By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ભારત અને પાકિસ્તાન વચ્ચે ન્યૂક્લિયર વોર થઈ હોત, અમે એને રોકી: ટ્રમ્પ
    2 days ago
    દુબઈમાં કેરળ સમુદાય દ્વારા પાકિસ્તાનના શાહિદ આફ્રિદીનું સ્વાગત કરવામાં આવતા લોકોમાં રોષ: ‘શરમજનક’
    2 days ago
    ટ્રમ્પની ટેરિફ વોર: અમેરિકામાં વિદેશી સ્ટીલ પર 50 ટકા ટેરિફ લાદવામાં આવ્યું
    2 days ago
    બલુચિસ્તાન લિબરેશન આર્મીએ પાકિસ્તાનના સુરાબ શહેર પર કબજો કર્યો
    2 days ago
    1 જુલાઈથી ફ્રાન્સમાં જાહેરમાં ધુમ્રપાન કરવા પર પ્રતિબંધ, નિયમ ભંગ કરનારને 13 હજાર રૂપિયાનો દંડ કરાશે
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઉત્તર પશ્ચિમ ભારતમાં પશ્ચિમી વિક્ષેપ સાથે આગામી 4-5 દિવસ સુધી ગાજવીજ અને તેજ પવન સાથે વરસાદ પડશે
    2 days ago
    ‘ઓપરેશન સિંદૂર’ દરમિયાન પાકિસ્તાને સૌથી પહેલા સંપર્ક કરી સીઝફાયરની રજૂઆત કરી હતી: પૂર્વ વિદેશ મંત્રી સલમાન ખુર્શીદ
    2 days ago
    PM મોદી ભોપાલમાં, દેવી અહલ્યાબાઈ મહિલા શક્તિકરણ મહાસંમેલનમાં ભાગ લીધો
    2 days ago
    થરૂરની નારાજગી બાદ કોલંબિયાએ પાકિસ્તાન અંગેનું નિવેદન પાછું ખેંચ્યું
    2 days ago
    ઉત્તરાખંડમાં વરસાદની ચેતવણી: કેદારનાથ હાઇવે પર ભૂસ્ખલન, એક શ્રદ્ધાળુનું મોત, પાંચ લોકો ઘાયલ થયા
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    દક્ષિણ આફ્રિકા અને બાંગ્લાદેશના ખેલાડીઓ વચ્ચે બબાલ, મેદાનમાં બાખડ્યા
    4 days ago
    PBKS vs RCB: આજની મેચમાં જે ટીમ જીતશે એ સીધી ફાઇનલમાં, અને જે ટીમ હારશે એને એક મોકો મળશે
    4 days ago
    55 વર્ષીય કામી રીતા શેરપાએ 31 વખત માઉન્ટ એવરેસ્ટ ચઢીને પોતાનો જ રેકોર્ડ તોડ્યો
    5 days ago
    પંજાબનું સ્થાન ટોપ-ટુમાં ફાઈનલ : મુંબઈ 4થા ક્રમે, એલિમિનેટર રમવો પડશે
    6 days ago
    IPL 2025 ના સમાપન સમારોહ દરમિયાન BCCI ભારતીય સશસ્ત્ર દળોનું સન્માન કરશે
    6 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    લગ જા ગલે નામની ફિલ્મમાં ટાઈગર સાથે જાહ્નવી દેખાશે! લોકોએ કરી ટીકા
    3 days ago
    ગુજરાતના થિયેટર કિંગ કૌસ્તુભ ત્રિવેદીનું 69 વર્ષની વયે નિધન!
    5 days ago
    આ કારણથી પ્રભાસની સ્પિરિટ ફિલ્મમાં દીપિકાને રિપ્લેસ કરવામાં આવી
    6 days ago
    ગૌહર ખાન સાથે બ્રેકઅપને લઈને કુશાલ ટંડનએ ખુલાસો કર્યો
    6 days ago
    કાન ફિલ્મ ફેસ્ટિવલ: ભારતીય ફેશન ડિઝાઇનર તરીકે ટીના રંકાએ ગુજરાતનો ડંકો વગાડ્યો
    7 days ago
  • ધર્મ
    ધર્મShow More
    આટલું ધ્યાન રાખાશો તો નિર્જળા એકાદશીનું વ્રત નહિ તૂટે
    3 days ago
    આજે શનિજયંતી અને સોમવતી અમાસ
    7 days ago
    આ વખતે 2 દિવસ નિર્જળા એકાદશી છે, જાણો પારણાનો સમય કયો છે
    2 weeks ago
    બલુચિસ્તાન સ્વતંત્ર થશે તો લોહાણા, સિંધી ભક્તજનો માટે બે ઐતિહાસિક હિન્દુ મંદિરોના દ્વાર ખુલશે…
    2 weeks ago
    જાણો આજે ઉજવાતા બુદ્ધ પૂર્ણિમા ત્યોહારના મહત્વ વિશે…
    3 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    કચ્છમાંથી ATSએ ઝડપેલા દેશદ્રોહી મામલે કોમવિગ્રહ ઉભો થાય તેવી પોસ્ટ મૂકતા પોલીસ કર્મી દિવ્યરાજ જાડેજા
    5 days ago
    ડુમિયાણી ટોલ પ્લાઝા કે લૂંટ પ્લાઝા?
    2 weeks ago
    રાજકોટના ઉદ્યોગપતિઓનું સનાતની જમીન કૌભાંડ!
    3 weeks ago
    મોરબીનાં PI પંડ્યા અને PSI અન્સારી વિરૂદ્ધ હાઈકોર્ટમાં પિટિશન
    4 weeks ago
    સત્સંગી જીવનના બીજા પ્રકરણના ચોત્રીસમા અધ્યાયમાં સનાતન ધર્મના અનુયાયીઓ જેવા કે મહાકાળી, કાલભૈરવ અને શિવના ઉપાસકો કે જે સહજાનંદ અને તેમની ટોળીનો વિરોધ કરી રહ્યા છે તેમને અસુર કહેવાયા છે
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: સનાતનમાં સ્ત્રી સશક્તિરણનું અજોડ ઉદાહરણ: મહારાણી અહિલ્યાબાઈ હોલકર
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > સનાતનમાં સ્ત્રી સશક્તિરણનું અજોડ ઉદાહરણ: મહારાણી અહિલ્યાબાઈ હોલકર
Author

સનાતનમાં સ્ત્રી સશક્તિરણનું અજોડ ઉદાહરણ: મહારાણી અહિલ્યાબાઈ હોલકર

Khaskhabar Editor
Last updated: 2025/05/31 at 5:49 PM
Khaskhabar Editor 2 days ago
Share
5 Min Read
SHARE

ધુ્રવા ઉનડકટ

અહિલ્યાબાઇએ ઔરંઝેબનાં કબ્જામાંથી કાશી વિશ્ર્વનાથ મંદિરને મુક્ત કરાવી માત્ર ત્રણ વર્ષમાં જ તેનું ફરી નિર્માણ કરાવ્યું હતું

- Advertisement -

છેલ્લા કેટલાક વર્ષોથી આપણને એક વાત કળાઈ રહી છે કે સનાતન ધર્મની રક્ષા કરવી તે આપણા અસ્તિત્વ અને સંતુલિત જીવન માટેની તાતી જરૂરિયાત છે. રામમંદિરના પુન:નિર્માણ વખતે સૌએ સફળતાની અને ગૌરવની લાગણી અનુભવી હતી. તે કાર્ય હાથ ધરવા પાછળ સરકાર અને ન્યાયપાલિકા ઉપરાંત અનેક ધાર્મિક નેતાઓ અને સેવાકર્મીઓનો ફાળો રહ્યો. પણ આવું જ કાર્ય આજથી 300 વર્ષ પહેલાં ભારત ભૂમિમાં જન્મ લેનાર, નીડર નારી ’અહિલ્યાબાઈ હોલકર’ દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું. 31 મે, 1725 (વિક્રમ સંવત 1782), ભારતનાં મહારાષ્ટ્ર રાજ્યના ચોંડી ગામમાં તેમનો જન્મ થયો. સ્ત્રીઓ શિક્ષણથી વંચિત રહેતી તેવા સમયે પિતા માનકોજી શિંદે અને માતા સુશીલા બાઈએ પુત્રી અહિલ્યાને વિદ્યારૂપ જીવવની મશાલ આપી અને અહિલ્યાબાઇનું તેજસ્વી ચારિત્ર્ય ઘડતર પ્રતીત થયું. તેમની પ્રતિભાથી પ્રસન્ન થઇ મરાઠા સામ્રાજ્યના માળવાના રાજા મલ્હારરાવ હોલકરે અહિલ્યાબાઇના લગ્ન તેના પુત્ર ખંડેરાવ હોલકર સાથે કરવાનો નિર્ણય કર્યો. લગ્નના સમય દરમિયાન અહલ્યાબાઈ માત્ર આઠ-દસ વર્ષના જ હતા. એકદમ સાધારણ અને મધ્યમ વર્ગીય પરિવારમાંથી રાજ-કાજની દુનિયામાં જનાર અહિલ્યાબાઇ અતિ કઠિન રાજકીય મુશ્કેલીઓનો પણ તુરંત ઉપાય કરી બતાવતા. રાજા મલ્હારરાવે પણ તેમના પુત્રની સાથે સાથે પુત્રી સમાન અહિલ્યાને તાલિમ આપી અને બહાદુર યોદ્ધા બનાવી. સુખી વૈવાહિક જીવનના વીસ વર્ષ બાદ અહિલ્યાબાઇના ભાગ્યમાં વિધવા જીવન લખાયેલ હતું. વર્ષ 1754માં કુંભે યુદ્ધ દરમિયાન તેમના પતિ ખંડેરાવનું મૃત્યુ થયું. તે સમયે ચાલતી સતી પ્રથા મુજબ અહિલ્યાબાઈ તો પોતાને પણ મૃત્યુની આગમાં હોમી દેવા તૈયાર હતા પરંતુ રાજા મલ્હારરાવ હોલકરે ભારતની આ શક્તિને આગની રાખમાં ભસ્મ થતાં રોક્યા. પુત્ર ખંડેરાવના મૃત્યુ બાદ તેમણે અહિલ્યાબાઇને અનેક જવાબદારીઓ સોંપી. યુદ્ધ જેવા ગંભીર સમય દરમિયાન રાજા મલ્હારરાવને લખેલ સંદેશ પત્રો પરથી અહિલ્યાબાઇની દુશ્મનો સામે વીરતાપૂર્ણ લડત આપવાની કુશળતા, સમજ અને રાષ્ટ્રીય શૌર્યની ભાવના પુરવાર થાય છે. વર્ષ 1766માં રાજા મલ્હારરાવ હોલકરનું પણ મૃત્યુ નીપજ્યું. ત્યારબાદ અહિલ્યાબાઇના પુત્ર માલેરાવને રાજગાદી સોંપવામાં આવી પરંતુ ગંભીર બીમારી હોવાથી માલેરાવ વધુ જીવી શક્યા નહીં. અહિલ્યાબાઇએ તેમના જીવનના અંગરૂપી દરેક વ્યક્તિઓને મોતના મુખમાં વિલીન થતાં જોયા. અહિલ્યાબાઇના આવા અંધકારમય જીવનમાં શિવ-ભક્તિની જ્યોતએ તેમને બમણી શક્તિ આપી અને વર્ષ 1967માં તેઓ ઔપચારિક રૂપે માળવાની મહારાણી બન્યા અને સામ્રાજ્યની જવાબદારી દર્શાવતું તિલક લલાટે ધારણ કર્યું. અહિલ્યાબાઇના નેતૃત્વ હેઠળ સમાજમાં અનેક પરિવર્તનો આવ્યા. જન્મભૂમિ મહારાષ્ટ્ર રહી પણ કર્મભૂમિ તો સમગ્ર દેશ કહી શકાય. તેમના સામ્રાજ્યની રાજધાની મહેશ્વર અને વસવાટ નર્મદા તટ પર રહ્યો છે. અહિલ્યાબાઇના રાજકીયકાળ દરમિયાન મહેશ્વર કલા, સંગીત અને સાહિત્યનું કેન્દ્ર રહ્યું હતું.

તેમણે મહેશ્વરમાં કાપડ ઉદ્યોગનો પાયો નાખ્યો, જેની સાડી આજે પણ વખણાય છે. આ ઉપરાંત તેમણે અનેક ઘાટ, કૂવાઓ, માર્ગ સુવિધાઓ, અન્ન ક્ષેત્રોનું બાંધકામ કરાવ્યું. મહત્તમ રોજગારી ઉભી કરી, ગરીબી હટાવી અને સાક્ષરતાનું પ્રમાણ પણ વધાર્યું. ખાસ કરીને સ્ત્રીઓને આત્મનિર્ભર થવા પ્રેરણા આપી. આટલું જ નહીં, સામ્રાજ્યમાં શિસ્તબદ્ધ કામગીરી માટે કોર્ટ ઉભી કરી. અહિલ્યાબાઇ લોકસેવા માટે ખૂબ જાણીતા હતા અને લોકો તેમને પુણ્યશ્લોકા તરીકે ઓળખતા. પુણ્યશ્લોકા અર્થાત પવિત્ર ચારિત્ર્ય ધરાવનાર. લોકો તેમને દેવી સ્વરૂપે પણ માનતાં. ભારતીય ઇતિહાસ અને સનાતન ધર્મમાં અગત્યનું યોગદાન અહિલ્યાબાઇએ આપેલ છે અને એ પણ તેવા સમયે જયારે દેશની આસ્થાને આંચ આવે તેમ હતી, દેશનો ધર્મ કચડાઈ જવાની કગાર પર હતો, દુશ્મનોએ દેશની પ્રજામાં લૂંટ અને સામ્રાજ્યોમાં તોડફોડ મચાવી હતી. મુઘલોનાં આક્રમણોએ હિન્દુ ધર્મના કેટલાય પવિત્ર સ્થળો અને મંદિરોને નષ્ટ કર્યા હતા. તે મંદિરોને ફરી સ્થાપિત કરવાની જહેમત અહિલ્યાબાઇએ ઉઠાવી હતી. પછી તે સોમનાથ મંદિર હોય કે ઓમકારેશ્વર મંદિર, કાશી વિશ્વનાથ મંદિર કે બદ્રીનાથ-કેદારનાથ મંદિર, ભારતમાં ઠેર-ઠેર તેમણે ધ્વસ્ત થયેલ મંદિરોને ફરી ઉભા કર્યા છે. ઔરંઝેબનાં કબ્જામાંથી કાશી વિશ્વનાથ મંદિરને મુક્ત કરાવી માત્ર ત્રણ વર્ષમાં જ તેનું ફરી નિર્માણ કરાવ્યું હતું. તેથી જ આજે પણ ત્યાં મુખ્ય મંદિર રાણી અહિલ્યાબાઇનું જોવા મળે છે.

ભારતમાં હજારો મંદિરોનો જીણોદ્ધાર અને સ્થાપનાનું શ્રેય અહિલ્યાબાઇ અને તેના પ્રેરણાદાયી જીવનને જાય છે. હાલ પાકિસ્તાનના પેશાવરમાં પણ અહિલ્યાબાઇ દ્વારા બનાવવામાં આવેલ મંદિર સ્થિત છે. પણ ભારતના ભાગલાં બાદ હવે આજે તે સ્થળ મંદિર નહીં પણ ખંડહરની હાલતમાં જોવા મળે છે. અહિલ્યાબાઇ હોલકર 28 વર્ષ સુધી (વર્ષ 1795 સુધી) માળવાના મહિલા શાસક રહ્યા અને માળવા સહિત સમગ્ર ભારતભૂમિને સામાજિક અને ધાર્મિક ઉદ્ધારતાથી પવિત્ર બનાવી. આજે પણ મહેશ્વર કિલ્લાનો મુખ્ય દ્વાર ’અહિલ્યા દ્વાર’ નામક છે. મહારાષ્ટ્રના પુણે શહેરમાં તેમનાં નામે યુનિવર્સીટીઓની સ્થાપના કરવામાં આવી છે અને ઇન્દોર એરપોર્ટ પણ દેવી અહિલ્યાબાઈ હોલકર નામે છે. અહિલ્યાબાઇ પર અનેક પુસ્તકો અને મૂવી-સિરીઝ ઉપલબ્ધ છે. અહિલ્યાબાઇનું જીવન, તે સમય જેટલું આજે પણ પ્રેરક રહ્યું છે. આજે એટલે કે 31 મે, અહિલ્યાબાઇ હોલકરની 300મી જન્મ જયંતિ નિમિત્તે તેમને વંદન કરીએ અને તેમના કાર્યોને વધુમાં વધુ જાણીએ અને આગળ ધપાવીએ, તે ખરારૂપે આજના દિવસની ઉજવણી થશે…

- Advertisement -

You Might Also Like

મહાન મનુષ્યોને એ અભિશાપ હોય છે કે, તેમની ભૂલોની ભરપાઈ હંમેશાં લાખો-કરોડો લોકોએ કરવી પડતી હોય છે…

વો ભૂલી દાસ્તાન..‘મામાનું ઘર’: ઉનાળું વેકેશનની મોજ

અત્ર તત્ર સર્વત્ર વ્યાપેલું ભસ્માસુર રસાયણ

ગ્રીનકાર્ડ કોના માટે છે?

હમને માના કી તગાફૂલ ન કરો કે લેકિન ખાક હો જાયેંગે હમ તુમકો ખબર હોને તક

TAGGED: Maharani Ahilyabai Holkar
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article છેલ્લા 2 દાયકામાં એઇમ્સ, હિરાસર ઍરપોર્ટ, લાઇટ હાઉસ પ્રોજેક્ટ સહિતની માળખાગત સુવિધાઓ દ્વારા રંગીલું રાજકોટ બન્યું અભૂતપૂર્વ વિકાસનું સાક્ષી
Next Article અમદાવાદ પોલીસે ગુમ થયેલા 90 મોબાઈલ શોધી કાઢ્યા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાત

ખાખીને કલંકિત કરતી ઘટના, અમરેલીમાં બે પોલીસ કર્મી વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાઇ

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
શાપરમાં પરપ્રાંતિય શ્રમિક પરિવારના 7 વર્ષના બાળકને કૂતરાંના ટોળાંએ ફાડી ખાધો
ઉચાપત કેસમાં જે. કે. ટ્રેડિંગના બંને ભાગીદારોને જામીન મુક્ત કરતી સેશન્સ કોર્ટ
લાજપોર મધ્યસ્થ જેલ ખાતે CPR તાલીમ તેમજ મેડીકલ કેમ્પનું આયોજન
મોરબીમાં સાવકા પિતા એ પુત્રી સાથે દુષ્કર્મ આચર્યું, પત્નીએ છાતીમાં પાટા મારી હત્યા કરી નાખી
મોરબીમાં સરકારના પોષણ સંગમ કાર્યક્રમ અન્વયે 1 દિવસીય વર્કશોપ યોજાયો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Kinnar Acharya

મહાન મનુષ્યોને એ અભિશાપ હોય છે કે, તેમની ભૂલોની ભરપાઈ હંમેશાં લાખો-કરોડો લોકોએ કરવી પડતી હોય છે…

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
Hemadri Acharya Dave

વો ભૂલી દાસ્તાન..‘મામાનું ઘર’: ઉનાળું વેકેશનની મોજ

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
Author

અત્ર તત્ર સર્વત્ર વ્યાપેલું ભસ્માસુર રસાયણ

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?