7 જાન્યુઆરીએ વેહલી સવારે સ્પર્ધા યોજાશે
ખાસ ખબર સંવાદદાતા
જૂનાગઢ ગરવા ગિરનારને સર કરવા માટે તા.7 જાન્યુ.રવિવારના રોજ અખિલ ગુજરાત ગિરનાર આરોહણ-અવરહોણ સ્પર્ધા યોજાશે. જેની પૂર્વ તૈયારીઓના ભાગરૂપે કલેક્ટર અનિલ કુમાર રાણાવસિયાએ આ સ્પર્ધાની પૂર્વ તૈયારીઓની સમીક્ષા કરવાની સાથે સ્થળ નિરીક્ષણ કર્યું હતું. આ સ્પર્ધાના આયોજન સંદર્ભે સંબંધિત અધિકારીઓને સાથે જરૂરી પરામર્શ કરવાની સાથે રાજ્યભરમાંથી આવનાર સ્પર્ધકોએ જરૂરી સુવિધાઓ મળી રહે ઉપરાંત સ્પર્ધાના રૂટમાં સ્પર્ધકોને અગવડતા ન પડે તેની તકેદારી લેવા માટે સૂચના આપી હતી. કલેક્ટર અને સંબંધિત અધિકારીશ્રીઓ મંગલનાથ આશ્રમ ઉપરાંત ગિરનાર પગથિયાનું પણ નિરીક્ષણ કર્યું હતું.