આશરે 150 કિ.ગ્રા.ના અખાદ્ય જથ્થાનો કરાયો નાશ
ખાસ-ખબર સંવાદદાતા
ગીર સોમનાથ દિવાળીના તહેવારના અનુસંધાને જિલ્લામાં ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ-2006 અન્વયેના નિયમ અનુસાર તેમજ લોકોના સ્વાસ્થને ધ્યાનમાં રાખી દિવાળીના તહેવાર પહેલા મીઠાઈ તથા ફરસાણની દુકાનો, દુધની ડેરીઓ, મેન્યુફેકચરીંગ યુનિટ, હોટલ-રેસ્ટોરન્ટ અને સ્ટોલમાંથી બહોળા પ્રમાણમાં મીઠાઈ તથા ફરસાણનુ વેચાણ થતુ હોય તેવી વિવિધ જગ્યાઓએ ડેઝીગ્નેટેડ ઓફિસરશ્રીની કચેરી ખોરાક અને ઔષધ નિયમન તંત્ર વેરાવળ દ્વારા તપાસની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં ફુડ સેફટીના પી.બી.સાવલીયા તથા કુ.કે.એચ.ચોચા દ્વારા વેરાવળ શહેર તથા ગીર સોમનાથ જિલ્લાના અલગ-અલગ તાલુકાઓમાં આવેલી મીઠાઈ, ફરસાણ, દુધ, તેલ, નમકીન, ઘી, દુધની વાનગીઓ તથા અન્ય રો મટીરીયલ્સના આશરે 97 જેટલા નમુનાઓ લઈ તપાસ અર્થે ફુડ એન્ડ ડ્રગ્સ લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે અને વિવિધ જગ્યાઓએથી પડતર અને અખાધ્ય જથ્થો 150 કિ.ગ્રા.નો નાશ કરાવવામાં આવ્યો છે.
ગીર સોમનાથ જિલ્લામાં દિવાળીના તહેવારને અન્વયે ફૂડ વિભાગ દ્વારા કરાઈ તપાસ
