મૃત્યુનાં મુખેથીDyso બનવા સુધીની સફર
કુણાલસિંહ કહે છે, આત્મહત્યા કરતાં આવડતું ન હતું બાકી કરી લેત
કહેવાય છે કે અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી. આ ઉક્તિ માંગરોળ તાલુકાના સુલતાનપુર ગામના યુવાને સાર્થક કરી બતાવી. હા, સુલતાનપુરનાં કુણાલસિંહ લક્ષ્મણભાઈ પરમાર હાલ ડીવાયએસઓની પરીક્ષા પાસ કરી ગાંધીનગર માર્ગ અને મકાન વિભાગમાં ફરજ બજાવી રહ્યા છે. તેમના જીવનની સંઘર્ષ ગાથા નિરાશ થઈ બેસી રહેતા યુવાનોને પ્રેરણા આપે છે. કુણાલસિંહે કહ્યું હતું કે મારું જીવન પહેલેથી જ સંઘર્ષમય રહ્યું છે, પણ મક્કમ મન અને પરિવારના સહકારથી આજે હું સારી નોકરી કરી રહ્યો છું. વર્ષ 2006માં મને સ્વાદુપિંડની બીમારી થયેલી. તેનો અસહ્ય દુ:ખાવો સહન થતો ન હતો. વર્ષ 2010 સુધી આ પ્રકારે ચાલ્યું હતું. ઘરનાં લોકો આગળ વધવાની બદલે આજીવન આરામ કરવા કહેતા હતા. આ બીમારી વચ્ચે મને આત્મહત્યા કરવાનું મન થતું હતું. પરંતુ આત્મહત્યા કેમ કરવી? તેનો ખ્યાલ ન હોવાના કારણે હું આત્મહત્યા કરી શક્યો નહીં.
- Advertisement -
જો મને આત્મહત્યા કરતાં આવડતું હોત તો આજે હું જીવતો ન હોત. આ બીમારીમાં મારું વજન 30 કિલો થઈ ગયું હતું. બાદ હિંમત કરી આગળ વધવાનો સંકલ્પ કર્યો. મારા પિતા આરએફઓ હતા. હું પણ યુપીએસસીની પરીક્ષા પાસ કરી વન વિભાગમાં જોડાવા માંગતો હતો. તેના માટે વર્ષ 2014માં હું દિલ્હી અભ્યાસ માટે ગયો હતો. દિલ્હીમાં 4 મહીના થયા ત્યાં મારા પિતાનું નિધન થયું હતું. બાદ મારા દિવસો કપરા હતા. આર્થિક મુશ્કેલી, પરિવારની સ્થિતિ વચ્ચે આગળ વધવાનું શરૂ રાખ્યું. હું વતન આવી ગયો અને યુપીએસસીપી તૈયારી શરૂ કરી દીધી. વર્ષ 2019માં જીપીએસસીનું પરિણામ આવ્યું. હાલ ડીવાયએસઓની પરીક્ષા પાસ કરી આજે હું એક સારી નોકરી કરી રહ્યો છું.
જીવનમાં ચમત્કાર?
કુણાલસિંહે કહ્યું હતું કે મારા જીવનમાં અનેક પડકાર આવ્યા હતા. પણ એક ચમત્કારે મારું જીવન બદલી નાખ્યું છે. 2021માં હું મેરિટમાં ન હતો, પરંતુ રિવાઈલ્ડ રીઝલ્ટમાં હું પાસ થયો હતો બાદ મુખ્ય પરીક્ષા પણ પાસ કરી. રાજ્યમાં 25માં રેન્ક સાથે ઉત્તીર્ણ થયો હતો.
સાત પરીક્ષા પાસ કરી
કુણાલસિંહે જુદી-જુદી સાત જેટલી પરીક્ષા પાસ કરી હતી. તેમણે કહ્યું હતં કે હું સેકશન ઓફિસર પણ બની શક્યો હોત, પરંતુ તેમાં ગયો ન હતો.