રૂા. 27 હજારનો વહીવટી ચાર્જ વસુલ્યો
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ શહેરમાં જ્યારે ઘરે-ઘરે ડેંગ્યુ, મેલેરિયા જેવો રોગચાળો ફેલાયો છે ત્યારે મનપાની આરોગ્ય શાખા દ્વારા લોકો જ્યારે બીમારીમાં સપડાયા છે ત્યારે હવે શહેરની હોટલો, બાંધકામ સહિતની જગ્યાઓ પર ચેકીંગ હાથ ધરી દંડની વસુલાત કરી હતી.
- Advertisement -
રાજકોટ મનપાની આરોગ્ય શાખા દ્વારા આળસ ખંખેરીને છેલ્લાં થોડાં દિવસોથી લોકહિતાર્થે કંઈક કામ કરવાની નૈતિક ફરજ અદા કરીને આજે શહેરના આર.એન.સી. ચોક, રજપૂતપરા, ઢેબર રોડ, ગોંડલ રોડ સહિતના વિસ્તારોની હોટલો, બાંધકામ સાઈડ, કોમ્પલેક્ષ સહિતની 68 મિલ્કતોમાં તપાસ હાથ ધરીને જે જવાબદાર હોટલ માલિક, કોમ્પલેક્ષ અને બાંધકામ સાઈડમાં ભરાતા પાણીનો નિકાલ ન કરાતા હોવાથી 15 આસામીઓને નોટીસ ફટકારી હતી જ્યારે 21 આસામીઓને નોટીસ ફટકારીને રૂા. 27500નો સ્થળ પર વહીવટી ચાર્જ વસુલ્યો હતો.