By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    અમે ગેમ-ચેન્જર હારી ગયા: મંત્રીએ સ્વીકાર્યું કે પાકિસ્તાન CPECથી લાભ મેળવવામાં નિષ્ફળ ગયું
    17 hours ago
    કિવ પર રશિયાના હુમલામાં ઓછામાં ઓછા 4 માર્યા ગયા, 27 ઘાયલ
    17 hours ago
    જાપાન PM સાને ટાકાઇચીની સવારે 3 વાગ્યે બેઠક બોલાવી
    2 days ago
    લોરેનશ બિશ્નોઈના ખાસ એવા જોરા સિદ્ધુની હત્યાનો દાવો,રોહિત ગોદરાએ લીધી જવાબદારી
    2 days ago
    યુએસ સેક્રેટરી ઑફ સ્ટેટ રુબિયોએ દિલ્હી બ્લાસ્ટને ‘આતંકવાદી હુમલો’ ગણાવ્યો
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    રાજસ્થાનના શાકભાજી વિક્રેતા અમિત સેહરાને 11 કરોડની લોટરી લાગી
    12 hours ago
    ચૂંટાયેલા નેતાઓ ક્યારે લેશે શપથ? ચાલો જાણીયે
    15 hours ago
    જમ્મુ કાશ્મીરમાં ઘટેલી ઘટના અંગે કેન્દ્રીય ગૃહ મંત્રાલયની સ્પષ્ટતા
    16 hours ago
    ઝારખંડ: રાંચી હટિયા ડેમમાં ત્રણ પોલીસકર્મીઓના મોત, એક લાપતા
    17 hours ago
    આવતા વર્ષે પશ્ચિમ બંગાળના લોકો જંગલરાજને પણ નકારી દેશે : પ્રધાનમંત્રી મોદી
    17 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    IPL 2026: રાજસ્થાન રોયલ્સે જાડેજા અને કુરાનની જગ્યાએ સંજુ સેમસનને ચેન્નાઈ સુપર કિંગ્સ સાથે સોદો કર્યો
    16 hours ago
    ભારત સામે આફ્રિકાની ખરાબ હાલત
    1 day ago
    BCCIની કોહલી અને રોહિતને કડક સૂચના: ભારત માટે રમવું હોય તો ઘરેલું ક્રિકેટ ફરજિયાત
    3 days ago
    હોમકમિંગ? જાડેજાની પહેલી લવ સ્ટોરી: રાજસ્થાન રોયલ્સ!
    5 days ago
    પ્રાધાનમંત્રી બાદ ભારતીય મહિલા ટીમ મળી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    દુબઈમાં રૂ.4000 કરોડનો શાહરુખ ખાનના નામ પર બનશે ટાવર
    15 hours ago
    ડીપફેક શોષિત સેલેબ્સની લિસ્ટમાં શાહરૂખ ખાન ટોપ પર
    16 hours ago
    રાજકુમાર રાવ અને પત્રલેખા તેમની લગ્નની ચોથી એનિવર્સરીના દિવસે માતા-પિતા બન્યા
    16 hours ago
    ‘નદિયા કા પાર’ ફેમ કામિની કૌશલનું 98 વર્ષની વયે નિધન
    2 days ago
    ગોવિંદાને હોસ્પિટલમાંથી મળી રજા, ગઈ કાલે બેહોશ થયા હતા
    4 days ago
  • ધર્મ
    ધર્મShow More
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    3 weeks ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    4 weeks ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    4 weeks ago
    લક્ષ્મી પૂજનના દિવસે મહાલક્ષ્મી માતાજીનું અલૌકિક સ્વરૂપ: રાજાશાહી આભૂષણોમાં દર્શન
    4 weeks ago
    આજે ધનતેરસ સાંજે કરો આ ઉપાય, ક્યારેય ધનની કમી નહિ થાય
    4 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    5 days ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    2 weeks ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    3 weeks ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    3 weeks ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    4 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: સનાતનમાં સ્ત્રી સશક્તિરણનું અજોડ ઉદાહરણ: મહારાણી અહિલ્યાબાઈ હોલકર
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > સનાતનમાં સ્ત્રી સશક્તિરણનું અજોડ ઉદાહરણ: મહારાણી અહિલ્યાબાઈ હોલકર
Author

સનાતનમાં સ્ત્રી સશક્તિરણનું અજોડ ઉદાહરણ: મહારાણી અહિલ્યાબાઈ હોલકર

Khaskhabar Editor
Last updated: 2025/05/31 at 5:49 PM
Khaskhabar Editor 6 months ago
Share
5 Min Read
SHARE

ધુ્રવા ઉનડકટ

અહિલ્યાબાઇએ ઔરંઝેબનાં કબ્જામાંથી કાશી વિશ્ર્વનાથ મંદિરને મુક્ત કરાવી માત્ર ત્રણ વર્ષમાં જ તેનું ફરી નિર્માણ કરાવ્યું હતું

- Advertisement -

છેલ્લા કેટલાક વર્ષોથી આપણને એક વાત કળાઈ રહી છે કે સનાતન ધર્મની રક્ષા કરવી તે આપણા અસ્તિત્વ અને સંતુલિત જીવન માટેની તાતી જરૂરિયાત છે. રામમંદિરના પુન:નિર્માણ વખતે સૌએ સફળતાની અને ગૌરવની લાગણી અનુભવી હતી. તે કાર્ય હાથ ધરવા પાછળ સરકાર અને ન્યાયપાલિકા ઉપરાંત અનેક ધાર્મિક નેતાઓ અને સેવાકર્મીઓનો ફાળો રહ્યો. પણ આવું જ કાર્ય આજથી 300 વર્ષ પહેલાં ભારત ભૂમિમાં જન્મ લેનાર, નીડર નારી ’અહિલ્યાબાઈ હોલકર’ દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું. 31 મે, 1725 (વિક્રમ સંવત 1782), ભારતનાં મહારાષ્ટ્ર રાજ્યના ચોંડી ગામમાં તેમનો જન્મ થયો. સ્ત્રીઓ શિક્ષણથી વંચિત રહેતી તેવા સમયે પિતા માનકોજી શિંદે અને માતા સુશીલા બાઈએ પુત્રી અહિલ્યાને વિદ્યારૂપ જીવવની મશાલ આપી અને અહિલ્યાબાઇનું તેજસ્વી ચારિત્ર્ય ઘડતર પ્રતીત થયું. તેમની પ્રતિભાથી પ્રસન્ન થઇ મરાઠા સામ્રાજ્યના માળવાના રાજા મલ્હારરાવ હોલકરે અહિલ્યાબાઇના લગ્ન તેના પુત્ર ખંડેરાવ હોલકર સાથે કરવાનો નિર્ણય કર્યો. લગ્નના સમય દરમિયાન અહલ્યાબાઈ માત્ર આઠ-દસ વર્ષના જ હતા. એકદમ સાધારણ અને મધ્યમ વર્ગીય પરિવારમાંથી રાજ-કાજની દુનિયામાં જનાર અહિલ્યાબાઇ અતિ કઠિન રાજકીય મુશ્કેલીઓનો પણ તુરંત ઉપાય કરી બતાવતા. રાજા મલ્હારરાવે પણ તેમના પુત્રની સાથે સાથે પુત્રી સમાન અહિલ્યાને તાલિમ આપી અને બહાદુર યોદ્ધા બનાવી. સુખી વૈવાહિક જીવનના વીસ વર્ષ બાદ અહિલ્યાબાઇના ભાગ્યમાં વિધવા જીવન લખાયેલ હતું. વર્ષ 1754માં કુંભે યુદ્ધ દરમિયાન તેમના પતિ ખંડેરાવનું મૃત્યુ થયું. તે સમયે ચાલતી સતી પ્રથા મુજબ અહિલ્યાબાઈ તો પોતાને પણ મૃત્યુની આગમાં હોમી દેવા તૈયાર હતા પરંતુ રાજા મલ્હારરાવ હોલકરે ભારતની આ શક્તિને આગની રાખમાં ભસ્મ થતાં રોક્યા. પુત્ર ખંડેરાવના મૃત્યુ બાદ તેમણે અહિલ્યાબાઇને અનેક જવાબદારીઓ સોંપી. યુદ્ધ જેવા ગંભીર સમય દરમિયાન રાજા મલ્હારરાવને લખેલ સંદેશ પત્રો પરથી અહિલ્યાબાઇની દુશ્મનો સામે વીરતાપૂર્ણ લડત આપવાની કુશળતા, સમજ અને રાષ્ટ્રીય શૌર્યની ભાવના પુરવાર થાય છે. વર્ષ 1766માં રાજા મલ્હારરાવ હોલકરનું પણ મૃત્યુ નીપજ્યું. ત્યારબાદ અહિલ્યાબાઇના પુત્ર માલેરાવને રાજગાદી સોંપવામાં આવી પરંતુ ગંભીર બીમારી હોવાથી માલેરાવ વધુ જીવી શક્યા નહીં. અહિલ્યાબાઇએ તેમના જીવનના અંગરૂપી દરેક વ્યક્તિઓને મોતના મુખમાં વિલીન થતાં જોયા. અહિલ્યાબાઇના આવા અંધકારમય જીવનમાં શિવ-ભક્તિની જ્યોતએ તેમને બમણી શક્તિ આપી અને વર્ષ 1967માં તેઓ ઔપચારિક રૂપે માળવાની મહારાણી બન્યા અને સામ્રાજ્યની જવાબદારી દર્શાવતું તિલક લલાટે ધારણ કર્યું. અહિલ્યાબાઇના નેતૃત્વ હેઠળ સમાજમાં અનેક પરિવર્તનો આવ્યા. જન્મભૂમિ મહારાષ્ટ્ર રહી પણ કર્મભૂમિ તો સમગ્ર દેશ કહી શકાય. તેમના સામ્રાજ્યની રાજધાની મહેશ્વર અને વસવાટ નર્મદા તટ પર રહ્યો છે. અહિલ્યાબાઇના રાજકીયકાળ દરમિયાન મહેશ્વર કલા, સંગીત અને સાહિત્યનું કેન્દ્ર રહ્યું હતું.

તેમણે મહેશ્વરમાં કાપડ ઉદ્યોગનો પાયો નાખ્યો, જેની સાડી આજે પણ વખણાય છે. આ ઉપરાંત તેમણે અનેક ઘાટ, કૂવાઓ, માર્ગ સુવિધાઓ, અન્ન ક્ષેત્રોનું બાંધકામ કરાવ્યું. મહત્તમ રોજગારી ઉભી કરી, ગરીબી હટાવી અને સાક્ષરતાનું પ્રમાણ પણ વધાર્યું. ખાસ કરીને સ્ત્રીઓને આત્મનિર્ભર થવા પ્રેરણા આપી. આટલું જ નહીં, સામ્રાજ્યમાં શિસ્તબદ્ધ કામગીરી માટે કોર્ટ ઉભી કરી. અહિલ્યાબાઇ લોકસેવા માટે ખૂબ જાણીતા હતા અને લોકો તેમને પુણ્યશ્લોકા તરીકે ઓળખતા. પુણ્યશ્લોકા અર્થાત પવિત્ર ચારિત્ર્ય ધરાવનાર. લોકો તેમને દેવી સ્વરૂપે પણ માનતાં. ભારતીય ઇતિહાસ અને સનાતન ધર્મમાં અગત્યનું યોગદાન અહિલ્યાબાઇએ આપેલ છે અને એ પણ તેવા સમયે જયારે દેશની આસ્થાને આંચ આવે તેમ હતી, દેશનો ધર્મ કચડાઈ જવાની કગાર પર હતો, દુશ્મનોએ દેશની પ્રજામાં લૂંટ અને સામ્રાજ્યોમાં તોડફોડ મચાવી હતી. મુઘલોનાં આક્રમણોએ હિન્દુ ધર્મના કેટલાય પવિત્ર સ્થળો અને મંદિરોને નષ્ટ કર્યા હતા. તે મંદિરોને ફરી સ્થાપિત કરવાની જહેમત અહિલ્યાબાઇએ ઉઠાવી હતી. પછી તે સોમનાથ મંદિર હોય કે ઓમકારેશ્વર મંદિર, કાશી વિશ્વનાથ મંદિર કે બદ્રીનાથ-કેદારનાથ મંદિર, ભારતમાં ઠેર-ઠેર તેમણે ધ્વસ્ત થયેલ મંદિરોને ફરી ઉભા કર્યા છે. ઔરંઝેબનાં કબ્જામાંથી કાશી વિશ્વનાથ મંદિરને મુક્ત કરાવી માત્ર ત્રણ વર્ષમાં જ તેનું ફરી નિર્માણ કરાવ્યું હતું. તેથી જ આજે પણ ત્યાં મુખ્ય મંદિર રાણી અહિલ્યાબાઇનું જોવા મળે છે.

ભારતમાં હજારો મંદિરોનો જીણોદ્ધાર અને સ્થાપનાનું શ્રેય અહિલ્યાબાઇ અને તેના પ્રેરણાદાયી જીવનને જાય છે. હાલ પાકિસ્તાનના પેશાવરમાં પણ અહિલ્યાબાઇ દ્વારા બનાવવામાં આવેલ મંદિર સ્થિત છે. પણ ભારતના ભાગલાં બાદ હવે આજે તે સ્થળ મંદિર નહીં પણ ખંડહરની હાલતમાં જોવા મળે છે. અહિલ્યાબાઇ હોલકર 28 વર્ષ સુધી (વર્ષ 1795 સુધી) માળવાના મહિલા શાસક રહ્યા અને માળવા સહિત સમગ્ર ભારતભૂમિને સામાજિક અને ધાર્મિક ઉદ્ધારતાથી પવિત્ર બનાવી. આજે પણ મહેશ્વર કિલ્લાનો મુખ્ય દ્વાર ’અહિલ્યા દ્વાર’ નામક છે. મહારાષ્ટ્રના પુણે શહેરમાં તેમનાં નામે યુનિવર્સીટીઓની સ્થાપના કરવામાં આવી છે અને ઇન્દોર એરપોર્ટ પણ દેવી અહિલ્યાબાઈ હોલકર નામે છે. અહિલ્યાબાઇ પર અનેક પુસ્તકો અને મૂવી-સિરીઝ ઉપલબ્ધ છે. અહિલ્યાબાઇનું જીવન, તે સમય જેટલું આજે પણ પ્રેરક રહ્યું છે. આજે એટલે કે 31 મે, અહિલ્યાબાઇ હોલકરની 300મી જન્મ જયંતિ નિમિત્તે તેમને વંદન કરીએ અને તેમના કાર્યોને વધુમાં વધુ જાણીએ અને આગળ ધપાવીએ, તે ખરારૂપે આજના દિવસની ઉજવણી થશે…

- Advertisement -

You Might Also Like

બિહાર વિધાનસભા ચૂંટણી: મહાગઠબંધન કેમ હાર્યું ? NDA શા માટે જીત્યું ?

જરૂરી છે માણસનું માણસ થવું !

અમેરિકન ગ્રીનકાર્ડ ખોવાયું છે? હવે ચિંતા કરવાની જરૂર નથી!

તને મેં ઝંખી છે-યુગોથી ધીખેલા પ્રખર સહરાની તરસથી

આતંકવાદનો રામબાણ રશિયન ઉપાય

TAGGED: Maharani Ahilyabai Holkar
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article છેલ્લા 2 દાયકામાં એઇમ્સ, હિરાસર ઍરપોર્ટ, લાઇટ હાઉસ પ્રોજેક્ટ સહિતની માળખાગત સુવિધાઓ દ્વારા રંગીલું રાજકોટ બન્યું અભૂતપૂર્વ વિકાસનું સાક્ષી
Next Article અમદાવાદ પોલીસે ગુમ થયેલા 90 મોબાઈલ શોધી કાઢ્યા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

રાજકોટ મનપાની ટી.પી.શાખાનું ડિમોલીશન: વોર્ડ નં-3માં 27.58 કરોડની જમીન ખુલ્લી કરાઈ

Khaskhabar Editor Khaskhabar Editor 11 hours ago
મેટોડા વાડીમાં ઉતારેલો 68.32 લાખનો દારૂ કટિંગ થાય તે પૂર્વે એલસીબીનો દરોડો
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીનો અમરેલી જિલ્લામાં બે દિવસીય પ્રવાસ
રાજકોટ-પોરબંદર નવી લોકલ ટ્રેનનું વીરપુર ખાતે ઢોલ-નગારા સાથે ભવ્ય સ્વાગત
સ્નેહમિલનમાં આદર્શ વૈદિક વિવાહનો પ્રસ્તાવ રજુ થયો અને 181 લગ્નના દાતા વરસી પડ્યા
રાજકોટમાં સહકાર ભારતીના ‘સહકાર સપ્તાહ’નો પ્રારંભ: 4 ઝોનમાં જ્ઞાન સત્ર અને મહિલા સંમેલન યોજાશે
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Hemadri Acharya Dave

બિહાર વિધાનસભા ચૂંટણી: મહાગઠબંધન કેમ હાર્યું ? NDA શા માટે જીત્યું ?

Khaskhabar Editor Khaskhabar Editor 11 hours ago
Author

જરૂરી છે માણસનું માણસ થવું !

Khaskhabar Editor Khaskhabar Editor 11 hours ago
Author

અમેરિકન ગ્રીનકાર્ડ ખોવાયું છે? હવે ચિંતા કરવાની જરૂર નથી!

Khaskhabar Editor Khaskhabar Editor 11 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?