By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    અમેરિકાએ 50% ટેરિફ લગાવતાં કેનેડા ભડક્યું, વેપાર કરાર સ્થગિત કરી બદલાનું એલાન કર્યું
    1 day ago
    કોલેસ્ટ્રોલથી પીડાતા દર્દીઓ માટે આશાસ્પદ અને ક્રાંતિકારી શોધ : Verve-102 જીન થેરાપી
    2 days ago
    ડોલર અને યુરો કરતાં રૂપિયાની નોટોની સંખ્યા વધુ : ભારતમાં 176 અબજ બેંક નોટો ચલણમાં
    4 days ago
    કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં ભયાનક દાવાનળ : ઇમરજન્સી જાહેર
    2 weeks ago
    કોલંબિયામાં ભયાનક ભૂકંપ : 132નાં મોત, 570 ઘાયલ
    2 weeks ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    પુણેમાં રાહુલ ગાંધીના કાર્યક્રમ પહેલાં NSUI-ABVP વચ્ચે ઘર્ષણ
    1 day ago
    પૂરમાં ગંભીર ઇજાગ્રસ્ત 53 વર્ષીય હાથિણ ‘જોયમોતી’ને એરલિફ્ટ કરી વનતારા લવાઈ
    1 day ago
    બ્રિટીશ એજન્સીનો રિપોર્ટ : અલ-નીનો 100 વર્ષનું સૌથી ભયંકર, 2027માં ગરમી ભૂક્કા બોલાવશે
    1 day ago
    ગુજરાતમાં એનાલોગ પનીર પર પ્રતિબંધ, અન્ય રાજ્યોમાંથી આયાત ચાલુ
    2 days ago
    શીખોની મુક્તિ માટે પંજાબ બંધ
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    4 days ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    1 week ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    2 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    3 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    3 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    4 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    4 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    1 month ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 month ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: રસોઈ અને આપણે: સત્ય કડવું હોય છે પણ સત્ય સિવાય બીજું કાંઈ જ સત્ય હોતું નથી!
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > મનીષ આચાર્ય > રસોઈ અને આપણે: સત્ય કડવું હોય છે પણ સત્ય સિવાય બીજું કાંઈ જ સત્ય હોતું નથી!
મનીષ આચાર્ય

રસોઈ અને આપણે: સત્ય કડવું હોય છે પણ સત્ય સિવાય બીજું કાંઈ જ સત્ય હોતું નથી!

Khaskhabar Editor
Last updated: 2025/01/04 at 4:22 PM
Khaskhabar Editor 2 years ago
Share
9 Min Read
SHARE

રાંધેલો ખોરાક સ્વાસ્થ્ય માટે કેટલો ઈચ્છનીય છે તે બાબતે વિશ્ર્વ સ્તરે વ્યાપક સંશોધન જરૂરી છે

રાંધેલો ખોરાક જ જો મનુષ્ય માટે ઇષ્ટ છે તો તે માનવીને કેટલો વધુ માનવીય બનાવે છે?

- Advertisement -

પશુઓ પૂરો દિવસ ખોરાકની શોધમાં ભટક્યા કરે છે અને માનવી પોતાને આસાનીથી મળી ગયેલા ખોરાકને સજાવવા ધજાવવામાં પૂરો સમય વિતાવી દે છે..જાત જાતની વાનગીઓ વિકસાવવામાં માનવ સભ્યતાના વિકાસનો ઘણો મોટો હિસ્સો ખર્ચાઈ ગયો છે.રસોડું અને રસોઈ આપણા જીવનનું અવિભાજ્ય અંગ છે.રસોડામુક્ત જીવનની કલ્પના ન તો કેવળ મુશ્કેલ છે બલ્કે સામાન્ય માણસની દૃષ્ટિમાં તે હાસ્યાસ્પદ બની રહે તેવી બાબત છે..કદાચ તે બિહામણી પણ છે.. શરીર માટે ખોરાકની જરૂરિયાતના સંદર્ભમાં તેની સાથે માનવીનો નાતો ખોરાક સાથે પશુઓના નાતથી અલગ બિલકુલ ન જ હોઈ શકે..આ વાત તાર્કિક છે અને સત્ય છે.. પરંતુ, ખોરાક ને રસોઈની પ્રક્રિયા સાથે જોડવામાં આપણે ખાસ્સી અક્કલ અને કલ્પનાશક્તિ કામે લગાડી છે.. કીડીથી લઈને હાથી સુધીના સજીવોને જો કાચો ખોરાક જો પચી જતો હોય તો માનવીએ વળી એવા ક્યાં કાળા કામ કર્યા છે કે તેને પ્રભુએ રસોઈના ધંધે લગાડી દીધી? એવો તે ક્યો શ્રાપ હશે કે તેણે રસોઈ બાબતે આટલું ચિંતન કરવું પડે…!?! “રાંધ્યા વિનાનો ખોરાક માનવીને ન પચે”, આ કથન માં છુપાયેલું જે સત્ય છે તે એટલું જ છે કે રાંધેલો ખોરાક ખાવામાં જીવન પર્યતના અભ્યાસના કારણે માણસ કાચો ખોરાક પચવાની ક્ષમતા કામચલાઉ રીતે ગુમાવી બેસે છે..પરંતુ બીજી બાજુ એક પૂર્ણસત્ય એ પણ છે કે રસોઈની સમગ્ર પ્રક્રિયા દરમિયાન 60થી 98 ટકા પોષક તત્વો નાશ પામે છે..એટલે જ માનવી પૃથ્વી પરના કેટલાક સહુથી કમજોર જાનવરો માંહે એક છે.સિંહ વાઘ તો હવે ખાસ રહ્યા પણ નથી પરંતુ માણસ તો બકરી કે કૂતરાથી પણ ડરે છે..નાના એવા જીવડાં કે વંદા ને જોઈ શહેરની સ્ત્રીઓ કૂદકા મારવા લાગે છે અને પોતાના આ ભય, આ કમજોરી ને પોતે સભ્ય સમાજનું અસ્તિત્વ હોવાનો પુરાવો માને છે. જો કે માણસ ધારે તો કાચો ખોરાક ખાવા માટે વ્યક્તિગત રીતે પોતાની જાતને સક્ષમ બનાવી શકે છે..અને એ જ તો જરૂરી પણ છે..આ પૃથ્વી પર માણસ સિવાય ખોરાકને કોઈ રાંધીને ખાતું નથી..કોઈ પણ વસ્તુ રાંધીને ખાવાથી જ જો પચતી હોય તો સમજવાનું કે તે માનવી માટેનો ખોરાક નથી..( ઘઉં ચોખા જેવા અનાજ ) જીવનમાં એક અનિષ્ટને લઈ આવો એટલે તે બીજા કેટલાક અનિષ્ટને પોતાની જાતે જ આમંત્રણ પાઠવી દે છે એ સત્યને સાર્થક કરતા આપણે જ્યારે અનાજ ખાઈએ છીએ ત્યારે તેની સાથે રાંધેલા શાકની પણ જરૂર પડે છે..કારણકે આપણે કોરું અનાજ ખાઈ શકતા નથી. આપણે તે કોરું ખાઈ શકતા નથી એ બાબત જ તે વાત પુરવાર કરી દે છે કે અનાજ માનવી માટેનો ખોરાક નથી..આ પુર્ણસત્ય છે અને હું પૂર્ણસત્ય સિવાય કાઈ જ કહેતો નથી.પરંતુ તે ઘણો લાંબો વિષય છે અને વળી અન્નાહારને આયુર્વેદનું સમર્થન છે તથા, આપણે ત્યાં તમે ભગવાન રામ કે ભગવાન કૃષ્ણની ભૂલ કાઢી શકો પણ આયુર્વેદ એક એવી બાબત છે જેમાં કાંઈક ખોટું હોવાનું તમે ન કહી શકો.ભલે હજારો વર્ષથી તેમાં કોઈ માતબર સંશોધન ન થયું હોય, ભલે હજારો વર્ષથી કોઈ નવા ઋષિ ન પાક્યા હોય!

એની વે! મૂળ વાત કરીએ, વાસ્તવમાં માનવ જીવનના તાણાવાણામાં અદભૂત રીતે ગૂંથાઈ ગયેલી ખોરાકને રાંધવાની વાત તેને ચાવવાની આળસમાંથી પેદા થઈ હોવાની પૂરી સંભાવના છે.પાકશાસ્ત્રના ઉદભવ અને વિકાસ ના મૂળમાં ભૂખ નહી બલ્કે ભૂખનો અભાવ છે..કોઈ ખેડૂત કે મજૂરને તમે ક્યારેય પોતાનું ભોજન ગારનીશિંગ કરતા નહી જોયો હોય.પરંતુ ખોરાકને આપણે જ્યારે રાંધી છીએ ત્યારે ન તો કેવળ તે પોતાના અમૂલ્ય પોષક તત્વો ગુમાવી બેસે છે બલ્કે પોતાના મૂળભૂત સ્વાદ અને સુગંધ પણ બેસે છે.દાળ રોટલી કે શાક કે અન્ય કોઈ પણ વસ્તુ રંધાતી હોય ત્યારે તેમાંથી એક સરસ સુગંધ છૂટે છે.આ બાબત વિશે સમજવા જેવી વાત એ છે કે, કોઈ પણ વસ્તુને આપણે ગરમ કરીએ ત્યારે પ્રકૃતિએ, તેમાં ઠાંસોઠાંસ ભરેલી સુગંધ બહાર આવે છે. પરંતુ સુગંધનું આ છૂટવું કોઈ પણ પદાર્થના સંપૂર્ણ નાશ પહેલાની ઘટના હોય છે.તમે નિરીક્ષણ કરશો તો ખ્યાલ આવશે કે ખોરાક ને રાંધતી વખતે જે સુગંધ આવતી હોય છે તે સુગંધ તે બની ગયા પછી પ્લેટ માં પીરસો ત્યારે નથી આવતી.ગરમાગરમ શાક કે દાળ વિગેરેની પ્લેટ સુંઘો તો તેમાંથી જે સુગંધ આવે તે મરી મસાલાની હોય છે, મૂળ શાક દાળ કે જે તે અન્ય વસ્તુની નહી.અને મૂળભૂત ખોરાક કરતા મરી મસાલાના પદાર્થ તરીકેના ગુણધર્મો ઘણા અલગ હોય છે..અગરબત્તી પેટાવો ત્યારે માર્ક કરજો, ધુમાડો ટોપ પર જ્યાં સળગતું હોય ત્યાંથી નથી નીકળતો બલ્કે એ નાના એવા અગ્નીબિંદુ નીચે શેકાતા માવામાંથી નીકળતો હોય છે અને અગરબત્તી સળગી જાય પછી તેની રાખ, એટલે કે મૃત અગરબત્તી માંથી કોઈ સુગંધ આવતી હોતી નથી.બ્રેડ બનતી હોય, રોટલી શેકતી હોય ત્યારે જે સુગંધ આવે છે તે સુગંધ અર્ધી કલાક પછી પણ નથી હોતી..

એ જ રોટલી ને તમે ફરી ગરમ કરશો તો તેમાંથી જે થોડી ઘણી સુગંધ છૂટે છે તે તેમાં ચોપડેલા ઘી અને તેની અંદરના તેલની મિશ્ર સુગંધ હોય છે, લોટ ની નહી.અને તે જ રોટલી ને સુગંધ છૂટ્યા પછી થોડો સમય વધુ ગરમ કરો તો તે બળી ને રાખ થઈ જાય. પ્રકૃતિ સર્વશક્તિમાન છે, તે જે ઈચ્છે તે કરી શકે છે તો પછી ઘઉં ચોખા શાકભાજી વિગેરેથી રાંધતી વખતે જે સુગંધ છૂટે છે તે સુગંધને પ્રકૃતિએ જે તે ખાદ્ય પદાર્થ માં સક્રિય રીતે બહાર રાખવાને બદલે છુપાવીને કેમ રાખી હતી..? હકીકતમાં ગંધ સુગંધ સોડમ એ કેવળ એક આહ્લાદક અહેસાસ નથી બલ્કે તે સુગંધની ભીતર અનેક સુક્ષ્મ છતાં અત્યંત મહત્વપૂર્ણ અભિયાન ચલાવવાની ક્ષમતા, પ્રોગ્રામ પ્રકૃતિએ મૂક્યા હોય છે…તેને કાચા ખોરાક વાટે આપણો ભીતર જવા દઈ ચમત્કારો પેદા થવા દેવાના હોય છે પરંતુ આ સુગંધ આપણે હવામાં વહેતી મૂકી દઈએ છીએ….! આપણે કોરું અનાજ નથી ખાઈ શકતા, તે રાંધેલું હોય તો પણ! માટે જ આપણે રોટલી સાથે શાક કે તેવી અન્ય કોઈ પોચી રસદાર વસ્તુ જોઈએ છે..આ વાત આગળ આપણે જોઈ. પરંતુ વિડંબના એ છે કે આ શાકમાંથી પણ આપણે રસોઈ દરમિયાન તેના રસ ઉડાડી દીધા હોય છે, તે બફાવાથી કે શેકાવા સંતલાવાથી તેનું મૂળ પોત ચાલ્યું ગયું હોય છે તેથી તેમાં મરી મસાલા ની જરૂરત પડે છે..આવો રાંધેલો ખોરાક શરીરમાં પ્રોસીડ કરવા મરી મસાલા વિગેરેની થોડી ઘણી જરૂરત પડે જ છે પરંતુ કેટલાક લોકો એ પણ સહન કરી નથી શકતા તો કેટલાક મરી મસાલાથી જે તે વ્યંજન ને ભરી દે છે. આ બધા રાંધેલા ખોરાક ના અનિષ્ટો છે..રાંધવાથી ફિકી પડેલી રસોઈને સ્વાદ આપવા મસાલા ની જરૂર પડે છે.મસાલા કોરા ન ચાલે એટલે તેમાં મીઠું જોઈએ ગલાશ જોઈએ..તમે નિરીક્ષણ કરશો તો એ પણ ખ્યાલ આવશે કે બાફેલા શાકભાજી તમે હજુ પણ કાઈ જ નાખ્યા વીના ખાઈ શકો પણ તેમાં થોડું એવું મરચું નાખો એટલે તરત મીઠું જોઈશે..આ નમક અને મરચા વિગેરેનું વારંવાર નું સંયોજન શરીરમાં નવી વસ્તુ માટેની ડિમાન્ડ પેદા કરે છે. શાકને વધારવા આપણે હિંગ રાઈ જીરું વિગેરે વાપરીએ છીએ, તે રાઈ જીરું વિગેરે તો બળી જાય છે..શરીર માટે તેનો ખપ શું? થોડા દિવસ અત્યંત ઓછા પ્રમાણમાં કાચી રાઈ, કાચું જીરું, હિંગ યેનકેન પ્રકારે ખાઈ જુઓ, તમને ખ્યાલ આવશે કે તમે જેને રોજ અગ્નિદાહ આપો છો તે પ્રકૃતિનું કેવું અદભુત સર્જન છે અને પ્રકૃતિએ તમારા વાસ્તે ક્યાં હેતુ થી તે બનાવ્યા છે..! રસોઈ દ્વારા તમે તમારા શરીર નું કલ્યાણ કરો છો કે તેનો નાશ કરો છો તેનું પણ ક્યારેક ચિંતન કરો, આવું કંઇક વાંચન કરો અને તે અમલમાં મૂકો… શિ’ંત રજ્ઞિ ુજ્ઞી જ્ઞક્ષહુ . રસોઈ ના ઔચિત્ય અંગે બીજી ઘણી વાતો ટુંક સમય માં; સત્ય કડવું હોય છે પણ સત્ય સિવાય બીજું કાઈ જ સત્ય હોતું નથી..

- Advertisement -

You Might Also Like

કફ અને સૂફી ખાંસી માટે રામબાણ ઈલાજ છે : સિતોપલાદી ચૂર્ણ

હૃદય સંબંધિત તકલીફોમાં નવજાત શિશુથી લઈને વૃધ્ધો સુધીના દર્દીઓ માટે : આશાનું તેજસ્વી કિરણ

પગની નસોમાં લોહીનું ગંઠાઈ જવું તે એક જોખમી સ્થિતિ છે

ગુજરાતીઓમાં અળખામણું પણ અનેક ગુણોના ભંડાર સમું કોળું

ચલણી નાણાનો વૈશ્વિક ઇતિહાસ : વિશ્વની પહેલી ટંકશાળા ચીનમાં 3100 વર્ષ પહેલા શરૂ થઈ હતી

TAGGED: cooking
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ભારતમાતા કી જય !
Next Article અંતે ગાંધીનગર સ્થિત યુવકસેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિવાદિત અધિકારીની બદલી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Author

ચૂંટણી જીતવા માટે સભાઓ કરતાં સંગઠન વધુ મહત્વનું

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
અમેરિકાએ 50% ટેરિફ લગાવતાં કેનેડા ભડક્યું, વેપાર કરાર સ્થગિત કરી બદલાનું એલાન કર્યું
પુણેમાં રાહુલ ગાંધીના કાર્યક્રમ પહેલાં NSUI-ABVP વચ્ચે ઘર્ષણ
જન્માષ્ટમી મહોત્સવ સમિતિના ધર્માધ્યક્ષ તરીકે ભક્તિ પ્રકાશદાસ મહારાજની વરણી
પૂરમાં ગંભીર ઇજાગ્રસ્ત 53 વર્ષીય હાથિણ ‘જોયમોતી’ને એરલિફ્ટ કરી વનતારા લવાઈ
150થી વધુ ભૂલવાળા સંસ્કૃત પુસ્તકો મુદ્દે સરકાર ઘેરાઈ : 20 દિવસમાં પુસ્તકો પાછા ખેંચવાની ચીમકી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Authorમનીષ આચાર્ય

કફ અને સૂફી ખાંસી માટે રામબાણ ઈલાજ છે : સિતોપલાદી ચૂર્ણ

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
Authorમનીષ આચાર્ય

હૃદય સંબંધિત તકલીફોમાં નવજાત શિશુથી લઈને વૃધ્ધો સુધીના દર્દીઓ માટે : આશાનું તેજસ્વી કિરણ

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
Authorમનીષ આચાર્ય

પગની નસોમાં લોહીનું ગંઠાઈ જવું તે એક જોખમી સ્થિતિ છે

Khaskhabar Editor Khaskhabar Editor 4 weeks ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?