ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ ગુજરાત તીર્થ પુરોહિત મહાસભાના અધ્યક્ષ નિર્ભય પુરોહીતે મખ્યમંત્રી સંબોધીને મનપા કમિશનરને લેખિત પત્ર લખીને એવી માંગ કરી છે કે, દામોદર કુંડમાં ગટરના પાણી ભળી જવાથી કુંડનું પાણી ભયંકર દુર્ગંધ મારે છે.
વધુમાં જણાવ્યું હતું કે, ગિરનારની લીલી પરિક્રમામાં બેઠકમાં ગિરનાર ફરતા ચેકડેમ માંથી કાપ કાઢવો તેમજ પરિક્રમાના મેળા દરિમિયાન દામોદર કુંડ તીર્થક્ષેત્રમાં આવતા હાલ ત્રણ ડેમો છે જે સંપૂર્ણપણે કાદવયુક્ત દુષિત અને જાણે ઓઇલ ઢોળ્યું હોય તેવું કાળું પાણી જમા થયેલ છે જેનાથી દુર્ગંધ મારી રહ્યું છે ત્યારે આજ દિન સુધી મહા પાલિકા દ્વારા સફાઈ કે ચોખ્ખું પાણી નાખવાની કોઈ કામીગીરી કરવામાં આવી નથી અને વર્ષોથી કુંડને ડીશીલ્ટ કરાવવા અને કુંડમાં ગટરનું પાણી ભળતું બંધ થાય તે માટે તૈયાર થયેલ એક્શનપ્લાન અમલી બને તેવી માંગણી કરી છે.
જૂનાગઢ દામોદર કુંડની અવદશા મુદ્દે મુખ્યમંત્રી અને કમિશનરને પત્ર લખી ઘટતું કરવાની માંગ
