યુનેસ્કો દ્વારા ‘ગુજરાતના ગરબા’ને અમૃર્ત સાંસ્કૃતિક વારસો જાહેર કરાતા
ગૌરવવંતી ક્ષણના સાક્ષી બનતા ગીર સોમનાથવાસીઓ
ખાસ-ખબર સંવાદદાતા
ગીર સોમનાથ ભારતમાંથી અમૂર્ત સાંસ્કૃતિક વારસો (ઈંઈઇં) તરીકે ’ગુજરાતના ગરબા’નું નામાંકન યુનેસ્કોની માનવતાની પ્રતિનિધિ યાદીમાં અમૂર્તની સુરક્ષા માટેની આંતર-સરકારી સમિતિના અઢારમા સત્રમાં અંકિત થયું છે. ગુજરાત ગરબાની ભૂમિ હોવાને કારણે અને યુનેસ્કો શિલાલેખને રાષ્ટ્રીય ગૌરવની બાબત ગણતા રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ-ગાંધીનગર અને જિલ્લા વહીવટી તંત્ર, ગીર સોમનાથ દ્વારા આ માઈલસ્ટોનની ઉજવણી કરતાં શ્રી રામ મંદિર ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી મંજૂલાબહેન મૂછારના અધ્યક્ષસ્થાને ગુજરાતનો ગરબો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ઉપસ્થિત સર્વેએ જીવંત કાર્યક્રમ પણ નિહાળ્યો હતો.
- Advertisement -
આ તકે, કલેક્ટર એચ.કે.વઢવાણિયાએ જણાવ્યું હતું કે, ગરબા એ ગુજરાતની પુરાતન સંસ્કૃતિ છે. ગરબો એ ગુજરાતીઓની રગોરગમાં વણાયેલો છે. નૃત્ય અને ઉમંગનો આ તહેવાર સમગ્ર વિશ્વમાં લાંબા ચાલતા તહેવાર તરીકે જાણીતો છે. જેને યુનેસ્કોએ આ એક નવી ઓળખ આપી છે. વિશ્વભરમાં વસેલા ગુજરાતીઓ માટે આ ગૌરવવંતી ક્ષણ છે.સમગ્ર કાર્યક્રમની રૂપરેખા જણાવી હતી. અમૂર્ત સાંસ્કૃતિક વારસા તરીકે ગુજરાતનો ગરબો કાર્યક્રમમાં મોડેલ સ્કૂલ ઈણાજ દ્વારા ભગવાન શ્રી કૃષ્ણ અને રાધાને સમર્પિત ’ઘમર ઘમર મારૂ વલોણું’ રાસ તેમજ કચ્છી પરંપરાના ગરબાની પ્રસ્તુતી કરી હતી. ઉપરાંત પીટીસી કોલેજ પ્રભાસ પાટણ દ્વારા ’મન મોર બની થનગાટ કરે’ પર પરંપરાગત ગરબાની અને મહાદેવ ગૃપ દ્વારા ’રાસડો જામ્યો’ની પ્રસ્તુતિ કરવામાં આવી હતી.