કાર્તિકોલોજી: કાર્તિક મહેતા
જાણીતા વિચારક માર્ક ટવેઇનનું એક અવતરણ છે કે : જે ડૉકટર માત્ર દવાઓ (દેવાનું) જાણે છે તે વાસ્તવમાં કશું જ નથી જાણતો”
- Advertisement -
ડૉકટર શબ્દના મૂળ લેટિન શબ્દ મજ્ઞભયજ્ઞમાં છે જેનો અર્થ થાય : ભણાવવું.
મધ્યયુગી યુરોપમાં ખ્રિસ્તી ધર્મગુરુઓ શિક્ષણ, ચિકિત્સા અને ધર્મ એમ ત્રણેય કામ કરતા. જેમ ભારતમાં પણ આ ત્રણેય કર્મ બ્રાહ્નણોના હાથમાં હતા. આથી જે ભણાવે તે ડૉકટર અને ચિકિત્સા કરે તે પણ ડૉકટર.
ભારતમાં ચિકિત્સકને વૈદ્ય કહેવાતા. જેનો અર્થ થાય વેદોનો જાણકાર. આમ, ડૉકટર તરીકે હમેશા તેજસ્વી ઓજસ્વી લોકોને જ સ્વીકારવામાં આવતા.
રોગી માટે સંસ્કૃતમાં “આતૂર” શબ્દ છે જેનો અર્થ ઉતાવળો એવો પણ થાય છે જ્યારે અંગ્રેજીમાં રોગીને “પેશન્ટ” કહેવાય છે જેનો અર્થ થાય છે “ધીરજવાન” ખ્રિસ્તી ધર્મમાં પીડા સહન કરવાનું મહત્વ ઘણું છે તેથી રોગી ધીરજ પૂર્વક પીડા સહન કરે તે જરૂરી ગણાય છે અને રોગીને પેશન્ટ કહેવાય છે.
આધુનિક ચિકિત્સા શાસ્ત્ર/મોડર્ન મેડિસિનને વિકસિત અને પ્રચલિત થયાને હજુ માંડ સો વર્ષ થયા છે એ પહેલા વિશ્વભરમાં પ્રાકૃતિક ચિકિત્સાની બોલબાલા હતી. રોગો કેમ થાય છે એ બાબતે અનેક મતો હતા. આયુર્વેદ વાત પિત્ત અને કફના અસંતુલનને રોગો માટે કારણભૂત ગણતું. ચીન જાપાન જેવા આગમ શસ્ત્રો આધારિત ધર્મોમાં માનતા લોકો યીન અને યાંગ (શિવ અને શક્તિ)ના અસંતુલનને રોગ માટે જવાબદાર ગણતા.
આજનું વિકસિત યુરોપ ત્યારે તદ્દન પછાત હતું, યુરોપમાં રોગોના કારણ વિષે બહુ અજ્ઞાન હતું. યુરોપના લોકો સડેલી ચીજોથી ઉત્પન્ન થયેલી હવાને રોગો માટે કારણભૂત ગણતા.
પ્રાચીન યુરોપમાં લોકો રોગ દૂર કરવા વિચિત્ર ઉપાયો કરતા જેમાં ખોપરીમાં કાણું કરવું, શરીર ઉપર કાપો મૂકીને લોહી વહાવવું જેવા વિચિત્ર ઉપાયો શામેલ હતા. ખોપરીમાં કાણું પાડવાની વાહિયાત પ્રથા છેક 1950માં બંધ થઇ.
ભારત સહીત એશિયા અને આફ્રિકામાં લોકો અમુક રોગો સામે લડવા માટે એજ રોગને જ દર્દીને લાગુ પાડવામાં આવતા.આ પરથી એડવર્ડ જેનર નામના અંગ્રેજ સંશોધકે શીતળાની રસી શોઘી.
યુરોપમાં ઓગણીસમી સદીની શરૂઆતથી ચિકિત્સા ક્ષેત્રે ક્રાંતિકરી ફેરફારો થવા લાગ્યા.
ડૉકટર સેમ્યુઅલ હાનેમાને હોમિયોપથી શોધી. હાનેમાન અને એના શિષ્યોએ રોગો માટે ત્રણ મીઆઝમા (ચેપ)ને જવાબદાર ગણ્યા. સોરા, સાયકોસીસ અને સિફલિસ. આ ત્રણેયના લક્ષણો વાત પિત્ત અને કફને મળતા આવે છે. હોમિયોપથીની એક પેટાશાખા બાયોકેમી પણ ડેવલપ થઇ. બાયોકેમી અનુસાર રોગોનું કારણ બાર ક્ષારમાંથી અમુક ક્ષારોનું અસંતુલન છે. માણસના સ્નાયુમાં બાર ઈનઓર્ગેનિક/અકારબનીક ક્ષારો આવેલા હોય છે. માણસને રોગ થાય તે ખરેખર માણસના કોષોમાં આ બાર પૈકી અમુક ક્ષારનું અસંતુલન હોય છે આથી એ અસ્ન્તુલ્ન દૂર કરવામાં આવે તો રોગ દૂર થઇ જાય છે.
ડૉકટર હાનેમાન જ્યારે હોમીઓપથી ડેવલપ કરતા હતા એ આસપાસ ફ્રાન્સમાં લુઇ પાશ્ચર નામના સંશોધકે એક ક્રાંતિકારી થિયરી આપી જેને “જર્મ થિયરી” કહેવાય છે. પાશ્ચરે કહ્યું કે કોઈપણ રોગ સૂક્શમ જીવોને કારણે થાય છે.
આ જર્મ થિયરી આજના મોડર્ન મેડિકલ સાયન્સનો પાયો ગણાય છે.
પાશ્ચરના કટ્ટર વિરોધી એવા એન્ટની બીકમ્પ નામના વિદ્વાને પાશ્ચરની જર્મ થિયરી સામે “ટેરેન થિયરી” પ્રસ્તુત કરી હતી. આ થિયરી કહેતી હતી કે “સૂક્ષ્મ જીવોને કારણે રોગ થતા નથી, સૂક્ષ્મ જીવો નિર્દોષ હોય છે પણ અમુક બાહ્ય પરિસ્થિતિને કારણે આ સૂક્ષ્મ જીવો વિલન બની જાય છે.”
- Advertisement -
બીકમ્પની થિયરી એમના સમયમાં સ્વીકારાઈ નહિ કેમકે પાશ્ચર એક વગદાર માણસ હતો. પાશ્ચર પોતાના સંતાનોને કહી ગયા કે પોતાની ડાયરીઓ કોઈને આપે નહિ. પણ એના મૃત્યુ બાદ આ ડાયરીઓ નેશનલ લાઈબ્રેરી ઓફ ફ્રાન્સ પહોંચી અને ઘટસ્ફોટ થયા કે પાશ્ચરના સંશોધનો અને થિયરીમાં અનેક લુપહોલ્સ હતા. જોકે પાશ્ચરની ઉપલબ્ધીઓ બાબતે કોઈ આંગળી ચીંધી શકે એમ નથી. પાશ્ચરાઈઝેશનની શોધ પાશ્ચરે જ કરી હતી.
પાશ્ચરના કટ્ટર વિરોધી એન્ટની બીકમપે એક રસાયણ બનાવેલું જેનું નામ હતું આર્સેનીલીક એસિડ. આ રસાયણ માંથી પોળ એલરીક નામના વિદ્વાન જર્મને જગતની પહેલી એન્ટિબાયોટિક “આર્સફ્રેનામાઇન” બનાવી; આ એન્ટિબાયોટીક સિફલિસ જેવા ઘાતક રોગ સામે ખુબ કારગર રહી.
બીજી બાજુ એલેક્ઝાન્ડર ફ્લેમિંગ નામના સંશોધકને અનાયાસે પેનિસિલિન નામની દવા જડી. ફ્લેમિંગ કહેતા કે “દરેક કોષ ઉપર ગ્રાહક/રિસેપટર્સ હોય છે જે ખોરાકના તત્વોને કોષમાં પચાવે છે. પણ અમુક સૂક્ષ્મ જીવોના રસાયણોને જ્યારે રિસેપટર્સ ગ્રહણ કરે ત્યારે કોષ ખણ્ડિત થાય છે અને માણસ રોગમાં સપડાય છે”
અમેરિકામાં મોડર્ન મેડિસિનનું ચલણ મોડું શરુ થયું. જ્હોન હારવી કેલોગ નામના સંશોધકે અમેરિકામાં પ્રાકૃતિક ચિકિત્સા આધારિત એક કેન્દ્ર સ્થાપ્યું જેમાં પ્રાકૃતિક ચિકિત્સા, શાકાહાર અને વ્યાયામને આધારે દર્દીને રોગમુક્ત કરવામાં આવતો. આ કેન્દ્રમાં જે પોષક આહાર આપવામાં આવતો એમાંથી આજની કેલોગ્સ કમ્પનીનો જન્મ થયો છે.
નોબેલ પ્રાઈઝ વિજેતા જર્મન સંશોધક ઓટ્ટો વરબર્ગે કેન્સર ઉપર પુષ્કળ રિસર્ચ કરીને કહ્યું હતું કે “કેન્સર થવાનું એક માત્ર કારણ શરીરના કોષોમાં ઓક્સિજનનો અભાવ છે”
આજે જ્યારે ડૉકટરી એક મોટો વ્યાપાર ઉદ્યોગ બન્યો છે ત્યારે જરૂરી છે કે આપણે ફરી વિચારીએ કે રોગનું કારણ શું છે અને ડૉકટરનું કામ શું છે ..
મહર્ષિ ચરક, મહર્ષિ સુશ્રુતથી લઈને ડૉકટર હાનેમાન, ડૉકટર ઓટ્ટો વારબર્ગ, ફ્લેમિંગ, પાશ્ચર, બીકમ્પ, કેલોગ, જેનર જેવા મહાન સંશોધકો સાચા ડૉકટર હતા જેમને આજના ડૉકટરોએ વાંચવા અને જાણવા જોઈએ. જેથી કોરોના જેવી મહામારીઓ અને કેન્સર, હ્રદયરોગ જેવી બીમારીઓ સામે મોડર્ન મેડિસિનને ઘૂંટણિયા ના ટેકવવા પડે.