જૂનાગઢ ગિરનાર ગુરુ દત્તાત્રેય મંદિરે ઉશ્કેરણી ભર્યા શબ્દો બોલતા વિવાદ સર્જાયો
ગિરનાર દત્ત મહારાજ મૂર્તિ પર વસ્તુઓના ઘા કરી સુત્રોચાર કર્યા
- Advertisement -
હિન્દુઓનો દાવો: દત્તાત્રેય ભગવાનનાં પગલાં, જૈનો કહે છે: નેમિનાથ ભગવાનનાં પગલાં
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ ગીરનારની પાંચમી ટૂંક પર આવેલ ગુરુ દત્તાત્રેય શીખર ખાતે આવેલ દત્ત મહારાજના પગલા મુદ્દે જૈન ધર્મ અને હિન્દૂ ધર્મના સંતો વચ્ચે છેલ્લા ઘણા વર્ષોથી વિવાદ ચાલી રહ્યો છે.
ત્યારે ગઈકાલ રવિવારે બપોરમાં સમયે અન્ય રાજના 200 થી વધારે જૈન દિગંબર લોકો શિખર પર આવેલ હતા અને કોર્ટના મનાઈ હુકમ હોવા છતાં ગિરનાર હમારા હૈ, હમ લેકે હી રહેંગે સુત્રોચાર કરતા મામલો ગરમાયો હતો અને બંને પક્ષે બનેલી ઘટના બાબતે તપાસ કરવાની માંગણી કરી હતી.
જૈન સંઘના પ્રમુખ હિતેશભાઈ સંઘવીના જણાવ્યા અનુસાર ગિરનાર પર્વત ઉપર પાંચમી ટૂંક ઉપર જૈનોના બાવીસમા તિથઁકર નેમિનાથ ભગવાનનો લાડુ મહોત્સવ ઉજવવા મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્ય પ્રદેશથી દિગમ્બર જૈન સમાજના 200 થી વધારે ભકતો આવેલ દરેક ઐતિહાસિક સ્થળ સાથે દરેક ધમઁના લોકોની આસ્થા જોડાયેલી હોય છે.
હવે દશઁનાથીઑઍ પગલાના દશઁન કરી ભગવાન નેમિનાથ નો જયજયકાર બોલાવતા ઍક સાધુ ખુલ્લી તલવાર લય અને મારવા દોડેલ તેનો વિડીયો વાયરલ થયો હતો જેના અનુસંધાને યોગ્ય તપાસ થાય તેવી માંગ કરવામાં આવી હતી આ બાબતે ડી.વાય.ઍસ.પી. હિતેષ ધાંધલીયાને રજુઆત કરતા યાત્રાળુઓના નામનુ લિસ્ટ આપતા બધા યાત્રીઓને ટ્રેનમા જવા દીધા હતા.
જૂનાગઢ ગિરનાર પાંચમી ટુંક ઉપર ગઇકાલે થયેલ વિવાદ બાદ ગુરૂદતાત્રેય ગિરનાર ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી કૈલાશભાઇ સુરેશ ચંદ્ર પુરોહિત દ્વારા ભવનાથ પોલીસ સ્ટેશનનાં પીએસઆઇને એક અરજી આપી હતી. જેમાં જણાવ્યુ હતુ કે, તા.1-10-2023નાં સવારથી હું મારા ઘરે હાજર હતો ત્યારે આશરે બારેક વાગ્યાના અરસામાં ગુરૂદતાત્રેય શિખર પરથી પુજારી દિપકબાપુનો ફોન આવેલ હતો જેમાં જણાવેલ કે, ગીરનાર પર્વત પર આવેલ ગુરૂદતાત્રેય શિખર ઉપર આશરે બસોથી અઢીસો જેટલા દિગંબર જૈન લોકોનો સંઘ આવેલો આ સંઘ દ્વારા ગુરૂદતાત્રેય શિખર ઉપર નામદાર કોર્ટનો મનાઇ હુકમ હોવા છતા ઉશ્કેરણી જનક સુત્રોચ્ચાર કરતા હોય તેમજ પુજારી દિપકબાપુ સાથે દુરવ્યવહાર કરવામાં આવેલ તથા અમારા ભગવાનશ્રી દતાત્રેયની મૂર્તિ ઉપર વસ્તુઓના ઘા કરી મૂર્તિ તોડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો તેમજ દતાત્રેય ભગવાનની ચરણ પાદુકા પાસે રહેલ ખુરશીનો ઘા કરી ચરણ પાદુકાને નુકશાન કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો તેમજ ગુરૂદતાત્રેય શિખર પર ફરજ પરના એસઆરપી જવાનની ફરજમાં રૂકાવટ કરવાની કોષીશ કરવામાં આવી તેમજ હિન્દી ભાષામાં જોરથી સુત્રોચ્ચાર કર્યો ગીરનાર હમારા હૈ હમ લેકેહી રહેગે આ સંઘમાં આવેલા લોકો રૂપાયતન પાસે આવેલી દિગંબર ધર્મશાળા રોકાયેલ છે જે તમામ વિરૂઘ્ધ કાયદેસર થવા મારી અરજ છે. તેવી અરજી ભવનાથ પોલીસ સ્ટેશનમાં આપેલી હતી.