાંઓછામાં ઓછા બે થી ત્રણ અઠવાડિયા પહેલા દર્દીઓએ ધૂમ્રપાન/આલ્કોહોલ બંધ કરવા પડે
-રોજ નિયમીત કોઈ દવા લેતા હોવ તો એ તમામ દવા વિશે નિષ્ણાતને જાણ કરવી જ જોઈએ.
-સર્જરીની આગલી રાત્રે મસાલેદાર આહાર ન લેવો હિતાવહ છે.
-કોઈપણ પ્રકારના હેલ્થ ઇશ્યુઝ હોય તો, એક પણ બાબત છુપાવ્યા કે ભૂલ્યા વગર ડોક્ટરને જણાવો. ન પૂછે તો પણ!
-કોઈ ખાસ દવાની એલર્જી હોય તો ડોક્ટરને ચોક્કસ જણાવો. જેથી કરીને, જે દવાની એલર્જી હોય એ જ દવા સર્જરી પછીની મેડીકેશનનો હિસ્સો ન બને એ વિશે ડોકટર સજાગ રહે.

હેર ટ્રાન્સપ્લાન્ટ પછી સંભાળ
-હેર ટ્રાન્સપ્લાન્ટની સફળતાનો દર નક્કી કરતું બીજું પરિબળ સર્જરી પછીની કાળજી છે. ઇન્ફેક્શન એ હેર ટ્રાન્સપ્લાન્ટ પછીની જોવા મળતી આડઅસરોમાંની એક અસર છે.
-ડોક્ટરે સૂચવ્યા મુજબ એન્ટિબાયોટિક્સ અને એન્ટી ઇંફ્લેમેટ્રીઝનો કોર્સ કાળજીપૂર્વક પૂરો કરવો
-ડોક્ટરે સૂચવ્યા મુજબનાં જ હેડ વોશનો ઉપયોગ કરવો.
-સખત વર્કઆઉટ્સ, સીધો સૂર્યપ્રકાશ અને ઓછામાં ઓછા ત્રણ અઠવાડિયા સુધી સ્વિમિંગ ટાળો.
-જ્યાં સુધી ગ્રાફટીંગ સ્થિર ન થાય ત્યાં સુધી માથાની ચામડીને ખંજવાળવાનું ટાળો.

જોખમો: સામાન્ય રીતે યોગ્ય જગ્યાએ આ સારવાર લેવા જઈએ તો, આ લેખમાં જણાવેલી બધી જ માહિતીથી એક્સપર્ટ/ડોકટર સારવાર લેનારને માહિતગાર કરે જ છે. છતાં પણ આ લેખમાં બધી જ માહિતીઓ આલેખવાનો ઉદ્દેશ એટલો જ કે, આપણે અવારનવાર સમાચારોમાં વાંચીએ/સાંભળીએ છીએ કે અમુક વ્યક્તિને હેર ટ્રાન્સપ્લાન્ટ બાદ કેવા કેવા વિપરીત પરિણામોનો સામનો કરવો પડ્યો. માથાની ત્વચામાં કાયમી ઇન્ફેક્શન, માથાની ત્વચા નરમ પડી જવાથી અલ્સરનો ખતરો, આખા શરીરે કાયમી ખંજવાળ, રક્તસ્ત્રાવ વગેરે ઉપરાંત પાછલા બે વર્ષમાં હેર ટ્રાન્સપ્લાન્ટ બાદ દિલ્હીના એક યુવકનું, સર્જરી બાદ સેપીપ્સ (જીવલેણ ઇન્ફેક્શન) અને તેના કારણે મલ્ટીપલ ઓર્ગન ફેલ થવાને કારણે તો; ગુડગાંવના એક યુવકનું એનાફિલેક્ટિક( ગંભીર એલર્જિક રિએક્શન)ના કારણે તેમજ અને મુંબઈના એક વેપારીનું મૃત્યુ નીપજ્યું એવા સમાચાર આવ્યા છે. આવું થવાનું કારણ? અલબત્ત, એવરેજ 85થી 95 ટકા સકસેસ રેટ વાળી, હેર ટ્રાન્સપ્લાન્ટની સર્જરી અતિ સંકુલ નથી પરંતુ સાધન સુવિધાથી સજ્જ સેટઅપ અને યોગ્ય ડોક્ટરની પસંદગી બે મુદ્દા ખૂબ મહત્વનાં છે. ઉપર કહ્યું તેમ આ સારવારમાં થતો જંગી ખર્ચ બચાવવા, સસ્તી સારવારના નામે કે પૂરતી માહિતીનાં અભાવે લોકો લેભાગુ સારવાર કેન્દ્ર કે તાલીમ વગરના અણઘડ લોકોના હાથમાં જઇ ચડે છે. ત્યાં હાઇજિન વિશે પૂરું ધ્યાન ન અપાતું હોય તો બકરું કાઢતાં ઊંટ પેસવાનો ઘાટ થઈ શકે. વળી તેમને પ્રી-ઓપરેટિવ અને પોસ્ટ-ઓપરેટિવ કેર વિશે માહિતગાર કરવામાં ન આવે કે દવાની ગંભીરતા સમજાવી લેવા/ ન લેવા વિશે કહેવામાં ન આવે તો નુકશાન સારવાર લેનારનું જ છે. ઘણીવાર કોઈને ચોક્કસ દવાની એલર્જી હોય તો એ અંગે પણ જાણકારી મેળવવાની પરવા રાખવામાં નથી આવતી. આ બધાને કારણે સામાન્ય ઇન્ફેક્શનથી લઈને ત્વચાનાં ગંભીર રોગો કાયમ માટે ઘર કરી જાય છે અથવા તેનાથી વધુ ભયાનક પરિણામ આવી શકે. એટલે જ ડોક્ટરો વગરના કોઈપણ કેરસેન્ટર કે કોસ્મેટિક સેન્ટરમાં આ સારવાર ન લેવી. આ ટ્રીટમેન્ટ લીધાં પછી પણ, ટ્રાન્સપ્લાન્ટેડ હેર ગ્રોથ વિશે ખાતરીપૂર્વક કશું કહી શકાતું નથી. સર્જરી પછી વાળની વૃદ્ધિ દરેક માટે સરખી હોતી નથી. દાતા વિસ્તારમાં તંદુરસ્ત વાળનું પ્રમાણ, ટાલ પડવાની માત્રા અને દર્દીનું સ્વાસ્થ્ય સર્જરીની સફળતાને પ્રભાવિત કરે છે. દાતા વિસ્તારમાં ઝીણા, છૂટાછવાયા અને નબળા વાળ ધરાવતાં લોકોમાં ઇમ્પ્લાન્ટડ્ વાળના નબળા કવરેજ સાથે તેનાં નબળા અસ્તિત્વમાં પરિણમી શકે છે. ઘણીવાર ટાલ પડવી વારસાગત હોય તો, એક જગ્યાએ ટ્રાન્સપ્લાન્ટ કરાવો અને પછી નવી જગ્યાએ ટાલ પડવાની શરૂઆત થાય તો વારંવારની સર્જરી બુદ્ધિગમ્ય નથી. વળી, ટ્રાન્સપ્લાન્ટ કરેલાં વાળ ભવિષ્યમાં નહિ ખરે એવી કોઈ ગેરેન્ટી હોતી નથી. ઉંમરની સાથે સાથે માથાના બીજા વિસ્તાર કરતાં, ઓછી ઝડપે પરંતુ, આ વાળ પણ ખરી શકે છે. ભારતમાં હેર ટ્રાન્સપ્લાન્ટ 97% સફળતા દર ધરાવે છે. (એટલે કે કોઈ ખરાબ પરિણામ નથી આવતા)હેર ટ્રાન્સપ્લાન્ટની સંખ્યામાં છેલ્લા વર્ષોમાં 30% જેટલો વધારો થયો છે. સામાન્ય રીતે વાળ ખરવાની/ટાલિયાપણાની સમસ્યા પુરુષોમાં વધુ જોવા મળે છે. પુરુષો અને સ્ત્રીઓમાં ટાલ પડવાની પેટર્ન અલગ હોય છે. પરિણામે બન્નેનાં હેર ટ્રાન્સપ્લાન્ટની સફળતા દરમાં તફાવત જોવા મળે છે. પુરુષોમાં સફળતાનો દર 95 થી 97% જેટલો છે, જ્યારે સ્ત્રીઓમાં તે 85 થી 95% ની વચ્ચે છે. લેખનાં અંતે ફરી કહીશ કે, એક કુશળ અને અનુભવી સર્જન પસંદ કરીને અને પ્રી-ઓપરેટિવ અને પોસ્ટ-ઓપરેટિવ સૂચનાઓનું કાળજીપૂર્વક પાલન કરવાથી હેર ટ્રાન્સપ્લાન્ટ સર્જરી સાથે સંકળાયેલા જોખમોને મોટા પ્રમાણમાં ઘટાડી શકાય છે. અથવા તો સૌંદર્યનાં કહેવાતાં માપદંડોથી પ્રભાવિત ન થઈને, વગર વાળે પણ મોજમાં રહી શકાય છે.

You Might Also Like

જટાયુ અર્થ સેન્ટર

બિહાર વિધાનસભા ચૂંટણી: મહાગઠબંધન કેમ હાર્યું ? NDA શા માટે જીત્યું ?

જરૂરી છે માણસનું માણસ થવું !

અમેરિકન ગ્રીનકાર્ડ ખોવાયું છે? હવે ચિંતા કરવાની જરૂર નથી!

તને મેં ઝંખી છે-યુગોથી ધીખેલા પ્રખર સહરાની તરસથી

TAGGED: hairtransplant
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article શ્રી રામચરિત માનસનાં જીવનસૂત્રો
Next Article શરીરની રોગપ્રતિકારક વ્યવસ્થા અમેરિકાની સંરક્ષણ વ્યૂહરચના કરતા અનેક ગણી સુસજ્જ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

સૌરાષ્ટ્રની સૌથી મોટી સિવિલમાં કરોડોના ખર્ચે બનેલી કેથ લેબને ‘અલિગઢી તાળાં’

Khaskhabar Editor Khaskhabar Editor 8 hours ago
CBSE ધોરણ 10-12ની પ્રેક્ટિકલ પરીક્ષામાં માર્ક્સ ભરવામાં ભૂલ કરશો તો સુધારો નહીં થાય!
શાળામાં સ્વામી વિવેકાનંદ વિષય પર ક્વિઝ સ્પર્ધાનું આયોજન
વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ: સૌરાષ્ટ્ર અને કચ્છમાં રોકાણને વેગ મળશે
‘વાંચનથી વિમુખ ન થાઓ’: રાજકોટમાં 3 શ્રેષ્ઠ વાંચન પ્રેમીઓનું સન્માન
રાજુલામાં બીડી કામદાર વિસ્તારમાં ધારાસભ્ય હીરાભાઈ સોલંકીના હસ્તે 8.5 લાખ લીટરના સંપનું ખાતમુહૂર્ત કરાયું
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Bhavy Raval

જટાયુ અર્થ સેન્ટર

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
Hemadri Acharya Dave

બિહાર વિધાનસભા ચૂંટણી: મહાગઠબંધન કેમ હાર્યું ? NDA શા માટે જીત્યું ?

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
Author

જરૂરી છે માણસનું માણસ થવું !

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?