By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ભયાનક સ્પીડમાં આવતી મર્સિડીઝ હવામાં ઉછળી હતી અને રાઉન્ડઅબાઉટ પર અથડાયા બાદ બે કાર પર કૂદી પડી હતી
    2 days ago
    કૅનેડા,ભારતીયો માટે ખુશ ખબર, કેનેડાની H-1B વિઝાને લઈ મોટી જાહેરાત
    3 days ago
    પીએમ મોદીએ યુક્રેન પર મોટો સંદેશ મોકલ્યો કારણ કે તેઓ પુતિનને કહે છે કે ભારત આજે તટસ્થતાને બદલે શાંતિનું સમર્થન કરે છે
    3 days ago
    યુએસ એરફોર્સનું F-16 ફાલ્કન ફાઈટર જેટ કેલિફોર્નિયાની ડેથ વેલીમાં ક્રેશ થયું, પાયલટ સુરક્ષિત રીતે બહાર નીકળી ગયો
    4 days ago
    પુતિનની ભારત મુલાકાત: ICC ધરપકડ વોરંટની ચિંતા કાર્ય વિના પ્રવાસ
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    શશી થરુરે મેરિટલ રેપને ક્રાઈમ ગણાવતું બિલ રજૂ કરતાં ચર્ચા
    2 days ago
    આજે ઇન્ડિગોની 400 અને 4 દિવસમાં 2000+ ફ્લાઇટ્સ રદ્દ
    2 days ago
    ઇન્ડિગો કામગીરી સ્થિર થવાનું શરૂ કરે છે, ભાડાં હળવા થવાની શક્યતા છે
    2 days ago
    ઇં-1ઇ વિઝા માટે સોશિયલ મીડિયા તપાસ ફરજિયાત: ટ્રમ્પનો કડક આદેશ
    3 days ago
    મેલેરિયાથી 6.10 લાખના મોત, 28.2 કરોડ નવા કેસ, બે ટેકનિકથી 10 લાખને બચાવાયા : ઠઇંઘનો 2024નો રિપોર્ટ
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    કોહલી-રુટ: સચિન તેંડુલકરના ત્રણ મોટા રેકોર્ડ ખતરામાં! કોહલી અને રુટે ઐતિહાસિક વ્યક્તિઓ પર દબાણ વધાર્યું
    2 days ago
    વોર્મ-અપ ભૂલથી પિચ અને બોલને વિચિત્ર દ્રશ્યોમાં અટવાયા બાદ WBBL મેચ ત્યજી દેવામાં આવી
    2 days ago
    આ ભારતીય-અમેરિકન અબજોપતિ વિરાટ કોહલીના આરસીબીને હસ્તગત કરવા માટે સૌથી આગળ છે.
    3 days ago
    7 છગ્ગા 8 ચોગ્ગા, 47 બોલમાં સદી… IPLની હરાજી અગાઉ સરફરાઝ ખાનનું તોફાની પ્રદર્શન
    5 days ago
    એક મિલિયન પળમાં એક: દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ બીજી મેચમાં ભારત સતત 20મી ODI ટોસ હારી ગયું
    5 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    શું રજનીકાન્તની ફિલ્મ “જેલર ટુ”માં સેતુપતિની એન્ટ્રી થશે ?
    1 week ago
    જાહ્વવી કપૂર અને જુનિયર એનટીઆરની દેવરા ફિલ્મ પર કામ શરુ થતા જ બંધ કરાયું ?
    2 weeks ago
    પતિ ધર્મેન્દ્રની યાદમાં પત્ની હેમા માલિનીએ પહેલી પોસ્ટ શેર કરી
    2 weeks ago
    પંજાબી અભિનેત્રી સોનમ બાજવા, મસ્જિદમાં ફિલ્મનું શૂટિંગ કરતા મુકાઈ મુશ્કેલીમાં
    2 weeks ago
    આસામના CMનો ઘટસ્ફોટ: ઝુબિન ગર્ગનું મોત થયું હતું, દોષિતોને છોડવામાં આવશે નહીં
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    2 weeks ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    2 weeks ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    1 month ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    2 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    2 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    4 weeks ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    1 month ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    1 month ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    1 month ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: પોરબંદર સુધી ડીપ-સી પાઇપ લાઈન પ્રોજકેટ રદ કરવાની માંગ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > જુનાગઢ > પોરબંદર સુધી ડીપ-સી પાઇપ લાઈન પ્રોજકેટ રદ કરવાની માંગ
જુનાગઢ

પોરબંદર સુધી ડીપ-સી પાઇપ લાઈન પ્રોજકેટ રદ કરવાની માંગ

Khaskhabar Editor
Last updated: 2024/12/26 at 3:58 PM
Khaskhabar Editor 12 months ago
Share
4 Min Read
SHARE

જેતપુર ડાઇંગ ઉદ્યોગના કેમિકલયુક્ત પાણી મુદ્દે ખારવા સમાજમાં રોષ

માંગરોળ ખારવા સમાજ સહિતના લોકોએ કલેકટરને આવેદન આપ્યું
સૌરાષ્ટ્રની દરિયાઈ જીવસૃષ્ટિના ખોરાકમાં ઝેર અટકાવવા પીએમ સુધી રજૂઆત

- Advertisement -

ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.26
સૌરાષ્ટ્ર ભરમાં વિશાળ દરિયા કિનારો આવેલો છે જેમાં જૂનાગઢ અને પોરબંદર સાથે વેરાવળ દરિયા કિનારાનો મુખ્ય વિસ્તાર આવેલો છે.ત્યારે દરિયાઈ જીવસૃષ્ટિ અને માછીમારોના રોજગાર બચાવવા તેમજ ખોરાકમાં પોહચતા ઝેરને અટકકાવા જેતપુર ડાઇંગ ડાઇંગ અને પ્રિન્ટિંગ ઉધોગ દ્વારા પોરબંદરના દરીયા કીનારા સુધીની ડીપ – સી ડિસ્પોઝલ માટેની પાઇપ લાઈન પ્રોજેક્ટ રદ કરવાની માંગ સાથે પ્રધાનમંત્રી મોદીને સંબોધીને જૂનાગઢ કલેકટરને એક આવેદન પત્ર આપવામાં આવ્યું હતું જેમાં માંગરોળ ખારવા સમાજ સહીત વિવિધ માછીમારી સાથે સંકળાયેલ આગેવાનો જોડાયા હતા અને જેતપુર ડાઇંગના કેમિકલ યુક્ત પાણી દરિયામાં ઠાલવાના પ્રોજેક્ટ સામે વિરોધ નોંધાવ્યો હતો.

માહિતી અને રેકોર્ડના આધારે એવી સમજ મળેલ છે કે, ગુરજરાત હાઇકોર્ટ અને નેકશનલ ગ્રીન ટ્રીબ્યુનલમાં ફેકટરીઓ વિરૂઘ્ધ ભારદ નદીમાં તેમજ અમદાવાદ ખાતેની સાબરમતી નદીમાં કેમિકલ યુક્ત ફેકટરીના પાણી નાખતા બંધ કરવા માટે ઓર્ડર કરેલ હોય અને તે તમામ કંપનીઓ ગુનેગાર સાબિતજ હોય તેમ છતા તે કંપનીના કેમિકલને ફેકટરીઓ દ્વારા પ્રોપર ટ્રીટ કરવાનાઆદેશને બદલે સરકાર દ્વારા સીધા 2275 કરોડ રૂપિયા ફાળવી કેમિકલ વેસ્ટ કે જે નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ દ્વારા મનાઇ કરવામાં આવેલ ગંદા પાણીને હવે ગુજરાતના દરયિામાં નાખવાનની પરવાનગી આપી છે અને તે પ્રોજેકટની જવાબદારી પણ શ્રી સરકાર દ્વારા ગુનેગાર સાબિત થયેલ કંપનીઓને માથે સોંપી છે. જેનો અર્થ એ થાય છે કે આપશ્રી શ્રી સરકાર દ્વારા જનતાના રૂપિયે ફકત અમુક લાભાર્થીઓ માટે અનેકના જીવ લેવાશે જેમાં ખેડૂતો, સાગર ખેડૂઓ, અસંખ્ય દરિયાઇ જીવ પ્રજાપતિ, ભાદર નદી તેમજ તેમને સંલગ્નદીઓનો સમાવેશ થાય છે અને આ જવાબ દેહી રૂપિ મોટા ફુટબોલ જેવી રમત એકબીજાના માથે થોપાતી હોય તેમ જણાય છે.

ડીપ સી ઇન્ફલુઅન્ટ પ્રોજેકટના શરૂઆત સૌ પ્રથમ ઉદ્યોગ ભવન ગુજરાતથી થઇ છે જેમાં ઉદ્યોગ ભવન ગુજરાત દ્વારા ગુજરાત રાજય સરકાર પાસે માંગણી કરીને ગુજરાત રાજ્યના ઉદ્યોગના કેમિકલ યુક્ત પાણીના પ્રશ્ર્નના નિકાલ માટે અને જમીન બગડે નહી એટલા માટે વ્યવસ્થા કરવામાં આવે અને એ માટે રાજ્ય સરકાર પાસે 3 જગ્યા એ ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટ માટેની માંગણી કરી જેમાં વડોદરા, સુરત અને જેતપુરની ફેકટરીઓનો સમાવેશ થતો હતો. જયારે ખેડૂતોની જમીનમાંથી પ્રોજેકટની પાઇપલાઇન પસાર થનાર છે તો જયારે પણ લીકેજ થશે તો તે ખેડૂતની જમીન ફરીથી ખેડવા જેવી રહેશે કે નહીં અને તેમનું વળતર કોણ ચુકવશે તેવી કોઇ સ્પષ્ટતા કરવામાં આવેલ નથી કે કેટલા જીવનામ શેષ થશે. કાર્યવાહીમાં પોરબંદર જિલ્લાના લોકોને પણ વિશ્ર્વાસમાં લીધા વગર કોઇ યોગ્ય કાયદાકીય રાહત અપનાવ્યા વગર સીધી મુખ્ય મંત્રીશ્રીના હસ્ત મંજૂરી આપી દેવામાં આવી છે જે કાયદા સુસંગત વાત લાગતી નથી. ચાલો થોડીવાર પરંતુ માની લઇએ કે જેતપુરના 2000થી વધુ ડાઇંગ ઉદ્યોગની ફેકટરીઓ છે અને એ તમામ ઇમાનદારીથી સરકારશ્રીની પુરી ગાઇડલાઇન અનુરૂપ કાળજીરાખીને પાણી શુઘ્ધ કરીને સીઇપીટી પ્લાન્ટમાં પાણી નાખ્યુ અને એમાંથી જો 1400 જેટલી ફેકટરી એવી હશે કે સરકારશ્રી ગાઇડ લાઇનનું પાલન ના કરે કેમ કે એમને કલોઝર નોટીસ મળેલ છે અને તે કંપનીનો કડદો એ 120 કિ.મી. લાંબી પાઇપમાં નાખી અને દરિયામાં વહાવી દે તો તે કેમીકલ યુકત પાણી દરિયામાં નાખતુ કોણ અટકાવી શકશે અને કોની જવાબદારી રહેશે ? હકીકતમાં ગયા વર્ષે જ ગાંધીનગર દ્વરા જેતપુરના ડાઇંગ ઉદ્યોગને કલોઝર નોટીસ આપેલ હતી. આ પાઇપલાઇન ઉપલેટા, માણાદર, કુતિયાણા થઇને ખેતીની જમીનમાંથી પસાર થશે અને જયારે લાઇન ફોલ્ટ કે લીકેજ થશે ત્યારે હજારો વિઘા ેતીની જમીન કે પાકમાં ઝેરી પાણી ફરી વળશે ત્યારે ખેડૂતોના શું હાલ થશે ? આ પ્રોજેકટમાં ખેડૂતોને નુકશાન અંગેની અને વળતરની કોઇપણ જવાબદારી સકરકાર દ્વરારા લેવામાં આવેલ નથી કેકોઇપણ ઉધોગને જવબદારી સોંપવામાં આવેલ નથી કે સ્પષ્ટતા કરવામાં આવેલ નથી. મરે તો ખેડૂત મરે ઉદ્યોગને ફાયદો અહીં કરાવવાની વાત છે. જે બાબતે માંગરોળ ખારવા સમાજના પટેલ ધનસુખભાઇ પ્રેમજીભાઇ ગોસીયા તેમજ વેલજીભાઇ મસાણી સહિતના ખારવા સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહીને આ પ્રોજેકટનો વિરોધ કરી રદ કરવાની માંગણી કરી હતી.

- Advertisement -

You Might Also Like

વેરાવળ બસ સ્ટેન્ડ રોડ ઉપર જર્જરિત ઈમારતનો બીજા માળનો રવેશ તૂટી પડયો: સદનસીબે જાનહાનિ ટળી

રાષ્ટ્રીય તમાકું નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત વેરાવળના વિવિધ સ્થળો પર સઘન તપાસ

વેરાવળ ખાતે શહેરી વિકાસ વર્ષ-2025 અંતર્ગત જૂનાગઢ અને ગિર સોમનાથ જિલ્લાની નગરપાલિકાઓની સંકલન બેઠક યોજાઈ

કોડીનાર તાલુકાના બરડા ગામ ખાતે કલેક્ટર ઉપાધ્યાયના અધ્યક્ષસ્થાને રાત્રીસભા યોજાઈ

જૂનાગઢમાં રાજ્યમંત્રી કૌશિક વેકરીયા દ્વારા મહાશિવરાત્રી મેળો અને ખેડૂતલક્ષી કામગીરીની સમીક્ષા

TAGGED: junagadh, PORBANDAR
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article મહાકુંભ માટે મળેલી સ્પેશિયલ ટ્રેનને જૂનાગઢને સ્ટોપ ન મળે તો આંદોલનની ચિમકી
Next Article સુરેન્દ્રનગરમાં સુશાસન દિવસની ઉજવણી અંગે કાર્યક્રમ યોજાયો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

વેરાવળ બસ સ્ટેન્ડ રોડ ઉપર જર્જરિત ઈમારતનો બીજા માળનો રવેશ તૂટી પડયો: સદનસીબે જાનહાનિ ટળી

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
રાષ્ટ્રીય તમાકું નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત વેરાવળના વિવિધ સ્થળો પર સઘન તપાસ
વેરાવળ ખાતે શહેરી વિકાસ વર્ષ-2025 અંતર્ગત જૂનાગઢ અને ગિર સોમનાથ જિલ્લાની નગરપાલિકાઓની સંકલન બેઠક યોજાઈ
કોડીનાર તાલુકાના બરડા ગામ ખાતે કલેક્ટર ઉપાધ્યાયના અધ્યક્ષસ્થાને રાત્રીસભા યોજાઈ
જૂનાગઢમાં રાજ્યમંત્રી કૌશિક વેકરીયા દ્વારા મહાશિવરાત્રી મેળો અને ખેડૂતલક્ષી કામગીરીની સમીક્ષા
બે થેલી ખાતર પણ ભેળસેળવાળું મળતાં ખેડૂતોમાં રોષ સાથે આક્ષેપ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

જુનાગઢ

વેરાવળ બસ સ્ટેન્ડ રોડ ઉપર જર્જરિત ઈમારતનો બીજા માળનો રવેશ તૂટી પડયો: સદનસીબે જાનહાનિ ટળી

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
જુનાગઢ

રાષ્ટ્રીય તમાકું નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત વેરાવળના વિવિધ સ્થળો પર સઘન તપાસ

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
જુનાગઢ

વેરાવળ ખાતે શહેરી વિકાસ વર્ષ-2025 અંતર્ગત જૂનાગઢ અને ગિર સોમનાથ જિલ્લાની નગરપાલિકાઓની સંકલન બેઠક યોજાઈ

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?