By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    50 વર્ષ જૂની દલીલમાં ફસાયું ડેનમાર્ક
    4 days ago
    ગુંડાગીરી નહીં, સન્માનથી વાત કરો; આંતરરાષ્ટ્રીય કાયદાનું પાલન કરો: ફ્રાંસની ટ્રમ્પને ચેતવણી
    5 days ago
    અમેરિકામાં બરફનું ભયંકર તોફાન, 100થી વધુ ગાડીઓ વચ્ચે અકસ્માત, જાણો વધુ
    6 days ago
    અમેરિકા ભૂતકાળમાં પણ બર્ફીલા ટાપુ ગ્રીનલૅન્ડને ખરીદવાનો પ્રયાસ કરી ચૂક્યું છે, 10 કરોડ ડૉલરની કરી હતી ઑફર
    1 week ago
    ચિલીના જંગલોમાં પ્રચંડ આગમાં 18 લોકોના મોત, ઈમરજન્સી જાહેર
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    લોહાણા સમાજની અગ્રણી વૈશ્ર્વિક સંસ્થા દ્વારા કઈંઇઋ એક્સ્પોનું ભવ્ય આયોજન
    4 days ago
    અભિષેક શર્માનું તોફાન: ન્યૂઝીલેન્ડ સામે ભારતે રેકોર્ડબ્રેક સ્કોર સાથે પ્રથમ ઝ20 જીતી
    4 days ago
    બંધારણીય સત્તાનો દુરુપયોગ સ્વીકાર્ય નથી: સુપ્રીમ કોર્ટનો ચૂંટણી પંચને ફટકાર
    4 days ago
    અવિમુક્તેશ્ર્વરાનંદને ચેતવણી માઘ મેળામાંથી ‘બૅન’ કરી દઈશું
    4 days ago
    EUનો ટ્રમ્પના ગાલ પર તમાચો
    4 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    પાકિસ્તાનની જેમ BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી A+ કેટેગરી હટાવશે? રોહિત-કોહલીને થશે મોટું નુકસાન
    6 days ago
    જો બાંગ્લાદેશનો મુદ્દો ઉકેલાય નહીં તો પાકિસ્તાન 2026 માં T20 વર્લ્ડ કપમાં ભાગીદારીની સમીક્ષા કરશે
    1 week ago
    ‘ગૌતમ ગંભીરે રોહિત શર્માને ODI કેપ્ટન પદેથી હટાવ્યો…’, પૂર્વ ક્રિકેટરનો ચોંકાવનારો આરોપ
    1 week ago
    રાજકોટમાં રમાયેલી 2nd ODI માં શરમજનક પરાજય બાદ ભારતીય કેપ્ટન ગિલનું દર્દ છલકાયું
    2 weeks ago
    T20 વર્લ્ડકપ વિવાદ વચ્ચે ICC મક્કમ !
    2 weeks ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સિંગર હની સિંહે ફરી વિવાદિત નિવેદન આપતા લાકો ભડક્યા
    2 weeks ago
    કુમાર સાનુએ પૂર્વ પત્ની રીટા ભટ્ટાચાર્ય સામે 30 લાખ રૂપિયાનો માનહાનિનો કેસ દાખલ કર્યો
    1 month ago
    રહેમાન ડકૈત વાસ્તવમાં કોણ હતો ?
    1 month ago
    ધુરંધર ફિલ્મના કેરેક્ટર રિયલ લાઈફમાં કોણ છે?
    2 months ago
    બોબીના જમાલ કુડુ પછી, અક્ષયનો ધુરંધર ડાન્સ વાયરલ થયો, ચાહકો તેને ‘બેન્જર’ જાહેર કરે છે
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    2 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    2 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    3 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    3 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    3 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    3 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    3 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    3 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    3 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    3 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: રસોઈ અને આપણે: સત્ય કડવું હોય છે પણ સત્ય સિવાય બીજું કાંઈ જ સત્ય હોતું નથી!
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > મનીષ આચાર્ય > રસોઈ અને આપણે: સત્ય કડવું હોય છે પણ સત્ય સિવાય બીજું કાંઈ જ સત્ય હોતું નથી!
મનીષ આચાર્ય

રસોઈ અને આપણે: સત્ય કડવું હોય છે પણ સત્ય સિવાય બીજું કાંઈ જ સત્ય હોતું નથી!

Khaskhabar Editor
Last updated: 2025/01/04 at 4:22 PM
Khaskhabar Editor 1 year ago
Share
9 Min Read
SHARE

રાંધેલો ખોરાક સ્વાસ્થ્ય માટે કેટલો ઈચ્છનીય છે તે બાબતે વિશ્ર્વ સ્તરે વ્યાપક સંશોધન જરૂરી છે

રાંધેલો ખોરાક જ જો મનુષ્ય માટે ઇષ્ટ છે તો તે માનવીને કેટલો વધુ માનવીય બનાવે છે?

- Advertisement -

પશુઓ પૂરો દિવસ ખોરાકની શોધમાં ભટક્યા કરે છે અને માનવી પોતાને આસાનીથી મળી ગયેલા ખોરાકને સજાવવા ધજાવવામાં પૂરો સમય વિતાવી દે છે..જાત જાતની વાનગીઓ વિકસાવવામાં માનવ સભ્યતાના વિકાસનો ઘણો મોટો હિસ્સો ખર્ચાઈ ગયો છે.રસોડું અને રસોઈ આપણા જીવનનું અવિભાજ્ય અંગ છે.રસોડામુક્ત જીવનની કલ્પના ન તો કેવળ મુશ્કેલ છે બલ્કે સામાન્ય માણસની દૃષ્ટિમાં તે હાસ્યાસ્પદ બની રહે તેવી બાબત છે..કદાચ તે બિહામણી પણ છે.. શરીર માટે ખોરાકની જરૂરિયાતના સંદર્ભમાં તેની સાથે માનવીનો નાતો ખોરાક સાથે પશુઓના નાતથી અલગ બિલકુલ ન જ હોઈ શકે..આ વાત તાર્કિક છે અને સત્ય છે.. પરંતુ, ખોરાક ને રસોઈની પ્રક્રિયા સાથે જોડવામાં આપણે ખાસ્સી અક્કલ અને કલ્પનાશક્તિ કામે લગાડી છે.. કીડીથી લઈને હાથી સુધીના સજીવોને જો કાચો ખોરાક જો પચી જતો હોય તો માનવીએ વળી એવા ક્યાં કાળા કામ કર્યા છે કે તેને પ્રભુએ રસોઈના ધંધે લગાડી દીધી? એવો તે ક્યો શ્રાપ હશે કે તેણે રસોઈ બાબતે આટલું ચિંતન કરવું પડે…!?! “રાંધ્યા વિનાનો ખોરાક માનવીને ન પચે”, આ કથન માં છુપાયેલું જે સત્ય છે તે એટલું જ છે કે રાંધેલો ખોરાક ખાવામાં જીવન પર્યતના અભ્યાસના કારણે માણસ કાચો ખોરાક પચવાની ક્ષમતા કામચલાઉ રીતે ગુમાવી બેસે છે..પરંતુ બીજી બાજુ એક પૂર્ણસત્ય એ પણ છે કે રસોઈની સમગ્ર પ્રક્રિયા દરમિયાન 60થી 98 ટકા પોષક તત્વો નાશ પામે છે..એટલે જ માનવી પૃથ્વી પરના કેટલાક સહુથી કમજોર જાનવરો માંહે એક છે.સિંહ વાઘ તો હવે ખાસ રહ્યા પણ નથી પરંતુ માણસ તો બકરી કે કૂતરાથી પણ ડરે છે..નાના એવા જીવડાં કે વંદા ને જોઈ શહેરની સ્ત્રીઓ કૂદકા મારવા લાગે છે અને પોતાના આ ભય, આ કમજોરી ને પોતે સભ્ય સમાજનું અસ્તિત્વ હોવાનો પુરાવો માને છે. જો કે માણસ ધારે તો કાચો ખોરાક ખાવા માટે વ્યક્તિગત રીતે પોતાની જાતને સક્ષમ બનાવી શકે છે..અને એ જ તો જરૂરી પણ છે..આ પૃથ્વી પર માણસ સિવાય ખોરાકને કોઈ રાંધીને ખાતું નથી..કોઈ પણ વસ્તુ રાંધીને ખાવાથી જ જો પચતી હોય તો સમજવાનું કે તે માનવી માટેનો ખોરાક નથી..( ઘઉં ચોખા જેવા અનાજ ) જીવનમાં એક અનિષ્ટને લઈ આવો એટલે તે બીજા કેટલાક અનિષ્ટને પોતાની જાતે જ આમંત્રણ પાઠવી દે છે એ સત્યને સાર્થક કરતા આપણે જ્યારે અનાજ ખાઈએ છીએ ત્યારે તેની સાથે રાંધેલા શાકની પણ જરૂર પડે છે..કારણકે આપણે કોરું અનાજ ખાઈ શકતા નથી. આપણે તે કોરું ખાઈ શકતા નથી એ બાબત જ તે વાત પુરવાર કરી દે છે કે અનાજ માનવી માટેનો ખોરાક નથી..આ પુર્ણસત્ય છે અને હું પૂર્ણસત્ય સિવાય કાઈ જ કહેતો નથી.પરંતુ તે ઘણો લાંબો વિષય છે અને વળી અન્નાહારને આયુર્વેદનું સમર્થન છે તથા, આપણે ત્યાં તમે ભગવાન રામ કે ભગવાન કૃષ્ણની ભૂલ કાઢી શકો પણ આયુર્વેદ એક એવી બાબત છે જેમાં કાંઈક ખોટું હોવાનું તમે ન કહી શકો.ભલે હજારો વર્ષથી તેમાં કોઈ માતબર સંશોધન ન થયું હોય, ભલે હજારો વર્ષથી કોઈ નવા ઋષિ ન પાક્યા હોય!

એની વે! મૂળ વાત કરીએ, વાસ્તવમાં માનવ જીવનના તાણાવાણામાં અદભૂત રીતે ગૂંથાઈ ગયેલી ખોરાકને રાંધવાની વાત તેને ચાવવાની આળસમાંથી પેદા થઈ હોવાની પૂરી સંભાવના છે.પાકશાસ્ત્રના ઉદભવ અને વિકાસ ના મૂળમાં ભૂખ નહી બલ્કે ભૂખનો અભાવ છે..કોઈ ખેડૂત કે મજૂરને તમે ક્યારેય પોતાનું ભોજન ગારનીશિંગ કરતા નહી જોયો હોય.પરંતુ ખોરાકને આપણે જ્યારે રાંધી છીએ ત્યારે ન તો કેવળ તે પોતાના અમૂલ્ય પોષક તત્વો ગુમાવી બેસે છે બલ્કે પોતાના મૂળભૂત સ્વાદ અને સુગંધ પણ બેસે છે.દાળ રોટલી કે શાક કે અન્ય કોઈ પણ વસ્તુ રંધાતી હોય ત્યારે તેમાંથી એક સરસ સુગંધ છૂટે છે.આ બાબત વિશે સમજવા જેવી વાત એ છે કે, કોઈ પણ વસ્તુને આપણે ગરમ કરીએ ત્યારે પ્રકૃતિએ, તેમાં ઠાંસોઠાંસ ભરેલી સુગંધ બહાર આવે છે. પરંતુ સુગંધનું આ છૂટવું કોઈ પણ પદાર્થના સંપૂર્ણ નાશ પહેલાની ઘટના હોય છે.તમે નિરીક્ષણ કરશો તો ખ્યાલ આવશે કે ખોરાક ને રાંધતી વખતે જે સુગંધ આવતી હોય છે તે સુગંધ તે બની ગયા પછી પ્લેટ માં પીરસો ત્યારે નથી આવતી.ગરમાગરમ શાક કે દાળ વિગેરેની પ્લેટ સુંઘો તો તેમાંથી જે સુગંધ આવે તે મરી મસાલાની હોય છે, મૂળ શાક દાળ કે જે તે અન્ય વસ્તુની નહી.અને મૂળભૂત ખોરાક કરતા મરી મસાલાના પદાર્થ તરીકેના ગુણધર્મો ઘણા અલગ હોય છે..અગરબત્તી પેટાવો ત્યારે માર્ક કરજો, ધુમાડો ટોપ પર જ્યાં સળગતું હોય ત્યાંથી નથી નીકળતો બલ્કે એ નાના એવા અગ્નીબિંદુ નીચે શેકાતા માવામાંથી નીકળતો હોય છે અને અગરબત્તી સળગી જાય પછી તેની રાખ, એટલે કે મૃત અગરબત્તી માંથી કોઈ સુગંધ આવતી હોતી નથી.બ્રેડ બનતી હોય, રોટલી શેકતી હોય ત્યારે જે સુગંધ આવે છે તે સુગંધ અર્ધી કલાક પછી પણ નથી હોતી..

એ જ રોટલી ને તમે ફરી ગરમ કરશો તો તેમાંથી જે થોડી ઘણી સુગંધ છૂટે છે તે તેમાં ચોપડેલા ઘી અને તેની અંદરના તેલની મિશ્ર સુગંધ હોય છે, લોટ ની નહી.અને તે જ રોટલી ને સુગંધ છૂટ્યા પછી થોડો સમય વધુ ગરમ કરો તો તે બળી ને રાખ થઈ જાય. પ્રકૃતિ સર્વશક્તિમાન છે, તે જે ઈચ્છે તે કરી શકે છે તો પછી ઘઉં ચોખા શાકભાજી વિગેરેથી રાંધતી વખતે જે સુગંધ છૂટે છે તે સુગંધને પ્રકૃતિએ જે તે ખાદ્ય પદાર્થ માં સક્રિય રીતે બહાર રાખવાને બદલે છુપાવીને કેમ રાખી હતી..? હકીકતમાં ગંધ સુગંધ સોડમ એ કેવળ એક આહ્લાદક અહેસાસ નથી બલ્કે તે સુગંધની ભીતર અનેક સુક્ષ્મ છતાં અત્યંત મહત્વપૂર્ણ અભિયાન ચલાવવાની ક્ષમતા, પ્રોગ્રામ પ્રકૃતિએ મૂક્યા હોય છે…તેને કાચા ખોરાક વાટે આપણો ભીતર જવા દઈ ચમત્કારો પેદા થવા દેવાના હોય છે પરંતુ આ સુગંધ આપણે હવામાં વહેતી મૂકી દઈએ છીએ….! આપણે કોરું અનાજ નથી ખાઈ શકતા, તે રાંધેલું હોય તો પણ! માટે જ આપણે રોટલી સાથે શાક કે તેવી અન્ય કોઈ પોચી રસદાર વસ્તુ જોઈએ છે..આ વાત આગળ આપણે જોઈ. પરંતુ વિડંબના એ છે કે આ શાકમાંથી પણ આપણે રસોઈ દરમિયાન તેના રસ ઉડાડી દીધા હોય છે, તે બફાવાથી કે શેકાવા સંતલાવાથી તેનું મૂળ પોત ચાલ્યું ગયું હોય છે તેથી તેમાં મરી મસાલા ની જરૂરત પડે છે..આવો રાંધેલો ખોરાક શરીરમાં પ્રોસીડ કરવા મરી મસાલા વિગેરેની થોડી ઘણી જરૂરત પડે જ છે પરંતુ કેટલાક લોકો એ પણ સહન કરી નથી શકતા તો કેટલાક મરી મસાલાથી જે તે વ્યંજન ને ભરી દે છે. આ બધા રાંધેલા ખોરાક ના અનિષ્ટો છે..રાંધવાથી ફિકી પડેલી રસોઈને સ્વાદ આપવા મસાલા ની જરૂર પડે છે.મસાલા કોરા ન ચાલે એટલે તેમાં મીઠું જોઈએ ગલાશ જોઈએ..તમે નિરીક્ષણ કરશો તો એ પણ ખ્યાલ આવશે કે બાફેલા શાકભાજી તમે હજુ પણ કાઈ જ નાખ્યા વીના ખાઈ શકો પણ તેમાં થોડું એવું મરચું નાખો એટલે તરત મીઠું જોઈશે..આ નમક અને મરચા વિગેરેનું વારંવાર નું સંયોજન શરીરમાં નવી વસ્તુ માટેની ડિમાન્ડ પેદા કરે છે. શાકને વધારવા આપણે હિંગ રાઈ જીરું વિગેરે વાપરીએ છીએ, તે રાઈ જીરું વિગેરે તો બળી જાય છે..શરીર માટે તેનો ખપ શું? થોડા દિવસ અત્યંત ઓછા પ્રમાણમાં કાચી રાઈ, કાચું જીરું, હિંગ યેનકેન પ્રકારે ખાઈ જુઓ, તમને ખ્યાલ આવશે કે તમે જેને રોજ અગ્નિદાહ આપો છો તે પ્રકૃતિનું કેવું અદભુત સર્જન છે અને પ્રકૃતિએ તમારા વાસ્તે ક્યાં હેતુ થી તે બનાવ્યા છે..! રસોઈ દ્વારા તમે તમારા શરીર નું કલ્યાણ કરો છો કે તેનો નાશ કરો છો તેનું પણ ક્યારેક ચિંતન કરો, આવું કંઇક વાંચન કરો અને તે અમલમાં મૂકો… શિ’ંત રજ્ઞિ ુજ્ઞી જ્ઞક્ષહુ . રસોઈ ના ઔચિત્ય અંગે બીજી ઘણી વાતો ટુંક સમય માં; સત્ય કડવું હોય છે પણ સત્ય સિવાય બીજું કાઈ જ સત્ય હોતું નથી..

- Advertisement -

You Might Also Like

ઉન્નત હિમશિખરો નીચે ઘૂઘવતા ગરમ પાણીના ગુપ્ત મહાસાગરો ગ્લોબલ વોર્મિગનું સાચું કારણ

એક ઔષધ એક સુગંધ, તાંત્રિક દ્રવ્ય ઔદ્યોગિક પ્રોડક્ટ!

અંગૂઠાના નખ જેવડી માછલી સિંહથી મોટી ગર્જના કરી શકે છે

ભૌગોલિક ધ્રુવીય ઝૂકાવમાં બહુ મોટા પરિવર્તન

પોતાના પૂછડામાં મહિનાઓનો ખોરાક સંઘરે છે મગર

TAGGED: cooking
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ભારતમાતા કી જય !
Next Article અંતે ગાંધીનગર સ્થિત યુવકસેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિવાદિત અધિકારીની બદલી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

2014માં મેળા પૂર્વે તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલને સંતો-મહંતોનું સ્વચ્છતા નિધિમાં રૂ. 24,61,555નું યોગદાન

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
2019ના મીની કુંભ મેળાના ઑડિટમાં બેફામ ખર્ચ અને ભ્રષ્ટાચાર: વિપક્ષ નેતા
મહાનગરપાલિકા અગ્નિશમન શાખા દ્વારા ફાયર સેફ્ટી અને ટ્રેનિંગ અભિયાન તેજ
માધાપરવાડી ક્ધયા શાળાની બાળાઓએ રસ્તા પરથી 64 કિલો દોરાં એકત્ર કરી અનોખું સેવાકાર્ય કર્યું
પોરબંદર : રાણાવાવ સિમેન્ટ ફેક્ટરી પાસે બાયો ડીઝલના પંપ પર SMCના દરોડા
50 વર્ષ જૂની દલીલમાં ફસાયું ડેનમાર્ક
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

મનીષ આચાર્ય

ઉન્નત હિમશિખરો નીચે ઘૂઘવતા ગરમ પાણીના ગુપ્ત મહાસાગરો ગ્લોબલ વોર્મિગનું સાચું કારણ

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
મનીષ આચાર્ય

એક ઔષધ એક સુગંધ, તાંત્રિક દ્રવ્ય ઔદ્યોગિક પ્રોડક્ટ!

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
મનીષ આચાર્ય

અંગૂઠાના નખ જેવડી માછલી સિંહથી મોટી ગર્જના કરી શકે છે

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?