By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    રશિયા સાથે વેપાર કરનારા સાવધાન! ટ્રમ્પ 500% ટેરિફનો કાયદો લાવવાની જાહેરાત કરી શકે
    18 hours ago
    જયશંકર પુતિનને મળ્યા, SCO સમિટમાં આતંકવાદ પર ઝીરો ટોલરન્સની હાકલ કરી
    20 hours ago
    પાકિસ્તાની છોકરીઓને ચીનમાં દુલ્હન તરીકેની હરાજી કરવામાં આવે છે
    20 hours ago
    હસીનાને ફાંસીની સજાના વિરોધમાં આજે બાંગ્લાદેશ બંધ
    2 days ago
    યુક્રેન-રશિયા યુદ્ધ: 100 જેટલા રાફેલ ફાઈટર જેટ સપ્લાય થતા જ બદલાશે યુદ્ધની દિશા
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગના અધ્યક્ષ કિશોર મકવાણા તેલંગાણાનાં રામાગૂંડમ નજીક આવેલી કોલસાની ખાણની મુલાકાતે
    17 hours ago
    જૂનાં વાહન ચાલકોને મોટો ફટકો, ફિટનેસ ફીમાં 10 ગણો વધારો
    17 hours ago
    દિલ્હીમાં પ્રદુષણ ખતરનાક સ્તરે, આરોગ્ય કટોકટી : એઈમ્સ
    18 hours ago
    રાજસ્થાનમાં કોલ્ડવેવ, 16 શહેરોમાં પારો 10 ડિગ્રીની નીચે
    18 hours ago
    આંધ્રપ્રદેશના જંગલોમાં સુરક્ષાદળોની મોટી કાર્યવાહી હિડમા બાદ વધુ 7 નક્સલી ઠાર મરાયા
    18 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    વિશ્ર્વ વિજેતા ભારતીય ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌર 22 નવેમ્બરે રાજકોટ આવશે
    2 days ago
    IPL 2026: રાજસ્થાન રોયલ્સે જાડેજા અને કુરાનની જગ્યાએ સંજુ સેમસનને ચેન્નાઈ સુપર કિંગ્સ સાથે સોદો કર્યો
    5 days ago
    ભારત સામે આફ્રિકાની ખરાબ હાલત
    6 days ago
    BCCIની કોહલી અને રોહિતને કડક સૂચના: ભારત માટે રમવું હોય તો ઘરેલું ક્રિકેટ ફરજિયાત
    1 week ago
    હોમકમિંગ? જાડેજાની પહેલી લવ સ્ટોરી: રાજસ્થાન રોયલ્સ!
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ગિરિજા ઓક, વાયરલ બ્લુ-સાડી વુમન જે ઈન્ટરનેટની નવી ક્રશ બની
    20 hours ago
    સિંગર હ્યૂમન સાગરે 34 વર્ષની વયે દુનિયાને અલવિદા કહ્યું
    2 days ago
    દુબઈમાં રૂ.4000 કરોડનો શાહરુખ ખાનના નામ પર બનશે ટાવર
    5 days ago
    ડીપફેક શોષિત સેલેબ્સની લિસ્ટમાં શાહરૂખ ખાન ટોપ પર
    5 days ago
    રાજકુમાર રાવ અને પત્રલેખા તેમની લગ્નની ચોથી એનિવર્સરીના દિવસે માતા-પિતા બન્યા
    5 days ago
  • ધર્મ
    ધર્મShow More
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    3 weeks ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    1 month ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    1 month ago
    લક્ષ્મી પૂજનના દિવસે મહાલક્ષ્મી માતાજીનું અલૌકિક સ્વરૂપ: રાજાશાહી આભૂષણોમાં દર્શન
    1 month ago
    આજે ધનતેરસ સાંજે કરો આ ઉપાય, ક્યારેય ધનની કમી નહિ થાય
    1 month ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    1 week ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    3 weeks ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    3 weeks ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    3 weeks ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ચંદ્રકેતુ, સુબાહુ, શત્રુઘાતી અને શાંતા કોણ હતા? રામાયણની રામાયણ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Kinnar Acharya > ચંદ્રકેતુ, સુબાહુ, શત્રુઘાતી અને શાંતા કોણ હતા? રામાયણની રામાયણ
AuthorKinnar Acharya

ચંદ્રકેતુ, સુબાહુ, શત્રુઘાતી અને શાંતા કોણ હતા? રામાયણની રામાયણ

Khaskhabar Editor
Last updated: 2022/01/24 at 1:07 PM
Khaskhabar Editor 4 years ago
Share
9 Min Read
SHARE

બે અઠવાડિયાથી આપણે રામાયણની રામાયણ માંડી છે. કમનસીબે આપણાં આ મહાન ગ્રંથની થોડી ઉપરછલ્લી વાતો જ આપણે જાણીએ છીએ.

રંગ છલકે
– કિન્નર આચાર્ય 

વાસ્તવમાં રામાયણમાં અનેક પાત્રો, સ્થળો અને અસ્ત્ર-શસ્ત્રનાં વર્ણનો છે. પરંતુ આપણે આ ગ્રંથ ક્યારેય ધ્યાનપૂર્વક કે રસપૂર્વક વાંચવાનો પ્રયત્ન જ નથી કર્યો. એક સીધોસાદો પ્રશ્ર્ન છે: રામ-સિતાને વનવાસ માટે મોકલાયા ત્યારે અગણિત અયોધ્યાવાસીઓ પણ તેમની સાથે વન તરફ ચાલતાં થયા. એક નગરમાં રાત્રી વિશ્રામ કરવાનું બન્યું, અહીંથી જ રામ-સિતા અને લક્ષ્મણે બાકીનાં અયોધ્યાવાસીઓને ઊંઘતા મૂકીને વન ભણી પ્રયાણ કર્યું. હવે કહો, એ નગર ક્યું- જ્યાં રાત્રી વિશ્રામ તેમણે કર્યો હતો? એ નગર એટલે: શૃંગવેરપુર. શ્રીરામનાં પરમ મિત્ર હતા એ કાશીનાં રાજાનું નામ શું? એમનું નામ : પ્રતર્દન.

Contents
બે અઠવાડિયાથી આપણે રામાયણની રામાયણ માંડી છે. કમનસીબે આપણાં આ મહાન ગ્રંથની થોડી ઉપરછલ્લી વાતો જ આપણે જાણીએ છીએ.રંગ છલકે – કિન્નર આચાર્ય શ્રીરામમાં વિષ્ણુનો અર્ધાંશ હતો, ભરતમાં ચતુર્થાંશ અને લક્ષ્મણ-શત્રુઘ્નમાં અષ્ટમાંશશ્રીરામે પોતાનાં મનોરંજન માટે એક હાસ્યકાર રાખ્યો હતો, હાસ્યકારનું નામ: સુરાજિવિશ્ર્વામિત્રને ‘મહર્ષિ’ની ઉપાધિ સ્વયં બ્રહ્માએ આપી હતી : લંકાના રાજા તરીકે વિભિષણનો રાજ્યાભિષેક લક્ષ્મણે કર્યો હતો : વનવાસ કાળમાં સિતાને દિવ્ય હાર, વસ્ત્રાભૂષણ, ઘરેણાંઓ અનસૂયાએ આપ્યા હતા.શ્રીરામ અયોધ્યાનાં રાજા બન્યા હતાં એ જાણીતી વાત છે પણ અયોધ્યાનાં પ્રથમ રાજા કોણ હતા? એ હતા ઈશ્ર્વાકુ. આગળ જઈને લવ ક્યાંનો રાજા બન્યો? જવાબ: શ્રાવસ્તી. જ્યારે કુશસ્થલીનો રાજા બન્યો કુશખર-દૂષણ અને રાવણનાં પિતા: વિશ્રવા. તાડકાનાં પિતા સુકેતુ. જટાયુના પિતા એટલે અરુણ. જાંબુવંતના પિતાનું નામ ગદ્દ.

એક આખું પ્રકરણ રામાયણનાં વિવિધ પાત્રોનાં સંબંધો પર પણ લખી શકાય. શ્રીરામની માતાનું નામ કૌશલ્યા, રાવણની માતાનું નામ હતું કૈક્સી. પણ જટાયુની માતાનું નામ? શ્યેની. મંદોદરીની માતાનું નામ હેમા. ખર અને દૂષણ નામનાં રાક્ષસોની આમ તો જોડી હતી. પરંતુ બેઉની માતા અલગ. ખરની માતાનું નામ, પુષ્પોત્કટા અને દૂષણની માતાનું નામ વાકા. અંગદની માતાનું નામ તારા અને લવણાસૂરની માતાનું નામ કુંભિનસી. રાવણનાં પુત્ર અતિકાયની માતાનું નામ ધાન્યમાલિન, કુબેરના મમ્મીનું નામ દેવવર્ણિની. નાગોની માતા એટલે સુરસા. દુંદુભીની માતા હતી અપ્સરા હેમા. રાહુની માતા, સિંહિકા.

- Advertisement -

ખર-દૂષણ અને રાવણનાં પિતા: વિશ્રવા. તાડકાનાં પિતા સુકેતુ. જટાયુના પિતા એટલે અરુણ. જાંબુવંતના પિતાનું નામ ગદ્દ. વાનર નલ-નીલની જોડીનું નામ રામાયણથી પરિચિત હોય તેવા બધા લોકો જાણતા હશે- નલનાં પિતા, વિશ્ર્વકર્મા અને નીલનાં પિતા- અગ્નિદેવ. મંદોદરીના પિતાનું નામ : મય. મહર્ષિ વિશ્ર્વામિત્રનાં પિતાનું નામ: ગાધિ. લવણાસૂરનો પિતા હતો, દૈત્ય મધુ. કૈક્યીના પિતાનું નામ, અશ્ર્વપતિ. ત્રિશંકૂના પિતા, અત્રિ. સ્વયંપ્રભાના પિતા, મેરુસાવર્ણી. ભરતની પત્નીનું નામ હતું, માંડવી. શત્રુઘ્નની પત્ની: શ્રૃતકીર્તિ. મેઘનાદની પત્ની, સુલોચના. વિભિષણની પત્ની એટલે, સરમા. કુંભકર્ણની પત્નીનું નામ: વજ્રજ્વાલા. કુશની પત્નીનું નામ: ચંપકા, લવની બે પત્નીઓ. નામ: સુમતિ અને કંજાનના.

રામનાં પુત્રો હતાં: લવ-કુશ. પરંતુ લક્ષ્મણનાં પુત્રનું નામ? જવાબ છે અંગુદ અને ચંદ્રકેતુ. ભરતનાં પુત્રનું નામ: તક્ષ. ભરતનો પુત્ર: પુષ્કલ, શત્રુઘ્નનાં પુત્રનું નામ શત્રુઘાતી અને ગીસુબાહુ. રામની બહેન અને દશરથની પુત્રીનું નામ, શાંતા. અચ્છા, રાવણનાં નાનાનું નામ પુલત્સ્ય. ભરતના મામા યુધાજિત. શ્રીરામનાં નાના, ભાનુમાન. હનુમાનજીના નાનાનું નામ હતું કુંજર.

સગા-સંબંધીઓ ઉપરાંત પણ રામાયણની ઘણી એવી બાબતો છે- જે રોચક પણ છે અને ઓછી જાણીતી પણ છે. ઉદાહરણ તરીકે: અશોક વાટિકામાં હનુમાનજીનાં હાથે રાવણનાં ક્યા પુત્રનો વધ થયો હતો? એનું નામ: અક્ષકુમાર. રામનાં માતા કૌશલ્યાએ અશ્ર્વમેધ યજ્ઞ બાદ દેહત્યાગ કર્યો હતો. રાક્ષસ લવણાસૂરે અયોધ્યાનાં રાજા માંધાતાની હત્યા કરી હતી. અને એ જ લવણાસૂરનો વધ પછી શત્રુઘ્નએ કર્યો હતો. મહર્ષિ જમદગ્નીની હત્યા સહસ્ત્રાર્જુને કરી હતી. લંકિની રાક્ષસીનો વધ હનુમાનજીએ માત્ર મુક્કાનાં પ્રહાર કરીને કર્યો હતો. સુંદ દૈત્યનું મૃત્યુ ઋષિ અગસ્ત્યએ શ્રાપ આપવાથી થયું હતું. રાવણનાં સેનાપતિ પ્રધસનો વધ સુગ્રિવે કર્યો હતો. અન્ય સેનાપતિ દુર્ધરનો અને યુપાશ્રનો તથા ભાસકર્ણનો વધ હનુમાનજીએ કર્યો હતો.

- Advertisement -

શ્રીરામમાં વિષ્ણુનો અર્ધાંશ હતો, ભરતમાં ચતુર્થાંશ અને લક્ષ્મણ-શત્રુઘ્નમાં અષ્ટમાંશ
શ્રીરામે પોતાનાં મનોરંજન માટે એક હાસ્યકાર રાખ્યો હતો, હાસ્યકારનું નામ: સુરાજિ

વિશ્ર્વામિત્રને ‘મહર્ષિ’ની ઉપાધિ સ્વયં બ્રહ્માએ આપી હતી : લંકાના રાજા તરીકે વિભિષણનો રાજ્યાભિષેક લક્ષ્મણે કર્યો હતો : વનવાસ કાળમાં સિતાને દિવ્ય હાર, વસ્ત્રાભૂષણ, ઘરેણાંઓ અનસૂયાએ આપ્યા હતા.

શ્રીરામ અયોધ્યાનાં રાજા બન્યા હતાં એ જાણીતી વાત છે પણ અયોધ્યાનાં પ્રથમ રાજા કોણ હતા? એ હતા ઈશ્ર્વાકુ. આગળ જઈને લવ ક્યાંનો રાજા બન્યો? જવાબ: શ્રાવસ્તી. જ્યારે કુશસ્થલીનો રાજા બન્યો કુશ. સહસ્ત્રાર્જુન માહિષ્મતિ (‘બાહુબલી’ ફિલ્મ યાદ આવી ગઈ?)નો રાજા હતો. કુબેરનાં રાજ્યનું નામ: અલ્કાપુરી. લવણાસૂર મધુપુરનો રાજા હતો એ પછી શત્રુઘ્ન ત્યાંનો રાજા બન્યો. અંગદ હતો કારૂપથનો રાજા. રામનાં નાના ભાનુમાન કોશલનાં રાજા હતા. રામ બાદ અયોધ્યાનો રાજા કુશ બન્યો હતો પણ તેનું અલગ રાજ્ય પણ તેણે વસાવ્યું હતું.

શ્રીરામ વિષ્ણુનાં અવતાર હતા, એ જાણીતી વાત છે. પરંતુ તેમનામાં વિષ્ણુનો કેટલો અંશ હતો? જવાબ છે: અર્ધાંશ. લક્ષ્મણમાં અષ્ટમાંશ હતો, શત્રુઘ્નમાં પણ અષ્ટમાંશ જ્યારે ભરતમાં ચતુર્થાંશ. વાનર વીર અંગદનો જન્મ બૃહસ્પતિ (ગુરુ)ના અંશમાંથી થયો હતો. રાજા દશરથને ઘેર પારણું બંધાય તે માટે તેમનાં માટે પુત્રેષ્ટિ યજ્ઞ ઋષ્યશૃંગએ કરાવ્યો હતો. જો કે, રાજા દશરથનાં ગુરુ તથા મંત્રી ઋષિ જાબાલી હતા. લ્યો! આ એક સાવ અજાણી માહિતી: યુદ્ધ વગેરેનાં ટેન્શનમાં રાત-દિવસ ડુબેલાં રહેતા શ્રીરામે પોતાનાં મનોરંજન માટે- હળવા થવા એક હાસ્યકાર રાખ્યો હતો. હાસ્યકારનું નામ: સુરાજિ. તે રામ સહિત સમગ્ર સેનાને મનોરંજન પીરસતા. એક રાક્ષસી હતી- જેણે સ્વપ્ન નિહાળ્યું હતું કે રાક્ષસોનો વિનાશ થશે અને શ્રીરામનો વિજય થશે. એ રાક્ષસી એટલે: ત્રિજટા. મેઘનાદ જ્યારે યુદ્ધ કરતો ત્યારે એ અવશ્ય ચંદન ઘોનાં ચામડામાંથી બનેલા હાથમોજાં પહેરતો. કુબેરનું એક નામ એકાક્ષપિંગલી પણ હતું.

રાવણ પૂર્વજન્મમાં હિરણ્યકશિપુ હતો અને સૌથી આદિ રાક્ષસ હતો, હેતી. શ્રીરામ યિવિદ નામનાં વાનરને વરદાન આપ્યું છે કે એ કળિયુગનાં અંત સુધી જીવિત રહેશે. વિશ્ર્વામિત્ર પાસે સૃષ્ટિની સામે પ્રતિસૃષ્ટિનાં સર્જનની ક્ષમતા પણ હતી. એ ક્યા રાજા છે- જે નક્ષત્ર બનીને આજે પણ આકાશમાં પ્રકાશિત ગણાય છે? એમનું નામ: ત્રિશંકૂ. રામાયણનાં યુદ્ધમાં એક એવી વનસ્પતિનું વર્ણન આવે છે- જે બાણ-ભાલાના જખ્મ રૂઝાવીને શરીરનાં એ ભાગને પૂર્વવત કરવાનું કામ કરે છે, એ વનસ્પતિ એટલે, વિશલ્યકરણી. એવી જ રીતે યુદ્ધમાં ઘાયલ થયેલા બેશુદ્ધ યોદ્ધાના ચહેરા પર પણ રંગત લાવી દે એ ઔષધિનું નામ, સાવર્ણ્યકરણી. લવ અને કુશ સંગીત વિદ્યામાં પણ પારંગત હતા.

રામ-સિતાએ વનવાસગમન સમયે પોતાનાં તમામ કિંમતી આભૂષણો કોને આપ્યા હતા? જવાબ છે: સુયજ્ઞને. રાવણ સાથે યુદ્ધ સમયે શ્રીરામ ઈન્દ્રરથ પર સવાર હતા અને તેમનાં સારથિ હતાં માતાલી. સિતાને શોધવા નીકળેલા હનુમાનજી જ્યારે લંકા પહોંચ્યા ત્યારે તેમનું સ્વાગત મૈનાક પર્વતે કર્યું હતું. આખી રામાયણ જેને લીધે સર્જાઈ- એ સિતાહરણ માટે રાવણને સલાહ આપનાર કોણ હતું? નામ છે: અકંપન. રાવણનાં દરબારમાં અનેક અમાત્ય હતાં- જેમાં મહોદર, પ્રહસ્ત, ધૂમ્રાક્ષ, મારિચ, શૂક અને સારણ મુખ્ય હતા. રાવણનો એક ખાસ રાક્ષસ હતો જેણે માયા રચીને શ્રીરામનું કપાયેલું શિર દેખાડીને સિતાને વિચલિત કરવા પ્રયત્ન કર્યો હતો. એ રાક્ષસ એટલે: વિદ્યુજ્જીહવ. અચ્છા, દેવતાઓના વૈદ્ય- ચિકિત્સક કોણ હતા? અશ્ર્વિનિકુમાર. શ્રીરામ-સિતા જ્યારે વનવાસથી પરત આવ્યા ત્યારે તેમનું સ્વાગત કરવા ભરતનાં એક મંત્રી ગયા હતા. તેમનું નામ: અર્થસાધક. પંચવટીમાં રામ-લક્ષ્મણ અને સિતાએ પ્રવેશ કર્યો ત્યારે ચોથું પાત્ર પણ ત્યાં હાજર હતું. એ પાત્ર એટલે: જટાયુ. વિભિષણ પાસે પણ અનેક મંત્રીઓ હતા, જેમાંના કેટલાક મંત્રીઓ એટલે અનલ, અનિલ, હર અને સંપાતિ. રાજા દશરથની પુત્રીનાં લગ્ન કોની સાથે થયા હતા? ઋષ્યશૃંગ સાથે. રાજા દશરથનું અવસાન થયું ત્યારે તેમની અંતિમવિધિ માટે એકપણ પુત્ર હાજર નહોતો. તેથી તેમનાં મૃતદેહને તેલમાં ડૂબાડીને સાચવવામાં આવ્યો હતો. વિશ્ર્વામિત્રને ‘મહર્ષિ’ની ઉપાધિ સ્વયં બ્રહ્માએ આપી હતી. લંકાના રાજા તરીકે વિભિષણનો રાજ્યાભિષેક લક્ષ્મણે કર્યો હતો. વનવાસ કાળમાં સિતાને દિવ્ય હાર, વસ્ત્રાભૂષણ, ઘરેણાંઓ અનસૂયાએ આપ્યા હતા. ઋષિઓનું એ જૂથ ક્યા નામે ઓળખાય છે- જેમનો જન્મ બ્રહ્માનાં નખમાંથી થયો હતો? જવાબ છે: વૈખાનસ. એવી જ રીતે બ્રહ્માજીની રૂંવાટીમાંથી ઉત્પન્ન થયેલા ઋષિઓના સમુહને બાલખિલ્ય કહેવાય છે. માત્ર વૃક્ષોનાં પાંદડા ખાઈને તપ કરતા ઋષિઓને કહેવાય: પત્રાહાર. ગળા સુધી પાણીમાં ડૂબીને તપ કરતાં ઋષિઓ કહેવાય છે, ઉન્મજ્જક. માત્ર જળ પીને સાધના કરતા ઋષિઓ એટલે, સલિલાહાર. હવા પર જ જીવતા ઋષિઓને કહેવાય છે: વાયુભક્ષ. ગરમીની મોસમમાં ઉપરથી સૂર્યની ગરમી અને ચોતરફથી અગ્નિની ગરમી સહન કરી સાધના કરતા ઋષિઓને કહેવાય: પંચાગ્નિસેવી. વસિષ્ઠ ઉપરાંત એક અન્ય ઋષિ પણ હતા જે રાજા દશરથનાં પુરોહિત હતાં. નામ: વામદેવ. રાવણ સામે યુદ્ધ પહેલાં ઋષિ અગસ્ત્યએ રામને એક ચમત્કારીક પાઠ કરવાની સલાહ આપી હતી. એ પાઠ એટલે, આદિત્યહૃદય. દ્વારપાળ- ચોકિદારોનાં અધ્યક્ષને કહેવાય છે: પ્રદેષ્ટા.

શ્રીરામ અયોધ્યાનાં રાજા બન્યા હતાં એ જાણીતી વાત છે પણ અયોધ્યાનાં પ્રથમ રાજા કોણ હતા? એ હતા ઈશ્ર્વાકુ. આગળ જઈને લવ ક્યાંનો રાજા બન્યો? જવાબ: શ્રાવસ્તી. જ્યારે કુશસ્થલીનો રાજા બન્યો કુશ

પ્રશ્ર્નો અને જવાબો હજુ અગણિત છે. સવાલ એ છે કે, આપણે આપણાં મહાન વૈભવી વારસા વિશે કેટલું જાણીએ છીએ! આપણે એ તો જાણીએ છીએ કે, અકબરનાં નવ રત્નો કોણ હતાં. પરંતુ રામાયણ અંગે આપણું જ્ઞાન એટલુ અલ્પ છે કે, દસ-વીસ પાત્રોમાં એ સમેટાઈ ગયું છે. આ લેખમાળા રામાયણ અંગેના આપણાં જ્ઞાનમાં થોડી વૃદ્ધિ કરે તેવી શ્રીરામને પ્રાર્થના.

ખર-દૂષણ અને રાવણનાં પિતા: વિશ્રવા.
તાડકાનાં પિતા સુકેતુ. જટાયુના પિતા એટલે અરુણ. જાંબુવંતના પિતાનું નામ ગદ્દ.

 

You Might Also Like

જટાયુ અર્થ સેન્ટર

બિહાર વિધાનસભા ચૂંટણી: મહાગઠબંધન કેમ હાર્યું ? NDA શા માટે જીત્યું ?

જરૂરી છે માણસનું માણસ થવું !

અમેરિકન ગ્રીનકાર્ડ ખોવાયું છે? હવે ચિંતા કરવાની જરૂર નથી!

તને મેં ઝંખી છે-યુગોથી ધીખેલા પ્રખર સહરાની તરસથી

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article પૂરી શ્રદ્ધાથી પરમાત્માને પ્રાર્થના કરશો તો તે અવશ્ય સાંભળશે જ
Next Article સેવા એ જ ધર્મ!

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

બાળકોને ઠંડીથી બચાવવા બ્રાન્ડી આપતા હો તો ચેતી જ્જો…

Khaskhabar Editor Khaskhabar Editor 17 hours ago
રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગના અધ્યક્ષ કિશોર મકવાણા તેલંગાણાનાં રામાગૂંડમ નજીક આવેલી કોલસાની ખાણની મુલાકાતે
રાજકોટમાં ધો.10-12માં 78,390 વિદ્યાર્થી પરીક્ષા આપશે, 2753 બ્લોકમાં બેઠક વ્યવસ્થા
જૂનાં વાહન ચાલકોને મોટો ફટકો, ફિટનેસ ફીમાં 10 ગણો વધારો
હવે 7 ડિસેમ્બરે રાજકોટવાસીઓ સૂર્યકિરણ ટીમનો એર શૉ માણશે
જઝ ડેપોમાં ઈઈઝટ કેમેરાની માંગ: ‘અઅઙ’ કાર્યકરોએ સુવિધાઓ વધારવા વીડિયો વાયરલ કરી માંગ કરી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Bhavy Raval

જટાયુ અર્થ સેન્ટર

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
Hemadri Acharya Dave

બિહાર વિધાનસભા ચૂંટણી: મહાગઠબંધન કેમ હાર્યું ? NDA શા માટે જીત્યું ?

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
Author

જરૂરી છે માણસનું માણસ થવું !

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?