જીજ્ઞેશ જાની
રાજકોટના ટીનેજર્સના મગજમાં ઝડપથી વધતું જતું ચીડચીડિયાપણું
- Advertisement -
ક્રાઇમ કેપિટલ બનતા રંગીલા રાજકોટમાં 57 આરોપીઓની ધરપકડ
વર્તમાન સમયમાં રંગીલું રાજકોટ શહેર ક્રાઇમ કેપિટલ બની રહ્યું હોય તેમ ગુંડાગીરી વધી ગઈ છે સામાન્ય બાબતોમાં લોકો મારામારી ઉપ્પર ઉતરી આવી હત્યા જેવા ગંભીર ગુનાઓને પણ અંજામ આપતા અચકાતા નથી વધતી જતી વસ્તી પ્રમાણે ગુનાખોરી વધે તે માની શકાય તેવી વાત છે પરંતુ આ વધતા ક્રાઇમ રેટમાં સગીર ગુનેગારોની સંખ્યા પણ વધી રહી છે ટેક્નોલોજીના યુગમાં મોબાઈલના વધુ પડતા દુરુપયોગ અને દેખાદેખીથી ટીનેજર્સના મગજમાં ચીડચીડિયાપણું ઘર કરી ગયું હોય તેમ બાળકો કાયદો હાથમાં લઈને મર્ડર જેવા ગુનાઓને પણ અંજામ આપી પોતાની જ કારકિર્દી રૂંધી નાખે છે વર્ષ 2025ના આ 9 મહિનામાં નોંધાયેલા હત્યાના ગુનાઓમાં સગીરોની સંખ્યા ચોંકાવનારી સામે આવી છે છેલ્લા 9 માસમાં શહેર પોલીસ ચોપડે કુલ હત્યાના 27 ગુના નોંધાયા છે જેમાં પોલીસે 57 આરોપીઓની ધરપકડ કરી છે.
એ ડિવિઝન પોલીસ સ્ટેશન : 0
- Advertisement -
આ 57 આરોપીઓમાં પણ 13 સગીર હોવાનું સામે આવ્યું છે જે ખુબ જ ગંભીર કહી શકાય તેવી વાત છે ત્યારે રાજકોટની યુવા પેઢીએ વિકાસના માર્ગે ચાલવાને બદલે વિનાશના માર્ગે ચાલવાનું નક્કી કર્યું હોય તેવું ઉપરોક્ત આંકડા ઉપરથી લાગી રહ્યું છે. સૌરાષ્ટ્રનું પાટનગર ગણાતા રાજકોટ શહેરને એક સમયનું શાંત અને સલામત શહેર ગણવામાં આવતું હતું પરંતુ છેલ્લા ઘણા સમયથી રાજકોટનો ક્રાઈમ રેટ ઊંચો ને ઊંચો જઈ રહ્યો છે. ખાસ કરીને હત્યાની વાત કરવામાં આવે તો શહેરમાં છેલ્લા 9 મહિનામાં હત્યાના 27 ગુના નોંધાયા છે. જેમાં એક ડબલ મર્ડરનો પણ સમાવેશ થાય છે હત્યાના નોંધાયેલા ગુનાઓમાં માતાએ પૂત્રની હત્યા કર્યાની તો દોહિત્રએ નાનાની હત્યા કર્યાની અને ક્યાંક તો ભાઈએ ભાઈની હત્યા કરી ઢીમ ઢાળી દીધાનો સમાવેશ થાય છે રાજકોટમાં વધતી જતી ગુનાખોરી અંકુશમાં લાવવામાં પોલીસ સદંતર નિષ્ફળ નીવડી હોય તેવું લાગી રહ્યું છે. પોલીસનો જરાપણ ખૌફ ન હોય તેમ સામાન્ય બાબતોમાં ગુનેગારો મારકૂટ ઉપર ઉતરી આવતા હોય છે અને કોઈ વ્યક્તિનો જીવ લેતા પણ અચકાતા નથી. રાજકોટમાં 18 જાન્યુઆરીથી 22 સપ્ટેમ્બર સુધીમાં હત્યાના 27 ગુના નોંધાયા છે. જેમાં બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પરપ્રાંતીય બંધુઓને છરીના ઘા ઝીંકી રહેંસી નાખ્યાની ડબલ મર્ડરની ઘટનાનો પણ સમાવેશ થાય છે. હત્યાના બનાવ બાદ પોલીસ તપાસ કરે છે અને આરોપીઓને પકડીને કાયદાનું ભાન કરાવે છે પરંતુ ફરી કોઈ હત્યા જેવા ગંભીર ગુનાને અંજામ આપતા પહેલા સો વખત વિચારે તેવી દાખલારૂપ કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં નહીં આવતી હોવાથી ગુનેગારોમાંથી પોલીસની ધાક ઓસરી ગઈ છે. હત્યાના 27 ગુનામાં થોરાળા વિસ્તારમાં રહેતી પત્નીને જન્મેલું બાળક પોતાનું નહીં પરંતુ પોતાના પ્રેમીનું હોવાની પતિને શંકા ઉપજી હતી. જેમાં તે બાળક તેના પતિને દઈ દેવાનું કહી પત્ની નીકળી હતી અને માતાએ 4 વર્ષના માસૂમ પુત્રને એરપોર્ટ પોલીસ વિસ્તારમાં કુવામાં ફેંકી દીધું હતું. જેનો અંદાજે બે માસ પછી ભેદ ઉકેલાયો હતો જ્યારે તાજેતરમાં દેવું ભરવા દોહિત્રએ રૈયામાં રહેતા નાનાની હત્યા કરી લાશ સળગાવી નાખી હતી. આ ઉપરાંત જામનગર રોડ પર ભત્રીજાએ કાકાની હત્યા કરી હતી અને હવે આણંદપર બાધીમાં પતિએ પત્નીને કુહાડીના ઘા ઝીંકી ઢીમ ઢાળી દીધું હતું.
રાજકોટ પોલીસ ચોપડે નોંધાયેલા હત્યાના 27 ગુનામાં 13 સગીર સહિત 55 આરોપીએ પોતાના હાથ લોહીથી રંગી નાખ્યા છે પોલીસે તમામની ધરપકડ કરી જેલભેગા કરી દીધા છે ગત ઓગષ્ટ મહિનામાં થોરાળા પોલીસ સ્ટેશનમાં નોધાંયેલા હત્યાના ગુન્હામાં પણ બે સગીરની સંડોવણી સામે આવી હતી આમ હત્યા જેવા ગંભીર ગુનાઓમાં વધતી જતી સગીર આરોપીઓની સંખ્યા હકીકતે ચિંતાનો વિષય બની રહ્યો છે ખાસ કરીને બાળકોએ ભણવાના સમયમાં કલમની બદલે હથિયાર ઉપાડી ગુનાખોરીના રસ્તે પોતાની કારકિર્દી બનાવવાનું નક્કી કરી લીધું હોય તેવું લાગી રહ્યું છે.
હત્યાના કુલ 57 આરોપીઓમાંથી 13 આરોપીઓ સગીર હોવાનું સામે આવ્યું છે, જે યુવા પેઢી વિકાસને બદલે વિનાશના માર્ગે જઈ રહી હોવાનો ગંભીર સંકેત છે
સૌથી વધુ આજી ડેમમાં 7, એ ડિવિઝન વિસ્તારમાં એકપણ હત્યા નહીં
આજી ડેમ પોલીસ સ્ટેશન : 7
બી ડિવિઝન પોલીસ સ્ટેશન 4
કુવાડવા રોડ પોલીસ સ્ટેશન : 3
ભક્તિનગર પોલીસ સ્ટેશન : 3
ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન : 2
એરપોર્ટ પોલીસ સ્ટેશન : 2
યુનિવર્સિટી પોલીસ સ્ટેશન : 2
પ્રનગર પોલીસ સ્ટેશન : 1
માલવિયાનગર પોલીસ સ્ટેશન : 1
તાલુકા પોલીસ સ્ટેશન : 1
થોરાળા પોલીસ સ્ટેશન : 1
હત્યા પાછળ ખુલ્લેઆમ વેંચાતો દેશી દારૂ મૂળ કારણ
રાજકોટમાં ખુલ્લેઆમ વેચાતા દારૂથી જ માથાકૂટ થાય છે અને બનાવ હત્યા સુધી પહોંચે છે માયાણીનગરમાં દારૂ પીવા બેઠેલા યુવાને નશામાં પરપ્રાંતીય શ્રમિકને ફડાકો મારી દેતા તેની પથ્થરના ઘા ઝીંકી હત્યા નિપજાવી હતી જયારે થોરાળામાં નદીકાંઠે દારૂ પીવા બેઠેલા ઓરિસ્સાના યુવકને પણ સાથે નશો કરવા બેઠેલા ટાબરિયાઓએ પથ્થરના ઘા ઝીંકી રહેંસી નાખ્યો હતો તેમજ આણંદપર બાઘીમાં નશામાં ધૂત પતિએ પત્નીની કુહાડી ઝીંકી હત્યા કરી હતી મોટાભાગની હત્યાઓમાં દારૂ જ મુખ્ય દુષણ હોય તેવું ફલિત થઇ રહ્યું છે.