જુનાગઢ ગરવાગઢ ગિરનાર પર બિરાજમાન માં અંબા માતાજીના મંદિરે આજે વહેલી સવારે ગિરનારની યાત્રા કરવા આવેલા મહારાષ્ટ્ર નાસિકના ભાવિકોએ ડમરુ બેન્ડની ધ્વનિ સાથે જગતજનની માં અંબાના નિજ મંદિરમાં માતાજીને ડમરુ બજાવી માતાજીની આરાધના કરી હતી.જયારે માતાજીના માઇ ભક્તો દ્વારા અનેકરીતે પોતાની ભક્તિ કરીને માતાજી સનમુખ આરાધના કરતા હોઈ છે ત્યારે નાસિકના યુવાન માઇ ભક્તો દ્વારા માતાજી સનમુખ ડમરુના તાલે માતાજીની આરાધના કરી હતી અને ગિરનાર ડમરુની ધ્વનિથી ગુંજી ઉઠ્યો હતો.
જૂનાગઢ ગિરનાર માતાજી સનમુખ ડમરુના નાદ સાથે મા અંબાની આરાધના કરતા માઇ ભક્તો
You Might Also Like
Follow US
Find US on Social Medias