By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઓબામાને થોડા જ સમયમાં નોબેલ આપી દીધો !અને મને…….. ટ્રમ્પ
    2 hours ago
    જર્મનીએ EU મિશન દરમિયાન ચીને તેના જેટ પર લેસર હુમલો કર્યાનો આરોપ લગાવ્યો
    2 hours ago
    નેપાળ અને ચીનને જોડતો મુખ્ય પુલ થયો ધરાશાયી, ઓછામાં ઓછા 20 લોકો ગુમ
    2 hours ago
    ફ્રાન્સમાં ભયાનક દાવાનળ : માર્સેલી નજીક ભીષણ આગ, એરપોર્ટ બંધ
    2 hours ago
    ટ્રમ્પે ટેરિફની સમયમર્યાદા 1 ઓગસ્ટ સુધી લંબાવી: બાંગ્લાદેશ-જાપાન સહિત 14 દેશ પર ટેરિફ લાદવામાં આવ્યો
    20 hours ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    એશિયાના સૌથી જૂના હાથી વત્સલાનું મધ્યપ્રદેશમાં 100 વર્ષથી વધુ ઉંમરમાં મૃત્યુ
    50 minutes ago
    કેન્દ્ર સરકારે રોઇટર્સ સહિત 2,355 એકાઉન્ટ્સને બ્લોક કરવાનો આદેશ આપ્યો
    2 hours ago
    જામીન એ નિયમ છે અને જેલ એ અપવાદ છે, જેને કોર્ટ ભૂલી ગઈ, મેં સિસોદિયા કેસમાં યાદ અપાવ્યું: CJI ગવઈ
    20 hours ago
    વિશ્ર્વમાં 10માંથી 9 લોકો શ્ર્વાસમાં દૂષિત હવા લેવા મજબૂર છે: WHO
    20 hours ago
    આજે સવારે આસામમાં 4.2ની તીવ્રતાનો ભૂકંપનો આચકો આવ્યો હતો
    24 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Eng vs Ind : બુમરાહની વાપસીથી બોલિંગના મામલે પ્રસિદ્ધ કૃષ્ણા માટે ટીમમાં રહેવું મુશ્કેલ
    1 day ago
    બર્મિંગહામ ટેસ્ટના ત્રીજા દિવસે ભારત ડ્રાઇવિંગ સીટ પર: ટીમની કુલ લીડ 244 રન થઈ
    4 days ago
    IND vs ENG બીજી ટેસ્ટ: પ્રથમ ઇનિંગમાં શાનદાર બોલિંગ, સિરાજે 6 વિકેટ લઈને એજબેસ્ટનમાં ઇતિહાસ રચ્યો
    4 days ago
    શું ઓલિમ્પિક સુવર્ણ ચંદ્રક માટે રોકડ પુરસ્કાર વાજબી છે?
    4 days ago
    પહેલા દિવસે ભારતનો સ્કોર 310/5, ગિલની બીજી ઐતિહાસિક સદી, શુભમન-જાડેજા અણનમ
    6 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    કન્હૈયા લાલ હત્યા કેસ: સુપ્રીમ કોર્ટે ફિલ્મ ‘ઉદયપુર ફાઇલ્સ’ પર રોક લગાવવા પર તાત્કાલિક સુનાવણીનો ઇનકાર કર્યો
    31 minutes ago
    ‘ક્યોંકી સાસ ભી કભી બહુ થી’ માં સ્મૃતિ ઈરાની ફરી જોવા મળશે
    1 day ago
    સલમાન ખાનની ફિલ્મ ‘બેટલ ઓફ ગલવાન’નું પોસ્ટર રિલીઝ
    4 days ago
    રામાયણનું ટીઝર રીલીઝ થયું, રાવણના લુકામાં દેખાયો યશ
    6 days ago
    ભૂતપૂર્વ બોલિવૂડ અભિનેત્રી  મંદાકિનીના પિતા જોસેફનું નિધન
    6 days ago
  • ધર્મ
    ધર્મShow More
    ગુરુપૂર્ણિમાએ ઘરે આ વસ્તુ લાવવાથી થશે, લક્ષ્મી માતાનો વરસાદ
    1 day ago
    દર બુધવારે ગણેશજીની પૂજા સાચી પદ્ધતિ અને યોગ્ય રીતે કરવામાં આવે બધી મનોકામના પૂર્ણ થશે
    1 day ago
    જુલાઈ 2025માં આવનારા મહત્વના ઉપવાસ અને તહેવારો નોટ કરવાનું ભૂલતા નહીં 
    5 days ago
    અમરનાથ યાત્રા 2025: ‘હર હર મહાદેવ’ ના નારા વચ્ચે જમ્મુથી યાત્રાળુઓ રવાના થયા
    1 week ago
    100 વર્ષ જૂના લાકડામાંથી તૈયાર કરવામાં આવે છે ભગવાન જગન્નાથજીની મૂર્તિ
    2 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાતોરાત રૈયા સર્કલ પર રસ્તા પર પેચવર્કની કામગીરી શરૂ
    21 hours ago
    ડૉ. શિલ્પન ગોંડલિયાની ઘોર બેદરકારી: ઓપરેશન વખતે મહિલાની પેશાબની નળી ડેમેજ કરી નાખી
    1 week ago
    કચ્છમાંથી ATSએ ઝડપેલા દેશદ્રોહી મામલે કોમવિગ્રહ ઉભો થાય તેવી પોસ્ટ મૂકતા પોલીસ કર્મી દિવ્યરાજ જાડેજા
    1 month ago
    ડુમિયાણી ટોલ પ્લાઝા કે લૂંટ પ્લાઝા?
    2 months ago
    રાજકોટના ઉદ્યોગપતિઓનું સનાતની જમીન કૌભાંડ!
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: યોગેશ્ર્વર હવે જલ્દી પધારો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Jagdish Acharya > યોગેશ્ર્વર હવે જલ્દી પધારો
AuthorJagdish Acharya

યોગેશ્ર્વર હવે જલ્દી પધારો

Khaskhabar Editor
Last updated: 2022/02/07 at 2:28 PM
Khaskhabar Editor 3 years ago
Share
8 Min Read
SHARE

બહુ મોડું કર્યું, કૃષ્ણ સમો ધર્મપુરુષ મળવો અસંભવ છે, કૃષ્ણની જીવનલીલા અદ્વિતીય છે, એક માનવીના જીવનમાં બની શકે એ બધું એમાં બન્યું છે, એમના જીવનમાં સુખ છે તો સંતાપ પણ છે.

કૃષ્ણ અદભુત છે. પૂર્ણ પુરુષોત્તમ છે.
કૃષ્ણ જેવું પાત્ર એક માનવ તરીકે તો શું પણ યુગવતાર તરીકે પણ મળવું અસંભવ છે.કૃષ્ણ અને એમનું જીવનચરિત્ર એવું છે કે એમાં હવે કશું ઉમેરી ન શકાયુ.એમાંથી કાંઈ બાદ કરીએ તો કૃષ્ણ કૃષ્ણ ન રહે

કૃષ્ણનું દરેક રૂપ મનમોહક છે.
બાળસખા સુદામાના મુઠી તાંદુલ આરોગી તેનું દારિદ્રય દૂર કરતાં કૃષ્ણ એક ક્ષણમાં શિશુપાલનું માથું ધડથી ઉતારી લેવામાં અચકાતાં નથી

Contents
બહુ મોડું કર્યું, કૃષ્ણ સમો ધર્મપુરુષ મળવો અસંભવ છે, કૃષ્ણની જીવનલીલા અદ્વિતીય છે, એક માનવીના જીવનમાં બની શકે એ બધું એમાં બન્યું છે, એમના જીવનમાં સુખ છે તો સંતાપ પણ છે.કૃષ્ણ અદભુત છે. પૂર્ણ પુરુષોત્તમ છે. કૃષ્ણ જેવું પાત્ર એક માનવ તરીકે તો શું પણ યુગવતાર તરીકે પણ મળવું અસંભવ છે.કૃષ્ણ અને એમનું જીવનચરિત્ર એવું છે કે એમાં હવે કશું ઉમેરી ન શકાયુ.એમાંથી કાંઈ બાદ કરીએ તો કૃષ્ણ કૃષ્ણ ન રહે

યશોદા માતા માટે એ વ્હાલસોયો, નટખટ, શરારતી મીઠડો બાળક છે. જેને દોરડા વડે બાંધી શકાય છે. વૃંદાવનની ગોવાળણો માટે એ છાને પગલે ઘરમાં ઘુસી જતો મટકીફોડ માખણચોર છે. ગોપીઓ માટે એ અપ્રતિમ રૂપમધુરો અને મધુરા અઘરો વડે બાંસુરીની ધૂન રેલાવી સાનભાન ભુલાવી દે તેવી ત્રિભુવન મોહિની પાથરતો કહાન છે.ગાયો અને ગોપબાળો માટે એ ગોવર્ધનધારી રક્ષક ભેરૂબંધ છે.કંસ અને કાલીનાગ માટે એ કાળ છે.રાધા માટે એ યુગોયુગોનો પ્રીતમ છે.અર્જુન અને દ્રૌપદી માટે એ આત્મીય સખો છે.કૃષ્ણ કોમળ છે તો વજ્ર જેવા મજબૂત પણ છે.કૃષ્ણ સાક્ષાત પ્રેમ છે,કરુણાનો સાગર છે પણ જરૂર પડે તો કઠોર પણ બની શકે છે,વધ પણ કરી શકે છે.કૃષ્ણને કોઈ કાળમાં બાંધી ન શકાય,કૃષ્ણની વ્યાખ્યા ન થઈ શકે. કૃષ્ણને કોઈ ઢાંચામાં ઢાળી ન શકાય.કૃષ્ણ અનંત છે.અનંતને કોઈ વર્તુળમાં કેદ ન કરી શકાય.

- Advertisement -

કૃષ્ણ અકળ છે. દોરડે બાંધનાર માતા યશોદાને એ બ્રહ્માંડ દર્શન કરાવે છે અને યુદ્ધના મેદાનમાં વિષાદગ્રસ્ત અર્જુનને વિરાટ દર્શન કરાવી ગીતાનો ઉપદેશ પણ આપે છે. બધા અંતિમો જાણે કે કૃષ્ણમાં સમાઈ ગયા છે. દ્રૌપદીના ચીર પૂરતા કે બાળસખા સુદામાના મુઠી તાંદુલ આરોગી તેનું દારિદ્રય દૂર કરતાં કૃષ્ણ એક ક્ષણમાં શિશુપાલનું માથું ધડથી ઉતારી લેવામાં અચકાતા નથી. ગોપીઓ સાથે રાસક્રીડા કરતો નિર્દોષ બાલકૃષ્ણ મુષ્ટિપ્રહાર વડે મામા કંસને મારવામાં ખચકાટ અનુભવતો નથી.

કૃષ્ણએ કેટકેટલી ભૂમિકાઓ નિભાવી.એ વિષ્ટીકાર પણ બન્યા,એ સંધિવિગ્રાહક પણ બન્યા,સ્વયં પરમ પુરુષોત્તમ હોવા છતાં અર્જુનના સારથી બન્યા અને છેવટે મહાવીનાશ વેરનાર મહાભારતના યુદ્ધનું કારણ પણ એ જ બન્યા.
કૃષ્ણનું ચરિત્ર એવું છે કે એમના વિશે કોઈ આગાહી ન થઈ શકે.એ ક્યારે શું કરશે એ કોઈ જાણી ન શકે.પણ કૃષ્ણ કહે અને કૃષ્ણ કરે એ જ સત્ય હોય એ પણ એટલું જ સાચું.

કૃષ્ણની જીવનલીલા અદ્વિતીય છે. એક માનવીના જીવનમાં બની શકે એ બધું એમાં બન્યું છે. એમના જીવનમાં સુખ છે તો સંતાપ પણ છે. આનંદ છે તો વિપદા પણ છે.મિલન પણ છે અને વિરહ પણ છે.મનુષ્ય અવતાર ધરીને સાક્ષાત ઈશ્વર પણ પૃથ્વીના પટ ઉપર જન્મ લે તો તેમને પણ આ બધા સુખ દુ:ખ ભોગવવા પડે એ બોધ કૃષ્ણનું જીવનચરિત્ર આપે છે.અને નિષ્કામ કર્મ દ્વારા નિસ્પૃહી બની એ જીવન કેવી રીતે જીવાય એ બોધ પણ એમના જીવનચરિત્રમાંથી જ મળે છે.
માણસ માત્ર સુખની અભિલાષા રાખે છે અને દુ:ખથી દૂર ભગવાનો પ્રયત્ન કરે છે.પણ કૃષ્ણ જેવા કૃષ્ણના જીવનમાં કેવી પીડા હતી, કેવી વ્યથા હતી અને કૃષ્ણએ એ ભોગવવી પણ પડી એ એમના જીવનના કેટલાક પ્રસંગો ઉપરથી સ્પષ્ટપણે ફલિત થાય છે.

- Advertisement -

અખિલ બ્રહ્માંડના સ્વામી એવા કૃષ્ણનો જન્મ થયો કારાવાસમાં.જન્મતાની સાથે જ એમના પર મૃત્યુનો ભય હતો.એમના જન્મ સમયે ન શરણાઈ વાગી, ન મીઠાઈ વહેંચાઈ. જન્મની સાથે જ એમનું પરિભ્રમણ શરૂ થઈ ગયું હતું.માતા દેવકી મનભરીને એને નિહાળે,છાતી સરસો ચાંપીને દુગ્ધપાન કરાવે કે વ્હાલભર્યા ચુંબનો ચોડે, વાસુદેવ આ ઘનશ્યામવર્ણી અદભુત પુત્રને ખોળામાં લઇને એના મસ્તક પર વહાલભર્યો હાથ પ્રસારે એ પહેલાંતો એક ટોપલામાં મૂકી આ નવજાત શીશુને લઈ ને ચાલતાં થવું પડ્યું. કાજળઘેરી રાત હતી. બે કાંઠે વહેતી યમુના નદી અને આકાશમાંથી વરસતી અનરાધાર વર્ષાની ભયાનકતા વચ્ચે બાળકૃષ્ણને જન્મદાતા જનેતા અને પિતાથી વિખૂટા પડવું પડ્યું. કૃષ્ણનું મૃત્યુ પણ કેવું હૃદયવિદારક છે? મથુરા વૃંદાવન છોડીને વસાવેલી સોનાની દ્વારકામાં એમના જ વંશના યાદવો વચ્ચે યાદવસ્થળી સર્જાઈ. નજર સામે સમાજ પરિવારનું પતન નિહાળ્યું …

અને છેલ્લે સોમનાથ નજીક પ્રયાગમાં પીપળાના એક વૃક્ષ નીચે એક ધનુર્ધારીના તીરથી વીંધાઈને પ્રાણ ત્યાગે છે ત્યારે સાવ એકલા અટૂલા ભાસે છે. કૃષ્ણએ માનવ જાતિ માટે અમોઘ સંદેશો આપ્યો કે …વધુ વાંચવા અહીં ક્લિક કરો

અમર્યાદ સતા, ધન અને વ્યસનો વિનાશ નોતરે છે અને એ વિનાશને સાક્ષાત ઈશ્વર પણ રોકી શકતાં નથી.
કૃષ્ણએ જીવનને સમગ્રપણે સ્વીકાર્યું છે. તેમના જેવું સાહજીક અને નેયસરગિક પાત્ર શોધ્યું જડે તેમ નથી. કૃષ્ણ સમો ધર્મપુરુષ પણ મળવો અસંભવ છે.”યતો કૃષ્ણ સ્તતો જય”.કૃષ્ણ હોય ત્યાં ધર્મ હોય,ધર્મ હોય ત્યાં વિજય હોય.મહાભારતના યુદ્ધ પહેલાં દુર્યોધન કૃષ્ણ પાસે તેમની સેના માંગે છે.અર્જુન એકલા કૃષ્ણને માંગે છે.કારણ કૃષ્ણ પરમ ધર્મ છે.અને અંતે તો ધર્મનો જ જય થાય છે.

મહાભારતનું યુદ્ધ ધર્મ અને અધર્મ વચ્ચેનું હતું.અધર્મને સહેલાઈથી હરાવી શકાતો નથી.ક્યારેક તો તે ધર્મથી પણ વધુ શક્તિશાળી દીસે છે.પણ યોગેશ્વર કૃષ્ણ જ્યારે ધર્મરથના સારથી હોય ત્યારે ધર્મનો પરાજય સંભવ નથી.કૃષ્ણ યુદ્ધખોર નથી.પણ સાથેજ ડરનાર પલાયનવાદી પણ નથી.અર્ધા રાજ્યને બદલે પાંડવો માટે માત્ર પાંચ ગામની માંગણી દુર્યોધને ન સ્વીકારી ત્યારે એ ક્ષણેજ તેઓ યુદ્ધની ઘોષણા કરી શકે છે અને સારથી બનીને પાંડવોને વિજય પણ અપાવે છે.

મહાભારતના કૃષ્ણ અત્યારે સહુથી વધુ પ્રસ્તુત છે.અધર્મને હણવાની લડાઈ કેવી રીતે લડાય તે કૃષ્ણએ શીખવ્યું છે.કૃષ્ણ વેદિયા કે વેવલા નથી.કૃષ્ણ વ્યવહારુ છે ધર્મની પુન:સ્થાપના માટે શસ્ત્રો ન ઉપાડવાની પોતાની પ્રતિજ્ઞા પણ તેઓ તોડે છે.ભીષ્મને નિષ્ક્રિય કરવા શિખંડીને આગળ ધરવાની કૂટનીતિ પણ કૃષ્ણ અજમાવે છે.કર્ણના રથનું પેઇડું જમીનમાં ખૂંપી જાય છે ત્યારે જ વાર કરવા માટે અર્જુનને ઉશ્કેરે પણ છે.દ્રોણને નાસીપાસ કરવા માટે “અશ્વસ્તથામા મર્યો” એવું દ્વિઅર્થી વાક્ય બોલવા ધર્મરાજા યુધિષ્ઠિરને મજબૂર કરવામાં પણ તેમને સંકોચ નથી થતો.અને ગદાયુદ્ધમાં માહીર દુર્યોધનને પરાસ્ત કરવા એની જાંઘ પર પ્રહાર કરવાનો ભીમને ઈશારો પણ કરે છે.અધર્મને હણવા અને ધર્મની સ્થાપના કરવા માટે ધર્મના પરંપરાગત સિદ્ધાંતોને ઉવેખીને અધર્મનો આશરો લેવામાં પણ કૃષ્ણ પાપ નથી સમજતા.
કૃષ્ણના દરેક રૂપ મધુર છે.દરેક રૂપમાં કૃષ્ણ સંપૂર્ણ છે. પણ સ્વામી વિવેકાનંદે કહ્યું છે તેમ આજના યુગમાં વૃંદાવનવિહારી બંસીધારી કૃષ્ણનું મનન કરવાથી કાંઈ નહીં વળે. આજે જરૂર છે કુરુક્ષેત્રના મેદાનમાં ચક્ર ધરી સિંહનાદ કરતાં કૃષ્ણની.

કુરુક્ષેત્ર દરેક યુગમાં રચાતું રહે છે.અધર્મ અત્યારે ધર્મ પર હાવી થઈ રહ્યો છે.નેતાઓ રાજધર્મ ભૂલી ગયા છે.પ્રજા નમાલી અમે માયકાંગલી થઈ ગઈ છે.ભ્રષ્ટાચારે ભરડો લીધો છે.ગરીબો,પીડિતો અને શોષીતોની પીડાની કોઈને પડી નથી.ન્યાયની દેવી સાચા અર્થમાં આંધળી બહેરી થઈ ગઈ છે.અસત્યની બોલબાલા છે.ધર્મના નામે ધતિંગ ચાલે છે.સમાજ ધર્મના નામે,જ્ઞાતિના નામે,પ્રાંતના નામે છિન્નભિન્ન થવા લાગ્યો છે.ચીન આપણા સન્માન પર ઘા કરે છે.મગતરાં જેવા પાકિસ્તાન અને નેપાળ દરરોજ ઉંબાડીયા કરે છે.ચોમેર અજંપો છે.પ્રજા જાણે કે વિષાદ યોગથી પીડાઈ રહી છે ત્યારે આજે ખપ છે કુરુક્ષેત્રમાં પંચજન્યનો નાદ કરનારા મહાપ્રતાપી કૃષ્ણની.આજે જરૂર છે યોગેશ્વર તમારી સહુથી વધારે. કૃષ્ણને એટલી જ પ્રાર્થના કે પ્રભુ!બહુ મોડું થયું,હવે જલ્દી પધારો..

You Might Also Like

અમેરિકાનો ઈન્ડિપેન્ડન્સ ડે

‘આજે સંસદીય પક્ષની બેઠક મળી રહી હતી અને તેમાં લોકશક્તિ મંચે પોતાનો નેતા ચૂંટી કાઢવાનો હતો’

મૌનનું મહાત્મ્ય

સ્વામી વિવેકાનંદના અજાણ્યા સત્યો

મરાઠી અસ્મિતાની લડાઈ કે વિભાજનનું રાજકારણ?

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રાજકોટના પોલીસ કમિશનર કેસની તપાસ એડિશનલ DGP વિકાસ સહાયને સુપરત
Next Article દ્વારકા: કૃષ્ણનાં ભવ્ય જીવનનું સાંપ્રત પ્રતિબિંબ!

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
લાઇફ સ્ટાઇલ

જો આવા લક્ષણો દેખાય તો, સમજી જવું કે લિવર ખરાબ હોઈ શકે

Khaskhabar Editor Khaskhabar Editor 15 minutes ago
કન્હૈયા લાલ હત્યા કેસ: સુપ્રીમ કોર્ટે ફિલ્મ ‘ઉદયપુર ફાઇલ્સ’ પર રોક લગાવવા પર તાત્કાલિક સુનાવણીનો ઇનકાર કર્યો
એશિયાના સૌથી જૂના હાથી વત્સલાનું મધ્યપ્રદેશમાં 100 વર્ષથી વધુ ઉંમરમાં મૃત્યુ
મંત્રી ઋષિકેશ પટેલે ગંભીરા પુલ દુર્ઘટના પર નિવેદન આપ્યું
ગંભીરા પુલ તૂટી પડતાં 9 લોકોના મોત, ઓછામાં ઓછા 6 ઘાયલ; આણંદ-વડોદરા વચ્ચેનો સંપર્ક ખોરવાયો
ઓબામાને થોડા જ સમયમાં નોબેલ આપી દીધો !અને મને…….. ટ્રમ્પ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Authorઆંતરરાષ્ટ્રીય

અમેરિકાનો ઈન્ડિપેન્ડન્સ ડે

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
Kinnar Acharya

‘આજે સંસદીય પક્ષની બેઠક મળી રહી હતી અને તેમાં લોકશક્તિ મંચે પોતાનો નેતા ચૂંટી કાઢવાનો હતો’

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
Author

મૌનનું મહાત્મ્ય

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?