જૂનાગઢ દોલતપરા રોડ પર આવેલ જીઆઇડીસી 1માં આવેલ બારદાનના ગોડાઉનમાં અચાનક આગ લાગતા જૂનાગઢ મનપા ફાયર વિભાગને જાણ કરતા તુરંત ફાયર વિભાગ ઘટના સ્થળે પોંહચી એક કલાકની જેહમત બાદ આગ કાબુમાં લીધી હતી. જાણવા મળતી વિગત પ્રમાણે જીઆઈડીસી – 1માં પ્લોટ નંબર 96માં આવેલ વિનોદકુમાર એન્ડ કંપનીમાં આગ લાગી હતી તેની જાણ ગોડાઉન માલીક કમલેશભાઇ પંજાબીએ આ બારદાનનું ગોડાઉન વિનોદભાઇને ભાડેથી આપ્યું હતું અને બારદાનનો વ્યવસાય કરતા ત્યારે આજે બપોરના સુમારે ગોડાઉનમાં અચાનક આગ લાગી હતી અને થોડીવારમાં આગે ગોડાઉનમાં પડેલા બારદાન બળીને ખાખ થઇ ગયા હતા અને લાખોના બારદાન બળીને ખાખ થયા હતા આ આગની ઘટના બનતા ફાયર વિભાગની રિસ્પોન્સ ટીમ આગના બનાવ સ્થળે પોંહચી ગઈ હતી અને 10 હજાર લીટર પાણીનો મારો ચલાવી આગ મહામુસીબતે કાબુમાં લીધી હતી જોકે કયાં કારણોસર આગ લાગી તે જાણવા નથી મળ્યું ત્યારે પ્રાથમિક અનુમાન પ્રમાણે આગ સોર્ટસર્કિટ લાગી હોવાનું જાણવા મળી રહ્યું છે. જેની વધુ તપાસ થયા બાદ સાચું કારણ સામે આવશે
Follow US
Find US on Social Medias