By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    UNSCમાં ભારતને મોટી સફળતા, પાકિસ્તાનનો પરાજય થયો, ચીને પણ મૌન સાધ્યું
    3 hours ago
    કેલિફોર્નિયામાં એર સ્ટેશન નજીક યુએસ નેવી એફ-35 ફાઇટર જેટ ક્રેશ થયું
    4 hours ago
    ચીનમાં બાળકના જન્મ પર રૂપિયા 1.30 લાખની સહાય: વન ચાઈલ્ડ નીતિએ જન્મદર અડધો કર્યો
    1 day ago
    ‘મેડે-મેડે’, બોઇંગ 787-8, યુએસ ફ્લાઇટનું ટેક ઓફ થયાના થોડા જ સેકન્ડમાં એન્જિન ફેલ થઈ
    1 day ago
    રશિયામાં 8.8ની તીવ્રતાના ભૂકંપથી પેસિફિક સુનામીનું એલર્ટ જાહેર: જાપાન, અમેરિકા ભયમાં
    1 day ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    નેપાળના ફ્રી યૂથ ડેમોક્રેટિક ઓર્ગેનાઇઝેશનના 14 સંસદ સભ્યોના પ્રતિનિધિ મંડળે ગુજરાત વિધાનસભાની મુલાકાત કરી
    1 hour ago
    જગદીપ ધનખડે ગૃહ મંત્રાલય પાસેથી બુલેટપ્રૂફ વાહનો માંગ્યા હતા, પરંતુ તેમને મળી ઇનોવા કાર
    2 hours ago
    UNSCમાં ભારતને મોટી સફળતા, પાકિસ્તાનનો પરાજય થયો, ચીને પણ મૌન સાધ્યું
    3 hours ago
    હેલ્મેટ નથી પહેર્યું તો ગાડીમાં પેટ્રોલ પણ નહીં પુરાવી શકો
    3 hours ago
    સિક્કિમ: સતત વરસાદને કારણે ગંગટોકમાં ભૂસ્ખલન, રસ્તા અને પુલની બિસ્માર હાલતમાં
    4 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આવતીકાલથી ઓવલ ટેસ્ટ : ભારત માટે ‘કરો યા મરો’નો મુકાબલો
    24 hours ago
    ‘બેન સ્ટોક્સ બગડેલા બાળક જેવું વર્તન કરતો હતો… બગાડી નાખે તેવી રમત’
    3 days ago
    ત્રીજા દિવસે ઇંગ્લેન્ડે સાત વિકેટે 544 રન કર્યા, ભારત સામે 186 રનની લીડ મેળવી
    5 days ago
    ભારતીય ક્રિકેટ ટીમને મોટો ઝટકો: રિષભ પંત ચાલુ મેચમાં થયો ઈજાગ્રસ્ત, 6 સપ્તાહ સુધી આરામ કરશે
    1 week ago
    IND Vs ENG વચ્ચે ચોથી ટેસ્ટ આજથી શરૂ થશે: પાંચ ટેસ્ટ મેચની શ્રેણીનો ચોથો મુકાબલો મેન્ચેસ્ટરમાં યોજાશે
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ચંપક ચાચા ખૂબ મોટા પ્રેંકસ્ટર…. મુનમુન દત્તા
    2 hours ago
    ‘અવતાર 3’નું જોરદાર ટ્રેલર રિલીઝ, ફરી એકવાર પેન્ડોરાની જાદુઈ દુનિયામાં લઈ જશે
    1 day ago
    તારક મહેતા શૉના સેટ પર ટોર્ચર……..જેનિફર મિસ્ત્રીએ પ્રોડક્શન હાઉસની પોલ ખોલી
    1 day ago
    ‘સૈયારા’ની જોડી IMDBના ટોપ 10 સેલિબ્રિટિઝની યાદીમાં સામેલ
    3 days ago
    ફિલ્મ વોર 2નું ટ્રેલર રીલીઝ, બંને સ્ટાર્સ વચ્ચે જબરદસ્ત ટક્કર જોવા મળી
    6 days ago
  • ધર્મ
    ધર્મShow More
    નાગ પંચમીના દિવસે અપનાવશો આ ઉપાય તો નાગ દેવતા થશે પ્રસન્ન
    2 days ago
    વિશ્ર્વનું એકમાત્ર કાચબા મંદિર : જીવંત કાચબા છે શિવજીનું પ્રતીક
    3 days ago
    શ્રેષ્ઠ ફળ પ્રાપ્ત કરવા માટે શિવલિંગ પર જળ ચડાવતી વખતે આ મંત્રોના જાપ કરો
    3 days ago
    શ્રાવણ 2025 : શ્રાવણમાં ઉપવાસ કરો છો ત્યારે આ વાતોનું ખાસ ધ્યાન રાખો
    6 days ago
    ભોળાનાથને રિઝવવાનો મહિનો એટલે પવિત્ર શ્રાવણ માસ
    1 week ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ RTOનું નવુ બિલ્ડિંગ તૈયાર પરંતુ R&B પાપે ખંઢેર બન્યું !
    2 days ago
    રાજકોટની શાળા નં.19માં શોષણકાંડની ભોગ બનેલી પીડિતા સગીરા હોવાનો ધડાકો
    2 weeks ago
    વીજકરંટથી જ મોરનું મોત થયું હોવાનો PM રીપોર્ટમાં ઘટસ્ફોટ
    2 weeks ago
    વડાળી ગામે નદીમાંથી વીજપોલ હટાવી લેવા પવનચક્કીની વિન્ડ વર્લ્ડ કંપનીને નોટિસ ફટકારી
    3 weeks ago
    રાતોરાત રૈયા સર્કલ પર રસ્તા પર પેચવર્કની કામગીરી શરૂ
    3 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ઝવેરચંદ મેઘાણી એટલે ગુજરાતી પત્રકારત્વનું ઝવેર
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Bhavy Raval > ઝવેરચંદ મેઘાણી એટલે ગુજરાતી પત્રકારત્વનું ઝવેર
AuthorBhavy Raval

ઝવેરચંદ મેઘાણી એટલે ગુજરાતી પત્રકારત્વનું ઝવેર

Khaskhabar Editor
Last updated: 2022/06/22 at 2:25 PM
Khaskhabar Editor 3 years ago
Share
8 Min Read
SHARE

ઝવેરચંદ મેઘાણી એટલે ગુજરાતના લોકલાડીલા લેખક અને પ્રતિષ્ઠિત પત્રકાર. સાહિત્યકાર, વાર્તાકાર, નવલકથાકાર, કવિ, અનુવાદક, સંપાદક, વિવેચક, સંશોધક અને ગાયક સાથે સ્વાતંત્ર્યસેનાની પણ ખરા. વિલાપી, તંત્રી, વિરાટ, શાણો, સાહિત્યયાત્રી, દ.સ.ણી. તેમના ઉપનામો. સુરવાલ, ઝભ્ભો, બંડીની સાથે પાછળ છોગું લટકતું હોય ને વાળની એક લટ આગળ આવે એ રીતે બાંધેલો સાફો તેમનો પહેરવેશ. વર્તન-વાતોમાંથી સૌરાષ્ટ્રની ખુમારી અને ખાનદાની ખળખળ કરતી વહે. તેમના બોલ કાને પડે તો કોઈનું પણ દિલ જીતી જાય, તેમનું લખેલું આંખે ચઢે તો કોઈપણ હૈયું હારી જાય. ઝવેરચંદ મેઘાણી એટલે સૌરાષ્ટ્રના પનોતા પુત્ર, શુદ્ધ સૌરાષ્ટ્રીયન. ઝવેરચંદ મેઘાણી વિશે તો શું-શું કહેવું અને શું-શું લખવું? ટૂંકમાં આપણા માટે ઝવેરચંદ મેઘાણી એટલે સૌરાષ્ટ્રના ચોટીલા, રાણપુર, બોટાદ ગામના સાવજ. આ સાવજની ગર્જના કાઠિયાવાડના ગામેગામથી લઈ છેક મુંબઈથી માંડી વિદેશ સુધી સંભળાય.

ઝવેરચંદ મેઘાણીની પત્રકારત્વ તરીકેની કારકિર્દી 1922માં શરૂ થઈ હતી. સૌરાષ્ટ્રથી વિદેશ અને વિદેશથી કલકત્તા અને કલકત્તાથી ફરી સૌરાષ્ટ્ર પરત ફરી તેમણે એ સમયના લોકપ્રિય સાપ્તાહિક સૌરાષ્ટ્રમાં મોતીની ઢગલીઓ, અમર રસની પ્યાલી અને ચોરાનો પોકારના મથાળાથી બેત્રણ લેખ મોકલ્યા હતા. ઝવેરચંદ મેઘાણીએ મોકલેલા બધા જ લેખો વાંચી સૌરાષ્ટ્રના તંત્રી અમૃતલાલ શેઠે તેમને પોતાની સાથે જોડાવવાનું કહ્યું અને આજથી બરાબર સો વર્ષ અગાઉ જુલાઈ, 1922માં ઝવેરચંદ મેઘાણી સૌરાષ્ટ્ર સાપ્તાહિકમાં જોડાયા હતા. ચારેક વર્ષ બાદ, 1926 આસપાસ ઝવેરચંદ મેઘાણીએ સૌરાષ્ટ્રમાંથી રાજીનામું આપી દીધું હતું. 1930માં સત્યાગ્રહની ચળવળમાં જોડાવવા બદલ પોલીસે ભૂલથી જોઘાણીને બદલે મેઘાણીને જેલમાં પૂરી દીધા હતા અને ઝવેરચંદ મેઘાણીને કોઈ કારણ વિના બે વર્ષ કારાવાસ ભોગવવો પડ્યો હતો.

- Advertisement -


1932માં ઝવેરચંદ મેઘાણી કકલભાઈ કોઠારી સાથે ફૂલછાબ સાપ્તાહિકમાં જોડાયા હતા પરંતુ સૌરાષ્ટ્રની જેમ ફૂલછાબને પણ વધુ પડતો રાજકીય રંગ લાગવાનો શરૂ થતા તેમણે થોડા જ વર્ષમાં સૌરાષ્ટ્રની જેમ ફૂલછાબમાંથી પણ રાજીનામું ધરી દીધું હતું. સૌરાષ્ટ્રમાંથી છૂટા થઈ ફૂલછાબમાં અને ફૂલછાબમાંથી છૂટા થઈ મુંબઈના જન્મભૂમિમાં ઝવેરચંદ મેઘાણી જોડાયા હતા. 9 જૂન, 1934થી અમૃતલાલ શેઠે જન્મભૂમિ દૈનિક શરૂ કર્યું, જેમાં પહેલા જ દિવસથી ઝવેરચંદ મેઘાણી જોડાઈ ગયા હતા. જન્મભૂમિમાં તેઓ સાહિત્યનું પાનું કલમ અને કિતાબ સંભાળતા હતા, તેનું સંપાદન કરતા હતા. જન્મભૂમિમાં જોડાયાના થોડા વર્ષ બાદ 1936માં ઝવેરચંદ મેઘાણી મુંબઈથી બોટાદ પરત ફરી ફૂલછાબમાં જોડાઈને તેના તંત્રી બની ગયા હતા. 1942માં અંગ્રેજ સરકારે ફૂલછાબ પ્રેસ જપ્ત કર્યું ત્યારે તેમણે પ્રેસને નિભાવવા માટે ફૂલછાબ પ્રકાશન શ્રેણી શરૂ કરેલી હતી. ઝવેરચંદ મેઘાણી 1945 સુધી ફૂલછાબના તંત્રી રહ્યા હતા.

ઝવેરચંદ મેઘાણીની 1922માં સૌરાષ્ટ્રના પત્રકારથી શરૂ કરેલી કારકિર્દી 1945માં ફૂલછાબના તંત્રી તરીકે પૂરી થાય છે. તેમણે 1945માં ફૂલછાબમાંથી નિવૃત્તિ લઈ લીધી હતી. 

ગુજરાતી ભાષામાં બે-અઢી દાયકાની સર્જન, લેખન અને સંશોધનપ્રવૃત્તિ દરમિયાન ઝવેરચંદ મેઘાણીનું મહત્તમ લખાણ ચિરંજીવ બની ગયું હતું. કારણ છે, મેઘાણીનું દરરોજ છાપામાં લખાતું લખાણ પસ્તીના ઢગલાંમાં ગૂમ થઈ જાય તેવું નહતું. તેમની કલમમાંથી કાયમ સાંપ્રત રહે તેવી કલાકૃતિ રચાતી ગઈ હતી. આજે પણ ઝવેરચંદ મેઘાણીના તંત્રીલેખ, લેખ તરોતાજા લાગે છે. એક સદી બાદ પણ સાંપ્રત સમયને અનુરૂપ જણાય આવે છે. ઝવેરચંદ મેઘાણીની મહત્તમ અમર રચનાઓ અખબારમાં છપાઈ છે. તંત્રીસ્થાનેથી ઝવેરચંદ મેઘાણીએ ફૂલછાબની નવી દશા-દિશા નક્કી કરી જેણે ગુજરાતી પત્રકારત્વમાં ચારચાંદ લગાવી દીધા હતા અને ફૂલછાબની લેખનસામગ્રીની સુવાસ અત્ર, તત્ર, સર્વત્ર ફેલાઈ ગઈ હતી. અખબારમાં કાર્ટૂન શરૂ કરવાનો અને કાર્ટૂનિસ્ટની પ્રતિભા પારખવાનો શ્રેય ઝવેરચંદ મેઘાણી ફાળે જાય છે. તેમના કાર્ટૂન ’મુખડા દેખો દર્પણ મેં’ પર કેસ થયેલો, તેમની ધરપકડ થયેલી, જોકે ઝવેરચંદ મેઘાણી ડર્યા-ઝૂક્યા નહતા તેમણે અદાલતમાં વટભેર કહી આપ્યું હતું, હું રાષ્ટ્રવાદી છું, કોમવાદનો કટ્ટર વિરોધી છું. આ કેસમાં તેમનો નિર્દોષ છૂટકારો થયેલો હતો.

- Advertisement -


સૌરાષ્ટ્ર અને ફૂલછાબમાં સૌ પ્રથમ પત્રકાર અને બાદમાં તંત્રી તરીકેની પ્રશંસનીય કામગીરી દરમિયાન ઝવેરચંદ મેઘાણીએ પત્રકારત્વ ક્ષેત્રે એક અસ્સલ કાઠિયાવાડી ભાત ઉભી કરી હતી. આજે પણ સૌરાષ્ટ્રનું પત્રકારત્વ અલગ તરી આવે છે, તેની ભાત અને છાટ કઈક વિશિષ્ટ ઉઠી આવે છે તેનો ફાળો ઝવેરચંદ મેઘાણીને જાય છે. ઘણા કારણોસર પત્રકારત્વજગતમાં ઝવેરચંદ મેઘાણીનું સ્થાન મુઠ્ઠી ઉંચેરુ બની ગયું હતું. તે સમયમાં તેઓ મોટાગજાના લેખક-પત્રકાર તરીકે લોકપ્રિય બની ગયા હતા. સૌરાષ્ટ્ર અને ફૂલછાબ પત્રો જ્યારે પરેશાનીમાં હતા ત્યારે ઝવેરચંદ મેઘાણીએ તેમને પોતાની સૂઝબૂઝથી સંચાલન કરી ટકાવી રાખ્યા હતા. ખોબા જેવડા રાણપુર ગામમાંથી ખૂબ જ ઓછા સાધનો-યંત્રો દ્વારા પણ એમણે પત્રકારત્વ અને સાહિત્યના જે સોપાનો સર કર્યા છે તેની નોંધ વિશ્વભરમાં લેવાઈ છે. તેઓ એક મિશનરી એન્ડ વિઝનરી પત્રકાર હતા, અસત્ય અને અન્યાય સામે બેબાકપણે લખતા-બોલતા હતા, તેમની કલમ અને કિતાબમાંથી રાષ્ટ્રવાદનો કસૂંબલ રંગ ઢોળાતો રહેતો હતો.

ઝવેરચંદ મેઘાણી સૌરાષ્ટ્ર અને ફૂલછાબમાં હતા ત્યારે તેમના સોમવારથી ગુરુવાર ચાર દિવસ પત્રકારત્વના નામે, શુક્રવારથી રવિવાર ત્રણ દિવસ સાહિત્યના નામે રહેતા. સોમથી ગુરુ સમાચાર શોધવા-લખવાના અને શુક્રથી રવિ પ્રવાસ કરતાકરતા કવિતાઓ, વાર્તાઓ અને નવલકથાઓ લખવાના. દુહા, છંદ, ભજન, લોકગીતો અને લોકકથાઓની રમઝટ બોલાવવાની સાથેસાથે સમાચારો ફંફોસવાના. આમ, ઝવેરચંદ મેઘાણીનું આખું અઠવાડિયું પત્રકારત્વ અને સાહિત્યને સમર્પિત રહેતું, તેમનું આખું આયખું પણ પત્રકારત્વ અને સાહિત્યને સમર્પિત રહ્યું તેમ કહી શકાય. તેઓ જ્યારે જન્મભૂમિને અલવિદા કહી ફૂલછાબના તંત્રી બન્યા ત્યારે પોતાના ઘર બોટાદથી દરરોજ સવારે ટ્રેનમાં રાણપુર જતા હતા, રાત્રે રાણપુરથી ટ્રેનમાં બોટાદ ઘરે આવી જતા હતા. પત્રકાર તરીકે અવનવા સમાચાર શોધવા ઝવેરચંદ મેઘાણી ગ્રામ્ય પ્રદેશોમાં ભ્રમણ કરતા હતા. પત્રકારત્વનું કાર્ય કરતાકરતા તેઓ સાહિત્યના ક્ષેત્રમાં પણ પારંગત થતા ગયા હતા. ઝવેરચંદ મેઘાણીએ સાહિત્ય અને પત્રકારત્વ વચ્ચેની પાતળી ભેદરેખા ભૂંસી નાખી હતી.

ઝવેરચંદ મેઘાણીને રાષ્ટ્રીય શાયર સાથે રાષ્ટ્રીય પત્રકારનું બિરુદ મળવું જોઈએ : મરણોપરાંત ભારતીય સર્વોચ્ચ સન્માનના પણ ખરા હકદાર


ઝવેરચંદ મેઘાણીએ વાર્તા, નવલકથા, નવલિકા, નાટક, જીવનચરિત્ર, ઈતિહાસ, પ્રવાસવર્ણન, સંશોધિત – સંપાદિત લોકસાહિત્ય, વિવેચન, લોકકથા અને લોકગીત જેવા અનેક વિષયો આવરી લઈ આશરે 88 જેટલા પુસ્તકો લખ્યા હતા. આથી મોટી વાત એ છે કે, ઝવેરચંદ મેઘાણીએ લખેલા પુસ્તકોની સંખ્યા સામે ઝવેરચંદ મેઘાણી પર લખાયેલા પુસ્તકોની સંખ્યા વધુ છે! ગુજરાતી સાહિત્ય ઉપરાંત ગુજરાતી પત્રકારત્વ ક્ષેત્રમાં તેમનું પ્રદાન અપૂર્વ અને અનન્ય રહ્યું છે. પત્રકારી જમાતના સાહિત્યકાર તરીકે ઓળખાયેલા ઝવેરચંદ મેઘાણીને રાષ્ટ્રીય શાયર સાથે રાષ્ટ્રીય પત્રકારનું બિરુદ મળવું જોઈએ. 1928માં રણજીતરામ સુવર્ણચંદ્રક અને 1946માં મહિડા પારિતોષિકથી સન્માનિત ઝવેરચંદ મેઘાણી મરણોપરાંત ભારતના સર્વોચ્ચ સન્માનના પણ ખરા હકદાર છે. 1922થી 1945 સુધી આશરે 23 વર્ષ પત્રકારત્વ ક્ષેત્રે પ્રદાન આપનાર ઝવેરચંદ મેઘાણી પત્રકારત્વને તીર્થક્ષેત્ર ગણતા હતા. તેઓ આજીવન પત્રકાર રહ્યા હતા છતાં પત્રકારત્વ તેમના માટે ક્યારેય વ્યવસાય હતો જ નહીં. જો પત્રકારત્વને તેમણે વ્યવસાય તરીકે લીધો હોતો તો આજે માત્ર માર્ગ, હોલ, બગીચાના નામ ઝવેરચંદ મેઘાણીના નહોતા, ઝવેરચંદ મેઘાણીના નામે આથીયે વધુ કઈકેટલુંય બોલતું હોતું. ગુજરાતી પત્રકારત્વની બે સદીની યાત્રામાં ઝવેરચંદ મેઘાણી જેવા પત્રકાર ન ભૂતો, ન ભવિષ્યતી છે. ઝવેરચંદ મેઘાણી ગુજરાતી પત્રકારત્વના અણમોલ ઝવેર છે.

વધારો : નીડર અને નિસ્વાર્થ પત્રકારત્વ કરનાર ઝવેરચંદ મેઘાણી ફૂલછાબના તંત્રી હતા ત્યારે એક ગોવિંદ નામનો બહારવટિયો ઝવેરચંદ મેઘાણીને અવારનવાર ધમકીઓ આપતો હતો. ગોવિંદની એવી ઈચ્છા હતી કે, તેના વિશે ઝવેરચંદ મેઘાણી તેમના પત્ર ફૂલછાબમાં કઈક સારુંસારું વખાણ કરતું લખે. ઝવેરચંદ મેઘાણી ગોવિંદ વિશે એક શબ્દ પણ સારો લખવા તૈયાર નહતા કારણ કે, આખાયે પંથકમાં ગોવિંદની છાપ ખરાબ હતી. ઝવેરચંદ મેઘાણી ગોવિંદ વિશે માત્ર સત્ય જ લખતા હતા અને સત્ય જ લખવા માગવા હતા. એકવાર જ્યારે ઝવેરચંદ મેઘાણી બોટાદ રેલવેસ્ટેશન પર હતા ત્યારે તેમને ગોવિંદ બહારવટિયો ભટકાય ગયો, ગોવિંદે મેઘાણી જોડે માથાકૂટ કરી અને હુમલો કરવાનો પ્રત્યન કર્યો ત્યાં જ ઝવેરચંદ મેઘાણીએ ગોવિંદ બહારવટિયાને પોતાના બથમાં લઈ ઢીબી નાખ્યો. બોટાદ રેલવેસ્ટેશન પર ઝવેરચંદ મેઘાણીએ ગોવિંદ બહારવટિયાની જાહેરમાં ધોલાઈ કરી ધૂળ ચાંટતો કરી મૂક્યો હતો.

 

 

You Might Also Like

વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સમાં ભારતીય ખેલાડીઓ સાથે વહીવટી છબરડો

આશિકી ઉર્ફે આસક્તિનું એનાલિસિસ!

વિઝાનો ઈતિહાસ

બોલો હર હર

તને કેમ માપવો મારા નાથ!

TAGGED: Gujaratijournalism, ZaverchandMeghani
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article મા, બેટી અને ગેંગસ્ટર
Next Article જેવું અન્ન તેવું મન

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
મોરબી

મોરબીના સિરામિક ઉદ્યોગને મોટી રાહત ગેસના ભાવમાં રૂ. 3.25નો ઘટાડો જાહેર

Khaskhabar Editor Khaskhabar Editor 3 minutes ago
હળવદ-માળિયા હાઈવે પર ગમખ્વાર અકસ્માત કાર અને ટ્રેલર અથડાતાં એકનું મોત, એક ઘાયલ
હળવદ તાલુકામાં શાળાકીય રમતોત્સવનો ભવ્ય પ્રારંભ
ધ્રાંગધ્રા: હળવદ રોડ પર મંજૂરી વગર પાર્ટી પ્લોટના બાંધકામમાં હવે હેતુફેર કરવાની દોડધામ શરૂ !
ધ્રાંગધ્રાના રાવળીયાવદર ગામે દર્દીઓની જોખમી સારવાર
ધ્રાંગધ્રા નર્મદા કેનાલમાં સફાઈ અને સમારકામમાં પણ ભ્રષ્ટાચાર!
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Hemadri Acharya Dave

વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સમાં ભારતીય ખેલાડીઓ સાથે વહીવટી છબરડો

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
Author

આશિકી ઉર્ફે આસક્તિનું એનાલિસિસ!

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
Author

વિઝાનો ઈતિહાસ

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?