મેક્સમૂલર પાશ્ચાત્ય સંશોધક હતા. ભારતના કાલખંડ વિશે, કાલગણના વિશે, જ્યોતિષ શાસ્ત્ર અને ખગોળ શાસ્ત્ર વિશે, પ્રત્યેક છવ્વીસ હજાર વર્ષો બાદ આવતા વસંત સંપાત વિશે કશી જ ખબર ન હતી, એટલે એણે કહી દીધું કે મહાભારત આજથી અઢી હજાર વર્ષ પહેલાં અને રામાયણ આજથી પાંચ હજાર વર્ષ પહેલાં ઘટ્યાં હતાં. હવે ભારતના ખગોળવિદો, જ્યોતિષવિદો અને વેદોના જાણકારો મેદાનમાં ઉતર્યા છે અને આપણી ભારતીય સમય ગણના રજૂ કરવા લાગ્યા છે. જ્યારે સમગ્ર યુરોપ અને અમેરિકામાં હિમખંડ ચાલતો હતો ત્યારે પણ ભારતમાં વૃક્ષો, અનાજ અને લીલાછમ ઘાસના મેદાનો જોવા મળતાં હતાં. આજથી બે લાખ વીસ હજાર વર્ષ પહેલાં પ્રાચીન પવિત્ર નદીઓના કાંઠે બેસીને કોઈ મહાન ઋષિએ વિશ્વના પ્રથમ ગ્રંથ ઋગ્વેદની પ્રથમ ઋચા લખી હતી. અપૌરૂષેય મનાતા વેદોમાં અગણિત ઋષિઓએ અને વિદુષી નારીઓએ સ્વયં રચિત ઋચાઓનું પ્રદાન કર્યું હતું. જીવ અને શિવ, આત્મા અને પરમાત્માની વિભાવના પાષાણયુગ કરતા પણ પહેલાના સમયથી આ મહાન ભૂમિ ઉપર પાંગરી હતી. ભારતમાં જન્મેલા મહાન ઋષિઓ અને યોગીઓનો સમગ્ર માનવ જાત ઉપર મહાન ઉપકાર રહ્યો છે. વેદની એક ઋચા કહે છે. અર્થાત યોગીઓએ જીવાત્માને પરમાત્મા સાથે મેળવ્યા, જીવ અને શિવનું મિલન કરાવ્યું. આવી મહાન ભારત ભૂમિને આપણે રોજ વંદન કરીએ અને આપણા પૂર્વ સૂરીઓને, મહાન યોગીઓને સ્મરીને પરમાત્માની આરાધના કરીએ.
યોગીઓએ જીવાત્માને પરમાત્મા સાથે મેળવ્યા, જીવ અને શિવનું મિલન કરાવ્યું

Follow US
Find US on Social Medias