ગુર્જર ક્ષત્રીય સમાજના આગેવાનોએ SPને આવેદન પાઠવ્યું
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.29
- Advertisement -
જૂનાગઢ તાલુકાના વિજાપુરના સરપંચ અને અન્ય એક વ્યક્તિ સામે બે દિવસ પહેલા મારામારી લૂંટની ફરિયાદ થઇ હતી. લૂંટની ફરિયાદ ખોટી હોવાથી એસ.પીને રજૂઆત કરી સીસીટીવી કેમેરામાં તપાસ કરી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી. જૂનાગઢના દાતાર રોડ વિસ્તારમાં રહેતા વરૂણ ચાવડાએ તા.રપના વિજાપુરના સરપંચ પરેશ મોરવાડીયા અને નવનીત ચાવડા સામે જુના મનદુ:ખના કારણે મારમારી બે હજારની લૂંટ કર્યાની ફરિયાદ કરી હતી.
આ મામલે એ-ડીવીઝન પોલીસે ગુનો દાખલ કર્યો હતો. ગુર્જર ક્ષત્રીય સમાજના આગેવાનોએ એસ.પી.ને આવેદનપત્ર આપી લૂંટની ફરિયાદ ખોટી હોવાની રજૂઆત કરી છે અને ફરિયાદીની દુકાનમાં સીસીટીવી કેમેરા છે તે ચેક કરી તપાસ કરવામાં આવે અને એ મુજબ કલમ લગાડવામાં આવે એવી માંગ કરી હતી.