આજે ચૈત્ર નવરાત્રીનો ત્રીજો દિવસ છે. આજના દિવસે આ ખાસ ઉપાય કરવાથી માતા દુર્ગાની ખાસ કૃપા પ્રાપ્ત થાય છે. સાથે જ જીવનની દરેક સમસ્યાઓથી છુટકારો મળી શકે છે.
આજે ચૈત્ર શુક્લ પક્ષની તૃતીયા તિથિ અને ગુરૂવારનો દિવસ છે. તૃતીયા તિથિ આજે બપોર બાદ 3.04 વાગ્યા સુધી રહેશે. આજે ચૈત્ર નવરાત્રીનો ત્રીજો દિવસ છે. ચૈત્ર નવરાત્રીના ત્રીજા દિવસે માતા દુર્ગાના ત્રીજા સ્વરૂપ માતા ચંદ્રઘંટાની ઉપાસના કરવામાં આવે છે.
- Advertisement -
આજે ગણગૌર વ્રત પણ છે. દરેક વર્ષે ચૈત્ર શુક્લ પક્ષની તૃતીયાએ ગણગૌરનો તહેવાર ઉજવવામાં આવે છે. આજે પરણિત સ્ત્રીઓ પાતાના પતિની લાંબી ઉંમર માટે પોતાના સુખ-સૌભાગ્ય માટે વ્રત કરે છે. માટે ગણગૌરના આ તહેવારને સૌભાગ્ય તૃતીયાના નામથી પણ ઓળખવામાં આવે છે. આજે ભગવાન શિવ અને માતા ગૌરી એટલે કે પાર્વતીજીની પૂજા કરવાનું વિધાન છે.
તેના ઉપરાંત તમને જણાવી દઈએ કે આજે મત્સ્ય જયંતી પણ છે. ભગવાન વિષ્ણુના મત્સ્ય અવતારના દિવસને મત્સ્ય જયંતીના રૂપમાં ઉજવવામાં આવે છે. આજના જ દિવસે ભગવાન વિષ્ણુએ મત્સ્ય અવતાર લીધો હતો અને સૃષ્ટિનું કલ્યાણ કર્યું હતું.
- Advertisement -
કહેવાય છે કે આ દિવસે વ્રત કરવાથી વ્યક્તિને જળ-જંતુઓ કે જળતત્વથી હારનાર દરેક મુશ્કેલીઓથી છુટકારો મળે છે. સાથે જ આ વ્રતને કરવાથી સુખ-સૌભાગ્ય, આરોગ્ય, પ્રેમ અને ઐશ્વર્યની પ્રાપ્તી થાય છે.
પરિવાર પર મુશ્કેલી ન આવે તેના માટે
તમારા પરિવાર પર કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન આવે તેના માટે આજે પાંચ ગુલાબના ફૂલને ગાયત્રી મંત્ર વાંચી ડોઢ મીટર સફેદ કપડામાં બાંધીને નદીમાં પ્રવાહિત કરી દો.
સારા સ્વાસ્થ્ય માટે
જો તમે જીવનમાં આરોગ્ય મેળવવા માંગો છો તો પોતાના જીવનને ખુશીઓથી ભરવા માંગો છો તો આજના દિવસે ભગવાન વિષ્ણુના મત્સ્ય સ્વરૂપના દર્શન કરો. સાથે જ બે માછલીના જોડાવી તસ્વીર લગાવો.
દેવા મુક્તિ માટે
જો તમે દેવામાંથી મુક્તિ મેળવવા માંગો છો તો આજે 5 સફેદ કોડિયો લઈ તેને લાલ કપડામાં બાંધીને માતાજીના મંદિરમાં ચડાવો અને માતાજીની વિધિવિધાન પૂર્વક પૂજા કરો. પૂજા બાદ તે લાલ કપડાને ઉઠાવીને પોતાની સાથે ઘરે લઈ આવો અને પોતાની તિજોરીમાં મુકી દો.
ધન-સંપત્તિ વધારવા માટે
જો તમે પોતાની ધનસમ્પત્તીમાં વધારો કરવા માંગો છો કે પોતાની આર્થિક સ્થિતિને મજબૂત કરવા માંગો છો તો પીળી કોડી અને પારિજાત છોડના મૂળને કંકુ, અક્ષત, પુષ્પ, ધૂપ, દીવથી પૂજન કરીને ધારણ કરો. અથવા તો પોતાની પાસે રાખો તેનાથી તમારી ધન-સંપત્તિમાં વધારો થશે.
બિઝનેસમાં સફળતા માટે
જો તમે પોતાના બિઝનેસમાં સફળતા મેળવવા માંગો છો તો આજે સ્નાન બાદ સ્વચ્છ કપડા પહેલી માતા દુર્ગાની વિધિ-વિધાનથી પૂજા કરો અને પૂજા સમયે એક એકાક્ષી નારિયેળ લઈને તેના પર સાત વખત નાળાછડી લપેટીને માતાજીને અર્પિત કરો.
દાંપત્ય જીવનમાં ખુશી માટે
જો તમે પોતાના દાંપત્ય જીવનમાં ખુશી લાવવા માંગો છો પોતાના સુખમાં વધારો કરવા માંગો છો તો કમલગટ્ટાને પીસીને દેશી ઘીની સફેદ બરફી મિક્સ કરીને 21 આહુતી આપો. તેનાથી તમારા દાંપત્ય જીવન ખુશીઓ આવશે.