By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    BRICS સંસદીય મંચે પહેલગામ આતંકવાદી હુમલાની નિંદા કરી, આતંકવાદ સામે સામૂહિક કાર્યવાહીની પ્રતિજ્ઞા લીધી
    23 hours ago
    અમેરિકા પર પ્રહાર કરતા, રશિયાએ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેના ઝઘડા વચ્ચે એલોન મસ્કને આશ્રય આપવાની ઓફર કરી
    23 hours ago
    ટ્રમ્પ સાથેના ઝઘડા વચ્ચે એલોન મસ્ક નવો રાજકીય પક્ષ શરૂ કરશે? ટેસ્લાના બોસે મોટો સંકેત આપ્યો
    24 hours ago
    આ વર્ષે હજ માટે 1.5 મિલિયનથી વધુ હજયાત્રીઓ સાઉદી અરેબિયા પહોંચ્યા
    24 hours ago
    કેનેડાના માર્ક કાર્નીએ G7 શિખર સંમેલન માટેનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આમંત્રણ આપ્યું
    1 day ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ‘ઈન્ડિયા ઈઝ શાઈનિંગ’…: ભારતમાં 10 વર્ષમાં ગરીબોની સંખ્યામાં ધરખમ ઘટાડો થયો!
    20 hours ago
    બેંગલુરુ ચિન્નાસ્વામી નાસભાગ: KSCA ના ઉચ્ચ અધિકારીઓએ રાજીનામું આપ્યું, 11 લોકોના મોતની નૈતિક જવાબદારી લીધી
    22 hours ago
    BRICS સંસદીય મંચે પહેલગામ આતંકવાદી હુમલાની નિંદા કરી, આતંકવાદ સામે સામૂહિક કાર્યવાહીની પ્રતિજ્ઞા લીધી
    23 hours ago
    ભારતમાં કોરોનાના કેસ 5000 ને પાર, 24 કલાકમાં થયા 4 મૃત્યુ, જાણો દેશમાં કોરોનાની વર્તમાન સ્થિતિ
    23 hours ago
    પહેલગામ હુમલા પછી અમરનાથ યાત્રાના દિવસ ઘટ્યા: પહેલીવાર 38 દિવસની યાત્રા થશે
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    બેંગલુરુમાં થયેલ નાસભાગ મામલે વિરાટ કોહલી વિરૂદ્ધમાં FIR નોંધાઈ
    23 hours ago
    જો આપણે ભીડને સંભાળવા માટે તૈયાર ન હોઈએ તો રોડ શોની જરૂર નથી: કોચ ગૌતમ ગંભીર
    2 days ago
    નિખિલ સોસાલે કોણ છે? જેની બેંગલુરુમાં થયેલી ભાગદોડ કેસમાં ધરપકડ કરવામાં આવી
    2 days ago
    ક્રિકેટર કુલદીપ યાદવે નાનપણની મિત્ર વંશિકા સાથે સગાઈ કરી
    3 days ago
    ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં નાસભાગ: એક સફવાએ 11 લોકોના જીવ લીધા અને 33ને ઘાયલ કર્યા
    3 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ટીવી અભિનેત્રી દીપિકા કક્કરે કરાવ્યું લીવર કેન્સરનું ઓપરેશન
    22 hours ago
    જાહ્નવી તથા સિદ્ધાર્થની ફિલ્મ પરમસુંદરી જુલાઈને બદલે ઓગસ્ટમાં રીલિઝ થઈ શકે
    22 hours ago
    હાઉસફૂલ 2ની અભિનેત્રીએ સિક્રેટ રીતે લગ્નના સાત ફેરા લીધા
    2 days ago
    કેન્ડર હુરુન ઈન્ડિયા 2025 યાદીમાં ભારતના ટોચના સેલિબ્રિટીમાં રશ્મિકા મંદાન્ના અને દીપિકા પાદુકોણ શામેલ
    3 days ago
    “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” શૉમાં નહીં દેખાય બબીતા, બિગ બોસના ઘરમાં એન્ટ્રી લેશે
    4 days ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે છે માતા ગાયત્રીની જયંતિ, તો ચાલો જાણીએ માંના અવતાર અને તેમના મહિમાની કથા વિશે
    2 days ago
    27મીએ ભગવાન જગન્નાથની રથયાત્રા, શા માટે ઉજવવામાં આવે છે? ચાલો જાણીએ તેની પાછળનું ધાર્મિક મહત્વ
    6 days ago
    આટલું ધ્યાન રાખાશો તો નિર્જળા એકાદશીનું વ્રત નહિ તૂટે
    1 week ago
    આજે શનિજયંતી અને સોમવતી અમાસ
    2 weeks ago
    આ વખતે 2 દિવસ નિર્જળા એકાદશી છે, જાણો પારણાનો સમય કયો છે
    3 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    કચ્છમાંથી ATSએ ઝડપેલા દેશદ્રોહી મામલે કોમવિગ્રહ ઉભો થાય તેવી પોસ્ટ મૂકતા પોલીસ કર્મી દિવ્યરાજ જાડેજા
    2 weeks ago
    ડુમિયાણી ટોલ પ્લાઝા કે લૂંટ પ્લાઝા?
    2 weeks ago
    રાજકોટના ઉદ્યોગપતિઓનું સનાતની જમીન કૌભાંડ!
    4 weeks ago
    મોરબીનાં PI પંડ્યા અને PSI અન્સારી વિરૂદ્ધ હાઈકોર્ટમાં પિટિશન
    1 month ago
    સત્સંગી જીવનના બીજા પ્રકરણના ચોત્રીસમા અધ્યાયમાં સનાતન ધર્મના અનુયાયીઓ જેવા કે મહાકાળી, કાલભૈરવ અને શિવના ઉપાસકો કે જે સહજાનંદ અને તેમની ટોળીનો વિરોધ કરી રહ્યા છે તેમને અસુર કહેવાયા છે
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: બ્રિટનનાં રાણી એલિઝાબેથ દ્વિતીયની આ 17 ફોટામાં જુઓ સફર
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > PHOTO STORY > બ્રિટનનાં રાણી એલિઝાબેથ દ્વિતીયની આ 17 ફોટામાં જુઓ સફર
PHOTO STORY

બ્રિટનનાં રાણી એલિઝાબેથ દ્વિતીયની આ 17 ફોટામાં જુઓ સફર

Khaskhabar Editor
Last updated: 2022/09/09 at 2:41 PM
Khaskhabar Editor 3 years ago
Share
8 Min Read
SHARE

બ્રિટનનાં રાણી એલિઝાબેથ દ્વિતીયનું નિધન થયું છે. તેમણે 6 ફેબ્રુઆરી 1952ના રોજ તેમના પિતા કિંગ જ્યોર્જના મૃત્યુ પછી બ્રિટનનું શાસન સંભાળ્યું હતું, ત્યારે તેઓ માત્ર 25 વર્ષનાં જ હતાં. ત્યારથી તેમણે 70 વર્ષ સુધી શાસન કર્યું. તેમણે 2 દિવસ પહેલાં જ યુકેના 15મા પીએમ લિઝ ટ્રસને શપથ અપાવ્યા હતા.

- Advertisement -

એલિઝાબેથ દ્વિતીય બ્રિટિશ ઇતિહાસમાં સૌથી લાંબું શાસન કરનાર પ્રથમ મહિલા રાજા છે. અહીં એક્સક્લૂસિવ ફોટા દ્વારા જાણો રાણીની સફર…

1947: એલિઝાબેથે પોતાનું જીવન સમાજ સેવા માટે સમર્પિત કરી દીધું હતું

- Advertisement -

પ્રિન્સેસ એલિઝાબેથે 21 વર્ષની ઉંમરે રાષ્ટ્રને પ્રથમ સંબોધન કર્યું હતું. તેઓ દક્ષિણ આફ્રિકાના પ્રવાસે ગયા હતા. એ સમયે દક્ષિણ આફ્રિકા બ્રિટિશ સામ્રાજ્યનો ભાગ હતું. તેમણે પોતાના સંબોધનમાં કહ્યું હતું કે હું મારું આખું જીવન સમાજ અને પરિવારની સેવામાં સમર્પિત કરું છું. આપણે બધા એક પરિવારનો ભાગ છીએ. એ સમયે તેઓ રાણી નહીં, પણ રાજકુમારી હતાં.

1953: તાજપોશી
ફેબ્રુઆરી 1952 માં બધું બદલાઈ ગયું. એલિઝાબેથના પિતા કિંગ જ્યોર્જ, જેઓ લાંબા સમયથી બીમાર હતા, તેમનું નિધન થયું. હવે બ્રિટનને નવાં રાણી મળવાનાં હતાં. એલિઝાબેથ II એ માત્ર 25 વર્ષની વયે બ્રિટનનું શાસન સંભાળ્યું. જૂન 1953માં તેમનો સત્તાવાર રીતે રાજ્યાભિષેક થયો હતો. આ કાર્યક્રમ પહેલીવાર ટીવી પર બતાવવામાં આવ્યો હતો. આ દરમિયાન એલિઝાબેથે કહ્યું હતું કે- મારી પાસે આ નવી જવાબદારીનો બહુ ઓછો અનુભવ છે. મારાં માતા-પિતા જે રીતે બધું સંભાળતાં હતાં, હું પણ એ જ રીતે કામ કરીશ. આ પ્રસંગે હું દિલથી તમારા બધાનો આભાર માનવા માગું છું.

1957: અમેરિકાનો પ્રથમ પ્રવાસ
રાણી એલિઝાબેથ દ્વિતીયે તેમના જીવનકાળ દરમિયાન 90 દેશનો પ્રવાસ કર્યો હતો. તેમણે ભારત, રશિયા, દક્ષિણ આફ્રિકા જેવા દેશો સાથેના સંબંધોને મજબૂત બનાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી 1951માં એલિઝાબેથ યુએસ પ્રમુખ હેરી એસ. ટ્રુમેન મળ્યાં હતાં. એ સમયે તેઓ રાજકુમારી હતાં. 1957માં રાણી એલિઝાબેથ IIએ અમેરિકાનો સત્તાવાર પ્રવાસ કર્યો. આ દરમિયાન તેમણે તત્કાલીન રાષ્ટ્રપતિ ડ્વાઇટ ડી. આઇઝનહોવર સાથે મુલાકાત કરી હતી.

1957: ટીવી પર પ્રથમ સંબોધન
રાણી એલિઝાબેથ દ્વિતીયે ક્યારેય ઈન્ટરવ્યુ આપ્યો નહોતો, પરંતુ તેઓ કોઈ ને કોઈ રીતે પોતાના વિચારો લોકો સુધી પહોંચાડતા હતા. તેઓ સારી રીતે જાણતા હતા કે લોકો સાથે સંબંધો કેવી રીતે જાળવવા. તેઓ દર વર્ષે ક્રિસમસના દિવસે ભાષણ આપતાં હતાં, એ બ્રિટિશ હોલિડે પરંપરા હતી. 1957માં રાણી એલિઝાબેથે પહેલીવાર ટીવીના માધ્યમથી લોકોને સંબોધન કર્યું હતું.

1965: બકિંગહામ પેલેસ ખાતે ‘બીટલમેનિયા’
ઓક્ટોબર 1965માં લોકપ્રિય મ્યુઝિક બેન્ડ ‘ધ બીટલ્સ’ના સભ્યો રાણીને મળવા બકિંગહામ પેલેસ પહોંચ્યા હતા. બેન્ડના સભ્યો જોન લેનન, પોલ મેકાર્ટની, જ્યોર્જ હેરિસન અને રિંગો સ્ટારની એક ઝલક જોવા માટે લોકો ઊમટી પડ્યા હતા. મહેલના દરવાજા પર ચઢીને લોકો અંદર જવાનો પ્રયાસ કરી રહ્યા હતા. રાણીના ઘરની બહાર પોલીસ-બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. રાણીએ બેન્ડ સભ્યોનું સન્માન કર્યું હતું. પોલ મેકાર્ટનીએ રાણીને મળ્યા પછી કહ્યું – તેઓ ખૂબ મૈત્રીપૂર્ણ હતા.

1966: એબરફાન ખાણ આપત્તિ
21 ઓકેટોબર 1966માં સાઉથ વેલ્સના ગોમ એબરફાનમાં ભારે વરસાદ બાદ ભૂસ્ખલન થયું હતું. એમાં 144 લોકોનાં મોત થયાં હતાં. મરનારમાં મોટા ભાગનાં બાળકો હતાં. આ દુર્ઘટનાએ દેશને હચમચાવી નાખ્યો. રાણી એલિઝાબેથ II પીડિતોની મુલાકાત માટે 8 દિવસ બાદ પહોંચ્યા હતા, એ બાદ તેમને ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો.

1969: એપોલો 11ના અવકાશયાત્રીઓ સાથે મુલાકાત

ચંદ્ર પર પ્રથમ પગ મૂકનાર નીલ આર્મસ્ટ્રોંગ, બઝ એલ્ડ્રિન અને માઈકલ કોલિન્સ, ગ્લોબલ ગુડવિલ ટૂર દરમિયાન 14 ઓક્ટોબર 1969 માં બકિંગહામ પેલેસ ખાતે રાણી એલિઝાબેથ II ને મળ્યા હતા. આ દરમિયાન એક રમૂજી ઘટના બની હતી. આનું વર્ણન કરતાં આર્મસ્ટ્રોંગે કહ્યું હતું – હું એ દિવસે ખૂબ જ બીમાર હતો, હું કાર્યક્રમમાં ન જવા વિશે વિચારી રહ્યો હતો, પરંતુ હું ગયો અને રાણીને મળતો હતો ત્યારે મને તેમની સામે ઉધરસ આવી હતી. કોલિન્સ પણ સીડી પર પડી ગયો હતો.

1970: પ્રથમ શાહી યાત્રા
તેમની પ્રથમ શાહી મુલાકાત દરમિયાન રાણી એલિઝાબેથ દ્વિતીયે સદીઓની પરંપરા તોડી હતી. તેમણે લોકોને દૂરથી હાથ લહેરાવવાને બદલે નજીક આવી અભિવાદન કર્યું. પ્રથમ શાહી મુલાકાત 1970માં ઓસ્ટ્રેલિયાની હતી. આ દરમિયાન તેઓ સિડનીમાં લોકોની વચ્ચેથી પસાર થયાં હતાં.

1981: ચાર્લ્સ અને ડાયનાના લગ્ન
29 જુલાઈએ 1981માં પ્રિન્સ ચાર્લ્સ અને ડાયના સ્પેંસરના લગ્ન થયા હતા. તેમની એક ઝલક જોવા માટે સેન્ટ્રલ લંડનમાં લોકોની ભીડ ઊમટી પડી હતી. લોકો પ્રિન્સેસ ડાયનાને પસંદ કરતા હતા, પરંતુ તેમની અને ચાર્લ્સ વચ્ચે કોઈ મીઠાશ નહોતી. લગ્નનાં 11 વર્ષ બાદ 1992માં બંનેએ છૂટાછેડા લઈ લીધા હતા.

1986: ચીનનો પ્રવાસ કરનારાં પ્રથમ મહારાણી
1986માં એલિઝાબેથે ચીનની મુલાકાત લીધી હતી. બ્રિટિશ રાણી ચીનની મુલાકાતે આવી હોય તેવો આ પ્રથમ પ્રસંગ હતો. તેમના પ્રથમ પ્રમુખ, રિચર્ડ એમ. નિક્સન અને વડાપ્રધાન માર્ગરેટ થેચર ચીનની મુલાકાતે ગયા હતા. આ મુલાકાતને બ્રિટન દ્વારા રાજદ્વારી પ્રયાસ તરીકે જોવામાં આવી હતી.

1996: નેલ્સન મંડેલાનું સ્વાગત
જુલાઈ 1996માં દક્ષિણ આફ્રિકાના પ્રમુખ નેલ્સન મંડેલા 4 દિવસની મુલાકાતે બ્રિટન આવ્યા હતા. મંડેલાની મુલાકાત દરમિયાન તેમની અને રાણીની વચ્ચે ગાઢ મિત્રતા બંધાઈ ગઈ હતી. રાણીએ મંડેલાને બકિંગહામ પેલેસમાં આમંત્રણ આપ્યું હતું. આ સિવાય બંને સેન્ટ્રલ લંડનમાં પણ ફરતા જોવા મળ્યા હતા.

1997: ડાયનાનું મોત
ડાયના 31 ઓગસ્ટ 1997 ના રોજ પેરિસમાં ડિનર માટે કારમાં નીકળ્યા હતા, ત્યારે તેમની કારનો અકસ્માત થયો હતો અને તેઓ મૃત્યુ પામ્યા. આ સમાચાર સાંભળીને ડાયનાને ચાહનારા લાખો લોકોને આઘાત લાગ્યો હતો. આ સમાચાર વિશે રાણી એલિઝાબેથની પ્રતિક્રિયા ઘણી પાછળથી આવી, જેના પછી શાહી પરિવારને ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો.

2007: પ્રથમ ટીવી સંબોધનને 50 વર્ષ
વર્ષ 2007એ રાણી એલિઝાબેથ IIના પ્રથમ ટેલિવિઝન સંબોધનનાં 50 વર્ષ પૂરાં થયાં હતાં. આ દરમિયાન તેમણે એક ભાષણ આપ્યું હતું. ભાષણમાં તેમણે કહ્યું હતું કે- વૃદ્ધત્વની એક વિશેષતા એ છે કે તમે તમારી આસપાસ થઈ રહેલા ફેરફારોને જુઓ અને અનુભવો છો. 50 વર્ષ પહેલાં જે બન્યું હતું એને યાદ કરીને અત્યારસુધી જે ફેરફારો થયા છે એની પ્રશંસા કરી શકાય. તમે એ પણ જાણો છો કે શું બદલાયું નથી.

2012: લંડન ઓલિમ્પિક
2012 લંડન ઓલિમ્પિકના ઉદઘાટન સમારોહમાં રાણી એલિઝાબેથ IIએ લોકોને આશ્ચર્યચકિત કર્યા હતા. તે પ્રખ્યાત જાસૂસ જેમ્સ બોન્ડનું પાત્ર ભજવનાર અભિનેતા ડેનિયલ ક્રેગ સાથે સમારોહમાં પહોંચ્યાં હતાં. એક વીડિયોમાં બતાવવામાં આવ્યું હતું કે જેમ્સ બોન્ડ (ડેનિયલ ક્રેગ) બ્રિટનનાં રાણીને લેવા મહેલમાં ગયા. બંને ત્યાં હેલિકોપ્ટરમાં સાથે બેઠા અને સ્ટેડિયમ જવા રવાના થયા. હેલિકોપ્ટર હવામાં હતું ત્યારે રાણી અને જેમ્સ બોન્ડ પેરાશૂટ વડે હેલિકોપ્ટરમાંથી છલાંગ લગાવી હતી. અલબત્ત, આ માટે રાણીના બોડી ડબલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

2020: પ્રિન્સ હેરી અને મેગન માર્કલે શાહી પરિવારમાંથી અલગ થઈ ગયા​​​​​​​
બ્રિટનના રાજવી પરિવારના પ્રિન્સ હેરી અને મેઘન માર્કલે 2018માં લગ્ન કર્યા હતા. ઓક્ટોબર 2019માં એવું જાણવા મળ્યું કે શાહી પરિવાર અને આ બંને વચ્ચે બધું બરાબર નથી. આખરે મીડિયાની અટકળો સાચી પડી અને 9 જાન્યુઆરી 2020ના રોજ બંનેએ શાહી પરિવારથી અલગ થવાની જાહેરાત કરી. આ પછી જ દંપતીએ ‘રોયલ હાઇનેસ’નું બિરુદ અને શાહી પરિવાર દ્વારા આપવામાં આવતી તમામ સુવિધાઓ છોડી દીધી હતી.

2021: પ્રિન્સ ફિલિપનું મોત
પ્રિન્સ ફિલિપનું 9 એપ્રિલ 2021ના રોજ નિધન થયું હતું. તેઓ 99 વર્ષના હતા. રાણી એલિઝાબેથ દ્વિતીય અને તેમના લગ્નને 73 વર્ષ પૂર્ણ થયાં હતાં. ઈંગ્લેન્ડમાં કોરોના વાઇરસને કારણે લોકડાઉન દરમિયાન તે લંડનના વિન્ડસર કેસલમાં રાણી સાથે રહેતા હતા.

You Might Also Like

G7 સમિટ: ફેમિલી ફોટોમાં કેન્દ્રમાં દેખાયું ભારત, મોદીએ વર્લ્ડ લીડર્સ સાથે દ્વિપક્ષીય બેઠકો પણ કરી

વિવેકાનંદ રોક મેમોરિયલમાં ધ્યાન-મૌનવ્રત: પ્રધાનમંત્રીના 45 કલાક કઈંક આવા રહેશે, 2 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત

અનંત-રાધિકાની બીજી પ્રી-વેડિંગ સેરેમની શરૂ, ઓરીએ શેર કરી તસવીરો

‘ચકાચક’ બાપુનાં નામથી જાણીતા અમૃતગિરિ બાપુએ ‘ખાસ-ખબર’માં પગલાં કર્યાં

અંદરથી આટલું ભવ્ય દેખાશે નવું સંસદભવન, અંદાજીત 1200 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યું, જુઓ ફોટો

TAGGED: britain, journey, QUEENELIZABETHSECOND
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article દિલ્હીના આઝાદ માર્કટમાં વિસ્તારમાં બની દુર્ઘટના: નવી બનનારી બિલ્ડીંગ પડવાથી કેટલાય મજૂરો દટાયા
Next Article જૂનાગઢનાં વિકાસનું પેટફાટી જાય એટલા 112 કરોડનાં કામ મંજૂર

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

વીરપુર બસ સ્ટેન્ડને હરિયાળું બનાવવા ટી.સી.કુલદિપસિંહ જાડેજાનો સંકલ્પ

Khaskhabar Editor Khaskhabar Editor 19 hours ago
અમદાવાદમાં સિલાઇકામ કરવા નીકળેલી પુત્રી પરત ન આવતા પરિવારની શોધખોળ
મોરબી નીલકંઠ રેસિડેન્સીના મકાનમાંથી દારૂની 120 બોટલનો જથ્થો જપ્ત
માળિયામાં પાણી ન છોડાતાં ખેડૂતોનો ચક્કાજામ
ક્રિપ્ટો કરન્સીમાં રોકાણના નામે 1.51 કરોડની છેતરપિંડી : 3 આરોપી રિમાન્ડ પર
ટંકારાના જુગારકાંડમાં ઝડપાયેલા PI સોમવાર સુધી રિમાન્ડ પર
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

PHOTO STORYઆંતરરાષ્ટ્રીયખાસ-ખબર

G7 સમિટ: ફેમિલી ફોટોમાં કેન્દ્રમાં દેખાયું ભારત, મોદીએ વર્લ્ડ લીડર્સ સાથે દ્વિપક્ષીય બેઠકો પણ કરી

Khaskhabar Editor Khaskhabar Editor 12 months ago
PHOTO STORYરાષ્ટ્રીય

વિવેકાનંદ રોક મેમોરિયલમાં ધ્યાન-મૌનવ્રત: પ્રધાનમંત્રીના 45 કલાક કઈંક આવા રહેશે, 2 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત

Khaskhabar Editor Khaskhabar Editor 1 year ago
PHOTO STORYબોલીવુડ

અનંત-રાધિકાની બીજી પ્રી-વેડિંગ સેરેમની શરૂ, ઓરીએ શેર કરી તસવીરો

Khaskhabar Editor Khaskhabar Editor 1 year ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?