પરિપ્રેક્ષ્ય: સિદ્ધાર્થ રાઠોડ
પ્રસ્થાન:
માનવીય બુદ્ધિક્ષમતાની તો હજીયે કોઈ સીમા છે પણ માનવીય મૂર્ખતાની તો કોઈ સીમા નથી.
-આલ્બર્ટ આઈન્સ્ટાઈન
- Advertisement -
આદિમાનવે આગની શોધ કરી તે કદાચ માનવ ઇતિહાસમાં તેની વિજ્ઞાન સાથેના સાક્ષાત્કારની પ્રથમ ઘટના હશે. તે પ્રાચીન અગ્નિથી લઈને આધુનિક કૃત્રિમ બુદ્ધિમતા સુધી આપણે કેટકેટલી શોધ કરી છે. શોધેલા સિદ્ધાંતો, નિયમોને અમલમાં મૂકીને આપણે કેટકેટલાય આવિષ્કાર પણ કર્યા છે. વિજ્ઞાનની મજા એ છે કે ક્યારેક તે હાથીની જેમ મંથર ગતિએ ચાલે છે તો અમુકવાર તે ચિત્તની જેમ ફ્લાંગો ભી છે. આપણે જી શકીએ તે પહેલાં તો તે ક્યાંય પહોંચી ચૂક્યું હોય છે. નવમા ધોરણમાં હતા ત્યારે એક ફિલ્મ આવેલી જેનું નામ હતું ’લવસ્ટોરી 2050’. તેમાં ઊડતી ગાડીઓ, વિચિત્ર પોશાકી અને એવી હેરસ્ટાઈલ ધરાવતા લોકો, આંખો આંજી દેતી જાહોજલાલીવાળી ઇમારતો ને એવું બધું ઘણું હતું. મુવીમાં તો કઈ દમ નહોતો પણ એ બધા વિઝ્યુઅલ્સે કિશોરવયના મનમાં ઉત્સુકતા જગાવી હતી. કટ ટુ 2024: એ સમય આવવાને હવે અઢી દશકા જેટલો સમય બાકી રહ્યો છે ત્યારે ઘણી વાતો સ્પષ્ટ થતી જણાય છે. પરિવર્તન એ બહુ ઝડપથી પણ સૂક્ષ્મરીતે થાય છે. 2015માં વોડાફોનના 20 ળબ ડેટા વાળા વાઉચર બે ત્રણ દિવસ ચાલતા જયારે હવે રોજનું દોઢ લબ નેટ પૂરું પડતું નથી. સામાન્યરીતે એવો મનાય કે પરિવર્તન ધીમું હોય છે પણ એવું નથી. તે બિલ્લીની જેમ સિફતપૂર્વક આવે છે અને સસલાની ઝડપે છવાઈ જાય છે; ક્યારે રોજિંદા જીવનનો ભાગ બની જાય તે ખબર પડતી નથી. પણ પણ પણ બહુ ઓછા ફેરફાર એકદમ સ્પષ્ટ રહ્યા છે. બાકી, તેઓ સમરસતા સાથે જીવવનો ભાગ બની ગયા છે: ફેરીયાઓ પણ ઓનલાઇન પેમેન્ટ સ્વીકારે છે, સસ્તા નેટનાં પ્રતાપે સોશિયલ મીડિયા એક અલબત્ત ઇન્ફોર્મલ કરિયર પ્લેટફોર્મ તરીકે વિકસ્યું છે, પરંપરાઓ પણ ટેક્નોલોજી પ્રમાણે અનુસરવામાં આવે છે, રાજકીય તાકતો સોશિયલ મીડિયાનો ઉપયોગ પોતાની વગ વધારવા કરે છે. પ્રજાનો અભિપ્રાય બનાવવા, બદલવા કે બગાડવામાં આ માધ્યમોનો સિંહફાળો હોય છે. પ્રિન્ટ મીડિયાનું આધિપત્ય હવે સોશિયલ મીડિયા પાસે ટ્રાન્સફર થયું છે.
વિરામ:
બક્ષીએ કહેલું કે ફેશનની મજા એ છે કે તે બહુ ઝડપથી જૂની થતી જાય છે. લેટેસ્ટ ટેક્નોલોજીનું પણ એવું જ છે.
સાઈન્સ ફિક્શન એટલે કે વિજ્ઞાનકથા એ બહુ ફેવરિટ જોનર છે સાહિત્ય અને સિનેમામાં. શરૂઆતમાં લેખકોએ બહુ મોટીમોટી મહાન કલ્પનાઓ કરી જેમકે, એલિયન, અવકાશયાત્રા, ઊડતી ગાડીઓ, લેસરથી ચાલત હથિયારો પણ હવે એ બધું ક્લીશે થતું જાય છે. એક વાંચક તરીકે હું એવું માનું છું કે સાઈ-ફાઈ એટલે વિજ્ઞાને કેટલી પ્રગતિ કરી છે કે તકનીકી બાબતોમાં શું વિકાસ થયો છે એ નહિ પણ એ બધી પ્રગતિ અને સિદ્ધિઓની વચ્ચે માનવજીવનમાં શું પરિવર્તન આવ્યું છે. એ પ્રગતિનો માનવજીવનન પર કેટલો અને કેવો પ્રભાવ પડ્યો છે એ. હજી ફેસબુક શરૂ જ કર્યું હતું ત્યારે તેમાં ગમતા ક્વોટમાં મેં એક મારુ બનાવેલું મુકેલ: કોઈપણ માણસ પોતાના અનુભવથી આગળ વિચારી શકતો નથી. વિજ્ઞાનકથાઓ વિષે તો આ વાક્ય સાવ સાચું પડ્યું છે. મેં બ્લેડ રનર મુવી જોયું ત્યારે તેમાં બતાવેલી દુનિયામાં એકવાત નોટિસ કરી હતી કે તેમાં બતાવેલ ટીવી કે મોનિટર ફ્લેટ નતા. 2001 એ સ્પેસ ઓડીસીમાં પણ કોમ્પ્યુટર હાન ટિપિકલ ડબ્બો જ હોય છે. ગમે તેટલી અને ગમે તેવી કલ્પનાઓ કરો, તેનો કાચોમાલ તો હકીકત અને અનુભવ જ રહે છે. જુલે વર્ને કરેલી ઘણી બધી કલ્પનાઓ આજે સાચી પડી છે કારણ કે તેની કલ્પનાનો આધાર નક્કર વિજ્ઞાન હતું. હમણાં ક્રિસ્ટોફર નોલાનનો એક ઇન્ટરવ્યૂ જોયો તેમાં તેને પૂછવામાં આવ્યું કે ક્યારેય કલાના ક્ષેત્રમાં માનવનું સ્થાન અઈં લઈ શકે કે નહિ? તેને જવાબ આપ્યો કે, ” મેં ઘણા અઈં ક્ષેત્રના માણસો સાથે વાત કરી. તેમના માટે આ સમય ઓપનહાઈમર મોમેન્ટ છે (એટલે કે જ્યારે ઓપનહાઈમરે અણુબોમ્બનો પહેલો અખતરો કર્યો એ સમય.) અમે એક બહુ જ શક્તિશાળી હથિયાર વિશ્વની સામે લાવી રહ્યા છીએ. જોકે, મને લાગે છે આ ગમે તેટલી શક્તિશાળી તકનીક હોવા છતાં માણસોની સર્જનાત્મકતાનો કોઈ વિકલ્પ નથી. આ અઈં જે કંઇપણ કરે તેનો આધાર ભૂતકાળના કેટકેટલાય માણસોના સર્જનો જ હોય છે એટલે હાલ તો એવું કંઈ લાગતું નથી.
- Advertisement -
પૂર્ણાહુતિ:
એક વ્યકિતએ ટ્વીટ કરી હતી કે મારું જીવન ક્રિસ્ટોફર નોલાનની ફિલ્મો જેવું બની ગયું છે. ખબર નથી પડતી કે હવે શું થશે?
આ ટ્વીટર નોલાને જોઈ તો તેને જવાબ આપ્યો જીવનને સમજવાનો પ્રયત્ન ન કરો પણ તેનો અનુભવ કરો.
-સિદ્ધાર્થ રાઠોડ