By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    પાકિસ્તાનમાં ગેસ લીક થતાં પ્રચંડ બ્લાસ્ટ, ઈમારત ધરાશાયી થતાં 16 લોકોના મોત, 14 ઈજાગ્રસ્ત
    3 days ago
    ઈરાનમાં ભૂકંપ કે પરમાણુ વિસ્ફોટ? 5.5ની તીવ્રતાના આંચકાથી વિશ્વભરમાં અટકળોનું બજાર ગરમ
    3 days ago
    દેવાના ડૂંગર નીચે દટાયા છે આ દેશો, ટોચના ક્રમે ટેક્નોલોજીનો ‘માસ્ટર’, ભારતની શું છે સ્થિતિ?
    4 days ago
    પાકિસ્તાનમાં ફરી મોટો આતંકવાદી હુમલો, 11ના મોત: વિસ્ફોટક ભરેલા વાહનની ચેકપોસ્ટ સાથે ટક્કર
    5 days ago
    USAમાં ફરી ગોળીબાર! આઈસ હોકી મેચ દરમિયાન અંધાધૂંધ ફાયરિંગ, 3ના મોત
    5 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    આવક પ્રમાણપત્ર : સ્વ-ઘોષણાપત્ર ફરજિયાત, હવેથી ઓનલાઇન મળશે
    3 days ago
    CCEની ભરતીમાં 1180 જગ્યાનો વધારો; GSSSB હવે 6550 પદ પર કરશે ભરતી
    3 days ago
    વિવાદનું ઠિકરું પ્રોફેસર નેહાસિંહ પર ફોડી ગલગોટિયા યુનિવર્સિટીએ માફી માંગી
    3 days ago
    ભારતમાં બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ લાગવો જોઈએ: મેક્રોન
    3 days ago
    દિલ્હી અને મુંબઈ સહિતના શહેરોમાં એરપોર્ટનું સર્વર ડાઉન
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    સરકાર બદલાતા જ બાંગ્લાદેશની શાન ઠેકાણે આવી! BCCI અને ભારત સાથે સંબંધો અંગે મોટું નિવેદન
    3 days ago
    સતત જીત બાદ પણ ટીમથી કેમ સંતુષ્ટ નથી સૂર્યકુમાર યાદવ? કહ્યું- બેસીને વાત કરવી પડશે
    3 days ago
    ટી20 વર્લ્ડકપ: સુપર-8માં આ 3 ટીમો સામે રમશે ટીમ ઈન્ડિયા, પહેલી મેચમાં થશે કાંટાની ટક્કર
    4 days ago
    કેનેડાના 19 વર્ષના ખેલાડીએ 65 બોલમાં 110 રન ફટકારી બનાવ્યો રેકોર્ડ! યુવરાજ સિંહ સાથે છે ખાસ કનેક્શન
    5 days ago
    ટીમ ઈન્ડિયામાં ફેરફારના એંધાણ! આ બે સ્ટાર ગુજરાતી ખેલાડીઓને અપાઈ શકે છે આરામ
    5 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    હોલિવૂડના ‘લાસ્ટ એક્શન હીરો’ ટૉમ નૂનનનું 74 વર્ષની વયે નિધન! સિનેમા જગતમાં માતમ
    3 days ago
    સલમાન ખાનના પિતા સલીમ ખાનની તબિયત લથડી, લીલાવતી હોસ્પિટલમાં દાખલ
    5 days ago
    ‘3 વાગ્યા પહેલા 1.5 કરોડ જમા કરો, પછી જ જામીન મળશે’, રાજપાલ યાદવ કેસમાં હાઈકોર્ટનો આદેશ
    6 days ago
    ‘એ ગાળો બોલતો હતો…’, અક્ષય કુમારે જ્યારે પાર્ટીમાં લાફો ઝીંકી દેતા યુવક બેભાન થઈ ગયો હતો
    1 week ago
    ‘રણવીર સિંહ તને ખુબ શોખ છેને સલાહ આપવાનો…’, બિશ્નોઈ ગેંગના હેરી બોક્સરે વોઇસ નોટ મોકલીને એક્ટરે આપી ધમકી
    1 week ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    3 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    3 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    4 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    4 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    4 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    3 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    4 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    4 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    4 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    4 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: રસોઈ અને આપણે: સત્ય કડવું હોય છે પણ સત્ય સિવાય બીજું કાંઈ જ સત્ય હોતું નથી!
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > મનીષ આચાર્ય > રસોઈ અને આપણે: સત્ય કડવું હોય છે પણ સત્ય સિવાય બીજું કાંઈ જ સત્ય હોતું નથી!
મનીષ આચાર્ય

રસોઈ અને આપણે: સત્ય કડવું હોય છે પણ સત્ય સિવાય બીજું કાંઈ જ સત્ય હોતું નથી!

Khaskhabar Editor
Last updated: 2025/01/04 at 4:22 PM
Khaskhabar Editor 1 year ago
Share
9 Min Read
SHARE

રાંધેલો ખોરાક સ્વાસ્થ્ય માટે કેટલો ઈચ્છનીય છે તે બાબતે વિશ્ર્વ સ્તરે વ્યાપક સંશોધન જરૂરી છે

રાંધેલો ખોરાક જ જો મનુષ્ય માટે ઇષ્ટ છે તો તે માનવીને કેટલો વધુ માનવીય બનાવે છે?

- Advertisement -

પશુઓ પૂરો દિવસ ખોરાકની શોધમાં ભટક્યા કરે છે અને માનવી પોતાને આસાનીથી મળી ગયેલા ખોરાકને સજાવવા ધજાવવામાં પૂરો સમય વિતાવી દે છે..જાત જાતની વાનગીઓ વિકસાવવામાં માનવ સભ્યતાના વિકાસનો ઘણો મોટો હિસ્સો ખર્ચાઈ ગયો છે.રસોડું અને રસોઈ આપણા જીવનનું અવિભાજ્ય અંગ છે.રસોડામુક્ત જીવનની કલ્પના ન તો કેવળ મુશ્કેલ છે બલ્કે સામાન્ય માણસની દૃષ્ટિમાં તે હાસ્યાસ્પદ બની રહે તેવી બાબત છે..કદાચ તે બિહામણી પણ છે.. શરીર માટે ખોરાકની જરૂરિયાતના સંદર્ભમાં તેની સાથે માનવીનો નાતો ખોરાક સાથે પશુઓના નાતથી અલગ બિલકુલ ન જ હોઈ શકે..આ વાત તાર્કિક છે અને સત્ય છે.. પરંતુ, ખોરાક ને રસોઈની પ્રક્રિયા સાથે જોડવામાં આપણે ખાસ્સી અક્કલ અને કલ્પનાશક્તિ કામે લગાડી છે.. કીડીથી લઈને હાથી સુધીના સજીવોને જો કાચો ખોરાક જો પચી જતો હોય તો માનવીએ વળી એવા ક્યાં કાળા કામ કર્યા છે કે તેને પ્રભુએ રસોઈના ધંધે લગાડી દીધી? એવો તે ક્યો શ્રાપ હશે કે તેણે રસોઈ બાબતે આટલું ચિંતન કરવું પડે…!?! “રાંધ્યા વિનાનો ખોરાક માનવીને ન પચે”, આ કથન માં છુપાયેલું જે સત્ય છે તે એટલું જ છે કે રાંધેલો ખોરાક ખાવામાં જીવન પર્યતના અભ્યાસના કારણે માણસ કાચો ખોરાક પચવાની ક્ષમતા કામચલાઉ રીતે ગુમાવી બેસે છે..પરંતુ બીજી બાજુ એક પૂર્ણસત્ય એ પણ છે કે રસોઈની સમગ્ર પ્રક્રિયા દરમિયાન 60થી 98 ટકા પોષક તત્વો નાશ પામે છે..એટલે જ માનવી પૃથ્વી પરના કેટલાક સહુથી કમજોર જાનવરો માંહે એક છે.સિંહ વાઘ તો હવે ખાસ રહ્યા પણ નથી પરંતુ માણસ તો બકરી કે કૂતરાથી પણ ડરે છે..નાના એવા જીવડાં કે વંદા ને જોઈ શહેરની સ્ત્રીઓ કૂદકા મારવા લાગે છે અને પોતાના આ ભય, આ કમજોરી ને પોતે સભ્ય સમાજનું અસ્તિત્વ હોવાનો પુરાવો માને છે. જો કે માણસ ધારે તો કાચો ખોરાક ખાવા માટે વ્યક્તિગત રીતે પોતાની જાતને સક્ષમ બનાવી શકે છે..અને એ જ તો જરૂરી પણ છે..આ પૃથ્વી પર માણસ સિવાય ખોરાકને કોઈ રાંધીને ખાતું નથી..કોઈ પણ વસ્તુ રાંધીને ખાવાથી જ જો પચતી હોય તો સમજવાનું કે તે માનવી માટેનો ખોરાક નથી..( ઘઉં ચોખા જેવા અનાજ ) જીવનમાં એક અનિષ્ટને લઈ આવો એટલે તે બીજા કેટલાક અનિષ્ટને પોતાની જાતે જ આમંત્રણ પાઠવી દે છે એ સત્યને સાર્થક કરતા આપણે જ્યારે અનાજ ખાઈએ છીએ ત્યારે તેની સાથે રાંધેલા શાકની પણ જરૂર પડે છે..કારણકે આપણે કોરું અનાજ ખાઈ શકતા નથી. આપણે તે કોરું ખાઈ શકતા નથી એ બાબત જ તે વાત પુરવાર કરી દે છે કે અનાજ માનવી માટેનો ખોરાક નથી..આ પુર્ણસત્ય છે અને હું પૂર્ણસત્ય સિવાય કાઈ જ કહેતો નથી.પરંતુ તે ઘણો લાંબો વિષય છે અને વળી અન્નાહારને આયુર્વેદનું સમર્થન છે તથા, આપણે ત્યાં તમે ભગવાન રામ કે ભગવાન કૃષ્ણની ભૂલ કાઢી શકો પણ આયુર્વેદ એક એવી બાબત છે જેમાં કાંઈક ખોટું હોવાનું તમે ન કહી શકો.ભલે હજારો વર્ષથી તેમાં કોઈ માતબર સંશોધન ન થયું હોય, ભલે હજારો વર્ષથી કોઈ નવા ઋષિ ન પાક્યા હોય!

એની વે! મૂળ વાત કરીએ, વાસ્તવમાં માનવ જીવનના તાણાવાણામાં અદભૂત રીતે ગૂંથાઈ ગયેલી ખોરાકને રાંધવાની વાત તેને ચાવવાની આળસમાંથી પેદા થઈ હોવાની પૂરી સંભાવના છે.પાકશાસ્ત્રના ઉદભવ અને વિકાસ ના મૂળમાં ભૂખ નહી બલ્કે ભૂખનો અભાવ છે..કોઈ ખેડૂત કે મજૂરને તમે ક્યારેય પોતાનું ભોજન ગારનીશિંગ કરતા નહી જોયો હોય.પરંતુ ખોરાકને આપણે જ્યારે રાંધી છીએ ત્યારે ન તો કેવળ તે પોતાના અમૂલ્ય પોષક તત્વો ગુમાવી બેસે છે બલ્કે પોતાના મૂળભૂત સ્વાદ અને સુગંધ પણ બેસે છે.દાળ રોટલી કે શાક કે અન્ય કોઈ પણ વસ્તુ રંધાતી હોય ત્યારે તેમાંથી એક સરસ સુગંધ છૂટે છે.આ બાબત વિશે સમજવા જેવી વાત એ છે કે, કોઈ પણ વસ્તુને આપણે ગરમ કરીએ ત્યારે પ્રકૃતિએ, તેમાં ઠાંસોઠાંસ ભરેલી સુગંધ બહાર આવે છે. પરંતુ સુગંધનું આ છૂટવું કોઈ પણ પદાર્થના સંપૂર્ણ નાશ પહેલાની ઘટના હોય છે.તમે નિરીક્ષણ કરશો તો ખ્યાલ આવશે કે ખોરાક ને રાંધતી વખતે જે સુગંધ આવતી હોય છે તે સુગંધ તે બની ગયા પછી પ્લેટ માં પીરસો ત્યારે નથી આવતી.ગરમાગરમ શાક કે દાળ વિગેરેની પ્લેટ સુંઘો તો તેમાંથી જે સુગંધ આવે તે મરી મસાલાની હોય છે, મૂળ શાક દાળ કે જે તે અન્ય વસ્તુની નહી.અને મૂળભૂત ખોરાક કરતા મરી મસાલાના પદાર્થ તરીકેના ગુણધર્મો ઘણા અલગ હોય છે..અગરબત્તી પેટાવો ત્યારે માર્ક કરજો, ધુમાડો ટોપ પર જ્યાં સળગતું હોય ત્યાંથી નથી નીકળતો બલ્કે એ નાના એવા અગ્નીબિંદુ નીચે શેકાતા માવામાંથી નીકળતો હોય છે અને અગરબત્તી સળગી જાય પછી તેની રાખ, એટલે કે મૃત અગરબત્તી માંથી કોઈ સુગંધ આવતી હોતી નથી.બ્રેડ બનતી હોય, રોટલી શેકતી હોય ત્યારે જે સુગંધ આવે છે તે સુગંધ અર્ધી કલાક પછી પણ નથી હોતી..

એ જ રોટલી ને તમે ફરી ગરમ કરશો તો તેમાંથી જે થોડી ઘણી સુગંધ છૂટે છે તે તેમાં ચોપડેલા ઘી અને તેની અંદરના તેલની મિશ્ર સુગંધ હોય છે, લોટ ની નહી.અને તે જ રોટલી ને સુગંધ છૂટ્યા પછી થોડો સમય વધુ ગરમ કરો તો તે બળી ને રાખ થઈ જાય. પ્રકૃતિ સર્વશક્તિમાન છે, તે જે ઈચ્છે તે કરી શકે છે તો પછી ઘઉં ચોખા શાકભાજી વિગેરેથી રાંધતી વખતે જે સુગંધ છૂટે છે તે સુગંધને પ્રકૃતિએ જે તે ખાદ્ય પદાર્થ માં સક્રિય રીતે બહાર રાખવાને બદલે છુપાવીને કેમ રાખી હતી..? હકીકતમાં ગંધ સુગંધ સોડમ એ કેવળ એક આહ્લાદક અહેસાસ નથી બલ્કે તે સુગંધની ભીતર અનેક સુક્ષ્મ છતાં અત્યંત મહત્વપૂર્ણ અભિયાન ચલાવવાની ક્ષમતા, પ્રોગ્રામ પ્રકૃતિએ મૂક્યા હોય છે…તેને કાચા ખોરાક વાટે આપણો ભીતર જવા દઈ ચમત્કારો પેદા થવા દેવાના હોય છે પરંતુ આ સુગંધ આપણે હવામાં વહેતી મૂકી દઈએ છીએ….! આપણે કોરું અનાજ નથી ખાઈ શકતા, તે રાંધેલું હોય તો પણ! માટે જ આપણે રોટલી સાથે શાક કે તેવી અન્ય કોઈ પોચી રસદાર વસ્તુ જોઈએ છે..આ વાત આગળ આપણે જોઈ. પરંતુ વિડંબના એ છે કે આ શાકમાંથી પણ આપણે રસોઈ દરમિયાન તેના રસ ઉડાડી દીધા હોય છે, તે બફાવાથી કે શેકાવા સંતલાવાથી તેનું મૂળ પોત ચાલ્યું ગયું હોય છે તેથી તેમાં મરી મસાલા ની જરૂરત પડે છે..આવો રાંધેલો ખોરાક શરીરમાં પ્રોસીડ કરવા મરી મસાલા વિગેરેની થોડી ઘણી જરૂરત પડે જ છે પરંતુ કેટલાક લોકો એ પણ સહન કરી નથી શકતા તો કેટલાક મરી મસાલાથી જે તે વ્યંજન ને ભરી દે છે. આ બધા રાંધેલા ખોરાક ના અનિષ્ટો છે..રાંધવાથી ફિકી પડેલી રસોઈને સ્વાદ આપવા મસાલા ની જરૂર પડે છે.મસાલા કોરા ન ચાલે એટલે તેમાં મીઠું જોઈએ ગલાશ જોઈએ..તમે નિરીક્ષણ કરશો તો એ પણ ખ્યાલ આવશે કે બાફેલા શાકભાજી તમે હજુ પણ કાઈ જ નાખ્યા વીના ખાઈ શકો પણ તેમાં થોડું એવું મરચું નાખો એટલે તરત મીઠું જોઈશે..આ નમક અને મરચા વિગેરેનું વારંવાર નું સંયોજન શરીરમાં નવી વસ્તુ માટેની ડિમાન્ડ પેદા કરે છે. શાકને વધારવા આપણે હિંગ રાઈ જીરું વિગેરે વાપરીએ છીએ, તે રાઈ જીરું વિગેરે તો બળી જાય છે..શરીર માટે તેનો ખપ શું? થોડા દિવસ અત્યંત ઓછા પ્રમાણમાં કાચી રાઈ, કાચું જીરું, હિંગ યેનકેન પ્રકારે ખાઈ જુઓ, તમને ખ્યાલ આવશે કે તમે જેને રોજ અગ્નિદાહ આપો છો તે પ્રકૃતિનું કેવું અદભુત સર્જન છે અને પ્રકૃતિએ તમારા વાસ્તે ક્યાં હેતુ થી તે બનાવ્યા છે..! રસોઈ દ્વારા તમે તમારા શરીર નું કલ્યાણ કરો છો કે તેનો નાશ કરો છો તેનું પણ ક્યારેક ચિંતન કરો, આવું કંઇક વાંચન કરો અને તે અમલમાં મૂકો… શિ’ંત રજ્ઞિ ુજ્ઞી જ્ઞક્ષહુ . રસોઈ ના ઔચિત્ય અંગે બીજી ઘણી વાતો ટુંક સમય માં; સત્ય કડવું હોય છે પણ સત્ય સિવાય બીજું કાઈ જ સત્ય હોતું નથી..

- Advertisement -

You Might Also Like

કેન્સરનો સફળ ઈલાજ નિંદામણ જેવી નકામી વનસ્પતિ પાસે

કૃત્રિમ પણ જૈવિક લોહી, રક્તની વૈશ્વિક સમસ્યાનો અંત લાવશે

ઢોસાના પિતામહ તમિલનાડુ અને ઉછેર કર્ણાટકે કર્યો !

ઉન્નત હિમશિખરો નીચે ઘૂઘવતા ગરમ પાણીના ગુપ્ત મહાસાગરો ગ્લોબલ વોર્મિગનું સાચું કારણ

એક ઔષધ એક સુગંધ, તાંત્રિક દ્રવ્ય ઔદ્યોગિક પ્રોડક્ટ!

TAGGED: cooking
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ભારતમાતા કી જય !
Next Article અંતે ગાંધીનગર સ્થિત યુવકસેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિવાદિત અધિકારીની બદલી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગરમાં મહાનગરપાલિકા કચેરીને પાણીના પ્રશ્ર્ને મહિલાઓનો ઘેરાવ

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
મોરબીમાં ત્રાજપર ચોકડી પાસે મેગા ડિમોલિશન ઉંઈઇ ફેરવી 30થી વધુ દબાણો દૂર કરાયા
મોરબીની ક.ઊ. કોલેજ બનશે સ્વાયત્ત માળખાકીય સુવિધાઓ માટે રૂ. 35 કરોડ મંજૂર
રૈયા રોડ પર આવેલી ઝીંઝુરાજ સ્કૂલના શિક્ષિકાએ 5 વર્ષની બાળકીને ચીંટિયા ભરી લીધા !
‘હરપાલદેવ માઁ શક્તિના અમર અજવાળા’ ફિલ્મ હવે રાજકોટમાં
આવક પ્રમાણપત્ર : સ્વ-ઘોષણાપત્ર ફરજિયાત, હવેથી ઓનલાઇન મળશે
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

મનીષ આચાર્ય

કેન્સરનો સફળ ઈલાજ નિંદામણ જેવી નકામી વનસ્પતિ પાસે

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
મનીષ આચાર્ય

કૃત્રિમ પણ જૈવિક લોહી, રક્તની વૈશ્વિક સમસ્યાનો અંત લાવશે

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
મનીષ આચાર્ય

ઢોસાના પિતામહ તમિલનાડુ અને ઉછેર કર્ણાટકે કર્યો !

Khaskhabar Editor Khaskhabar Editor 3 weeks ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?