ગોંડલ તાલુકાના અનિડા ભાલોડી ગામ ના સરપંચ સામત ભાઈ બાંમ્ભવા એ જણાવ્યું હતું તે અનિડા માં બે કોરોના પોઝીટીવ કેસ નોંધાતા ગ્રામજનોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. કોરોના ગામ માં વિકરાળ ન બને તે માટે ગ્રામપંચાયત દ્વારા પાંચ દિવસ નું લોકડાઉન કરવાનું નક્કી કરવામાં આવેલ છે. જેથી ગામમાં રહેતા કોઈ પણ મજૂર શ્રમિકો એ બાહાર ગામ મજુરી કરવા જવા ઉપર અનીડા ગ્રામ પંચાયત કચેરી દ્વારા પાબંધી લગાવવા માં આવે છે. મજુરી કામ બાહારગામ કરતા હોઈ તો તેને ત્યાં જ રહેવા સૂચના આપવામાં આવે છે તથા તમામ વેપાર ધંધા દિવસ ૫ સુધી બંધ રાખવાના છે. 5 દિવસનુ લોક ડાઉન જાહેર કરેલ છે. જેનો કોઈ એ ભંગ કરવો નહી. અનીડા ગામ રહેતા હોય તેને બહાર ગામ કે અન્ય સ્થળે કોઈ અગત્યના કામ સિવાય કે પરમીશન વગર ગામ બહાર જવુ નહી તેવું નક્કી કર્યું છે.